Page #1
--------------------------------------------------------------------------
________________
1 વાર્ષિક લવાજમ રૂા. ૧૨૫/-
તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯
છૂટક નકલ રૂા. ૧૦/- i
** *શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર * * *
પ્રબુદ્ધ જીવન
વિક્રમ સંવત : ૨૦૬૫
વીર સંવત : ૨૫૩૫
મહા વદ - તિથિ – ૭
જિન-વચન
લાભ અને લોભ जहा लाभो तहा लोभो लाभा लोभो पवड्ढई दोमासकयं कज्जं कोडीए वि न निट्ठयं ।।
–૩ત્તરાધ્યયન-૮-૧૭ જેમ જેમ લાભ થાય તેમ તેમ લોભ થાય છે. લાભથી લોભ વધતો જાય છે. બે માસા સોનાથી જે કામ પાર પડી શકે, તે કામ કરોડથી પણ પૂરું થતું નથી.
जैसे जैसे लाभ होता है वैसे वैसे लोभ होता है । लाभ से लोभ बढता है । दो मासे सोने से पूर्ण होनेवाला कार्य करोड से भी पूर्ण નહીં હોતા |
Where there is gain, there is greed; greed grows as one gains more. A work which could have been done with two grams of gold is then not done even with ten million grams of gold.
(ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત બિન-વન'માંથી)
Page #2
--------------------------------------------------------------------------
________________
આમન
ચૂપાતનો પુરમત
ફ્રાન્સનો સર્વસત્તાધીશ નેપોલિયન બોનાપાર્ટ પોતાના સૈન્ય સાથે કૂચકદમ કરતો હતો. દુશ્મનના કિલ્લા પર ત્રાટકવાની એની વ્યૂહરચના હતી. આને માટે એક-એક
પળ કીમતી હતી. વિલંબ થાય તો એની વિજયાત્રા પરાજયમાં પલટાઈ જાય તેવું હતું.
નેપોલિયનનું સૈન્ય લાંબા વખત સુધી કૂચકદમ કરતું રહ્યું. સૈનિકોએ થોડા વિરામની માગણી કરી, પરંતુ આવી
વિરામની વાર્તા કાને ધરે તો નેપોલિયન શાનો? નેપોલિયને તો લશ્કરને સમયસ૨
પહોંચવા માટે જોશભેર આગળ વધવા કહ્યું અને સૈન્યને જવાબ આપતાં બોલ્યો, ‘આપણે આરામ કરીશું, પણ સમય કદી આરામ નહીં કરે. સમય તો સતત આગળ વધતો જ રહેશે, થાક ખાવાની કે થોભવાની કોઈ વાત ભૂલી જાવ.'
નેપોલિયનના વફાદાર સૈન્યે એની આ
પ્રબુદ્ધ વન
વાત સ્વીકારી અને આગેકૂચ ચાલુ રાખી. ઘોડા પર નેપોલિયન સવાર હતો. લાંબી દડમજલ થઈ ચૂકી હતી. સૈન્ય ખૂબ થાકી ગયું હતું. એશે નેપોલિયનને ધૂમ્રપાન માટે વિનંતી–આજીજી કરી. આખરે નેપોલિયને એમની વાતનો સ્વીકાર કરીને ત્રા મિનિટનો આરામ જાહેર કર્યો.
સૈન્યે ધૂમ્રપાન કરીને ફરી સ્ફૂર્તિવંત થઈ જવાની ઇચ્છા કરી હતી. આ સૈનિક જવાની ઇચ્છા કરી હતી. આ સૈનિકો
તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯ ધૂમ્રપાન કરવા લાગ્યા. ત્રણ મિનિટ થઈ અને નેપોલિયનનો ફરી હુકમ સંભળાર્યા. સૈન્યે કૂચકદમ શરૂ કરી. કિલ્લા સુધી પહોંચવામાં નેપોલિયનને માત્ર ત્રણ મિનિટનું મોડું થયું. લશ્કરે કરેલ ધૂમ્રપાનની સજા ભોગવવી પડી અને હારીને નેપોલિયનને પીછેહઠ કરવી પડી. એ સમયથી નેપોલિયન ધૂમ્રપાનનો કટ્ટર દુશ્મન બની ગયો. સૌજન્ય : વિશ્વવિહાર
સર્જન-સૂચિ
કર્તા
ક્રમ
કૃતિ (૧) ધસ વી કે...' ઓબામા (૨) જે. કૃષ્ણમૂર્તિ અને પ્રેમ
ડૉ. ધનવંત શાહ
ડૉ. રણજિત પટેલ
(૩) એકવીસમી સદીમાં જૈનોનું યોગદાન શું હોય શકે ? કાકુભાઈ છગનલાલ મહેતા (૪) ‘ભક્તિ યાત્રા’ એક અનન્ય અનુભૂતિ (૫) જેનો અને લધુમતી
દિનેશ વ. શાહ
હિંમતલાલ શાંતિલાલ ગાંધી
(૬) ફંડ રેઈઝિંગ અભિયાનમાં પ્રાપ્ત થયેલ અનુદાન
(૭) જૈન કથાસાહિત્ય – એક વિહંગદર્શન (૮) જયભિખ્ખુ જીવનધારા
(૯) શ્રી જૈન મહાવીર ગીતા : એક દર્શન-૪ (૧૦) સર્જન સ્વાગત
(૧૨) જૈન પારિભાષિક શબ્દકોશ (૧૩)પંચે પંથે પાર્થ રિક્ષાવાળો
પૃષ્ઠ છંદ
૩
૬
८
૧૧
૧૨
૧૫
ડૉ. કાન્તિભાઈ બી. શાહ
૧૬
ડૉ. કુમારપાળ દેસાઈ
૨૦
પ. પૂ. આચાર્ય શ્રી વાત્સલ્યદીપ ૨૩ ડૉ. કલા શાહ
૨૬
૨૭
ડૉ. જીતેન્દ્ર બી. શાહ હર્ષદ દોશી
૨૮
પ્રબુદ્ધ જીવન : ગ્રાહક યોજના
૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $ 15) ૦ ૩ વર્ષનું લવાજમ રૂા. ૩૫૦/-(U.S. $ 40) ૦ ૫ વર્ષનું લવાજમ રૂા. ૫૫૦/-(U.S. $ 65)
૦ ૧૦ વર્ષનું લવાજમ રૂા. ૧૦૦૦/-(U.S. $120) • કન્યા કરિયાવર આજીવન લવાજમ રૂા. ૨૦૦૦/-(U.S. $ 150)
• ક્યારેય પણ જાXખ ન લેવાની પ્રતિજ્ઞા સાથે ૧૯૨૯થી શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું આ મુખ પત્ર ‘પ્રબુદ્ધ જીવન’ પ્રત્યેક મહિનાની ૧૬મી તારીખે અવિરતપર્ણ પ્રગટ થાય છે અને ગુજરાતી પ્રજાને પ્રેરણાત્મક ચિંતન પીરસનું રહે છે.
• શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પેટૂનો, આજીવન સભ્યો અને ગુજરાતના સંતો તેમ જ વૈચારિક મહાનુભાવોને 'પ્રબુદ્ધ જીવન’ વિના મૂલ્યે પ્રત્યેક મહિને અર્પણ કરાય છે.
આર્થિક રીતે નુકસાનીમાં પ્રગટ થતા આ ‘પ્રબુદ્ધ જીવન’ને સદ્ગુ૨ ક૨વા ‘પ્રબુદ્ધ જીવન નિધિ'ની સ્થાપના કરેલ છે જેમાં દાનવીરો યથાશક્તિ પોતાના
દાનનો પ્રવાહ મોકલી રહ્યા છે.
વિચારદાનના આ યજ્ઞમાં આપને પણ આપના તરફથી ધનદાન મોકલવા વિનંતી છે.
•‘પ્રબુદ્ધ જીવન નિધિ’ અને ‘કન્યા કરિયાવર આજીવન લવાજમ' આપનારને આવકવેરાની 80 G કલમ અન્વયે કરમુક્તનું પ્રમાણપત્ર આપવામાં
આવશે.
ૐ ચેક ‘શ્રી મુંબઈ જૈન યુવક સંઘ’ના નામે મોકલશો.કોઈ પણ માસથી ગ્રાહક બની શકાય છે.
* શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી બેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦ ૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ Website : www.mumbai_jainyuvaksangh.com
@મેનેજર
email : info@mumbai_jainyuvaksangh.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 ( ૭ વર્ષ : (૫૦) + ૧૯૦૦ અંક : ૨ ૦ ૦ તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯ ૦
૦ ૦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર ૦
૦
૦૦ પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ ૫૦ વર્ષ૦ ૦ વાર્ષિક લવાજમ રૂ.૧૨૫/-૦ ૦ છૂટક નકલ રૂા. ૧૦/-૦ ૦
માનદ્ મંત્રી : ધનવંત તિ. શાહ
યસ વી કેન...” ઓબામા સ્વતંત્ર અમેરિકાના ૨૧૯ વર્ષના ઈતિહાસમાં પહેલી વાર શ્યામ માર્ટિન લ્યુથર કિંગની લડત અસહકારની અહિંસક લડત ૪ ઑગષ્ટ ૧૯૬૧ના રોજ હોનોલુલું, હવાઈ અમેરિકામાં શ્વેત હતી અને આ આદર્શ એમને ગાંધીજી પાસેથી પ્રાપ્ત થયો હતો. અમેરિકી કેથલિક માતા એન ડનહામ અને કેન્યન મૂળ ધરાવતા માર્ટિન લ્યુથર કિંગનું સ્વપ્ન ઓબામાએ આજે સાકાર કર્યું શ્યામ મુસ્લિમ પિતા હુસેનના પુત્ર બરાક હુસેન ઓબામા નામધારી અને આ માર્ટિન લ્યુથર કિંગનું આ શું બઈ જૈન યુવક સંઘે એક શ્યામ માનવનો અમેરિકાના ૪૪મા પ્રમુખ તરીકે પ્રમુખાભિષેક તા. ૨૮-૨-૧૯૫૯ના રોજ મુંબઈમાં સ્વાગત કર્યું હતું. થયો, અને જ્યાં અત્યાર સુધી કેવળ શ્વેત માનવીનો જ પ્રવેશ થતો ગાંધીજીની જેમ આ માર્ટિન લ્યુથર કિંગની પણ ૧૯૬૮માં હત્યા હતો એવા વ્હાઈટ હાઉસ મહેલમાં આ શ્યામ માનવે પરિવાર સહિત થઈ હતી. પ્રવેશ કરી એક ચિરકાલીન ઐતિહાસિક ઘટનાને આકાર આપ્યો તા. ૧૬-૩-૧૯૫૯માં એ સમયના “પ્રબુદ્ધ જીવન'ના તંત્રી છે.
શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ પ્રસ્તુત કરેલ અહેવાલ અહીં આપણી પાસે શ્વેત અને શ્યામ જેવા ઉત્તમ શબ્દો છે. પછી શ્યામ અક્ષરસહ પ્રસ્તુત કરું છું. માટે અશ્વેત શબ્દનો ઉપયોગ
ડૉ. માર્ટીન લ્યુથર કિંગનું કરી એમાં નકારાત્મક ભાવને આ અંકના સૌજન્યદાતા
સ્વાગત : પ્રવેશાવી શ્યામના ગૌરવ
- તા. ૨૮-૨-૫૯ના રોજ શ્રી કાન્તિલાલ રમણલાલ પરીખ-દિલ્હીવાળા ભાવનું હનન શા માટે કરવું? |
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ અને શ્વેતને પોતાનું ગૌરવ છે. તો સ્મૃતિઃ સ્વ. શ્રીમતી કંચનબેન કાન્તિલાલ પરીખ ગાંધી સ્મારક સંગ્રહાલય તરફથી શ્યામને પણ પોતાનું ગૌરવ
ક્વીન્સ રોડ ઉપર આવેલા છે જ. કૃષ્ણને આપણે ‘શ્યામ સુંદર તારી મોહિની લાગી રે’ કહીએ રોક્સી થીએટરમાં રેવરડ ડૉ. માર્ટીન લ્યુથર કિંગનું કાકાસાહેબ છીએ ત્યારે આપણા મનમાં કેવા ઉત્તમ ભાવો સર્જાય છે! આ કાલેલકરના પ્રમુખપણા નીચે જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. અશ્વેત શબ્દને આપણે જાકારો આપવો જોઈએ જ.
રોક્સી થીએટરમાં બહેનો તેમજ ભાઈઓ ઘણી મોટી સંખ્યામાં - આ ઓબામા અને શ્રી મુંબઈ જૈન યુવક સંઘને બાદરાયણ સંબંધ ઉપસ્થિત થયા હતા. શરૂઆતમાં મુંબઈની વિધાન પરિષદના સભ્ય છે! બાદરાયણ સંબંધ એટલે દૂર દૂરનો સંબંધ. દેહસંબંધ ભલે નહિ સો. મદિના બહેને “વૈષ્ણવ જન તો તેને કહીએ” એ પદ સંભળાવ્યું પણ ભાવસંબંધ કે સંજોગસંબંધ તો ખરો જ.
