Book Title: Prabuddha Jivan 2009 02
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 20
________________ ૨૦ પ્રબુદ્ધ જીવન જયભિખ્ખુ જીવનધારા : ૩ I ડૉ. કુમારપાળ દેસાઈ સર્જકના બાજજીવનમાં અને આંતરજીવનમાં કેટલાય પલટા આવતા રહે છે. પ્રસિદ્ધ સાક્ષર શ્રી જયભિખ્ખુની જન્મશતાબ્દીએ એમના ભાજપાના પ્રસંગોને આલેખતું એમની વનયાનું આ ત્રીજું પ્રશ્ન૨] સ્વપ્નાં પણ જાણે સોનાનાં! તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯ અંધારી રાત્રે ચાર વર્ષનો બાળક ભીખો (‘જયભિખ્ખુ'નું હુલામણું છોડવાનો વારો આવ્યો. માસીના અવસાને સમસ્યા ઊભી કરી : નામ) આકાશમાં ચમકતા તારાઓ તરફ મીટ માંડીને બેસી રહેતો.હવે જવું ક્યાં ? કયા ગામમાં રહીને નિશાળનો અભ્યાસ ચલાવવો ? દિવસ આખો તો નિશાળમાં, ગોઠિયાઓ સાથે પસાર થતો, પણ કોની સાથે હવે રહેવા મળશે ? માસીનું અવસાન થતાં એ મામાને દિવસ કરતાં રાતની એને વધુ ઇંતેજારી રહેતી. એ વિચારતો કે ત્યાં આવ્યા. પહેલી વાર જિંદગીમાં એવી કોઈ વ્યક્તિ જોઈ કે જેનો આજે રાત્રે તો જરૂર તારાઓમાં વસતી મારી બાનો ચહેરો જોવા દોરદમામ અનોખો હોય. મામા પાસે એ જમાનામાં સારી ગણાય મળશે! પ્રત્યેક રાત ભીખાને માટે આશાભર્યું પ્રભાત બની રહેતી એટલી સંપત્તિ હતી; સમાજમાં એમનું મોભાદાર સ્થાન પણ હતું. હતી. આકાશમાં તાી-તાકીને બાળકની આંખો થાકી જતી ત્યારે બાળક ભીખાને મામામાં કાર્યદળ પુરુષના દર્શન થયા. તે વિચારતો કે આ વિરાટ આકાશમાં ક્યાં હશે મારી બાનો ચહેરો ? ક્યારેક દૂર દૂર સુધી જુએ તો ક્યારેક માથા પરના આકાશને જુએ. આવી કેટલીય રાત્રિઓ તેની ઉજાગરા સાથે પસાર થતી. ઝીણીમોટો ડેલો હતો. આ ડેલો બંધ કરો એટલે આખું ઘર બંધ થઈ મામાનું ઘર ઘણું મોટું હતું. એની બાંધણી સૌરાષ્ટ્રના ઘર જેવી હતી : મામાના ઘરની આગળ મોટું ફળિયું હતું અને એની આગળ નજરે કેટલાય તારાઓને તાકીતાકીને તેણે નીરખ્યા હતા. અનેક વાર આખું આકાશ એણે ફેંદી નાખ્યું હતું, પણ ક્યાંય બાનો ચહેરો જોવા નહીં મળ્યો! ચાર વર્ષની વયે માતા પાર્વતીનું અવસાન થયું હતું અને મનમાં સદાય વિસ્મય રહેતું કે એનો ચહેરો કેવો હશે ?! વળી–એવું પૂછવા માટે પણ તેનું મન તલપાપડ થયા કરતું હતું. “મને તું આમ આ દુનિયામાં રેઢી મૂકીને કેમ ચાલી ગઈ?” માતાનું હેત આપનારી વહાલસોયી માસીનું અવસાન થયું. આથી બાળક ભીખો વિચાર કરતો કે આ બધા અહીંથી વિદાય લઈને આકાશમાં જઈને તારા