Book Title: Pragatyo Puran Rag
Author(s): Yashovijaysuri
Publisher: Pulinbhai Rajendrabhai Shah

View full book text
Previous | Next

Page 13
________________ છે. ઇંગિત ભક્તહૃદયનું આ છે : પ્રભુ ! મને એવો તમારામાં લીન કરી દો કે હું દુઃખથી સહેજ પણ સ્પર્શાયેલ ન હોઉં. બહાર ભટકતા મારા મનને, પ્રભુ તમારામાં - તમારા ગુણોમાં સ્થિર કરી દો. યા તો મારા બહાર ભટકતા મનને તમે લઈ લો, ભગવાન ! અથવા તો મારા હૃદયમાં આપ આવી જાવ, જેથી એ મનનો પ્રભાવ રહે જ નહિ. મને ખ્યાલ છે, પ્રભુ ! કે તમે મારા મનને છૂ કરવા કેટકેટલું કર્યું છે ! તમારું રૂપ મનોહર. મનને હરી લે તેવું... રૂપની છેલ્લી સરહદ તમે. મન એમાં ડૂબી જાય તો એ બહાર ક્યાંય જઈ જ ન શકે. સદ્ગુરુને પણ આપે મોકલ્યા, મારા મનને છીનવવા માટે. શ્રીકૃષ્ણ અને અર્જુન ભારતીય પરંપરાના ગુરુ-શિષ્યભાવના શ્રેષ્ઠ પ્રતીકો. શ્રીકૃષ્ણ : મનને ખેંચી લે તે કૃષ્ણ. પણ ખાટલે મોટી ખોટ મારી બાજુ રહી. હું અર્જુન ન બની શક્યો. ઋજુ-ઋજુ, સરળ હોય તે અર્જુન. મારી સરળતા શરણાગતિ સુધી લંબાય, સમર્પિતતામાં પરિણમે તો ગુરુ કૃષ્ણ બની જ રહે. તમે તો પ્રભુ ! બેઉ રીતે તૈયાર છો. મારા મનને લઈ લેવા માટે પણ. મારા હૃદયમાં આવવા માટે પણ. આપ અખિલ બ્રહ્માંડેશ્વર. હું તો સાવ નાનકડો માણસ. અને તોય આપ મારા હૃદયાંગણે આવવા તૈયાર ! પણ ત્યાંય ત્રુટિ મારી છે. હું હૃદયનું સિંહાસન ખાલી નથી કરતો... જરૂર, અયોગ્ય છું, પણ તારું જ બાળ છુંને, પ્રગટ્યો પૂરવ રાગ

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 150