હતું. મુંબઈ રાજ્યના મજુર પ્રધાન અને ગાંધીસ્મારક સંગ્રહાલયની અમેરિકામાંથી રંગભેદ નાબૂદ કરવા જબરદસ્ત લડત ચલાવનાર મુંબઈ શાખાના પ્રમુખ શ્રી શાંતિલાલ શાહે અમેરિકાથી ભારતમાં શ્યામ માર્ટિન લ્યુથર કિંગે સ્વપ્ન જોયું હતું કે પોતાના સંતાનો એક માસના પ્રવાસે પધારેલા ત્યાંની હબસી કોમના આગેવાન એક દિવસ એવા મુક્ત અમેરિકી સમાજમાં શ્વાસ લેતા હશે જ્યાં ડૉ. કિંગને અને તેમના પત્નીને આવકાર આપ્યો હતો. ત્યાર બાદ તેમની ઓળખ ચામડીના રંગથી નહિ પણ ચારિત્ર અને વ્યક્તિત્વના કાકાસાહેબ કાલેલકર ડૉ. કિંગનો વિશેષ પરિચય કરાવ્યો. થોડા આધારે થશે.
સમય પહેલાં તેઓ અમેરિકાના પ્રવાસે ગયેલા ત્યારે તેઓ ડૉ.
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯ કિંગના પ્રત્યક્ષ સમાગમમાં આવેલા, અને ડો. કિંગ હબસી કોમના જોઇએ, પણ આપણા સમગ્ર મન, વાણી અને કર્મ તે ભાવનાથી સ્વમાનની રક્ષા અર્થે, અલાબામા ડિસ્ટ્રીક્ટમાં ચાલતી જાહેર બસોમાં પ્રેરિત અને પ્રભાવિત બનવા જોઈએ. ઈશુ ખ્રિસ્તે આ માટે અમને ગોરા કાળાનો જે ભેદ કરવામાં આવતો હતો તે સામે, ૩૮૧ પ્રેરણા આપી છે અને મહાત્મા ગાંધીએ આ વૃત્તિને અમલી બનાવવા દિવસ સુધી સત્યાગ્રહની લડત ચલાવી હતી તે વિષે સીધી માહિતી માટેની અમને પદ્ધતિ શીખવી છે.” ધરાવતા હતા. આ સ્મરણો તેમણે રજૂ કર્યા અને ગાંધીજીના ત્યારબાદ મિસીસ કિંગ જે બહુ સારા સંગીતકાર છે તેમણે સત્યાગ્રહનો વિચાર દૂર દૂર દેશોમાં કેવી રીતે ફેલાતો જાય છે તેનો અંગ્રેજી ભાષામાં રચાયેલા બે પદો સંભળાવ્યા, જેમાંનું એક પદ ખ્યાલ આપ્યો. ડૉ. કિંગ ગાંધીજીની વિચારસરણીના ઉંડા અભ્યાસી હતું: 'Lead, kindly Light, amid the encircling gloom, Lead છે, એટલું જ નહિ પણ, તેઓ પોતાના સમાજના આવા પ્રશ્નો હલ thou me on!' (પ્રેમળ જ્યોતિ તારો દાખવી મારો જીવનપંથ કરવામાં તે વિચારોનો પ્રત્યક્ષ અમલ કરી રહ્યા છે. આમ જણાવીને ઉજાળ) અને બીજું પદ હતું: 'By and by, Lay my burden તેમનું, તેમના પત્નીનું અને તેમની લડતના અન્ય એક હબસી down.' મધુરકંઠે ગવાયેલા આ ભાવનાવાહી પદો સાંભળીને સોએ સાથી ડૉ. રેડીકનું પુષ્પહાર વડે તેમણે સન્માન કર્યું.
ઊંડી પ્રસન્નતા અનુભવી. ડૉ. કિંગે આ રીતે તેમનું જાહેર સન્માન કરવા બદલ બને ત્યાર બાદ આ અવસર ઉપર ખૂબ તકલીફ લઈને દિલ્હીથી ખાસ સંસ્થાઓનો અંતઃકરણપૂર્વક આભાર માનતા જે બસ સત્યાગ્રહના આવવા બદલ કાકાસાહેબ કાલેલકરનો શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પોતે સૂત્રધાર હતા તેનો ઉલ્લેખ કર્યો અને એ મતલબનું જણાવ્યું પ્રમુખ શ્રી ખીમજી માંડણ ભુજપુરીઆએ આભાર માન્યો અને તેમનું કે “અમેરિકામાં ચાલી રહેલા રંગભેદને લગતા અન્યાય સામે પુષ્પહારથી સન્માન કર્યું. પછી “જન મન ગણ અધિનાયક જય હે લડવાની આ પદ્ધતિ અમારા માટે નવી હતી. આ લડત દરમિયાન ભારત ભાગ્યવિધાતા' એ રાષ્ટ્રગીત સો. મદિના બહેને ગાઈ અમે હબસીઓએ ૩૮૧ દિવસ સુધી ત્યાં ચાલતી બસોનો બહિષ્કાર સંભળાવ્યું અને સન્માન સભા પૂરી થઈ. કર્યો હતો અને અમારા નિવાસસ્થાનથી ફેક્ટરીએ પહોંચવાનું ગમે આ બાદરાયણ સંબંધે શ્રી મુંબઈ જૈન યુવક સંઘે ઓબામાને તેટલું દૂર હોય તો પણ અમે પગપાળા ચાલીને જવા આવવાનું શરૂ આવકારવા અને અભિનંદવા જ જોઈએ. કર્યું હતું. પણ આ સામે અમારી સામે બળજબરી સારા પ્રમાણમાં ઈતિહાસનો કરિશ્મો તો જૂઓ કે જે ઓબામાના શ્યામ પિતાને વાપરવામાં આવી હતી અને ભારે અપમાનભરી વર્તણૂક ચલાવવામાં આજથી ૬૦ વર્ષ પહેલાં અમેરિકાની કોઈ રેસ્ટોરંટમાં પ્રવેશ મળતો આવી હતી. મારા ઘર પર બોંબ ફેંકીને ઘરને ઉડાડી દેવામાં આવ્યું ન હતો એનો જ શ્યામ પુત્ર આજે અમેરિકાના સર્વોચ્ચ પદ ઉપર હતું; પણ અમે બધા અણનમ અને અહિંસક રહ્યા હતા. આખરે બિરાજી રહ્યો છે. માનવ સંસ્કાર અને સંસ્કૃતિની પ્રગતિની આ ૧૯૫૬ના નવેમ્બર માસમાં અમેરિકાની સુપ્રીમ કોર્ટે-મુખ્ય સાબિતી છે. અદાલતે-જાહેર વાહનવ્યવહારમાં કાળા ગોરાને અલગ બેસાડવાની કચડાયેલા માનવીના સંકલ્પોનો આ વિજય છે. કુદરત અને નીતિને ગેરકાયદેસર જાહેર કરી. આમ કાયદાની દૃષ્ટિએ ઇતિહાસ આ બન્ને તત્ત્વો સંકલ્પોનો કેવો ભવ્ય આદર કરે છે એ વાહનવ્યવહારમાંથી તેમજ જાહેર નિશાળોમાંથી પણ ગોરા કાળાના સત્યની આ પ્રતીતિ છે. વચ્ચે દાખવવામાં આવતો ભેદભાવ નાબુદ થયો છે, એમ છતાં ઓબામા એટલે છલોછલ આત્મ શ્રદ્ધા. એમની વાણીમાં બુદ્ધ, પણ પરસ્પરના વર્તન વ્યવહારમાં હજુ ઘણું ઘણું કરવાનું બાકી રહે મહાવીર, માર્ટિન લ્યુથર કિંગ અને ગાંધીજી છે. છે. આ ભેદભાવ ત્યાંના ચાલુ જીવનમાંથી નાબુદ થતાં હજુ દશ પ્રમુખપદ ગ્રહણ કર્યા પછીની એમની કોઠા સૂઝ, દિશા સૂઝ પંદર વર્ષ લાગવા સંભવ છે. પણ કાળા માણસો વિરૂદ્ધના જે અને ધારદાર એતિહાસિક અને હૃદય સ્પર્શી તેમજ સંમોહિત વાણીના પૂર્વગ્રહો ત્યાંની ગોરી પ્રજામાં વર્ષોથી જડ ઘાલીને બેઠા છે અને કેટલાંક શબ્દો જોઈએઃજેની આસપાસ એક પ્રકારની જીવન પરંપરા ઘણા લાંબા સમયથી “યાદ રાખો કે આપણી સત્તા (લશ્કર) જ આપણું રક્ષણ કરી નહિ જામેલી છે તે નાબુદ થવા માટે આ દશ પંદર વર્ષની મુદત બહુ શકે. યાદ રાખો કે આપણી પાસેનું લશ્કરી બળ હોય તો તે કાંઈ મનસ્વી લાંબી ન ગણાય. પણ એ તો હવે નિશ્ચિત છે કે આ કાળા રીતે બીજા દેશ ઉપર વપરાય નહિ. જ્યારે સત્તાનો ડહાપણભર્યો ઉપયોગ ગોરાનો-હબસી અમેરિકનનો-ભેદભાવ હંમેશાને માટે થાય છે ત્યારે જ માનવ ખરો શક્તિશાળી બને છે. આપણી સલામતી રોજબરોજના વ્યવહારમાંથી નાબુદ થવો જ જોઈએ.
શેમાં છે? આપણે માત્ર ન્યાયિક રીતે જ વર્તીએ ત્યારે જ આપણે સલામત | ‘અમારી લડત કોઈ એક યા બીજા માણસ સામે નથી, પણ એક થઈ શકીએ. આપણી સત્તાના બળના અહંકારને બદલે આપણે સંયમ પ્રકારની જીવનપદ્ધતિ સામે છે, અને આ નાબૂદ કરવામાં અહિંસક અને નમ્રતા સાથે વર્તવું જોઈએ.” સત્યાગ્રહ અનુપમ ઉપાય છે એ અમારા નાના સરખા આંદોલનથી ઓબામાની પાછળ ધસમસતી લોકપ્રિયતા દોડતી આવી છે. પણ સિદ્ધ થયું છે. આ અહિંસાનો માત્ર સામે ઉપસ્થિત થયેલી એક ઓબામામાં એવું તે શું છે કે ગોરી ચામડીને જ સર્વસ્વ ગણતી એ યા બીજી પરિસ્થિતિનો સામનો કરવા પૂરતો ઉપયોગ થવો ન પ્રજા રાતોરાત એક શ્યામવર્ણી માનવ ઉપર વારી ગઈ? અને પોતાના
Page #5
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯
સર્વે સર્વા એમને બનાવી દીધા! આ ઓબામાને આ ગાદી આપણે ત્યાં બને છે એમ વંશપરંપરાથી નથી મળી. આપણો અહોભાવ તો એ પરંપરામાંથી હજી છુટ્યો નથી. જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને હવે રાહુલ ગાંધીના નગારા!! અને આવતી કાલે પ્રિયંકા ગાંધીની ઝાલરો જરૂર વાગવાની જ. નક્કર જીવનની કરુણ વાસ્તવિકતાનો જેમને સ્પર્શ પણ નથી થયો એવી વ્યક્તિને અભાવમાં અને અસુરક્ષિતતાની શંકામાં સડબડતા માનવીના સંવેદનોની ધૂરા આપવાની? અમેરિકાના ભૌતિકવાદની આપણે વારે વારે નિંદા કરીએ છીએ અને આપણી આધ્યાત્મ વિચારધારાના નગારા બજાવ્યા કરીએ છીએ ત્યારે એ પ્રજાએ નવા ઈતિહાસને એક મોટો વાંક દર્દીને પોતાની સંસ્કારપ્રતિભા જ નહિ, સ્વચ્છ અને ખુલ્લી બુદ્ધિનું જગતને પ્રમાણ આપી દીધું.
