SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ મહોપાધ્યાય શ્રી યશોવિજય મહારાજ “સમાધિશતક'માં ભીતરના ઘરમાં જવાની વિધિ બતાવે છે : “આતમજ્ઞાને મન ધરે, વચન-કાય-રતિ છોડ; તો પ્રગટે શુભ વાસના, ગુણ અનુભવકી જોડ.” શુભની તળેટી અને શુદ્ધનું શિખર. સાધક પાસે છે દ્વન્દ્રઃ શુભ અને શુદ્ધનું. યા તો એ શુભ ભાવનામાં હોય, યા શુદ્ધમાં-સ્વગુણાનુભૂતિમાં. એ માટે પહેલું ચરણ : “આતમજ્ઞાને મન ધરે.' આત્મજ્ઞાનમાં - આત્મગુણોમાં - પ્રભુગુણોમાં મનને જોડવું. બીજું ચરણ : “વચન-કાયરતિ છોડ.” વચનરતિ અને કાયરતિ છૂટી જાય. હા, વચનાન અને કાયાનન્દ રહી શકે. કાયાનન્દ. પૂજ્ય રામવિજય મહારાજ યાદ આવે : “સુણતાં જનમુખ પ્રભુની વાત, હરખે મારા સાતે ધાત....' લોહી, માંસ, ચરબી અને હાડકાં સુધીની સુખાનુભૂતિ... પ્રભુની કથા સાંભળતાં. કેવો આ ભગવન્મેમ ! કાયાના સ્તર પરનો આનન્દ. મધુરાધિપતેરખિલં મધુરમની અનુભૂતિ અહીં થાય છે. પરમાત્માનું બધું જ મધુર, મધુર ભક્તને લાગે છે. रूपं मधुरम्, वदनं मधुरम्, વવાં મધુરમ્ વતનું પુર.... માધુર્યના અધિપતિનું બધું જ મધુર ! મન-ધૈર્ય, વચનાનન્દ, કાયાનન્દ. મન, વચન, કાયા પ્રભુને સમર્પિત થાય. વિચારોનાં તાણાવાણાં પ્રભુને સ્પર્શતાં હોય અને વચન પણ એના સન્દર્ભમાં જ જતું હોય અને કાયાના સ્તર પર પણ ભક્તિનો જ રંગ હોય. પ્રગટ્યો પૂરન રાગ
SR No.006076
Book TitlePragatyo Puran Rag
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherPulinbhai Rajendrabhai Shah
Publication Year2010
Total Pages150
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy