Book Title: Sambodhi 2002 Vol 25
Author(s): Jitendra B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 172
________________ ઈતિહાસના પરિપ્રેક્ષ્યમાં કેટલીક સાંપ્રત ઐતિહાસિક ઘટનાઓ વૃત્ત અને વિવેચન ડૉ. રસેશ જમીનદાર ઈતિહાસ વ્યક્તિ સાપેક્ષ છે. સમયે સમયે ઉપલબ્ધ થતી જતી ત્રિવિધ પ્રકારની સામગ્રીનું વિશ્લેષણ કરી માનવજીવનનાં ભૂતકાલીન કાર્યોને અર્થઘટિત કરતી વિદ્યા કે વિજ્ઞાન તે ઇતિહાસ. તેથી ઇતિહાસ શેષ-અવશેષ રહેલી સામગ્રી ઉપરથી થતાં અર્થઘટિત અનુમાનનું શાસ્ત્ર છે. ઈતિહાસનું ખેડાણ વિવિધ દષ્ટિબિંદુઓથી, વિવિધ પરિમાણોથી અને વિવિધ પરિપ્રેક્ષ્યમાં અને જે તે માહોલના પર્યાવરણમાં સમયે સમયે થતું રહે છે, અને તેથી તે પરિવર્તન પામતું રહે છે. આ પરિવર્તિત અર્થઘટનો જો કે અતીતની મૂલગત સામગ્રી ઉપરથી થાય છે. આ સંદર્ભે ઇતિહાસનું આલેખન ખસૂસ વસ્તુનિષ્ટ કરતાં વ્યક્તિ સાપેક્ષ (સગ્નેક્ટિવ) વિશેષ રહેવાનું. ઈતિહાસ એટલે સમાજનો આવૃત્ત ખજાનો તો ઇતિહાસનું લક્ષ્ય છે માનવીની આસપાસ ભૂતાતંતુની જેમ ગૂંથાયેલી ઘટનાઓનું અર્થઘટિત વર્ણન કરવાનું. આથી મનની કે વિચારોની બાહ્ય અભિવ્યક્તિથી ઇતિહાસનું કઠું સંપન્ન થાય છે. અર્થાત્ માનવીએ કરેલા પુરુષાર્થની સત્યાધિક મીમાંસા કે સત્ય-સાપેક્ષ પૃથક્કરણ અને એનું અર્થઘટન કરતું શાસ્ત્ર એ ‘ઇતિહાસ છે. અન્યથા જોઈએ તો, ભૂતકાલીન હકીક્તોનું તથ્યોનું સમાજના-સંસારના વ્યાપક પરિપ્રેક્ષ્યમાં અર્થઘટન કરવાનું કાર્ય ઇતિહાસનું છે. આથી, એમ કહી શકીએ કે ઇતિહાસ એ માનવજીવનના સાંસારિક-સાંસ્કૃતિક અનુભવોનો પ્રમાણભૂત દસ્તાવેજી સાહેદ છે. આમ, ઇતિહાસ એ આખા સમાજનું ઈતિવૃત્ત છે, આવૃત્ત ખજાનો છે. ઈતિહાસનું કાર્યક્ષેત્ર માનવી સ્વભાવે સમૂહપ્રિય છે અને તેથી સામાજિક વિશેષ છે. કોઈ ને કોઈ આશાઓની સંપ્રાપ્તિ મિષે આથી માનવી સમાજમાં-સમૂહમાં રહે છે, જીવે છે અને શ્વસે છે. આશાઓ ફળીભૂત થાય તે સારુ માનવી સતત મથામણો કરતો રહે છે, જેમાં તેને ક્યારેક સફળતા, તો ક્યારેક નિષ્ફળતા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234