પ્રબુદ્ધ જીવન
સંસ્કાર સંસ્કૃતિની મોટી મોટી વાતો કરનાર આપણા દેશના તકસાધુ રાજકારણીઓ આજે પણ ભાષાવાદને આગળ કરી ભારતની એકતામાં ભંગાણ પડાવે છે. ખાલીસ્તાનને આપણે માંડ માંડ નાથ્ય તો આપણા રાજભાઈ માત્ર મરાઠી માણુસના જ લાભની વાત લઈને આવ્યા. ભારતમાં જન્મેલા ભારતીય નાગરિકને ભારતની રજેરજ જમીન ઉપર જીવવાનો હક છે. દલિત શબ્દને આપણે હજી જાકારો આપી શક્યા નથી. ચૂંટણી માટે જેમને રાજકારણનું શૂન્ય જ્ઞાન છે એવા લોકપ્રિય અભિનેતાઓને સંસદમાં લઈ જઈ એમને માત્ર પોતાની બહુ સંખ્યામાં બેસાડી દેવા છે! આધ્યાત્મની અને આત્માની ચર્ચા-ચિંતન કરનાર ધર્મધૂરંધરો સામાન્ય માનવી માટે કેટલા પ્રગતિશીલ છે એ વિચાર કોઈએ કદી કર્યો છે ખરો ?
શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા શનિવાર તા. ૭-૩-૨૦૦૯ના રોજ સાંજના ૫-૦૦ કલાકે મારવાડી વિદ્યાલય
હાઈસ્કૂલ, સ૨દા૨ વી. પી. રોડ, મુંબઈ-૪૦૦૦૦૪ ખાતે મળશે જે વખતે
નીચે પ્રમાણે કામકાજ હાથ ધરવામાં આવશે.
૫
જગતની અતિ વિકટ પરિસ્થિતિના કાળે ઓબામાએ નિરાશ થયેલ પોતાના દેશ બાંધવોને માત્ર એક વાક્ય આપ્યું, ‘યસ વી કેન’...અને એમના દેશવાસી એમના ઉપર ઓળઘોળ થઈ ગયા, ફિદા થઈ ગયા. આ વાક્ય એક મંત્ર બની ગયું. એમાંનો ‘વી’ શબ્દ તો ‘સાથ' અને ‘આત્મિયતા'ના ઘંટનાદ જેવો છે. એ નાદ પ્રજાના રોમરોમમાં પ્રવેશી ગયો. આપણા મહાનુભાવો તો ‘ગરીબી હટાવો'ના ઢોલ નગારા પીટી સત્તારૂઢ થયા પણ ગરીબી નહિ ‘ગરીબો' હટ્યા, આપયાનો થયા, ખતમ થયા. ‘ગરીબાઈ” તો હજુ મરક મરક હસતી ત્યાં ને ત્યાં જ ઊભી છે અને બાકી હતું તે એના પ્રદર્શનો કરી કલાને નામે ‘વાહ’ ‘વાહ’ મેળવી એમાંથી અબજોની કમાણી થાય છે અને પેલા અસહાય જીવો તો હજી ત્યાં ને ત્યાં જ સબડે છે! ઓસ્કાર કે અન્ય એવોર્ડનું ધન આવા જીવોના પુનઃનિર્માણ માટે વાપરો તો એ જ સાચી સંસ્કારીતા છે.
વાર્ષિક સામાન્ય સભા
(૧) ગત વાર્ષિક સભાની મિનિટ્સનું વાંચન અને બહાલી. (૨) ગત વર્ષ ૨૦૦૭-૦૮ના શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તેમજ શ્રી
મણિલાલ મોકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયના વૃત્તાંત તથા ઑડિટેડ થયેલા હિસાબો મંજૂર કરવા.
(૩) સને ૨૦૦૮-૦૯ ની સાલ માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પદાધિકારીઓ તેમ જ કાર્યવાહક સમિતિના ૧૫ સભ્યોની ચૂંટણી. (૪) સને ૨૦૦૮-૦૯ ની સાલ માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તેમ જ શ્રી મણિલાલ મોકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયના અંદાજી બજેટને મંજૂરી આપવી. (૫) સને ૨૦૦૮-૦૯ ની સાલ માટે સંઘ તેમ જ વાચનાલય અને
પુસ્તકાલયના ઑડિટર્સની નિમણૂક કરવી.
ઓબામાની જેમ ભારતીય પ્રજાએ પણ નારો લગાવવો જોઈએ કે યસ. વી કેન સાચર્ચા, સારાં અને વિચારવંત બૌદ્ધિકોને સંસદમાં મોકલી એક સ્વચ્છ, રળિયામણા, કોઈ પણ રંગભેદ અને ભાષા ભેદ વગરના ભારતની રચના કરીશું. બહાર કે અંદરના કોઈ પણ આતંકવાદનો શક્તિપૂર્વક સામનો કરી શકીશું અને આ આર્થિક મંદીનો હિંમતથી સામનો કરી ભારતને ઉજળા દિવસો પાસે લઈ જઈશું. ભારતનો પ્રત્યેક નાગરિક ખમીરવંતો છે, એની પાસે સંયમના સંસ્કારો છે, તત્ત્વજ્ઞાનની સમજ છે. ભક્તિની ગરિમા છે.
ઓબામા! આ મંત્ર માટે જગત તમારું આભારી છે. વિશ્વને તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ છે, એ અપેક્ષાઓને પૂર્ણ કરવા કાળદેવતાની કૃપા તમારા ઉપર વરસો, એ કાળ દેવને અમારી પ્રાર્થના!
Dધનવંત શાહ
(૬) પ્રમુખશ્રીની મંજૂરીથી અન્ય રજૂઆત.
ઉપર જણાાવેલી વાર્ષિક સામાન્ય સભાના અનુસંધાનમાં જગાવવાનું કે સંઘ તેમ જ વાચનાલય અને પુસ્તકાલયના ઑડિટ થયેલા હિસાબો શ્રી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયમાં રાખવામાં આવ્યા છે. તા. ૨-૩૨૦૦૯ થી તા. ૪-૩-૨૦૦૯ સુધીના દિવસોમાં બપો૨ના ૩ થી ૬ સુધીમાં સંઘના નવા કાર્યાલયમાં કોઈપણ સભ્ય તેનું નિરીક્ષણ કરી શકશે. કોઈને આ સામાન્ય સભામાં હિસાબો અંગે પ્રશ્ન પૂછવાની ઈચ્છા હોય તો વાર્ષિક સામાન્ય સભાના બે દિવસ અગાઉ લેખિત મોકલવા તેઓને વિનંતી.
જે સભ્યોને ઓડિટ કરેલા કિસાનોની નકલ જોઈએ તો તેમની લેખિત અરજી મળતાં નકલ મોકલવામાં આવશે. વાર્ષિક સામાન્ય સભામાં સર્વ સભ્યોને ઉપસ્થિત રહેવા વિનંતી છે.
કાર્યાલયનું નવું સરનામું :
૩૩, મહંમદી મીનાર, ભોંયતળિયે, ૧૪મી ખેતવાડી, A.B.C.ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪,
નિરુબહેન એસ. શાહ ડૉ. ધનવંત ટી. શાહ
મંત્રીઓ
Page #6
--------------------------------------------------------------------------
________________
૬
પ્રબુદ્ધ જીવન
જે. કૃષ્ણમૂર્તિ અને પ્રેમ
– ડૉ. રણજિત પટેલ (અનામી)
બૌદ્ધિક–વિશ્વમાં જે. કૃષ્ણમૂર્તિને નહીં ઓળખનારા વિરલ જ હરો, થિયોસોફીનું નામ પડે એટલે એની બિસન્ટ, ઘેડ બિટર સાથે જ જે. કૃષ્ણમૂર્તિનું સ્મરણ થાય જ. માનવજાતની મૂળભૂત અનેક સમસ્યાઓની છણાવટ તેમણે અનેક ગ્રંથો અને પ્રવચન દ્વારા મૌલિક રીતે કરી છે. આલ્ડસ હસ્કલીની પ્રસ્તાવના સમેત એક બ્રિટીશ પ્રકાશકે First & Last Freedom નામે પુસ્તક પ્રગટ કર્યું છે જેમાં
છે. ‘લવ એન્ડ લસ્ટ’ ‘પ્રેમ અને મોહ'ની ભેદરેખા લેખકે સ્પષ્ટ કરી છે. 'જાતીયવૃત્તિ'ની ચર્ચા કરતાં તેઓ કહે છેઃ 'આપણે ઈશ્વરને પ્રશ્નરૂપ બનાવ્યો છે...આપણે પ્રેમને પ્રશ્નરૂપ બનાવ્યો છે. જાતીયવૃત્તિ એ ખરેખર પ્રાસંગિક પ્રશ્ન છે. (પૃ. ૨૦૪)...એ પવિત્ર નથી કે અપવિત્ર પણ નથી. દુનિયાના અત્યારના ગાંડપણનું, દુનિયાની અત્યારની ધેલછાનું પરિવર્તન પ્રેમ જ કરી શકે. (પૃ. ૨૧૧) મન
જે. કૃષ્ણમૂર્તિના લખાણ અને ધ્વનિ મુદ્રિત વાર્તાલાપના સંગ્રહ-પ્રેમનો અનાદર કરે છે અને પ્રેમ વિના પવિત્રતા આવતી નથી.
માંથી ચયન કરેલા વાર્તાલાપોને મુદ્રિત કરવામાં આવ્યા છે જે ગ્રંથનો ગુજરાતી અનુવાદ શ્રી હીરાલાલ બક્ષીએ 'મુક્તજીવન' નામે પ્રગટ કર્યો છે, જેમાં જે. કૃષ્ણમૂર્તિના પ્રેમ-વિષયક વિચારોની પર્યેષણા કરવામાં આવી છે.
પ્રેમ નથી માટે જ જાતીયવૃત્તિને પ્રશ્નરૂપ બનાવ્યો છે. (પૃ. ૨૦૮) જાતીયતાના આ વિરોધભાવને સ્પષ્ટ કરતાં લખે છેઃ ' સિનેમામાં જવું અને પડદા પર સ્ત્રીઓને નીરખવી, વિષયી વિચારને ઉત્તેજિત કરે એવાં પુસ્તકો કે અર્ધનગ્ન ચિત્રોવાળાં માસિકો વાંચવાં, સ્ત્રીઓ તરફ દૃષ્ટિ કરવાની તમારી રીત,અરસપરસનાં કપટી નયનો...આ સઘળું અહમને પ્રબળ બનાવવામાં મનને ખોટી રીતે ઉત્તેજન આપી રહ્યું છે અને સાથે સાથે તમે માષાળુ, પ્રેમાળ અને નમ્ર બનવાનો પ્રયાસ કરી રહ્યા છો. આ બે સાથે બની શકે નહિ...જાતીય ભોગની ક્રિયા પ્રશ્નરૂપ નથી પણ મન પ્રશ્નરૂપ છે. (પૃ. ૨૦૭).
કવિવર રવીન્દ્રનાથ ઠાકુરે સ્વના વિકાસ માટે ને વ્યક્તિત્વને વિકસાવવા માટે માનવસંબંધોની હિમાયત કરી છે. જીવનનો અર્થ સમજાવતાં, એ શીર્ષકવાળા લેખમાં જે. કૃષ્ણમૂર્તિ લખે છેઃ ' જીવન એટલે સંબંધ. સંબંધમાં થતું કાર્ય એ જીવન. પ્રેમને શોધવાથી તમો પ્રેમ મેળવી શકશો ? પ્રેમ કેળવી શકાય નહીં, પ્રેમને તમે સંબંધની બહાર નહીં પણ સંબંધમાં જ પિછાની શકો. અને આપણામાં પ્રેમ નથી માટે જ આપણે જીવનનો હેતુ જાણવા માગીએ છીએ. પ્રેમને પોતાની અનંતતા છે અને જ્યાં પ્રેમ છે ત્યાં ઈશ્વરની શોધ રહેતી નથી કારણ કે પ્રેમ એ જ પ્રભુ છે. (સરખાવી ન્હાનાલાલ; ‘પરમ પ્રેમ પરબ્રહ્મ’). જે માણસ ચાહતો નથી એ જ જીવનના હેતુનો જે પ્રશ્ન પૂછે છે. પ્રેમ કાર્યમાં એટલે સંબંધમાં જ પ્રાપ્ત થાય છે. (પૃ. ૨૬૦) આ જ ભાવ-વિચારને વધુ સ્પષ્ટ કરતાં, ‘ઈશ્વર’ નામના લેખમાં કહે છેઃ ‘પ્રેમ દર્શાવવા માટે કોઈ સાથી મેળવવો ઘણું જ વસમું છે. (પૃ. ૨૪૨), એની ચર્ચા કરતાં લખે છેઃ આપણી બધી ચર્ચાઓમાં આપણે ખરેખર એકબીજાને ચાહીએ તો તત્ક્ષણ સંબંધ થાય...અને જો પ્રેમ હશે તો અજ્ઞાતને તમે સમજશો, ઈશ્વર શું છે એ તમે જાકારો. મ પોતે જ અનંતતા છે. આપણામાં પ્રેમ નથી અને આપણે સુખી નથી જ માટે વસ્તુઓમાં આપણે સુખ મેળવવાની આશા રાખીએ છીએ. ઈશ્વર પણ આવી એક સુખ મેળવવાની વસ્તુ છે. (પૃ. ૨૪૩). ‘સત્ય અને અસત્ય' નામના લેખમાં પ્રેમનું પૃથક્કરણ કરતાં લખે છેઃ 'જ્યારે હું એમ કહ્યું કે, હું તોને ચા છું ત્યારે એમાં ઈર્ષા, અદેખાઈ, ચિંતા, ભય સમાયેલાં છે...અને
ઈતના હી સમજ લીજો
ઈક આગકા દરિયા હૈ,
ઔર ડૂબકે જાના હૈ.'
