________________
તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯
‘નલદમયંતી રાસ’ મળે છે.
એ જ રીતે નયસુંદરનો ‘પાંચ પાંડવચરિત્ર રાસ’, સમયસુંદરનો ‘સીતારામ ચોપાઈ રાસ’, અને ‘દ્રૌપદી ચોપાઈ’, શાલિસૂરિનું વિરાટપર્વ', ધર્મસમુદ્રનો ‘શકુંતલા રાસ’ રચાયાં છે. આમ પં.રામાયણ-મહાભારતની કથાઓની જૈન પરંપરા વ્યાપક સ્વરૂપે ઊભી થઈ છે.
પ્રબુદ્ધ જીવન
૧૮
સજ્ઝાય જેવા લઘુ પદ્યપ્રકારોમાં પણ આ કથાનકો સંક્ષિપ્ત સ્વરૂપે નિરૂપાયાં છે.
શાલિભદ્રસૂરિ, લાવણ્યસમય, સહજસુંદર, જયવંતસૂરિ, કુશલલાભ, નયસુંદર, સમયસુંદર, ઋષભદાસ શ્રાવક, જિનહર્ષ, ઉપા. યશોવિજયજી, જ્ઞાનવિમલ, ઉદયરત્ન, પદ્મવિજય, વીરવિજય, ઉત્તમવિજય વગેરે જૈન કવિઓએ ઘણા મોટા પ્રમાણમાં આવું કથનાત્મક સાહિત્ય આપ્યું છે. એમાં જૈન પરંપરાના તીર્થંકરો, ગૌતમસ્વામી, સુધર્માસ્વામી વગેરે ગણધરો, શ્રેણિક, અભયકુમાર, પ્રદેશી રાજા, પ્રસન્નચંદ્ર રાજર્ષિ વગેરે રાજપુરુષો, જંબૂસ્વામી, સ્થૂલિભદ્ર, નંદિષણ, ચંદ્રકેલિ, ઈલાચીકુમાર, વજ્રસ્વામી, મેતાર્યમુનિ વગેરે સાધુભગવંતો, સુદર્શન શેઠ, ધન્ના-શાલિભદ્ર આદિ શ્રેષ્ઠિઓ, ચંદનબાળા, અંજનાસતી, મૃગાવતી, ઋષિદત્તા વગેરે સતીનારીઓ જેવા ચરિત્રકથાનકો સમાવિષ્ટ છે.
કેટલાક મૂળભૂત સિદ્ધાંતો પરત્વે જૈન અને બૌદ્ધ મત સમાન વલણ ધરાવતા હોઈ, બૌદ્ધ ધર્મની જાતકતથાઓ અને અવદાન સાહિત્યની કથાઓ પણ જૈન કથાસાહિત્યમાં સમાવેશ પામી છે.
લૌકિક કથાધારા : ભારતીય કથાસાહિત્યની એક ધારા લૌકિક કથાઓની છે અને તે ખૂબ જ વ્યાપક બનેલી છે. આ કથાસાહિત્યનો પ્રાચીનતમ આકારગ્રંથ ગુણાત્મ્યની ‘બૃહત્કથા’ છે. પણ એ ગ્રંથ લુપ્ત થયો છે. એમાંનો મોટો ભાગ ‘બૃહત્કથા શ્લોકસંગ્રહ', ક્ષેમેન્દ્રકૃત ‘બૃહત્કથામંજરી' અને સોમદેવકૃત ‘કથાસરિ– સાગર'માં સંગ્રહીત છે. આ ગ્રંથો એ પાછળથી રચાયેલી લૌકિક કથાઓનો મોટો આધારસ્રોત ગણી શકાય.
જેનેતર બ્રાહ્મણધારાની પુરાણકથાઓ : અહીં સુધીમાં આપણે મુખ્યત્વે નિજી જૈન ધારાના જ કથાસાહિત્યની વાત કરી. પણ આપણા જૈન સાધુ કવિઓએ બ્રાહ્મણધારાની જૈનેતર પુરાણ-કથાઓ, જેવી કે રામ, કૃષ્ણ અને પાંડવકથાઓને પણ વ્યાપક રીતે રૂપાંતરિત કરી જૈનાવતાર આપ્યો છે. આ સિલસીલો છેક આગમકાળથી જોવા મળે છે. દા. ત. ‘જ્ઞાતાધર્મકથાંગ'માં દ્રૌપદી અને તેના પૂર્વભવની કથા મળે છે. પૂર્વજન્મની સુકુમાલિકાએ જુદા જુદા પાંચ પુરુષોને ભોગવતી ગણિકાને જોઈને પોતે પણ આવા સુખની મૃત્યુસમયે ઈચ્છા કરી, જે બીજે ભવે દ્રૌપદી રૂપે અવતરી પાંચ પતિને પામી. કૃષ્ણ અને નારદના ઉલ્લેખો પણ અહીં થયા છે. ‘અંતકૃતદશાઃ’‘નંદીસૂત્ર’ અને ‘નંદીઅધ્યયનવૃત્તિ'માં બુદ્ધિચાતુર્યની લૌકિક નામક આગમમાં પણ કૃષ્ણકથા આવે છે. કથાઓ મળે છે વર્ધમાનસૂરિષ્કૃત ‘મણો૨મા કહા', શુભશીલ
આગમગ્રંથોથી માંડી પછીના અનેક કથાગ્રંથોમાં આ લૌકિક વાર્તાઓ પ્રવેશ પામી છે. હા, પાત્રો, પાત્રનામો કે પરિવેશ બદલાયાં હોય પણ એનો કથાઘટક એક સરખો હોય.
