Book Title: Sankshipta Jain Darshan
Author(s): Dineshchandra Joravarmal Modi
Publisher: Dineshchandra Joravarmal Modi

View full book text
Previous | Next

Page 579
________________ પપ૭ ૧૭૬૩ પ્ર. ક્રમબદ્ધ માનવાથી શું ઘણી ગરબડ ઊભી નહિ થાય ? ઉ. ગરબડ તો ક્રમબદ્ધ ન માનવાથી થાય છે. ક્રમબદ્ધ માનવાથી તે. બધી ગરબડ ઊડી જાય છે. વસ્તુમાં તે ક્યાંય ગરબડ છે જ નહીં, તે તે પૂર્ણ વ્યવસ્થિત છે. ૧૭૬૪ પ્ર. જો અમારા કરવાથી કાંઈ થતું જ નથી તે પછી કોઈ કાર્ય શા માટે કરે ? જે કઈ બનાવશે જ નહિ તે ખેતી કોણ કરશે ? કારખાનાં કેવી રીતે ચાલશે ? બધી વ્યવસ્થામાં જ ગરબડ થઈ જશે.. ઉ. કોણ ખેતી કરે છે, કોણ કારખાનાં ચલાવે છે? અજ્ઞાની ખેતી. કરવાનું અને કારખાનાં ચલાવવાનું અભિમાન કરે છે. કોઈ કોઈને કરતું કે ચલાવતું નથી. જ્યાં એક દ્રવ્યને બોજા દ્રવ્યમાં અત્યંત અભાવ છે ત્યાં એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં શું કરી શકે ? ૧૭૬૫ પ્ર. જો કેઈના કરવાથી કાંઈ થતું જ નથી તે લકે પુરુષાર્થ નહિ કરે. અને આળસુ થઈ જશે તેનું શું ? ઉ. ક્રમબદ્ધ પર્યાયના નિર્ણયમાં જ સાચો પુરુષાર્થ છે, કેમ કે ક્રમબદ્ધને નિર્ણય કરવામાં જ્ઞાયકસ્વભાવ ઉપર દષ્ટિ જાય છે. પિતાની મતિમાં ક્રમબદ્ધની વ્યવસ્થાને વ્યવસ્થિત કરવી તે જ સાચે પુરુષાર્થ છે. તે ૧૭૬૬ પ્ર. પર્યાય તો વ્યવસ્થિત જ થવાની છે અર્થાત પુરુષાર્થની પર્યાય તે જ્યારે તેને પ્રગટ થવાને કાળ આવશે ત્યારે જ પ્રગટ થશે એવી સ્થિતિમાં હવે કરવાનું શું રહી ગયું ? ઉ. પર્યાયના ક્રમ ઉપર દષ્ટિ ન કરતાં, ક્રમસર પર્યાય જેમાંથી પ્રગટ થાય છે એવા દ્રવ્ય સામાન્ય ઉપર જ દૃષ્ટિ કરવાની છે, કેમ કે તેના ઉપર દૃષ્ટિ કરવામાં અનંત પુરુષાર્થ આવી જાય છે. ક્રમબદ્ધના સિદ્ધાંતથી અકર્તાપણું સિદ્ધ થાય છે, ક્રમ સમક્ષ જોવાનું નથી. જે જીવિતવ્યમાં ક્ષણિપણું છે. તે જીવિતવ્યમાં જ્ઞાનીએએ નિત્યપણું પ્રાપ્ત કર્યું છે, એ અચરજની વાત છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620