ઇશ્કે મિજાજી ને ઇશ્કે હકીકી-બેઉ રીતિએ પ્રેમનું નિરૂપણ થયું એ જ અસંગતિ છે.’ (પૃ. ૨૪૦) ‘નૂતન અને પુરાતન’ નામના
અઢી અક્ષરનો આ શબ્દ (પ્રેમ) શસ્ત્ર અને શાસ્ત્ર બેઉ છે. અત્યાર સુધીમાં વધુમાં વધુ રિમા પ્રાપ્ત કરનાર ને વધુમાં વધુ બદનામ થનાર કોઈ શબ્દ હોય તો તે પ્રેમ છે. કબીર અને કમાલે, પિતા-પુત્રે આ શબ્દનો સાર્યકપણે કાવ્યાત્મક પ્રયોગ કર્યો છે. કબીર કહે છે. પોથી પડી પડી જળ મુ. ભયા ન પંડિત કોઈ,
ઢાઈ અચ્છર, પ્રેમ કા
પઢે સો પંડિત હોઈ
કબીર કહે છેઃ જગતનાં બધાં જ થોથાંપોથાં ફેંદી નાખ્યાં પણ કોઈ સાચા અર્થમાં પંડિત થઈ શક્યા નહીં. પણ જેમણે અઢી અક્ષરના આ શબ્દના સાચા અર્થને અને ધર્મને જાણ્યો તેઓ પોથી પંડિનો' કરતાં આગળ નીકળી ગયા ને 'સાચા પ્રેમપંડિત” બની ગયા. એક ભજનમાં કબીર કર્યો છે
પ્રેમનગરમેં હનિ મારી,
ભલી બની આઈ સબૂરીમેં.
તો સંત ભક્ત કવિ કબીરનો પુત્ર કમાલ કહે છે: ‘કહત કમાલ પ્રેમ કે મારગ
તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯
સીન્ન દિયા ફિર ચેના ક્યા?"
કવિ પ્રીતમે પ્રેમના ને કરિના માર્ગને ‘શૂરાનો મારગ' કહ્યો. છે. પ્રેમ-પંથ એ તો પાવકની જ્વાલા છે. એમાં ‘પરથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને' એવો ઘાટ છે. કવિવર ન્હાનાલાલ એમના એક કાવ્યમાં પરમ પ્રેમને પરબ્રહ્મ કર્યા છે, જ્યારે જિગર મુરાદાબાદીએ કહ્યું છે.
યહ ઈશ્ક નહીં આસાં
Page #7
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯
લેખમાં ખરેખર પ્રેમ એ શું છે તેની ચર્ચા કરતાં લખે છે, 'પ્રેમ અવશેષ નથી, પ્રેમ અનુભવ નથી, એ છે એક અવસ્થા, પ્રેમ છે સદાકાળ નવો જ છે. પ્રેમ એ ટેવ નથી, સ્મરણ નથી, પ્રેમ સદા નૂતન જ છે.’ (પૃ. ૨૨૬) . ‘પરિવર્તન' નામના લેખમાં સત્યના આવિર્ભાવની ચર્ચા કરતાં લખે છેઃ ‘એ સત્ય ખરીદી શકાતું નથી, વેચી શકાતું નથી, એનું પુનરાવર્તન થઈ શકતું નથી. પુસ્તકોમાં એને પકડી શકાતું નથી...તો એને ક્યાં શોધવું ? કોઈ કવિની અદાથી લખે છેઃ ‘આનંદમાં, આંસુમાં, સૂકા પાંદડામાં, ભટકતા વિચારોમાં ને અંતે સમાપનમાં કહે છેઃ ‘પ્રેમની ભરપૂરતામાં એને પળે પળે શોધવું રહ્યું.’ પ્રેમ સત્યથી જૂદો નથી, પ્રેમ એવી અવસ્થા છે જેમાં કાળરૂપે વિચારની ક્રિયાનો સંપૂર્ણ રીતે અંત આવ્યો હોય છે. જ્યાં પ્રેમ છે ત્યાં પરિવર્તન છે. પ્રેમ વિના ક્રાન્તિનો કોઈ અર્થ નથી, કારણ કે એવી કાન્તિ ફક્ત વિનાશ, સડો, વધતું જતું ભારે ને ભારે દુઃખ જ છે. જ્યાં પ્રેમ છે ત્યાં ક્રાન્તિ છે, કારણ કે પ્રતિક્ષણે પરિવર્તન એ જ પ્રેમ.' (પૃ. ૨૬૬).
પ્રબુદ્ધ જીવન
‘મનનો ગૂંચવાડો’ નામના લેખમાં પ્રેમની સાચી અનુભૂતિ થતાં કેવો આશ્ચર્યકારક ઈલમ સર્જાય છે તે સમજાવતાં લખે છેઃ 'પ્રેમ તે શું છે એ આપણે કદી જાણ્યું ન હોય, પણ નિરંતર કજિયા, દુઃખ, ઘર્ષણોને જ જાણતાં હોઈએ તો જે પ્રેમ આ સઘળું નથી તે પ્રેમનો અનુભવ આપણને કેવી રીતે થઈ શકે ? પણ એનો એકવાર અનુભવ કર્યા પછી એ બેને સંબંધ શો છે એ જાણવાની માથાકૂટ કરવી પડતી નથી. પછી તો પ્રેમ, સમજ, કાર્ય કરે છે. મનની સ્વલક્ષી ક્રિયામાંથી પર જવું એ ખરેખર જીવનનો હેતુ છે...પછી જો પ્રેમ હો તો કોઈ સામાજિક પ્રશ્ન રહેતો નથી. જ્યાં પ્રેમ છે ત્યાં કોઈપણ પ્રકારનો પ્રશ્ન રહેતો નથી. આપણને ચાહતા આવડતું નથી એટલે જ આપણા જીવનમાં સામાજિક પ્રશ્નો તથા આપણા પ્રશ્નોનો નિવેડો કેમ લાવવો એની ફિલસૂફીઓ હોય છે.' (પૃ. ૨૬૩).
જે. કૃષ્ણમૂર્તિનાં અનેક લખાણોમાં ‘સંબંધ’ની વાત આવે છે...એ સંબંધો વ્યાપ અમુક વ્યક્તિઓ પુરતો સીમિત નથી. કિન્તુ સમષ્ટિગત, વિશ્વવ્યાપી છે. એ પોતે જ 'વિશ્વ-માનવ' છે. રાષ્ટ્રવાદ કે દેશભક્તિની સીમાને અતિક્રમીને એમનો પ્રેમ અખિલાઈને આવરી લેતો હોય છે. ‘સંબંધ’ સંબંધે તેઓ કહે છેઃ ' સંબંધ વિનાનું કોઈ જીવન જ નથી. જીવન એટલે જ સંબંધ અને સંબંધ વિનાનું જીવન જ નથી.” ‘તમે જેને કુટુંબ કહો છો એ શું છે? સ્પષ્ટ છે કે એ નિકટનો, એકતાનો સંબંધ છે. સંબંધ એટલે ભય વિનાની એકતા.' (પૃ. ૧૫૫). સંબંધ એ પોતાને ઓળખવાનું સાધન છે. સંબંધરૂપી અરીસામાં તમે કેવા છો એ જોઈ શકો છો.' (પૃ. ૮૪), આપો ભલે પ્રેમની વાતો કરતા હોઈએ પણ એ પ્રેમ પર નથી જ રચાયેલો એ કારા કે જો પ્રેમ હોત તો જગતમાં વ્યવસ્થા, શાંતિ, તમારી ને મારી વચ્ચે સુખની લાગણી હોત પણ આપણા સંબંધમાં તો મોટે ભાગે દુશ્મનાવટ જ હોય છે. (પૃ. ૧૮), ‘પ્રેમને અહમ્ સાથે સંબંધ નથી. અહમ્ પ્રેમને ઓળખી શકે નિહ. તમે કહો છો કે ‘હું ચાહું
છું' પણ એ કહેવામાં જ, એના અનુભવમાં જ પ્રેમનું અસ્તિત્વ રહેતું નથી. જ્યારે તમે પ્રેમને પિછાનો છો ત્યારે અહમ્ હોતો નથી. જ્યાં પ્રેમ છે ત્યાં અહમનું અસ્તિત્વ જ નથી. (પૃ. ૬૨). જ્યારે પ્રેમ પ્રગટ થાય ત્યારે કેવી અજાયબી સર્જાય તેની વાત કરતાં, વિચારો આપણા પ્રશ્નોનું નિરાકરા કરી શકે ?' નામના લેખમાં કહે છેઃ ‘જ્યાં સુધી મનની ક્રિયા ચાલુ છે ત્યાં સુધી પ્રેમ હોય જ નહીં, જ્યારે પ્રેમ પ્રગટ થાય ત્યારે આપણા સામાજિક પ્રશ્નો રહેશે નહીં. પણ પ્રેમ કોઈ એવી બાબત નથી જે પ્રાપ્ત કરી શકાય. એક નવા વિચારની જેમ, મન એને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે પણ જ્યાં સુધી વિચારથી પ્રેમ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન છે ત્યાં સુધી મન પ્રેમની અવસ્થા પ્રાપ્ત કરી શકે નહીં. જ્યાં સુધી મન, પ્રેમની અવસ્થા અનુભવવા માટે ખ્વાહિશ રાખે છે, ઇચ્છા સેવે છે, નિયમન કરે છે ત્યાં મન એ અવસ્થાનો ઈન્કાર કરી રહ્યું છે.' (પૃ. ૯૩). એમના અનેક લેખોમાં પ્રેમ-વિષયક અનેક ચિંતન કણિકાઓ વેરાયેલી પડી જોઈ શકાય છે. દા. ત.ઃ- (i) એવા ખરેખર શાંત મનની સ્થિર અવસ્થામાં જ પ્રેમ પ્રગટ થાય છે અને આપણા સઘળા માનવ પ્રશ્નોનો ઉકેલ કેવળ પ્રેમ જ લાવી શકે.' (પૃ. ૯૪). (ii) બુદ્ધિના માર્ગો આપણે જાણીએ છીએ, પ્રેમનો માર્ગ જ આપણે જાણતા નથી. પ્રેમનો માર્ગ બુદ્ધિ વડે સમજાતો નથી. (પૃ. ૯૮). (ii) સત્ય કોઈ પ્રાપ્ત કરવાની બાબત નથી. જેઓને સંચય કરવાની વૃત્તિ છે, અગર જેઓ એની સાથે એકરૂપ થવાનું પસંદ કરે છે તેઓ પ્રેમથી વંચિત જ રહેશે.' (પૃ. ૧૦૫). () કાળની આખી ક્રિયાની જાકા થાય તો એ સભાનતા જ ચૈતન્ય કે જે પ્રજ્ઞાબુદ્ધિ છે, જે પ્રેમ છે તે શક્તિને પ્રગટ કરે છે. (પૃ. ૧૧૦), (૪) પ્રેમ શું છે તે આપણે છે જાણતા નથી. ‘હું’નું કેન્દ્ર મન જ્યાં સુધી છે ત્યાં સુધી પ્રેમ શક્ય જ નથી.' (પૃ. ૧૨૦), (vi) જ્યાં પ્રેમ છે ત્યાં જ સાચો સંબંધ થઈ શકે, પણ સંતોષની શોધ એ પ્રેમ નથી. જ્યારે “અહમ્ નું વિસ્મરણ થાય, જ્યારે એક-બે સાથે નહીં પણ પરમતત્ત્વ સાથે સંપૂર્ણ એકતા થાય ત્યારે જ પ્રેમ અસ્તિત્વમાં આવે છે. (પૃ. ૧૫૮). (vii) સંબંધને સમજવા માટે શાંત અવધાનતા હોવી જોઈએ. આથી સંબંધો અંત આવતો નથી, બલ્કે આથી સંબંધ વધારે રહસ્યપૂર્ણ બને છે. એવા સંબંધમાં સાચા સ્નેહની શક્યતા છે. એમાં હૂંફ છે, એમાં નિકટપણું છે જે મનોભાવ કે સંવેદન નથી...સંબંધમાં જે સઘળું છે કે સમાયેલું છે એની જાણ થવી એ કાર્ય છે. એ કાર્ય વડે સાચા સંબંધને એના મહાન ઊંડાણને, એના ઊંડા રહસ્યને તથા પ્રેમ શું છે એને સમજવાની શક્યતા છે.' (પૃ, ૧૮૧) () ‘જ્યારે પ્રેમ પ્રગટ થાય ત્યારે જ વિચારનો અંત થાય.” (પૃ. ૩૫), ‘જ્યારે પ્રેમ હોય છે ત્યારે કાર્ય થાય છે. પ્રેમ અને કાર્ય વચ્ચે સમયનો ગાળો રહેતો છે નથી. (પૃ. ૩૬૦. (૪) જો આપણા જીવનમાં માન્યતા ન હોત પા શુભેચ્છા, પ્રેમ અને બીજાની લાગણીનો વિચાર હોત તો વિગ્રહો થાત જ નહીં. (પૃ.૧૬૦૦. આમ વાત આવી વિશ્વ પ્રેમ સુધીની જે એમને સદૈવ ને સર્વથા અભિપ્રેત છે.
એ
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯
કો'ક સાધકે એમને પ્રશ્ન કર્યો: ‘પ્રેમનો આપ શો અર્થ કરો અત્યારના ગાંડપણનું, દુનિયાની અત્યારની ઘેલછાનું પરિવર્તન છો?' ત્યારે તેમણે અન્વયવ્યતિરેક-ન્યાયે સોદાહરણ વિગતે કેવળ પ્રેમ જ કરી શકે, નહીં કે વિચારશ્રેણીઓ. સમાપનમાં એ કહે સમજાવ્યું, “જ્યારે આપણે કહીએ છીએ કે અમુકને હું ચાહું છું છેઃ “પ્રેમનો વિચાર થઈ શકે નહીં, પ્રેમની ખિલવણી થઈ શકે નહીં, ત્યારે આપણે માલિકીભાવ રાખીએ છીએ....એ જ કહેવાનો અર્થ પ્રેમની તાલીમ લઈ શકાય નહીં, પ્રેમનો અભ્યાસ, બંધુભાવનો છે. એ માલિકીભાવમાંથી ઈર્ષા જન્મે છે, કારણ કે જો એ વ્યક્તિ અભ્યાસ, એ પણ મનના ક્ષેત્રનો જ છે, માટે એ પ્રેમ નથી, તો મારી પાસેથી જતી રહે તો શું બનવા પામે છે? હું ખાલીપણું પ્રેમ શું છે? “પ્રેમનું પ્રમાણ સાથે નહિ પણ પ્રકાર સાથે સંબંધ છે. અનુભવું છું, હું નિરાધાર બની જાઉં છું. માટે એ માલિકીપણું તમે એમ કહેતા નથી કે “આખી દુનિયાને ચાહું છું, પણ એકને કાયદેસર ગણાય એમ હું કરું છું. હું એ સ્ત્રીનો, પુરુષનો માલિક કેમ ચાહવો એ જાણો છો ત્યારે સઘળાંને કેમ ચાહવા એ પણ બનું છું. એ વ્યક્તિનો માલિક બનવાથી ઈર્ષા ઉત્પન્ન થાય છે. એમાંથી તમો જાણો છો, પણ એકને કેમ ચાહવો એ આપણે જાણતા નથી, ભય અને માલિકીભાવ માંથી ઉત્પન્ન થતાં અનેક અનિષ્ટો ઉત્પન્ન માટે જ માનવજાતિ માટેનો આપણો પ્રેમ કલ્પિત છે. જ્યારે તમો થાય છે. ખરેખર આવો માલિકીભાવ પ્રેમ ન જ કહેવાય.” (પૃ. ચાહો છો ત્યારે એક કે અનેકનો પ્રશ્ન રહેતો નથી, પછી તો કેવળ ૨૦૯). વિશેષમાં, ભાવાવેશ (Sentiment) એ પ્રેમ નથી, મનો- પ્રેમ જ રહે છે. જ્યારે પ્રેમ પ્રગટ થાય ત્યારે જ આપણા સઘળા ભાવવાળા કે લાગણીવશ થવું એ પણ પ્રેમ નથી, કારણ કે એ તો પ્રશ્નોનું નિરાકરણ થાય અને પછી જ પ્રેમનો આનંદ અને પ્રેમનું અહમૂશ્નો વિસ્તાર જ છે. આ સઘળી મનની ક્રિયાઓ છે. જ્યાં સુધી સુખ આપણે જાણી શકીએ.” (પૃ.૨૧૨). નિર્ણય કરનાર મન હોય છે ત્યાં સુધી પ્રેમ હોતો નથી. મને પ્રેમને દ્વેષ, વૈર કે અ-ભાવ જ નહીં પણ પ્રેમ જ પ્રાણનો ને સમષ્ટિનો અશુદ્ધ બનાવે છે. એ પ્રેમને જન્મ આપી શકતું નથી. એ પછી આધાર છે, એટલે જ કવિ ઓડેને કહ્યું: Love each other or સમાજના ભિન્ન ભિન્ન કક્ષાના માણસો સાથેના સંબંધ અને Perish.' ઈશ્વરની દેણ, કૃપા વિના પ્રેમ પ્રાપ્ત થતો નથી. વ્યવહારનું પૃથક્કરણ કરી કહે છેઃ “આપણામાંથી કેટલા થોડા જ
* * * ઉદાર, ક્ષમાવાન, દયાળુ છે!' કશાની અપેક્ષા વિના આ સગુણો ૨૨/૨, અરુણોદય સોસાયટી, અલકાપુરી, વડોદરા-૭ સાહજિક રીતે આપણામાં વ્યક્ત થાય તો પ્રેમ પ્રગટે. દુનિયાના ફોન નં. : (૦૨૬૫) ૬૬૨૧૦૨૪
એકવીસમી સદીમાં જૈનોનું યોગદાન શું હોય શકે ?
1 કાકુભાઈ છગનલાલ મહેતા આપણે માનવ, વિશ્વનું સર્વશ્રેષ્ઠ પ્રાણી જેને બુદ્ધિનું વરદાન ઑક્ટોબરને અહિંસા-દિન મનાવવાનો ઠરાવ કરીને અહિંસાના મળેલું છે એવા આપણે આજે આપણા જીવનને વિનાશક એવી મહત્ત્વનો નિર્વિવાદ સ્વીકાર કર્યો છે. ધર્મના પ્રસાર માટે મંદિરો, હિંસાના ભરડામાં લપેટાઈ ગયા છીએ. જાણ્યે-અજાણ્યે આપણે મસ્જિદો અને અન્ય ધર્મોના નવા નિર્માણ થઈ રહ્યા છે. આમ છતાં આપણા અસ્તિત્વને જ હોડમાં મૂકી બેઠા છીએ. આ રોજબરોજના ચારોતરફ હિંસાનો ફેલાવો થતો પણ આપણે નિહાળી રહ્યા છીએ. બૉબ વિષ્ફોટ, અકાળે અને તદ્દન નિર્દોષ માનવના થતાં મૃત્યુ, સમસ્ત વિશ્વ આજે હિંસાથી ત્રસ્ત છે. માનવસંહાર કે પશુ-પંખીનો માનવીએ જ વિકસાવેલી સંપત્તિનો વિનાશ, ખીલ-ખીલુ થતા સંહાર એટલામાં જ હિંસા સીમીત નથી. માનવજીવનના વિકાસ બાળ-બાળાઓના ઉપર થતા અત્યાચાર, વ્યભિચાર અને ખૂન, માટે આવશ્યક એવા જ્ઞાન અને આરોગ્યથી કે શોષણ દ્વારા બાળકોના હાથે માબાપના અને માબાપના હાથે થતાં બાળકોના જીવનનિર્વાહના સાધનોથી કોઈને વંચિત રાખવામાં આવે એ પણ ખૂન, લાગણીશીલતાનો અને નૈતિકતાનો અભાવ, ઉપરથી નીચે હિંસા જ છે. સુધી ફેલાયેલો ભ્રષ્ટાચાર અને એવું બધું છેલ્લા બે દાયકામાં જે પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે અહિંસાના મહત્ત્વનો આટલો સ્વીકાર બન્યું છે તે તરફ સરકારનું તો ધ્યાન જ નથી અને પ્રજા નિઃસહાય અને ધર્મનો આટલો પ્રચાર છતાં દિન-પ્રતિદિન હિંસાનો પ્રભાવ બનીને જોઈ રહી છે. કુદરતે આ વિશ્વનું નિર્માણ મનુષ્યજાતિના વધી રહ્યો છે તેનું કારણ શું? હિંસા તો વિશ્વભરમાં અને ભારતમાં વિકાસ માટે કર્યું છે એજ કુદરતનું આપણે નિકંદન કાઢી રહ્યા છીએ. પણ વધી રહી છે એ તો આપણા રોજિંદા અનુભવની વાત છે. જાણે કે આપણે ભાન ભુલી ગયા છીએ.
કારણ એજ કે હિંસા હંમેશા પ્રતિહિંસાને જન્મ આપે છે. શોષણ વિશ્વભરના લબ્ધપ્રતિષ્ઠિત લેખકો, વિચારકો, વિવેચકો, દ્વારા જ્યારે માનવીને જ્ઞાન, આરોગ્ય અને જીવનનિર્વાહના વિજ્ઞાનીઓ, શિક્ષણશાસ્ત્રીઓ વગેરે એ વાતનો સ્વીકાર કરી ચૂકેલ સાધનોથી વંચિત કરવામાં આવે ત્યારે પ્રતિહિંસા જન્મે છે. છે કે અહિંસા સિવાય વિશ્વને મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ શક્ય નથી. આતંકવાદ અને નક્સલવાદનો ફેલાવો એનું જ પરિણામ છે. વિકસીત રાજ્યોના શાસનકર્તાઓએ પણ આ વાતનો સ્વીકાર કર્યો વિકાસના નામે જ્યારે વંચિતોનો વિનાશ શરૂ થયો ત્યારથી હિંસાના છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘે પણ મહાત્મા ગાંધીજીની જન્મતિથિ બીજી પગરણ શરૂ થયા છે.