‘જ્ઞાતાધર્મકથાંગ’માં સસરા પોતાની ચારેય પુત્રવધૂઓના બુદ્ધિચાતુર્યની કસોટી કરે છે. શેઠ અને ચોરની, કાચબાની કથા પણ અહીં જોવા મળે છે. ‘ઉપદેશપદ’ અને એની વૃત્તિમાં તેમજ
જેનેતર પૌરાણિક રચનાઓમાં વિમલસૂરિની ‘પઉમચરિયું’ગણિની ‘વિક્રમાદિત્ય ચરિત્ર’, વિજયભદ્રની ‘હંસરાજ વચ્છરાજ પ્રાકૃતમાં રચાયેલી સૌથી પ્રાચીન કૃતિ છે. એમાં રામનું નામ પદ્મ ચોપાઈ’, હીરાણંદની ‘વિદ્યાવિલાસ પવાડુ’, મલયચંદ્રની ‘સિંહાસન છે. અહીં રામકથાનો જેનાવતાર થયો છે. આ કૃતિમાં રાવણ, બત્રીસી ચઉપઈ’, સિંહકુશલની ‘નંદબત્રીસી ચઉપઈ', જિનહર્ષ, કુંભકર્ણ, સુગ્રીવ, હનુમાન આદિ પાત્રોને રાક્ષસ કે પશુ રૂપે નહીં રાજસિંહ આદિ પાંચ કવિઓએ રચેલી ‘આરામશોભા’, મતિસારની પણ મનુષ્ય રૂપે નિરૂપવામાં આવ્યા છે. આ જ પ્રાકૃત કૃતિની છાયા ‘કર્પૂરમંજરી’, કુશળલાભની ‘માધવાનલ-કામકંદલા રાસ' તથા જેવી રવિષેણની સંસ્કૃતમાં ‘પદ્મચરિત/પદ્મપુરાણ’ રચના મળે છે. ‘મારુ-ઢોલા ચુપઈ’, હેમાણંદની ‘વેતાલપંચવિંશતિ રાસ', જિનસેનના ‘હરિવંશપુરાણ'ને જૈન મહાભારત કહી શકાય એવી રત્નસુંદરની ‘શુકલહોતેરી’, કીર્તિવર્ધનની ‘સદયવત્સ સાવલિંગા રચના છે. એમાં નેમિનાથનું ચરિત્ર મળે છે. પણ આ ધારાની અત્યંત રાસ' – આ બધી લૌકિક ધારાની વાર્તાઓ છે; જે જૈન સાધુ લોકપ્રિય બનેલી કથાકૃતિ છે સંઘદાસગણિની ‘વસુદેવ-હિંડી’. એમાં કવિઓની કલમે મધ્યકાળના વિવિધ તબક્કે રચાયેલી છે. જૈન કૃષ્ણપિતા વસુદેવની દેશદેશાંતરની ભ્રમણયાત્રાનું વર્ણન છે. પણ સાધુકવિ હરજી મુનિએ ‘ભરડક બત્રીસી’ અને ‘વિનોદ-ચોત્રીસી' આ કથા સાથે જૈન ધારાની તેમજ લૌકિક કથાઓ પણ મોટી એ બે હાસ્ય-વિનોદે રસાયેલી લૌકિક કથાઓને આવરી લેતી સંખ્યામાં સમાવેશ પામી છે. આ કૃતિનો બીજો ખંડ ધર્મદાસગણિએ પદ્યવાર્તાઓ આપી છે. રચ્યો છે.
ધર્મોપદેશના પ્રયોજનવાળી જૈન પરિવેશયુક્ત વાર્તાઓ : જૈન કવિઓને હાથે, જૈન પરિવેશ પામેલી અને ધર્મોપદેશના પ્રયોજને રચાયેલી વાર્તારચનાઓમાં પાદલિપ્તે રચેલી ‘તરંગવતી' અને એના સંક્ષિપ્ત રૂપ સમી પ્રાકૃત કથા ‘તરંગલોલા’, હરિભદ્રસૂરિએ પ્રાકૃત ગદ્યમાં રચેલી ‘સમરાઈચ્ચ કહા’ તેમજ પદ્યમાં રચેલી ‘ધૂર્તાખ્યાન'
માણિક્યદેવે ‘નલાયન’ કથાગ્રંથમાં નળ-દમયંતીનું ચરિત્ર જૈન પરંપરાગત રીતે પ્રસ્તુત કર્યું છે. સંસ્કૃત-પ્રાકૃતમાં જ નળદમયંતી વિષયક ૧૩ જેટલી રચનાઓ થઈ છે. આ ઉપરાંત જૂની ગુજરાતીમાં ઋષિવર્ધન, નયસુંદર અને મેઘરાજ જેવા કવિઓ પાસેથી