કેમ થતા હશે ?! એમને શું પાસે રહીને જોવા કરતાં દૂર દૂર ઊંચે રહીને જોવાનું વધુ પસંદ પડતું હશે ?! બાળકના મનમાં આવા તો કેટલાય તર્કવિતર્ક થતા. આકાશમાં ઘૂમતી ચકળવકળ આંખોની સાથે એનું મન પણ ચકરાવા લેતું હતું. એમાંય વહાલસોયા માસીની વિદાયે તો એના જીવનમાં મોટો ખાલીપો સર્જ્યો હતો. આજથી એકસો વર્ષ પૂર્વેના સંયુક્ત કુટુંબના એ જમાનામાં માતાવિહોણા બાળકને શીળો છાયડો સદાય મળી રહેતો હતો. કુટુંબમાં પોતાના સંતાન અને પારકાના સંતાન એવી કોઈ ભેદરેખા નહોતી. બધાય એક કુટુંબના સંતાન તરીકે, એકસાથે, સરખી રીતે ઊછરતાં હતાં. મામી, માસી, ફઇબા જેવા સંબંધો સાથે માતાનું વહાલ જોડાયેલું હતું, આથી માતાવિહોણા બાળકને ક્યારેય માતાના વાત્સલ્યનો અભાવ ખૂંચતો નહીં. માનું સ્થાન ખાલી રહેતું નહીં, કોઈ ને કોઈ એ સ્થાને બેસી જતું. માસીનું અપાર વાત્સલ્ય મેળવનારા ભીખાલાલને ફરી ધર જાય. આ ડેલા પાસે વડીલોની બેઠક જામતી. ગામના ઘરડા, ડાહ્યા અને અનુભવીઓ મામાને મળવા; એમની સલાહ લેવા કે એમની સાથે વેપારના કામકાજ માટે આવતા. કેટલાકનો તો સવારસાંજ અહીં આવીને બેસવાનો નિત્યક્રમ હતો! આમાં ભાતભાતના અને જાતજાતના ગામગપાટા ચાલતા હોય અને સૌની વચ્ચે રહેલો સોનાની નાળવાળો હોકી તે એક પછી એક વ્યક્તિ દ્વારા ગઢ ગડ અવાજ કાઢ્યા કરતો હોય! મામાને ઘેર ઘણી ગામ્ય હતી, રોજ વર્ણોણાં થતાં, આથી રોજ સવારે ભીખાને શિરામણ (સવારનો નાસ્તો)માં બાજરાના રોટલા ૫૨ લગાડવા માટે ઘણું માખણ મળતું. રોટલા પર માખણનું થર બરાબર જમાવે અને પછી મોજથી આરોગે ! વળી પોતાના ઢોરને સારામાં સારું ખાવા મળે એની મામાને ભારે ચીવટ, ક્યારેક એમ લાગે કે માણસને ન મળે તેથીય સારું ખાણું ઢોરને મળે છે! ઢોરને ખાવા માટે શેરડીના ભારા આવે, ટોપરાંનાં કાચલાં આવે અને એથીય વધુ બાજરાની ધૂધરી (કંસાર) રંધાઈને આવે. ઢોરના આ ભોજનમાંથીય ભીખો અને બીજા બાળકો ભાગ પડાવતાં આ તે કેવું ? સામાન્ય રીતે માસનો ખોચક વો હોય તે ઢોરને મળે, અહીં ઢોરનો ખોરાક માણસ ખાતા હતાં ! અરે ! મહિનામાં એક-બે વખત તો બળદોને ઘી પીવડાવવામાં આવતું હતું. વળી ઘોડીના જોગારા માટે આવેલા ચણાના કોથળા ડેલામાં પન્ના જ હોય. ગાજરની ઋતુમાં રાડિયા (ગાજર) અને ઉનાળે મીઠીમધ ચાડિયો (છાસઠ દિવસ પાણી પાઈને ઉગાડેલી જુવાર) આવે. બાળપણના એ સુંદર મજાના દિવસો હતા. ભીખાનું જીવન

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28