Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra View full book textPage 5
________________ ત્રણ વિગેરે ચેડા ભામાં પણ આત્માની રખડપટ્ટી અટકી જવા આશા રાખી શકાય. આજ કારણથી લેખકે શ્રી શત્રુંજય-ગિરનાર તાલધ્વજાદિ તીર્થની યાત્રા કરી. કરતાં જિનપ્રતિમાજી ઉપર ખુબ જ રાગ પ્રકટ થયે. અને તે યાત્રાનું સ્મરણ ન ભુલાઈ જાય તેની યાદિ કરવા પ્રેરણા જાગી અને બને તેટલી જિનાલય અને પ્રતિમાજીની યાદિ નોંધી લીધી. મને પિતાને જ મારી આ નોંધ વડે સ્મરણ મજબુત થવા અનુકુળતા વધી એટલે વિચાર આવ્યા કે આ મારી નધન છપાવીને ફેલાવે કરૂં. કે જેથી “મારા કરતાં પણ ઓછી બુદ્ધિવાળા ને. અથવા વારંવાર તીર્થોમાં ન પહોંચી શકનાર આત્માઓને અથવા સગવડતાના અભાવવાળા આત્માઓને આ પુસ્તક વાંચવાથી જરૂર તીર્થયાત્રાનું સ્મરણ થઈ આવવાથી જરૂર લાભ થશે. • આવા વિચારોને ધ્યાનમાં રાખીને અતિ અલ્પ મતિ એવા પણ મારા આત્માએ જે તે (વિદ્વાન પુરૂમાં હસવા ગ્ય અથવા ઉપેક્ષણય) પ્રયાસ કર્યો છે. કે આમાં મારી પિતાની સમજણના અભાવે કાંઈપણ વીતરાગદેવની આણ વિરૂદ્ધ લખાઈ ગયું હોય, પ્રેસંદેષથી અનર્થ થઈ જાય તેવું છપાઈ ગયું હોય,આવડગતના અભાવે અત્યારની પદ્ધતિ અનુસાર ન લખાયું હોય, તે દરેક વસ્તુને સુર આત્માઓ સુધારીને વાંચશે એવી નમ્ર પ્રાર્થના કરતા હું વિરામ પામું છું, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 564