________________
મહોપાધ્યાય શ્રી યશોવિજય મહારાજ “સમાધિશતક'માં ભીતરના ઘરમાં જવાની વિધિ બતાવે છે : “આતમજ્ઞાને મન ધરે, વચન-કાય-રતિ છોડ; તો પ્રગટે શુભ વાસના, ગુણ અનુભવકી જોડ.”
શુભની તળેટી અને શુદ્ધનું શિખર. સાધક પાસે છે દ્વન્દ્રઃ શુભ અને શુદ્ધનું. યા તો એ શુભ ભાવનામાં હોય, યા શુદ્ધમાં-સ્વગુણાનુભૂતિમાં.
એ માટે પહેલું ચરણ : “આતમજ્ઞાને મન ધરે.' આત્મજ્ઞાનમાં - આત્મગુણોમાં - પ્રભુગુણોમાં મનને જોડવું. બીજું ચરણ : “વચન-કાયરતિ છોડ.” વચનરતિ અને કાયરતિ છૂટી જાય. હા, વચનાન અને કાયાનન્દ રહી શકે.
કાયાનન્દ.
પૂજ્ય રામવિજય મહારાજ યાદ આવે : “સુણતાં જનમુખ પ્રભુની વાત, હરખે મારા સાતે ધાત....' લોહી, માંસ, ચરબી અને હાડકાં સુધીની સુખાનુભૂતિ... પ્રભુની કથા સાંભળતાં. કેવો આ ભગવન્મેમ ! કાયાના સ્તર પરનો આનન્દ.
મધુરાધિપતેરખિલં મધુરમની અનુભૂતિ અહીં થાય છે. પરમાત્માનું બધું જ મધુર, મધુર ભક્તને લાગે છે.
रूपं मधुरम्, वदनं मधुरम्, વવાં મધુરમ્ વતનું પુર.... માધુર્યના અધિપતિનું બધું જ મધુર !
મન-ધૈર્ય, વચનાનન્દ, કાયાનન્દ. મન, વચન, કાયા પ્રભુને સમર્પિત થાય.
વિચારોનાં તાણાવાણાં પ્રભુને સ્પર્શતાં હોય અને વચન પણ એના સન્દર્ભમાં જ જતું હોય અને કાયાના સ્તર પર પણ ભક્તિનો જ રંગ હોય.
પ્રગટ્યો પૂરન રાગ