________________
(૧૧૭) હે મુનિ શય્યા, આસન, ઉપધાન, શાસ્ત્ર અને ઉપકરણ દિવસ પહેલાં સારી રીતે જોઈને અર્થાત્ વારંવાર પ્રતિલેખન કરીને યત્ન પૂર્વક ગ્રહણ કરતે, તથા તેજ પ્રમાણે કરી પૃથ્વી ઉપર મૂકે છે, તે અવિકલ ( પૂર્ણ ) આદાન નિક્ષેપણ સમિતિ પાળે છે. ”
આવા પરમ સિદ્ધાન્તને માટે પણ મિ. પાંગલે મહાશય વકીલાત કરી કહે છે કે –“શુભચંદ્રાચાર્યે કરેલું વર્ણન દિગમ્બર સંપ્રદાયના હલકી શ્રેણિના સાધુનું જ છે. ” વાહ ! શાસ્ત્રીય સિદ્ધાન્તને ઉલટ પાલટ કરી નાખવામાં આ વકીલ સાહેબની ખીસ્સા કલમે, એક મોટું અજાયબ જ ઉત્પન્ન કરે છે, જહેઓ પિતાના આચાર્યોના વચનનું ખૂન કરવામાં અથવા તે તે વચનેને જુદા રૂપમાં બતાવવાને માટે જબરદસ્ત બહાદુરી બતાવે છે, તેઓ વેતામ્બરેના કે અન્યના શાસ્ત્રાને ઉલટપાલટ કરી નાખે હેમાં શું આશ્ચર્ય ?
દિગમ્બર મુનિ ઉચ્ચ શ્રેણિના કેવા હોય છે ? તે બતાવતાં મિ. પાંગલે આ લેક આપે છે –
" भूः पर्यको निजभुजलता कंदुकं खं वितानं
दीपश्चन्द्रो विरतिवनितालब्धसङ्गः प्रमोदः । दिकान्ताभिः पवनचमरैर्वीज्यमानः समन्ताद्भिक्षुः शेते नृप इव भुवि त्यक्तसर्वस्पृहोऽपि ॥
( શુભચન્દ્રાચાર્ય)”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com