________________
सत्त्वोपनिषद् -
श्चाशरणं निरयनिपातः । तथाहुराचार्याः 'दुर्गृहीतं यथा काण्डं हस्तमेवावकृन्तति। श्रामण्यं दुष्परामृष्टं नरकानुपकर्षती ' -ति ।
ततश्चानीतितूलिकां नरकजाज्वल्यमानज्वलनाह्वाहनरूपां सन्त्यज्य खड्गधारोपमव्रतचर्याविधौ धृतिर्विधेयेत्यत्र तात्पर्यार्थः । ।१६ ।।
अथ निःसत्त्वस्योदरभरणचिन्ताया: परोक्षत्वेन किमत्र लिङ्गमिति पृच्छन्तं प्रत्याह
यत् तदर्थं गृहस्थानां, बहु चाटुशतानि सः । बहुधा च करोत्युच्चैः, वेव दैन्यं प्रदर्शयन् । १७ ।।
99
તલવાર ફેરવવા માંડે તો શું થાય ? શાસ્ત્ર કહે છે કે સાધુપણું તલવાર જેવું છે. આ અતિ અતિ તીક્ષ્ણ ધારવાળી તલવાર છે. તમે બરાબર ચલાવો એટલે કર્મશત્રુઓનો ખાત્મો બોલાયા વિના ન રહે. પણ તમે ગાફેલ રહ્યા. તમે તલવારનો દુરુપયોગ કર્યો. તમે એને સમ્યક્ પકડવાની ય ઉપેક્ષા કરી એટલે તમારો પોતાનો જ ખાત્મો બોલાયા વિના ન રહે. પંચવસ્તુકની ટીકામાં પૂ.હરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે - શ્રામણ્યના દુરુપયોગથી સાક્ષાત્ નકને આમંત્રણ અપાય છે. ‘શ્રામગ્યું મુળરાવૃષ્ટ નરાનુપતિ।’ માટે સ્વાચારત્યાગરૂપી અનીતિના ગાદલામાં સુવું એ તો નરકની ધગધગતી જ્વાળાઓના આહ્વાહન જેવું છે. માટે તેનો ત્યાગ કરીને ખડ્ગની ધાર જેવી વ્રતચર્યામાં ધૃતિ કરવી જોઈએ એવું અહીં તાત્પર્ય છે.
નિઃસત્ત્વને પેટ ભરવાની ચિંતા હોય છે એ જ વાતને સાબિત કરતાં પરમર્ષિ કહે છે -
એના માટે તે કૂતરાની જેમ દીનતા બતાવે છે અને અનેક રીતે ગૃહસ્થોની ઘણી ચાપલૂસી કરે છે. I|૧૭||
. ૩ - 4 | ૨. ૧ - શ્ચય |
-सत्त्वोपनिषद्
૭૨ =
वैषयिक सुखलिप्साविधुरितास्वनितानां विमुक्त-स्वाचार-मानधनानां विस्मृतात्मनां श्ववृत्तिरपि न त्रपावहा । गजपुङ्गवस्तु धीरं विलोकयति चाटुशतैश्च भुङ्क्ते । स्मर्तव्यं चात्र गृहिदेहोपकारायेत्यार्षम् ।
शब्दादिभ्योऽप्यनीन्द्रियविषयो भावो दुर्मोक्षः । दुरापश्चात्र शुभेतर
જેમનું હૃદય વિષયસુખની તૃષ્ણાથી વિરિત થઈ ગયું છે, જેઓએ પોતાનો આચાર નેવે મુક્યો છે. જેઓ એ પોતાનું સ્વમાનઘન પણ છોડી દીધું છે, એટલું જ નહીં પોતાનું સ્વરૂપ પણ ભૂલી ગયા છે. એવા આત્માઓને તો કૂતરા જેવી વૃત્તિ પણ શરમજનક નથી થતી.
કૂતરો ને હાથી બંને પેટ તો ભરે જ છે. પણ કૂતરો એને ખવડાવનારની બેહદ ચાપલૂસી કરે છે. ઉછળી ઉછળીને આગલા પગ તેની પાસે ટેકવે છે. પૂંછડી પટપટાવે છે. જાણે વાણીના ભાગની ચાપલૂસી પણ એનું શરીર જ કરી દે છે. અને હાથી એના ખવડાવનારને થકવી દે છે. પેલો કેટલી વાર ભાઈ-બાપા કરે ત્યારે માંડ માંડ ખાય છે, જાણે ખવડાવનારને ગરજ હોય. અષ્ટક પ્રકરણમાં પૂ.હરિભદ્રસૂરિજીએ એક માર્મિક વાત કહી છે. ભિક્ષાર્યાના બે ઉદ્દેશ છે. એક તો ગૃહસ્થ ઉપર ઉપકાર કરવા માટે અને બીજા નંબરમાં શરીર પર ઉપકાર કરવા માટે. અહીં પહેલા નંબરમાં ગૃહસ્થ પર ઉપકારનો ઉલ્લેખ કર્યો એ પણ પ્રસ્તુતમાં સંવાદી છે.
પોતાની વૈષયિક કામનાઓને પૂરી કરવામાં નિઃસત્ત્વ જીવ પોતાનું ખમીર ગુમાવી દે છે. દીનતા કરે છે. ગૃહસ્થોની ખુશામત કરે છે. કેવી વિષયોની ગુલામી ! કેવી વિડંબના !
પેટ ભરવું એ તો ઉપલક્ષણ છે. પાંચે વિષયોની પ્રાપ્તિ એનાથી સમજી લેવાની છે. અને હજી મહત્ત્વની વાત કહું ? શબ્દ વગેરે પાંચ ઈન્દ્રિયોના વિષયો છે. પણ ઈન્દ્રિયોનો બાપ છે મન. અને મનનો