Book Title: Prasad Mandana
Author(s): Bhagwandas Jain
Publisher: Bhagwandas Jain

View full book text
Previous | Next

Page 15
________________ ૧૧ ઘણા' એટલે મંડપના ઉપરની સંવરણાની ઉપલી ઘટિકા-ધંટા શુકનાસના સમસૂત્રમાં રાખવી; ત્યાં આમલસારો શબ્દ વાપર્યો નથી. તેથી જૂના કામમાં સંવરણના મથાળે મુકાતો ન હતો પરંતુ ઘંટિકા જ મુકાતી હતી.” ઉપરોક્ત ટિપ્પણીથી સ્પષ્ટ જણાય છે કે-“દીપાવ”ના અનુવાદક ધંટીને અથે ઘંટાકૃતિ જ કરે છે આમલસાર કરતા નથી અને આ ભૂલ છુપાવવા માટે પ્રાચીન વાલની સંવરણની ઉપર આમલસારે જોવામાં આવે છે તેને પ્રામાણિક માનતા નથી. આ હકીકત આગ્રહી કહી શકાય પણ તેમણે પિતાના અનુવાદમાં કેટલેક ઠેકાણે ઘંટાનો અર્થ આમલસાર કરે છે. જુઓ “દીપર્ણવ” પેજ નં. ૧૨૩, લેક કર માં “ઘોરાકમાન સમય: રાત” લખ્યું છે. તેમાં ઘંટાને અર્થ પોતે જ આમલસારો લખે છે, ત્યાં ધટાકૃતિ લખતા નથી. તેમ જ પેજ નં ૧૧૭, શ્લેક પ૭ ના તથા પૃષ્ઠ નં૦ ૧૩૩, બ્લેક ૬ ના અર્થમાં ઘંટાને અર્થ આમલસારો લખે છે અને અહીં સંવરણમાં ઘંટાકૃતિ (ચંદ્રિકા) લખે છે. આ તેમની મનઃ કલ્પના કહી શકાય. તેથી સંવરણાના નકશાઓમાં જે ઘંટાકૃતિઓ કરેલી જોવામાં આવે છે તે શાસ્ત્રીય નથી. સાદા ઘુમટ ઉપર અથવા સાંભરણ ઉપર આમલસારો મૂકવામાં આવે નહિ અને ઘંટાકૃતિ ચંદ્રિકા જ મૂકવામાં આવે તે તે નાગરી શકી નહીં બનતાં મોગલ શૈલી બની જાય છે. મોગલ શૈલીના ઘૂમટો ઉપર આમલસારો હોતો નથી. ફક્ત ચંદ્રિકા અને કલશ હોય છે. આ હકીકત શિલ્પીઓ જાણતા ન હોવાથી આજકાલ ઘૂમટ ઉપર આમલસારો રાખતા નથી. કેાઈ ચંદ્રિકા અને તેની ઉપર આમલસારિકા અને કલશ રાખે છે તથા કેઈ ચંદ્રિકા અને તેની ઉપર કલશ જ રાખે છે. આ રીત તદ્દન મોગલ શૈલીની બની જાય છે. આ બાબતે શિપીઓએ યાદ રાખવા જેવી છે કે ઘૂમટની ઉપર આમલસારો ચઢાવ્યા પછી જ ચંદ્રિકા, આમલસારિકા અને કલશ ચઢાવવા જોઈએ, જે પ્રમાણે શિખરની ઉપર આમલસાર, . ચંદ્રિકા, આમલસારિકા અને કલશ ચઢાવવામાં આવે છે તે પ્રમાણે જ ઘૂમટ ઉપર પણ ચઢાવવાં જોઈએ. આ નાગરી શૈલીની પ્રથા કહી શકાય. દેવાલય નિર્માણમાં શિલ્પીઓની ભૂલ થવાનું કારણ જણાય છે કે, મુસલમાની રાજયશાસનમાં વાલોને વિધ્વંસ થતો, જેથી નવીન દેવાલ બનતાં બંધ થયાં. આ કારણે આ વિષયના શિલ્પીઓ અન્ય કાર્યમાં જોડાઈ ગયા તેથી આ વિષયનું શાસ્ત્રાધ્યયન પણ બંધ થયું. તેમનાં સંતાનોએ પણ આ વિદ્યા ભણાવવાનું બંધ કર્યું તેથી આ વિદ્યા વિસરાઈ ગઈ લાગે છે. બાકી જે આ વિષયના શિલ્પીઓ મસ્જિદ આદિ બાંધવાનું કામ કરતા રહ્યા તેમનાં સંતાનોને મેગલઆર્ટ બાંધવાને અભ્યાસ હોવાના કારણે તેમની પરંપરાવાળા જ્યારે સમયાનુકૂલ દેવાલયો બાંધવા લાગ્યા ત્યારે બંને કલા મિશ્ર થઈ ગઈ. એ જ કારણ છે કે દેવાલયોમાં અને મસ્જિદમાં બંને પ્રકારની કળાલી જોવામાં આવે છે. આઠમે અધ્યાય સાધારણ નામનો છે. તેમાં વાસ્તુદોષ, દિગ્મદેષ, જીણવારતું, મહાદોષ, ભિન્નદોષ, અંગહીન, આશ્રમ, મઠ, પ્રતિષ્ઠાવિધિ, પ્રતિષ્ઠામંડપ અને કંડ, મંડલપ્રતિષ્ઠાવિધિ પ્રાસાદદેવન્યાસ, જિનદેવપ્રતિષ્ઠા, જલાશ પ્રતિષ્ઠા, વાસ્તુપુરુષ અને ગ્રંથસમાપ્તિ મંગલ આદિનું વર્ણન છે. પરિશિષ્ટ નં. ૧ માં કેસરી આદિ પચીસ પ્રાસાનું સવિસ્તર વર્ણન છે. તેમાં વિભક્તિઓની પ્રાસાદસંખ્યામાં શાસ્ત્રીય મતાંતર છે, જેમકે “સમરાંગણસૂત્રધાર ગ્રંથમાં અઢારમી વિભાિને એક પણ પ્રાસાદ નથી. તેમ જ શિલ્પશાસ્ત્રી નર્મદાશંકર સંપાદિત “શિલ્પરનાકર માં વીશમી વિભક્તિને એક પણ પ્રાસાદ નથી વગેરે.

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 290