Page #9
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન ‘લીગ ઓફ નેશન્સ'ની નિષ્ફળતાને કારણે બીજા વિશ્વયુદ્ધના એક દાણો પાકે ત્યારે સોગણાથી પણ વધારે અનાજ મળી રહેતું. અંતે એનું વિસર્જન થયું અને નવી વ્યવસ્થારૂપે સંયુક્ત રાષ્ટ્ર સંઘનું ધન-ધાન્યથી ભરેલી ભારતભૂમિ ઉપર રહેતો દરેક માણસ સુખ, નિર્માણ થયું. વિશ્વઐક્યની ભાવનાને સમર્પિત રાષ્ટ્રસંઘ અને એની શાંતિ અને સંતોષમય જીવન વિતાવતો. પચ્ચીસસો વર્ષ પહેલા રચેલી જુદી જુદી સંસ્થાઓ-વર્લ્ડ હેલ્થ ઓર્ગેનીઝેશન, યુનિસેફ, મહાવીર અને બુદ્ધના સમયમાં સત્ય અને અહિંસાનો ખૂબ જ પ્રચાર આઈ.એમ.એફ, વર્લ્ડ બેંક, યુનેસ્કો, સિક્યુરિટી કાઉંસીલ-વગેરેમાં અને પ્રસાર થયો. મહાવીરના સમયમાં કહે છે કે પાંચ લાખ શ્રાવકો ફક્ત ગણ્યાગાંઠ્યા વિકસિત દેશોનું જ વર્ચસ્વ છે અને આ સંસ્થાઓ એવા હતા જેમણે મર્યાદિત પરિગ્રહ (સંગ્રહ)ની પ્રતિજ્ઞા લીધેલી. મારફત અણવિકસિત, અર્ધવિકસિત કે વિકાસ સાધી રહેલા દેશો પરિણામે ઓછામાં ઓછી રકમ રાખીને બાકીની રકમ શ્રાવકો પર અને એમની કુદરતી અને માનવશક્તિ અને અર્થવ્યવસ્થા પર સમાજના હિતાર્થે, કુવા, વાવ, ધર્મશાળા, મંદિરો અને બીજા પોતાનું પ્રભુત્વ જાળવી રાખવાનો જોરદાર પ્રયાસ ચાલી રહ્યો છે ધર્મસ્થળોના નિર્માણ માટે વાપરતા. કારીગરોને વર્ષોના વર્ષો સુધી એ પણ જાણીતી વાત છે. ભારત સરકાર પણ આવા દબાણ નીચે કામ મળી રહેતું. કદી, દૂધ, છાશ, કોઈ વેચતું નહિ. જેને જોઈએ કામ કરી રહી છે એવી એક સર્વસંમત માન્યતા પ્રવર્તી રહી છે. એમને એ મફતમાં મળતું. શયદાએ ગાયું:
સંયુક્ત રાષ્ટ્રસંઘ કેટલાક વખતથી એ વાત પર ચિંતા કરી રહેલ નદીઓ વહેતી દૂધની ત્યાં છાશ પણ મળતી નથી; છે કે થોડીક (કદાચ હજારેક) વિશ્વવ્યાપી કંપનીઓ વિશ્વના ઘી તો મળે જ ક્યાંથી, ઘીની વાસ પણ મળતી નથી. ઉત્પાદનના 80% નો ઉપભોગ કરે છે જ્યારે પૂરા વિશ્વના ભાગે તો બીજા કવીએ પણ ગાયું કે માત્ર 20% જ આવે છે. આમાં વણકથી વાત એ છે કે આ જહાં ડાલ ડાલ પર સોનેકી ચીડીયાં કરતી હૈ બસેરા; વ્યવસ્થામાં ત્રીજા વિશ્વયુદ્ધના બીજ વવાઈ ચૂક્યા છે. અફસોસની વો ભારત દેશ હૈ મેરા, વો ભારત દેશ હૈ મેરા. વાત એ છે કે ખુદ રાષ્ટ્રસંઘ પણ લીગ ઓફ નેશન્સની જેમ પોતે મધ્યકાલિન સમય: કચ્છના જગડુશાહ પાસે એટલું અનાજ હતું લાચાર હોવાનો અનુભવ કરી રહેલ છે. અહિંસાના સાર્વત્રીક કે તેરમી સદીની મધ્યમાં જ્યારે ભયંકર દુષ્કાળ પડેલો ત્યારે ત્રણ સ્વીકાર છતાં પરિસ્થિતિ આજ છે. કારણ કે વિશ્વની મહાસત્તાઓ વર્ષ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માટે એમણે પોતાના બધા અહિંસાના મૌખીક સ્વીકારથી આગળ વધવા તૈયાર નથી. એમનો જ ભંડારો ખુલ્લા મૂકી દીધેલા અને સમગ્ર પ્રજાને બચાવી લીધેલી. આંતરિક વિશ્વાસ હિંસક શક્તિમાં જ સચવાયેલો રહ્યો છે. હજારો એ જાહોજલાલીનું કારણ હતું ખેતીની પેદાશ અને એટલે જ ભારત શક્તિશાળી બોંબના ઢગ પર બેઠેલ સત્તા પણ એક અણઘડ બોમ્બની ખેતીપ્રધાન દેશ બન્યો અને ગણાય છે. શક્યતાથી ધ્રુજે છે અને છતાં અણુ શક્તિનો તબક્કાવાર નાશ ઈસ્વીસનની અગ્યારમી સદીમાં ગુજરાતના રાજા ભીમદેવના કરવાનો વિચાર વિનિમય કરવા પણ તૈયાર નથી. આજે આપણે સમયમાં વિમલ મંત્રી અને બારમી-તેરમી સદીમાં વસ્તુપાલ અને બારૂદના ઢગ ઉપર ઉભા રહીને વિશ્વના વિનાશ તરફ ગતિ (પ્રગતિ !) તેજપાલ ઉપરાંત ભામાશા, પેથડ શાહ, દેદશાહ વગેરે અનેક જૈન કરી રહ્યા છીએ. ત્રીજું યુદ્ધ એ મહાભારત નહિ પણ વિશ્વ-મહાયુદ્ધ મહાનુભાવોએ જૈન ધર્મનું ચુસ્ત પાલન કરતા કરતા રાજ્ય અને બનીને મહાભારતના અંતે બન્યું તેમ સર્વસ્વનો નાશ નોતરીને જ પ્રજાના કલ્યાણ માટે અનેક કાર્યો કરેલા એમને કેમ ભૂલી શકાય? રહેશે એવો ભય અસ્થાને તો નથી જ.
વસ્તુપાલ-તેજપાલે તો લાટના સંગ્રામસિંહે ખંભાત પર હુમલો આગળ વિચારતા પહેલા આપણે ભૂતકાળ તરફ એક દૃષ્ટિ કરેલો ત્યારે લડત આપીને એને હરાવેલો. આમ રાજ્ય સંચાલનમાં એટલા માટે કરીએ કે ભૂતકાળમાં જે થયું તેમાંથી જ વર્તમાનનું જૈનોનું આગવું યોગદાન વિદિત છે. સર્જન થયું છે અને વર્તમાનમાં જે કરીએ કે થઈ રહ્યું છે તેનાથી પાછલી સાત-આઠ સદીમાં આપણા રાજા-મહારાજાઓ ભવિષ્યનું નિર્માણ થવાનું છે.
અંદરોઅંદર લડતા રહ્યા ત્યાં સુધી કે હરીફને-હરાવવા માટે બહારના ભવ્ય ભૂતકાળઃ હજારો વર્ષ પહેલાનો આપણો કાળ અદ્ભુત ધાડપાડુઓનો સાથ લેવા માંડ્યા. જેના પરિણામે આપણે આઝાદી હતો. કૃષ્ણના સમયમાં એની પાસે અઢાર અક્ષૌહિણી સૈન્ય હતું. ગુમાવી અને ગુલામી સ્વીકારી. આ વાત જાણવા છતાં આપણે એક અક્ષોહિણી એટલે ૨૧૮૭૦ રથ, ૨૧૮૭૦ હાથી, ૬૫૬ ૧૦ કાંઈ ધડો લીધો હોય એવું લાગતું નથી. આપણી નબળી મનોદશાનું ઘોડા અને ૧૦૯૩૫૦ પાયદળનું બનેલું લશ્કર. આને અઢારથી કારણ પણ આજ છે. ગુણો. આવડા મોટા લશ્કરનો નિભાવખર્ચ કેટલો આવતો હશે? વીસમી સદીના પૂર્વાર્ધમાં આફ્રિકાથી સફળ સત્યાગ્રહ કરીને હાથી-ઘોડાનો નિભાવ તો જંગલ અને મેદાનમાં બનતા ઘાસ અને આવેલા ગાંધીજીએ ભારતનું સુકાન હાથમાં લઈને, સત્ય અને વનસ્પતિથી થતો. એટલા માટે એને પશુધન કહેવામાં આવતું. અહિંસાના આધારે લડત આપીને બ્રિટિશ સામ્રાજ્યની ચુંગાલમાંથી આ તો થઈ રાજા-રજવાડાની વાત. નાગરિકો ગાય-બળદને ભારતને મુક્ત કરાવ્યું એ તો આપણી નજરમાં છેજ. સત્ય અને પાળતા જેનો નિભાવખર્ચ નહિવત્ આવતો અને એથી જ ગાયને અહિંસાનો આ પ્રયોગ વિશ્વભરના આજ સુધીના યુદ્ધના ગૌધન કહેવાતું. બળદનો ઉપયોગ ખેતી કરવામાં થતો. આ રીતે ઈતિહાસમાં એક અજોડ પ્રયોગ હતો એટલું જ નહિ પણ માનવ વિના મૂડી જીવનનિર્વાહ થતો. એટલું જ નહિ પણ ખેતીમાં વાવેલો જીવનને યુદ્ધમાંથી સદંતર મુક્તિ અપાવવાની એ શક્તિ પણ ધરાવે
Page #10
--------------------------------------------------------------------------
________________
| ૧૦.
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯ છે એવો એક અહેસાસ પણ કરાવે છે.
સ્વાર્થ દબાણ લાવીને અને શક્ય એટલા પ્રમાણમાં અનુકૂળ બનીને પરંતુ વીસમી સદીના ઉત્તરાર્ધમાં આપણે માર્ગ ભૂલ્યા. આઝાદી સાધી લ્ય છે જ્યારે મોટા ભાગનો અસંગઠીત વર્ગ લાચાર બનીને પછી એ વિકસિત દેશોનું આંધળું અનુકરણ વિષમતાનો વિસ્તાર સહન કરતો રહે છે. પ્રજાના હિતાર્થે પ્રજાનું કહી શકાય એવું એક, કરી રહી છે. દેખીતો વૈભવ અને વિકાસ એ તો વસ્તીના બે ટકાથી રાજ્ય સરકારથી સ્વતંત્ર સંગઠન હોવું જરૂરી છે જે સરકારમાં જોડાયા પણ ઓછા અને મુખ્યત્વે શહેરમાં વસતા લોકોને માટે ભલે હોય વિના સરકાર ઉપર પોતાનો પ્રભાવ પાડી શકે. આજના યુગની પણ એ બધું તો સામાન્ય માનવીના શોષણમાંથી જ પ્રાપ્ત થયેલ માગ છે એક એવા સમાજના નિર્માણની કે જ્યાં દરેક મનુષ્યને છે. શહેરની વસ્તીનો પણ મોટો ભાગ તો ઝૂંપડપટ્ટીમાં જ વસે છે ઉપાર્જનના સાધનો, શિક્ષણ અને સ્વાથ્ય સેવા ઉપલબ્ધ હોય. જયાં શ્વાસ પણ રુંધાય જાય છે.
સમાજમાં સ્વમાનપૂર્વક જીવી શકે એ માટે રોટી, કપડા અને મકાન આપણું રાજ્ય સંવૈધાનિક દૃષ્ટિએ પ્રજાસત્તાક ખરું પણ વાસ્તવિક ઉપલબ્ધ હોય. વિલાસ વૈભવના સાધનો નહિ પણ આવશ્યક રીતે પ્રજાસત્તાક નહિ પણ પક્ષસત્તાક છે. ઉમેદવાર તરીકે કોને જરૂરિયાત પ્રાપ્ત હોય. આવા સમાજનું નિર્માણ કેવળ અહિંસાના ઊભા રહેવા ટિકિટ આપવી એ પક્ષ નક્કી કરે. પ્રજાએ તો એ વ્યક્તિને પાયા ઉપર જ થઈ શકે. જ મત આપવાનો રહે તેમાં પ્રજાનો અવાજ ક્યાંરહ્યો? અને પક્ષને આ હાલતમાં અહિંસામાં અનન્ય શ્રદ્ધા ધરાવનાર જેનોનું આ જોઈએ છે સત્તા અને સંપત્તિ અને એનાથી બીજું જે કાંઈ સમ્પન્ન એકવીસમી સદીમાં યોગદાન શું હોઈ શકે એ વિચારવાનો અને થાય છે. આજે બે મુખ્ય પક્ષ કેવળ સત્તા માટે જ લડે છે અને બીજા આચરવાનો સમય પાકી ગયો છે એમ લાગ્યા વગર રહેતું નથી. નાના નાના પક્ષો એમના પૂંછડે લટકી રહીને પોતપોતાનો સ્વાર્થ જૈન ધર્મને જો કોઈ બીજું નામ આપવું હોય તો આપણે એને સમજીને પોતાનો માર્ગ શોધી લ્ય છે. ચૂંટણી અધિકારીનું સૂચન માનવધર્મ અથવા અલૌકિક જીવનશૈલી કહી શકીએ. જૈન ધર્મના આમાંથી કોઈ નહિ' એનો ઉલ્લેખ મતપત્રકમાં કરવામાં ન આવે પાંચ સિદ્ધાંતોમાં સત્ય અને અહિંસા બે મુખ્ય સિદ્ધાંતો છે. આ બે ત્યાં સુધી ચૂંટણી એ એક માત્ર દંભ અને દંભ જ બની રહે છે. આ સિદ્ધાંતોને ગાંધીજીએ ભારતમાં જ નહિ પણ વિશ્વભરમાં આવશ્યક ફેરફાર ન થાય ત્યાં સુધી પ્રજાસત્તાકના નામે પક્ષસત્તાન સામાન્યજન સુધી પહોંચાડીને જૈન ધર્મ પ્રતિ એક મહાન યોગદાન રાજ્યનું સંચાલન કરતી રહેશે. આમ કહેવાતી લોકશાહી કેટલી આપેલ છે. અહિંસા એટલે કીડી-મંકોડાને મારવા નહિ કે બીજા હદે નિષ્ફળ ગઈ છે તેના આપણે સાક્ષી બની રહ્યા છીએ. જીવોને દુઃખ ન આપવું એવી જે સામાન્ય માનવીની માન્યતા છે
પ્રમુખશાહી પદ્ધતિ માટે સૂચનો આવે છે પરંતુ અમેરિકાએ એ એથી ઘણો વિશાળ અર્થ એમાં સમાયેલો છે. જૈન સારી રીતે જાણે પદ્ધતિ અપનાવી બસો વર્ષ પહેલા એ વખતના એમના સંજોગો છે કે અહિંસા એટલે પ્રેમ, ક્ષમા અને કરુણા એવો વ્યાપક ભાવ અનુસાર જે આપણા જુદા જ સંજોગોમાં, આપણો ઈતિહાસ, એમાં રહેલો છે. અહિંસામાં રહેલું આ વિશિષ્ટ તત્ત્વજ્ઞાન જ હિંસાથી ભૂગોળ, શિક્ષણ, સંસ્કૃતિ, ધર્મ, અર્થવ્યવસ્થા, જીવનશૈલી, થતી ખુવારીને ડામવા માટે સક્ષમ થઈ શકે તેમ છે, બીજો કોઈ આશાઓ અને અપેક્ષાઓને અનુકૂળ નથી. આરબ દેશોમાં પ્રમુખના ઉપાય નથી. જૈનોનો એક બીજો મહત્ત્વનો સિદ્ધાંત છે “અપરિગ્રહ’ હાથમાં સર્વોપરી સત્તા હોય છે જે પણ આપણી જરૂરિયાતોને (અસંગ્રહ). મર્યાદિત સંગ્રહ અથવા ત્યાગની વૃત્તિ જેનોના અનુકૂળ નથી. આપણી પદ્ધતિ એવી હોવી જોઈએ કે જે આપણી સંસ્કારમાં સચવાયેલી છે એથી જ જેનો આ વિષમ પરિસ્થિતિમાં સંસ્કૃતિના આધારે બનેલી હોય અને આપણી એ આશા અપેક્ષાઓને પણ મહાન યોગદાન આપી શકે તેમ છે અને જૈનોનું સમાજમાં પૂરી કરે.
