Book Title: Sanyamni Suvas
Author(s): Vimalsagar
Publisher: Simandharswami Jain Mandir Khatu Mehsana

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Culcutta, 5th. Nov. 1976 ૧૫ Pujya Padmasagarji Maharaj's actions and practices will be helpful in propagating Jain ideals of Ahimsa and Aparigraha in India and abroad. Bijoy Sing Nahar (બંગાળના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન ) * Acharya Shri Kailassagarsuri Gyanmandir જેમનામાં પદ્મની કામળતા અને સાગરની વિશાળતાને વૈભવ છલકાયા કરે છે, એવા જૈન મુનિ શ્રી પદ્મસાગરજીને મળવું એ જીવનની ધન્યતા છે. એમનું વ્યક્તિત્વ એવુ... વિરલ છે કે એમની પાસે દોડી જવાનું મન થયા કરે. જ્ઞાનની ગંગા, સ્નેહની બ્રહ્મપુત્રા અને તપની ના એમનામાં આવી સમાયાં છે. એમની પાસે જનાર હંમેશાં મેળવે જ છે. તેઓ સદાય ઉદાત્ત ભાવનાથી સભર હેાવાથી, સામાન્ય માનવીની મર્યાદાઓ અને નબળાઈઓથી સભાન હેાઈ, એના હાથ પકડી ઉગારવામાં ઇતિશ્રી માને છે. ત્યાગીને તે વૈરાગ્ય વહાલા. પદ્મસાગરશ્રીજીને અપરિગ્રહ મસ્તક ઝૂકી જાય એટલી હદે પ્રશંસનીય છે. તેઓશ્રી કાયથી મેાહ પામ્યા નથી. સ'પત્તિની માયા કયારેય એમને લલચાવી શકી નથી. સાદાઈ એ એમના હૃદયને રંગ છે. સંયમ એ એમના આત્માની મૂડી છે. વ્યક્તિત્વથી અને જ્ઞાનથી સૌકાઈને જીતી લેતા આ મુનિશ્રીનાં દર્શન કરવાં એ લહાવા છે. એમના સાન્નિધ્યમાં સમુદ્રમાં આવતી પૂનમની ભરતીની છેાળાની શીતળતા માણી શકીએ છીએ. મધુર વાણી એ તેા એમના હૈયાનું સંગીત, કલાકાના કલાકા સુધી સાંભળ્યા જ કરીએ, એવી એમની વાણીની મીઠાશ. આ યંત્રયુગની ભૌતિકતા વચ્ચે આત્મશ્રીથી માનવકલ્યાણને ઝંખતા જૈન મુનિ શ્રી પદ્મસાગરશ્રીના આ પૃથ્વીપ્રદાન પર્વને ધ્યાન અને જ્ઞાનના સ ંકેત તરીકે સ્વીકારી શુભ કામનાઓ પાઠવુ છુ.. ચીમનભાઈ પટેલ (ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન) * For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28