Book Title: Shatrunjay uper thayel Pratishthano Ahewal
Author(s): Ratilal D Desai
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 222
________________ [૧૪] પ્રતિષ્ઠાને અહેવાલ કારકિદીના સર્વોચ્ચ શિખરે પહોંચી જવાયું હોય અને કીર્તિને સૂરજે સોળે કળાએ પ્રકાશ હોય, એવા લેભામણ વખતે, અંતરમાં નિવૃત્ત થવાને ભાલ્લાસ જાગે, એ પણ પરમાત્માની મેટી મહેર અને હૃદય સાથે એકરૂપ બનેલ અનાસક્તપણાનું જ સુપરિણામ સમજવું જોઈએ. આ દષ્ટિએ શેઠશ્રી ખરેખર, ઘણું ભાગ્યશાળી ગણાય. અને જોગાનુજોગ પણ કે ઉત્તમ કે ગિરિરાજ શ્રી શત્રુંજયની પ્રતિષ્ઠાનું મહાન સત્કાર્ય સાંગોપાંગ અને સર્વાંગસુંદર રીતે પૂરું થયું અને શેઠશ્રી કસ્તુરભાઈએ નિવૃત્ત લીધી ! આ પછી તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ઉપર એક મહિના પહેલાં ઊજવાયેલ પ્રતિષ્ઠામહોત્સવને સફળ બનાવવા માટે ભારે જહેમત અને જવાબદારી ભરેલી વિશિષ્ટ કામગીરી બજાવનાર નીચે મુજબ સાત મુખ્ય કાર્યકરોને અભિનંદનપત્ર અર્પણ કરીને એમનું સન્માન કરવામાં આવ્યું હતું ૧. પંડિત શ્રી મફતલાલ ઝવેરચંદ ગાંધી. ૪. શ્રી જયંતીલાલભાઈ માણેકલાલ ભાલે. ૨. શ્રી કલ્યાણભાઈ પી. ફડિયા. ૫. શ્રી ફૂલચંદભાઈ છગનલાલ સત. ૩. શ્રી બાબુભાઈ મણિલાલ શાહ. ૬. શ્રી ચંદ્રકાંતભાઈ ચુનીલાલ મશરૂવાળા. (એમની વતી શ્રી શાંતિલાલ મણિલાલ શાહ) ૭. શ્રી મહેન્દ્રભાઈ પી ફડિયા. આ સાત કાર્યકર મહાનુભાવેને નીચે મુજબ અભિનંદનપત્ર આપવામાં આવ્યાં હતાં શ્રી શત્રુંજય તીર્થપતિ ઋષભસ્વામિને નમઃ શ્રી શત્રુજ્ય ગિરિરાજ ઉપર નૂતન નિર્માણ થયેલ જિનપ્રાસાદમાં પ૦૪ જિનેશ્વરભગવંતનાં બિમ્બના પ્રતિષ્ઠા સમારેહને શાસનપ્રભાવના પૂર્વક સફળ રીતે ઊજવવા બદલ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી પંડિત શ્રી મફતલાલ ઝવેરચંદ ગાંધીને અભિનંદનપત્ર ધર્માનુરાગી પંડિતવર્ય શ્રી મફતલાલ ઝવેરચંદ ગાંધી, અમદાવાદ ! પરમ પવિત્ર તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાગિરિ ઉપર બનેલ નૂતન બાવન જિનાલયને પ્રતિષ્ઠા મહોત્સવ અમારી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના અખિલ-ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રીસંઘની પ્રતિનિધિ સંસ્થા તરીકેનો દરજજાનું ગૌરવ વધારે, શ્રીસંઘની શોભામાં અભિવૃદ્ધિ કરે અને જૈન શાસનની વ્યાપક પ્રભાવના કરે, એવા અપૂર્વ આનંદ-ઉલ્લાસપૂર્વક સફળ થયો, એમાં તમારો અનેકવિધ કામગીરીને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232