SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તહૃદયના ઉદ્ગારો સાંભળીએ ત્યારે એ ઉદ્ગારોની પાછળ રહેલા ભીના ભીના હૃદયનો પરિચય થઈ રહે. એક હૃદયંગમ સ્તવના પૂ. અમૃતવિજય મહારાજની આ સન્દર્ભમાં માણવા જેવી છે; ઉપાડ જ કેટલો મધુર છે ! : ‘તું ગત મેરી જાને હો જિનજી !” પ્રભુ ! તારી લીલા તો તું જ જાણી શકે; પરંતુ મારી બધી જ ગતિવિધિ તારી સામે ખુલ્લી છે. મહોપાધ્યાય યશોવિજય મહારાજે પરમતારક શ્રી શાન્તિનાથ પ્રભુના સ્તવનને છેડે જે ટાંક્યું છે, તે અહીં યાદ આવે છે : ‘દેખી રે અદ્ભુત તાહરું રૂપ, - અચરિજ ભવિક અરૂપી પદ વરેજી; તાહરી ગત તું જાણે હો દેવ, સમરણ ભજન તે વાચક જશ કરેજી...” પ્રભુ ! તારું અદ્ભુત રૂપ જોઈને ભાવકો અરૂપી પદને પામે છે. વાહ ! કેવી અકળ તારી આ લીલા ! પણ પ્રભુ ! તારી લીલા તું જાણે, હું તો તારું સ્મરણ અને ભજન કર્યા કરીશ. ‘તું ગત મેરી જાને હો જિનજી ! પ્રભુ ! તમે મારી ગતિવિધિ જાણો છો. “મેં જગવાસી સહી દુઃખરાશિ, સો તો તુમસે ન છાને...' જગવાસી, માટે જ પીડિત; આપ આ જાણો છો. સરસ સૂત્ર આવ્યું : જગવાસી, દુઃખવાસી... હા, સાધક આમાં અપવાદરૂપ છે. એ બહારથી જગતવાસી છે, પણ ભીતરથી પ્રભવાસી પ્રગટ્યો પૂરન રાગ
SR No.006076
Book TitlePragatyo Puran Rag
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherPulinbhai Rajendrabhai Shah
Publication Year2010
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy