Book Title: Rikhavdev
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jyoti Karyalay

View full book text
Previous | Next

Page 379
________________ ખંધક મુનિના પાંચસે શિષ્ય ૧૯ રાઈ ગયું, તે પાલકને કહેવા લાગ્યાઃ “ મહાનુભાવ ! પહેલાં મને પીલ જેથી આ બાળસાધુની હત્યા મારે જોવી ન પડે. મારું આટલું વચન માની જા ! '' પાલક પ્રધાનને તે। દુઃખ થાય તેમ કરવુ જ હતું એટલે તેણે તે ખાળમુનિને ધાણીએ ધાલ્યા ને ખધકાચાર્યના દેખતાં પીલી નાંખ્યા. બધા મુનિ શુદ્ધ ભાવે મરવાથી નિર્વાણુ પામ્યા. હવે આવ્યો આચાર્યના વારા. તેમને તે છેલ્લી હત્યાથી રગેરગમાં ક્રોધ વ્યાપી ગયા હતા. એટલે છેલ્લી ધડીએ માગી લીધું કે ‘“જો મારા જપતપતુ ફળ હાય તે। આ રાજા, પ્રધાન તથા આખા દેશના નાશ કરનાર થાઉં.' ખધક મુનિ ધાણીમાં પીલાયા. તે પરલેાક ગયા. કહે છે કે તે અગ્નિકુમાર દેવ થયા. તેમણે દંડક રાજાના આખા દેશ ખાળીને ભરમ કરી નાંખ્યા. ફાલ્ગે ફૂલ્યા દેશ વેરાન થઈ ગયા. દંડકારણ્યને નામે હજી પણ તે આળખાય છે. ધન્ય છે ! ખધક મુનિના પાંચસી શિષ્યને જેમણે મરી જાણ્યું ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383 384