Book Title: Shrimad Rajchandra Vachanamrut Author(s): Shrimad Rajchandra Ashram Agas Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 7
________________ http://www.ShrimadRajchandra.org પ્રથમાવૃત્તિનું નિવેદન ''જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.''આત્મસિદ્ધિ-ગાથા-૧ અહો સત્પુરુષનાં વચનામૃત, મુદ્રા અને સન્સમાગમ ! સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત;- છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી. અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર! ૧૯૫૬ ૧૯૫૬ ત્રિકાળ જયવંત વર્તો! આંક ૮૭૫ ૧૯૪૮ અમે એમ જ જાણીએ છીએ કે એક અંશ શાનાથી કરીને પૂર્ણકામના સુધીની સર્વ સમાધિ તેનું સત્પુરુષ જ કારણ છે............ મા ઉ આંક ૨૧૩ આત્માના અસ્તિત્વને કોઇ પણ પ્રકારે સ્વીકારનાર દર્શનોના સર્વ મહાત્માઓ આ વાતમાં સમ્મત છે કે આ જીવ નિજસ્વરૂપના અજ્ઞાતપણાથી, ભ્રાંતિથી અનાદિકાળથી આ સંસારમાં રખડે છે અને અનેક પ્રકારનાં અનંત દુઃખો અનુભવે છે. તે જીવને કોઇ પણ પ્રકારે નિજસ્વરૂપનું ભાન કરાવી શુદ્ધસ્વરૂપમાં સ્થિતિ કરાવનાર હોય તો તે માત્ર એક સત્પુરુષ અને તેમની બોધવાણી છે. 4 શ્રીમદ્ રાજચંદ્ર જે પુથ્થનામ મહાપુરુષના આત્મોપકારની પુનિત સ્મૃતિ શ્રીમાન લઘુરાજસ્વામીને આ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના નામસંસ્કરણમાં હેતુભૂત બની, તે સમીપવર્તી પરમ માહાત્મ્યવંત વિભૂતિ શ્રીમદ્ રાજચંદ્રનાં પ્રાપ્ત એવાં સર્વ પારમાર્થિક લખાણોનો આ સંગ્રહ-ગ્રંથ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ તરફથી પ્રગટ કરવાની ઘણા સમયથી પોંધેલી શુભ ભાવના આજે મૂર્તિમંત થવાથી અંતર આનંદથી પ્રફુલ્લિત બને છે. સૌ સાધક આદિને આ અક્ષરદેહ આત્મશ્રેયસાધનાનું એક સાચું બની રહો એ અંતરની અભિલાષા છે. આજે રામ અ તે થવાથી અંતર આનંદથી પ્રફુલ્લિત બને છે. સૌ સાધક આદિને सहजात्म V सदगुरु જે મહાપુરુષનાં વચનોનો આ ગ્રંથસંગ્રહ છે તે શ્રીમદ્ રાજચંદ્ર જેવા પરમ ઉત્કૃષ્ટ કોટિના શુદ્ધાત્મા વિષે લખતાં પોતાની યોગ્યતા ન લાગવાથી ક્ષોભ થયા વિના રહેતો નથી. આ ગ્રંથમાં આવતા પત્રોમાં એમના અંતરના जन्म ववाणीया (सौराष्ट्र) અનુભવો, આત્મદશા, કર્મ ઉદયની વિચિત્રતા છતાં અંતર આત્મવૃત્તિની સ્થિરતા અને અનેક બીજા ગહન વિષયો વિષે સહજ, સરલ ભાવવાહી ભાષામાં એમણે પોતે જ પોતાનું મંથન અને નવનીત પ્રકાશ્યું છે. વિપરીત રામોદ (સૌ) જ કર્મસંયોગોમાંથી નિજ શુદ્ધ સ્વરૂપસ્થિતિ પ્રત્યે ગમન કરતાં, અંતરમાં પ્રજ્વલિત આત્મજ્યોતના પ્રકાશને મંદ થવા ભુત હત ન દેતાં, એ આત્મપ્રકાશના પ્રકાશથી બાહ્યજીવનને ઉજ્વલ કરનું અદ્ભુત જીવનદર્શન દૃષ્ટિગોચર થાય છે. એમનાં લખાણો નીડરપણે, નિર્દભપણે પોતાને થયેલ પરમસત્યનું દર્શન નિરૂપણ કરે છે. સ ભિન્ન ભિન્ન અવસ્થા નાની વયમાં જ જાતિસ્મરણજ્ઞાનની પ્રાપ્તિ, આશ્ચર્યકારી એવી તીવ્ર સ્મરણશક્તિ, શતાવધાનના એકાગ્રતા અને સ્મરણશક્તિના વિરલ પ્રયોગો, સાક્ષાત્ સરસ્વતીનું બિરુદ પામી સહજ કાવ્યસ્ફુરણા આદિ પૂર્વજન્મના ઉત્કટ આત્મસંસ્કારોનું દર્શન કરાવે છે. કૃષ્ણાદિ અવતારોમાં ભક્તિ અને પ્રીતિ, પછી જૈનસૂત્રોની પ્રિયતા, અને મુક્તિમાર્ગમાં એક સાધનરૂપ મૂર્તિની ઉપયોગીતા એ જેમ એમને સત્યપણે ભાસ્યાં તેમ સરલપણે માન્યાં, પ્રરૂપ્યાં.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 1000