________________
હોવાપણું. પોતાની ભીતર, આનન્દપૂર્ણ રીતે રહેવાપણું. ‘ચિદાનન્દઘન ખેલહી, નિજપદ તો નિજ માંહિ.” ચિત્ (જ્ઞાન) અને આનન્દથી ભરપૂર ચૈતન્ય તો પોતાની ભીતર જ ખેલશે. ઉપનિષો પ્યારો શબ્દ યાદ આવે : “નાત્મક્કીટ:'.
છાન્દોગ્ય ઉપનિષદે પોતાના સામ્રાજ્યને હાથવગું કરવા જે ત્રણ ચરણો આપ્યાં; તેમાં માત્મી: વચલું ચરણ છે. સૂત્ર આ રીતે આવ્યું છે : “બાત્મતિઃ માત્મશ્રી: માત્માનન્દ સ્વરા, આત્મભાવમાં રતિ, આત્મભાવમાં ક્રીડા અને આત્મભાવમાં આનન્દ : પોતાનું સામ્રાજ્ય પોતાના હાથમાં.
રતિ, ક્રીડા કે આનન્દ; તમારી ભીતર જ તમારે ઠરવાનું છે. અહીં કંઈ જ કરવાનું નથી, હોવાનું છે. “નિજપદ તો નિજ માંહિ.” નરસિંહ મહેતાની અભિવ્યક્તિ હૃદયંગમ છે : “બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.”
પરનું કર્તાપણું છૂટું, સ્વમાં હોવાપણું મળ્યું. એક ડૂબકી પોતાની ભીતર. અને આ શો ચમત્કાર ! આત્મભાવ સત્ય, પરભાવ મિથ્યા; આ સૂત્ર અનુભૂતિના સ્તરે ઊગે છે.
“આતમજ્ઞાને મગન જો, સો સબ પુદ્ગલ ખેલ; ઇન્દ્રજાલ કરી લેખવે, મિલે ન તિહાં મનમેલ.”
સાધક પૂછશે : શરૂઆત ક્યાંથી કરવી ? “નિજપદ તો નિજ માંહિ', બરોબર; પણ પોતાના એ ઘરમાં જવું શી રીતે ?
સદ્ગુરુ માર્ગ ચીંધશે. સંત રવિદાસજી કહે છે : “ઘર મેં ઘર દિખલાઈ દે, વો સદ્ગુરુ હમાર....” એ ઘરની ભાળ મળી ગઈ, પછી..? પછી કાયાના ઘરમાં રહેવાનું થશે, પણ સાક્ષીરૂપે. યાદ આવે પૂજ્ય આનન્દઘનજી મહારાજ !
કાયાદિકનો હો સાખીધર રહ્યો.”
પ્રગટ્યો પૂરન રાગ