આગવું સ્થાન પણ એ જ કારણે છે. આવું યોગદાન આપવું એ કોમવાદ, ધર્મવાદ, ભાષાવાદ, પ્રદેશવાદ, આતંકવાદ, આપણી ફરજ છે એટલું જ નહિ પણ એવી ફરજ બજાવવાની લઘુમતી, બહુમતી વગેરેને કાબુમાં લેવા માટે આપણને અનુકૂળ લાયકાત પણ જૈન સમાજ ધરાવે છે. લોકસભાની ચૂંટણી આવી એવી નવી પદ્ધતિને વિકસાવીને જ આપણે સાચો વિકાસ સાધી રહી છે. પરિણામ જે આવે છે. પણ અરાજકતા નિશ્ચય ફેલાવાની શકીશું અન્યથા નહિ. આપણે એ પણ અનુભવી ચૂક્યા છીએ કે છે. પ્રશ્ન છે પહેલ કરવાનો. વાતાવરણ વિશેષભાવે અનુકૂળ છે. સામ્યવાદ નિષ્ફળ ગયો; કારણ કે ત્યાં માનવીને માનવી નહિ પણ ઉપર જોઈ ગયા તેમ ભૂતકાળમાં રાજકારણમાં જૈનોએ મહત્ત્વનું સત્તાનું જ એક અંગ માનવામાં આવ્યું અને શોષણ પણ થયું અને યોગદાન આપ્યું જ છે તો શું આપણે વ્યાપાર જ કરતા રહીશું કે ભયંકર હિંસા પણ. પૂંજીવાદમાં વ્યક્તિને સર્વોપરી માનવામાં આવી. રાજકારણમાં ઝંપલાવીને દેશ અને દુનિયાને પાયમાલીમાંથી માનવી એ સમાજનું એક અંગ છે અને સમાજ પ્રત્યે એમની બચાવવા આગળ આવશું? દેશ તરફથી આ એક આલ્વાન છે, જવાબદારી છે એ વાત ભૂલી જવામાં આવી. સમાજવાદમાં મજૂરના જેનો એને ઝીલે એજ અભ્યર્થના. આ રીતે આપણે ધર્મનું રક્ષણ હક્કને જ વધુ મહત્ત્વ આપવામાં આવ્યું. પણ સાથે સાથે પણ કરી શકીશું અને મહાવીરનો સંદેશ પહોંચાડી શકીશું. ** જવાબદારીનું નહિ. એનું પરિણામ સામે છે. આ બધા પ્રયોગો (વાચક ભાઈ-બહેનોના મંતવ્યો કે ટીકા ટિપ્પણી આવકાર્ય) એકાંગી કે આત્યંતિક હોવાને કારણે નિષ્ફળ ગયા છે.
૧૭૦૪, ગ્રીન રિજ ટાવર-૨, ૧૨૦ લિંક રોડ, ચિકુવાડી, આજનો યુગ સંઘ શક્તિનો યુગ છે. સંગઠીત વર્ગ પોતપોતાનો બોરીવલી (પ.), મુંબઈ-૪૦૦૦૯૨. ફોનઃ (૦૨૨) ૨૮૯૮૮૮૭૮
Page #11
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન ભક્તિ યાત્રા' એક અનન્ય અનુભૂતિ
Bદિનેશ વ. શાહ શ્રી મુંબઈ જૈન યુવક સંઘે પોતાના અસ્તિત્વના ૮૦મા પ્રબુદ્ધ તો...'ની પદાવલિમાં શોધવો હોય, તો ‘અઢાર પાપસ્થાનકોમાં' વર્ષમાં પદાર્પણ કર્યું! ઘડાયેલા, કસાયેલા અને સમર્પિત એવા અનુક્રમિત પાપોનો અનુક્રમ જાળવવો ઉપયોગી થઈ પડશે. સંસ્થાના અધિકારીઓ-પદસ્થ એવમ્ ભૂતપૂર્વ-હિતેચ્છુઓ, અલબત્ત, “પહેલે પ્રાણાતિપાતનો સાંગોપાંગ સંદર્ભ એ શુભેચ્છકો અને દાનવીરોએ પોતાનું હીર દર્શાવ્યું અને એની સુયોગ્ય ભક્તિ-રચનામાં જડતો નથી. પરંતુ તે પાતિકની નિસ્બત રૂપે “જે ઉજવણી રૂપે ભજનયાત્રાનો કાર્યક્રમ પ્રયોજ્યો; એ મારા જેવા પીડ પરાઈ જાણે રે....', કંઈક અંશે ઘટાવી શકાય. આ પ્રથમ પદની સંસ્થાના આજીવન સભ્યને એટલો અર્થસભર ને મનભાવન લાગ્યો આંશિક દૂરી નજઅંદાજ કરતાં, ત્યારબાદના પાપસ્થાનકોના કે તેને વર્ણવવા-મૂલવવા, મારી પાસે શબ્દો નથી. ભાઈશ્રી નિતીન સેવનથી એક પાપભીરૂ આત્મા કેટલો વેગળો રહે છે, તેનું બયાન સોનાવાલાની મંચસક્કા અને વિશેષે ‘ભજનયાત્રા'ની પરિકલ્પના પ્રસ્તુત ભક્તિ રચનામાં કેટલું હુબહૂ થયું છે, તે જોઈએ. “બીજે શિરમોર રહી. તેમને મારા અંતરના અભિનંદન!
મૃષાવાદ'નું વર્યપણું “
જિહ્વા થકી અસત્ય ન બોલે’, ‘ત્રીજે ભારતના વિવિધ ચાર રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતા ચાર સુમધુર અદત્તાદાન'નો ત્યાગ, ‘પરધન નવ ઝાલે હાથ રે', “ચોથે મૈથુન' કંઠોના માલિકોને, એક જ મંચ પર એક સામટા રજૂ કરવા, એ કંઈ અને “છઠ્ઠ ક્રોધ” ને સાથસાથ લેતાં, કામ ક્રોધ નિવાર્યા રે-પરસ્ત્રી જેવી તેવી વાત નથી. એ સર્વ ગાયકોએ પણ, પોતાના હૈયાના જેને માત રે'; “પાંચમે પરિગ્રહ' ત્યાગનું સમાનાર્થી ‘તૃષ્ણાત્યાગી', ભાવોને તેમના કંઠ દ્વારા પ્રવાહિત કર્યા. સમયના વહેણ સાથે “સાતમે માન'–મિથ્યાભિમાન વગળતાં, “પરદુઃખે ઉપકાર રે તો સભાગૃહમાં ભક્તિભાવના પૂર ઉમટ્યાં, જેમાં કોઈ ભીજાવામાંથી યે, મન અભિમાન ન આણે રે’, ‘આઠમે માયા'થી દૂરી એટલે જ બાકાત રહી ગયું હોય, તે માની શકાય જ નહીં. આમ પણ “મોહ માયા વ્યાપે નહિ જેને'; “નવમે લોભ' રહિતપણું એટલે ભજન-ભક્તિ માત્રમાં, એવું કૌવત રહેલું છે, કે એ જ્યારે સંગીતને ‘વણલોભી’, ‘દસમે રાગ’નો પ્રતિભાવ, ‘દઢ વૈરાગ્ય જેના મનમાં સથવારે રજૂ થતું હોય, તો પ્રકાંડ નાસ્તિક પણ એની ભાવોર્મિથી રે’, ‘અગિઆરમે દ્વેષ, બારમે કલહ, તેરમે અભ્યાખ્યાન અને ચોદમે અસ્પૃષ્ય રહી ન શકે. ભલે એ પ્રત્યક્ષપણે પ્રગટ કરે કે પોતાની પૈષુન્ય', એ ચારે પાપોનું નિવારણ, પ્રાયઃ “સમદૃષ્ટિ'વાનપણુંનબળાઈ ન દર્શાવે!
' અર્થાત્ જેન પારિભાષિક “સમ્યગ્દષ્ટિ'વાન હોવું, “પંદરમે રતિ આ સમગ્ર યાત્રામાં, મને જે વિશેષે અભિભૂત કરી ગઈ, તેવી અરતિ’ની સામે, રોગ, શોક વ્યાપે નહિ જેને', “સોળમે એકાદ-બે ભક્તિરચનાઓ વિષે લખવા હું ઈચ્છું છું – કદાચિત એ પરંપરિવાદ'નો પડઘો, એટલે “સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન વેળા ઉપસ્થિત સુજ્ઞ અને ભાવિક શ્રોતાગણની પણ આ જ અનુભૂતિ કરે તેની રે’, ‘સત્તરમે માયામૃષાવાદ’ના ઉત્તર રૂપે, “વાચ કાછ હશે, એવું હું માંજલપણે માનું છું.
| મન નિર્મળ રાખે-કપટ રહિત છે” અને અઢારમે મિથ્યાત્વશલ્યનો આમાંની પહેલી રચના જે શ્રી કુમાર ચેટરજીએ અત્યંત પ્રતિધ્વનિ, આ સમગ્ર ભક્તિરચનામાંથી ગર્ભિત રીતે એ ઉઠે છે, ભાવપૂર્ણરૂપે ગાઈ સંભળાવી, તે આદ્ય ભક્તિકવિ ને (સંગીતકાર) કે દેવ-દેવી-માતાના મંદિરો, આ જીવતી-જાગતી પાપરહિત કૃષ્ણભક્ત નરસિંહ મહેતાની, “વૈષ્ણવ જન તો..” એના સમગ્ર વ્યક્તિમાં જ સમાવિષ્ટ છે. જામનગરના જોવાલાયક સ્મશાનને પદોમાં, મને જૈનો દ્વારા દૈનિક પ્રતિક્રમણની આવશ્યક ક્રિયા દરમ્યાન, છેવાડે, જ્યાં અગ્નિદાહ દેવાય છે, ત્યાં એક કમાન પર પ્રસ્તુત છે તેના એક શક્તિશાળી અંગરૂપ, ‘અઢાર પાપ-સ્થાનકો'ના સંભાવ્ય એ સોનેરી વાક્ય, પવિત્રતા એવી જણસ છે, જેને ધારણ કરનારને સેવનની આલોચના કરવામાં આવે છે, તેનું આબેહૂબ પ્રતિબિંબ પગલે પગલે મંદિર આકાર પામે છે', (શબ્દોમાં તફાવત હોઈ શકે દેખાયું-જાણે કે અઢાર પાપસ્થાનકોનો ઉલ્લેખ ભલે વ્યક્તિત્વમાં છે પણ તેનો ભાવ ઉપર જણાવ્યા મુજબનો અભિપ્રેત છે) અર્થાત્ થયો હોય, પણ એનું ગાન, એ અઢાર પાપસ્થાનકોને આલોવનાર અંધશ્રદ્ધાનો પરિત્યાગ કરવા દ્વારા આત્મકલ્યાણમાં શલ્યરૂપ અને એથી આગળ વધીને; તે પાપોથી અળગા રહેવાની તમન્ના મિથ્યાત્વનું નિરસન. ધરાવનાર, વ્યક્તિવિશેષની નીતિમત્તાની-માનવતાની ઉત્તુંગ અહીં જ્યાં ભક્તકવિ જ્યારે ઉચ્ચારે છે કે “રામનામ શું તાળી રે જીવનયાત્રાનું યથોચિત જીવન કવન છે, જેમાં ફક્ત ને ફક્ત વાગી, સકળ તીરથ તેના તનમાં રે..', ત્યારે ઘડીભર મનમાં ઝબકી ભક્તિભાવના પર્યાયરૂપ ભક્ત નરસૈયો પણ, એવી પાપરહિત જાય છે, ‘જંકિંચિ નામ તિર્થં, સગ્ગ, પાયાલિ, માણસે લોએ, વ્યક્તિવિશેષના ‘દર્શન'ની મહેચ્છા દર્શાવે છે.
