Book Title: Shatrunjay uper thayel Pratishthano Ahewal
Author(s): Ratilal D Desai
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 218
________________ [૧૬] પ્રતિષ્ઠાને અહેવાલ આ મહત્સવથી ચઢિયાતા કહી શકાય એવા પણ લેવામાં આવે છે, અને છતાં પાલીતાણામાં ઊજવાયેલે આ પ્રસંગ અપૂર્વ છે; કારણ કે એ ગિરિરાજ શત્રુંજય મહાતીર્થ ઉપર થયેલ મહોત્સવ છે. વળી, ચિત્તોડગઢના શ્રેષ્ઠીવર્ય કર્ભાશાએ વિ. સં. ૧૫૮૭માં કરેલ સેળમાં જીર્ણોદ્ધાર પછીના આશરે સાડાચારસે વર્ષ દરમ્યાન, ખુદ શત્રુંજય ગિરિરાજ ઉપર જ, અનેક ટૂકે, અનેક જિનમંદિરનું નિર્માણ થયું હતું અને એની પ્રતિષ્ઠા નિમિત્તે મોટા મોટા અને યાદગાર ઉત્સવે પણ ઊજવવામાં આવ્યા હતા. આમ છતાં, શ્રી શત્રુંજયતીર્થ નિમિત્તે ભૂતકાળમાં થયેલ આવા આવા અનેક મહત્સની સરખામણીમાં પણ, તાજેતરમાં ઊજવાયેલ પ્રતિષ્ઠા મહોત્સવ અપૂર્વ છે, તે એટલા માટે કે અત્યાર પહેલાંના ગિરિરાજ ઉપરના સમારોહ વ્યક્તિગત ભક્તિથી અથવા અમુક નગરના શ્રીસંઘની ભક્તિથી પ્રેરાયેલા હતા, જ્યારે આ મહોત્સવ ભારતના સમસ્ત શ્રીસંઘને હતું અને ભારતના જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ સમસ્તના પ્રતિનિધિ તરીકે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ, નૂતન જિનપ્રાસાદનું નિર્માણ કરીને, એનું આયોજન કર્યું હતું, એનું સુકાનીપદ સંભાળ્યું હતું, અને એને ખૂબ યશસ્વી રીતે સફળ પણ બનાવ્યું હતું. અહીં એ કહેવાની, જરૂર નથી કે, આ મહત્સવ અંગેનાં નાનાં-મોટાં બધાં કાર્યો માટે પેઢી તરફથી એવી આદર્શ વ્યવસ્થા કરવામાં આવી હતી કે જેથી પ્રતિષ્ઠામાં ભાગ લેવા આવનાર સૌકઈ પૂરો સંતોષ લઈને અને પેઢીની કાર્યક્ષમતા સંબંધી પિતાની આસ્થાને વિશેષ દઢ બનાવીને રવાના થયા હતા. એટલે આ પ્રસંગની આવી શાનદાર ઉજવણીથી પેઢીની નામના, કીર્તિ અને પ્રતિષ્ઠામાં વિશેષ વધારો થવા પામ્યો છે, એમ કહેવું જોઈએ. ભાવનામાં ભાવભીને કાર્યક્રમ–પાલીતાણ સંઘના ઉત્સાહી કાર્યકરોએ, ખૂબ આગ્રહભરી વિનંતી કરીને, પોતાના સંધ તરફથી બહુમાન કરવાની માગણીને સ્વીકાર કરવા માટે શેઠશ્રી કસ્તુરભાઈની સંમતિ મેળવી હતી, એને લીધે શ્રીસંઘને જે દૃશ્ય જોવા મળ્યું તે ખરેખર અનેખું હતું. શેઠશ્રીને સન્માનપત્ર અર્પણ કરવાને આ સમારોહ છઠ્ઠી તારીખે રાત્રે સાડાઆઠ વાગે નજરબાગમાં જવામાં આવ્યો હતો. આની સાથે સાથે આ મહોત્સવને સફળ બનાવવાની ભારે જહેમતભરી કામગીરી બજાવનાર કાર્યકરોનું અનુદન અને નવકારશી કરાવનાર મહાનુભાવોનું અભિવાદન કરવાને કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. ઉપરાંત આ મહોત્સવ ઉપર પધારેલ જુદા જુદા પ્રદેશના હજારો યાત્રિકો તરફથી, શેઠશ્રીની જાણ બહાર, એમને અભિનંદનપત્ર અર્પણ કરવાને વિધિ પણ જવામાં આવ્યો હતો. હજારો ભાઈઓ-બહેનની વિશાળ મેદની વચ્ચે ઊજવાયેલ આ કાર્યક્રમ સ્વયંભૂ અને અનૌપચારિક હતું અને તેથી એ ખૂબ હૃદયસ્પર્શી બન્યું હતું. આ માટે માત્ર અડધે કલાકનો સમય આપવા સંમત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232