Book Title: Safaltana Sopan
Author(s): Kanakvijay
Publisher: Vishwamangal Prakashan Mandir Patan

View full book text
Previous | Next

Page 207
________________ રાપરાય: પાઠ સાચા રૂપમાં ભજવી શકે તેમ છે? એ પાઠ ભજવવાની વાત તો દૂર રહી, પણ આજના કેટલાક ભાઈએ તે એવા બંધુધર્મને નવાજવાને બદલે વેવલાઈમાં ખપાવવાની હદ સુધીની ધૃષ્ટતા પણ દાખવે છે. મહાપુણ્ય મળેલા માનવજીવન પર મૃત્યુ હાથ ઉગામે તે પહેલાં એ જીવનને પરમાર્થ વડે પવિત્ર કરવાની ભવ્ય ભાવના જ્યાં ઝળહળતી હોય છે ત્યાં રામરાજ્યની હવા ઊભી થાય છે. ભવ્ય આદર્શ મારા વડીલ બંધુઓ તેમજ માતા સીતાજી વનનાં દુઃખ વેઠે અને હું રાજ્યસુખ ભેગવું તે ભાઈ તરીકે મારો ધર્મ સૂકી જ જાઉં! આવા વિચારને થઈને ભરતજી વનમાં રામચંદ્રજી પાસે જાય છે તેમના વદન પર શોકની છાયા છે. હૈયામાં રામચંદ્રજીને પાછા લાવવાની તમન્ના. રથમાંથી ઉતરી, દેડીને ભરતજી રામચંદ્રજીના ચરણમાં ઢળી પડે છે. રામચંદ્રજી તેમના માથે વાત્સલ્યભીને કર ફેરવે છે. આંસુભીની આંખે ભરતજી, રામચંદ્રજીને અયોધ્યા પાછા ફરવાની વિનંતિ કરે છે. રામચંદ્રજીને અયોધ્યાના પ્રજાજનેની હૃદયવ્યથા વર્ણવે છે. રામચંદ્રજી કહે છે, “ભાઈ! ધર્મના પાલનમાં લાગણીશીલતા ન ચાલે એ શું તું નથી જાણતો? શું તું એમ ઈચ્છે છે કે તારે ભાઈ, પિતાનું વચન પાળવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234