Book Title: Rikhavdev
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jyoti Karyalay

View full book text
Previous | Next

Page 353
________________ જગફૂશાહ પરમદેવસૂરિએ તેને જણાવ્યું કે સવત ૧૩૧૩ -૧૪ અને ૧૫ ની સાલમાં ત્રણ વર્ષ ઉપરાઉપરી ભયંકર દુકાળ પડશે જેથી દુનિયા બેહુાલ થઈ જશે. માણસે। કીડી મકોડીની જેમ મરવા માંડશે માટે અગમચેતીથી તારાથી બને તેટલુ ધાન્ય તું ભરી રાખ અને દુકાળમાં સહુને એ ધાન્યથી છવાડે. મનુબ્યસેવાના આવે મનુાન લાભ ફરી મળવા મુશ્કેલ છે. ગુરુના જ્યોતિષજ્ઞાન પર જગડૂશાહને અચળ અહ્વા હતી. હૃદયમાં પરાપકાર કરવાની વૃત્તિ પણ ભરપૂર હતી. જે વખતે દુનિયા માથે દુ:ખ તૂટી પડે તે વખતે પેાતાના પૈસા કામ આવે એવા સ ભાગ્ય ક્યાંથી હાય ! એ વિચારે જગચાહે તરતજ પેાતાની પેઢી પર કાગળા લખ્યા કે જે ભાવે જેટલુ અનાજ મળે તે તમામ સધરવા માંડા અને ત્યાંજ તેના કાઠાર ભરા, આ વખતે જગડૂશાહની દુકાના ઉત્તરમાં ગીઝનીકંદહાર સુધી, પૂર્વ માં બંગાળા સુધી, દક્ષિણમાં રામેશ્વર સુધી અને દરિયા પારના મુલકમાં પણ ઠેર ફેર હતી. એ વખતે તે હિંદુસ્થાનના અજોડ શાહ સાદાગર લેખાતા. તેમની પેઢીઆને પત્ર મળતાં જ આ જાતની ખરીદ્યીએ શરૂ થઇ અને લાગલાગઢ બે વર્ષ સુધી એ ચાલુ રહી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384