Book Title: Pragatyo Puran Rag
Author(s): Yashovijaysuri
Publisher: Pulinbhai Rajendrabhai Shah
View full book text
________________
ભક્તહૃદયના ઉદ્ગારો સાંભળીએ ત્યારે એ ઉદ્ગારોની પાછળ રહેલા ભીના ભીના હૃદયનો પરિચય થઈ રહે.
એક હૃદયંગમ સ્તવના પૂ. અમૃતવિજય મહારાજની આ સન્દર્ભમાં માણવા જેવી છે;
ઉપાડ જ કેટલો મધુર છે ! : ‘તું ગત મેરી જાને હો જિનજી !”
પ્રભુ ! તારી લીલા તો તું જ જાણી શકે; પરંતુ મારી બધી જ ગતિવિધિ તારી સામે ખુલ્લી છે.
મહોપાધ્યાય યશોવિજય મહારાજે પરમતારક શ્રી શાન્તિનાથ પ્રભુના સ્તવનને છેડે જે ટાંક્યું છે, તે અહીં યાદ આવે છે :
‘દેખી રે અદ્ભુત તાહરું રૂપ, - અચરિજ ભવિક અરૂપી પદ વરેજી; તાહરી ગત તું જાણે હો દેવ, સમરણ ભજન તે વાચક જશ કરેજી...”
પ્રભુ ! તારું અદ્ભુત રૂપ જોઈને ભાવકો અરૂપી પદને પામે છે. વાહ ! કેવી અકળ તારી આ લીલા ! પણ પ્રભુ ! તારી લીલા તું જાણે, હું તો તારું સ્મરણ અને ભજન કર્યા કરીશ.
‘તું ગત મેરી જાને હો જિનજી !
પ્રભુ ! તમે મારી ગતિવિધિ જાણો છો. “મેં જગવાસી સહી દુઃખરાશિ, સો તો તુમસે ન છાને...' જગવાસી, માટે જ પીડિત; આપ આ જાણો છો.
સરસ સૂત્ર આવ્યું : જગવાસી, દુઃખવાસી... હા, સાધક આમાં અપવાદરૂપ છે. એ બહારથી જગતવાસી છે, પણ ભીતરથી પ્રભવાસી
પ્રગટ્યો પૂરન રાગ
Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 150