જાઈ જિણ બિંબાઈ, તાઈ, સવાઈ નંદામિ.' આવી સંસારી છતાં અઢાર પાપસ્થાનકોમાંના પ્રત્યેક પાપનો ઉલ્લેખ, “વૈષ્ણવ જન પાપરહિત વ્યક્તિને તીર્થકરપદે સ્થાપી દેવી-આગીયામાં ધૃવના
Page #12
--------------------------------------------------------------------------
________________
૧ ૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯
તારાનું આરોપણ કરવું–અલબત્ત ઔચિત્યની સરાસર અવહેલના બીજી એક ભાવવાહી રચના રજૂ કરવામાં આવી, તે “જો ભજે ગણાય, પરંતુ અહીં જે દોષરહિતપણું દર્શાવાયું છે, તેની ઉંચાઈ હરિ કો સદા, વો હી પરમપદ પાવતાં.” એ સાંભળતાં મને મારા જૈન ધર્મમાં પ્રરૂપેલી ગુણ સ્થાનકોની સિડીના કયા સોપાનને સ્પર્શે ૯૩ વર્ષીય શ્વસુર, ૭૦ લાખ નવકારમંત્રજાપ પૂર્ણ કરી, તેમની છે, તે કેવળ સર્વજ્ઞ કે ગીતાર્થ મહાનુભાવ જ આપણને સમજાવી એક કોટિ જાપસંખ્યાને આંબવાની અભિપ્સાને પરિપૂર્ણ કરવા, શકે. અન્યથા આ અનુચિતતાને ક્ષણાર્ધ માટે પણ ક્ષમ્ય ઠરાવવી તેમની ક્ષીણ થતી જતી ચેતનાને જાણે કે કોઈ સંજીવનીનો પાસ હોય, તો કેવળ જૈન ધર્મમાં પ્રરૂપાયેલા સ્યાદ્વાદના ત્રાજવે તેનો આપતા જણાય છે. કહ્યું છે કે, તોલ કરવાપણ થઈ શકે. જીવાતી જિંદગીમાં આપણને આવી વ્યક્તિ “નિશાનચૂક માફ, નહિ નીચું નિશાન'. સુષુ કિં બહુના! સ્વપ્નમાં પણ દૃષ્યમાન થાય, તો કોણ તેની સમક્ષ નતમસ્તક થયા પ્રાંતે, ‘મિલે સૂર મેરા-તુમ્હારા...” એ સમૂહગાને, “પ્રબુદ્ધ વગર રહે! આ તો સાંપ્રતકાળની વાત થઈ. નરસૈયાના જીવનકાળ જીવન'ના રૂપાંતરણને, જૈન-જૈનેતરના વાડાઓની વાડ મિટાવી દરમ્યાન, પાપોનું આજને મુકાબલે કેટલું અને કેવુંક ન્યૂનતમ સેવન સર્વે પ્રબુદ્ધ ચિંતકો-વિચારકોને માટે તેમની કલમ પ્રસાદીના આમ આદમી કરતો હશે? અને છતાંયે નરસિંહ મહેતાએ એ સર્વ સ્વાગતાર્થે; પોતાના દ્વાર ખુલ્લા મુકવાની સંઘના તે વેળાના દીર્ધદષ્ટિ અવગુણોને સર્વથા અળગા કરનારને, “વૈષ્ણવ જન' કહ્યો છે. નથી અને ઉદારચરિતતાના મશાલચી, એવા સુયોગ્ય સુકાનીઓ એવમ્ લાગતું કે નરસૈયાની ભાવુકતા, તેના પંડ્યના અણજાણપણે, તંત્રી મહાશયની યશોગાથાને મૂર્તિમંત કરી. આપણને ‘વૈષ્ણવ-જૈન' કહેવા પ્રેરે છે? આ ભાવાનુભૂતિનું બીજું શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દીર્ધાયુ થાઓ-વિશ્વવ્યાપી બની રહો! નામ જ “પ્રબુદ્ધ માનવ જીવન’, જેને દેવો પણ અહર્નિશ વાંછે છે એવી શુભકામના! અસ્ત! અને એવી “ધન ધન જનીની'ની રત્નકુક્ષિએ અવતરવા માટે વિહ્વળ ૭૦૧, સુરિ રાજેન્દ્ર ટાવર, આર. કે. સીંગ માર્ગ, છે. ખચિત જ નરસૈયો, તેની આ પ્રાતઃસ્મરણીય અદ્વિતીય કૃતિમાં, સોના ઉદ્યોગ પાસે, અંધેરી (પૂર્વ), મુંબઈ-૪૦૦ ૦૬૯. જૈનત્વનો સમર્થ ઉગાતા થઈ નિખર્યો છે.
ફોન નં. : ૨૮૨૬૫૫૯૮
જૈનો અને લઘુમતી'
2 હિંમતલાલ શાંતિલાલ ગાંધી જૈનોનો લઘુમતીમાં સમાવેશ એ ન્યાયનો વિષય છે, એક હકીકત લઘુમતી તરીકે ગણવામાં આવેલ છે. (૧) શીખ, (૨) બોદ્ધ, (૩) છે–સત્ય છે. આ પ્રશ્નને રાજકીય કે સામાજિક સ્વરૂપ આપવાની પારસી, (૪) ઈસાઈ (ક્રિશ્ચિયન), (૫) જૈન અને (૬) ઈસ્લામ. જરૂર નથી.
ભારત સ્વતંત્ર થયા બાદ પણ એજ રીતે ગણવામાં આવતા હતા. કેટલાક આગેવાનો અધૂરી માહિતી તથા ગેરસમજના કારણે દેશની વસતી ગણત્રીમાં પણ જૈનોની અલગ જ ગણત્રી થતી હતી તો કેટલાક સ્થાપિત હિતેથી દોરવાઈને જેનોના લઘુમતી તરીકેના અને આજે પણ થાય છે. જે આંકડા નીચે મુજબ છે. હકોની વિરૂદ્ધ કાર્ય કરી રહ્યા છે અને જૈન સમાજને ગુમરાહ કરી વર્ષ લાખમાં વસ્તી દેશની વસતીના ટકા રહ્યા છે.
૧૮૮૧ ૧૨.૨૨ ૦.૪૯ સૌ પ્રથમ તો લઘુમતી-અલ્પ સંખ્યક-Minority એટલે શું? ૧૮૯૧ ૧૪.૨૭ ૦.૫ ૧ ભારતના બંધારણ મુજબ તથા કાનુની રીતે બે પ્રકારની લઘુમતી ૧૯૦૧ ૧૩.૩૪ ૦.૪૭ સ્વીકારવામાં આવેલ છે. (૧) ધાર્મિક લઘુમતી, (૨) ભાષાકીય
૧૨.૪૮ ૦.૪૧ લઘુમતી. લઘુમતી કોને કહેવાય? લઘુમતી અંગે બંધારણમાં કોઈ ૧૯૨૧ ૧ ૧.૭૭ ૦.૩૯ સ્પષ્ટ વ્યાખ્યા નથી. પરંતુ સુપ્રીમ કોર્ટના તથા અન્ય કોર્ટોના ચુકાદા ૧૯૩૧ ૧ ૨.૫ ૧ ૦.૩૭ મુજબ-જે તે રાજ્યમાં તેમજ સમસ્ત દેશમાં જે તે ધર્મ પાળતા ૧૯૪૧ ૧૪.૪૦ ૦.૩૭ લોકોની સંખ્યા વસ્તીના ૫૦% કરતાં ઓછી હોય તે લઘુમતી ૧૯૫૧ ૧૮.૧ ૮ ૦.૪૫ ગણાય; તેજ રીતે જે તે ભાષા બોલતા (માતૃભાષા) લોકોની સંખ્યા ૧૯૬૧ ૨૦.૨૭ ૦.૪૬ ૫૦% થી ઓછી હોય તે લઘુમતી ગણાય. એટલે બહુમતી કે ૧૯૭૧ ૨૬.૦૫
૦.૪૭ લઘુમતી એ સંખ્યા આધારીત છે. આ હિસાબે ભારતમાં બ્રિટિશ
૧૯૮૧
૩૧.૯૩ ૦.૪૮ શાસનના સમયથી નીચેના છ ધર્મના અનુયાયીઓને ધાર્મિક ૧૯૯૧ ૩૩.૫૨ ૦.૪૧
૧૯૧૧
Page #13
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯
(૧૯૯૧માં દેશની કુલ વસ્તી ૮૩.૮૬ કરોડની હતી.) એટલે દેશમાં જેનો ધાર્મિક લઘુમતી જ છે, જે સત્ય હકીકત સરકારે તથા જૈનોએ સ્વીકારવી જ રહી.
પ્રબુદ્ધ જીવન
ભારતના બંધારણની ૧૩ થી ૩૦ સુધીની કલમો ભારતીય નાગરિકોના મૂળભૂત અધિકારી-ફંડામેંટલ રાઈટ્સ અંગે છે. આમાં સર્વ નાગરિકોને કોઈપણ જાતના ભેદભાવ વગર સરખી તકો તથા સરખું સંરક્ષણ આપવાની છે. દરેક ધર્મના લોકોને ધાર્મિક અને ધર્માદા સંસ્થાઓ સ્થાપવાની, તેનો વહીવટ કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. આ ઉપરાંત ધાર્મિક અને ભાષાકીય લઘુમતીઓ માટે બંધારણમાં ખાસ અધિકારો આપવામાં આવેલ છે. ભારતના બંધારામાં મૂળભૂત અધિકારો (|Fundamental Rights)માં (આર્ટિકલ) અનુચ્છેદ, ૨૯ તથા ૩૦ માયોરિટી અંગે છે. જે મુજબ માયનોરિટીની માન્યતા મેળવેલ ધર્મને નીચે મુજબના સંરક્ષણ તથા લાભ મળે છે.
(૧) તે ધર્મના સિદ્ધાંતો મુજબ આચરણ ક૨વા, તેમના ધર્મ-સ્થાનકોનો તેમના નીતિ-નિયર્મા મુજબ વહીવટ કરવાનો અધિકાર આપેલ છે.
(૨) રાષ્ટ્રીય હિતના મામલા સિવાય તેમના આ અધિકારમાં કેન્દ્ર કે રાજ્ય સરકાર કોઈ જાતનો હસ્તક્ષેપ કરી શકતી નથી કે વહીવટ લઈ શકતી નથી. દા. ત. સમ્મેતશિખરજી માટે જ્યારે ૧૯૯૪માં વટહુકમ લાવવાનો પ્રયત્ન કરવામાં આવેલ અને દિગંબરોએ એ વખતના પ્રધાનમંત્રી શ્રી નરસિંહરાવ ઉપર ખૂબ દબાણ કરેલું ત્યારે તે વખતના ગૃહપ્રધાન, હાલના મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી અશોક ચવ્હાણના મરહુમ પિતાશ્રી, શ્રી શંકરરાવ ચવ્હાણે એમ લખીને મોકલ્યું કે આ લઘુમતી કોમની ધાર્મિક સંસ્થા છે એટલે સ૨કારે વચ્ચે આવવું જોઈએ નહીં. ન્યાયાલય જે નક્કી કરે તે મુજબ વર્તવું જોઈએ. આ કારણથી વટહુકમને અમલમાં મૂકવામાં આવ્યો ન હતો. આ રીતે લઘુમતીની માન્યતાથી બહુમતી સંપ્રદાય તરીકે ગણાવાથી થતાં નુકશાનોથી સંરક્ષણ મળી શકે છે.
(૩) આ ઉપરાંત દરેક લઘુમતી ધર્મોને પોતાની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો તથા તેનું સંચાલન કરવાનો સંપૂર્ણ અધિકાર આપેલ છે. આ સંસ્થાઓમાં સીટોના ૫૦% સુધીની સંખ્યામાં પોતાના ધર્મના અનુયાયીઓને એડમિશન આપી શકે છે. આમાં સરકાર કશી જ દખલ કરી શકતી નથી. આજ અધિકાર દરેક રાજ્યમાં ભાષાકીય લઘુમતીને પણ મળે છે.
(૪) માયનોરિટીના ધર્મસ્થાનો, સંસ્થાઓ તથા અનુયાયીઓના જાનમાલના રક્ષાની વિશેષ જવાબદારી કેન્દ્ર તથા રાજ્ય સરકારની બને છે.
ઉપરોક્ત અધિકારોની વિરુદ્ધનો અગર તો તેમાં હસ્તક્ષેપ કરતો કોઈપણ કાયદો કેન્દ્ર કે રાજ્ય સરકારો ઘડે તો તે વોઈડ (Void)
૧૩
તેમજ અલ્ટ્રા-વાયરલ ગણાય છે. કાનૂની પગલા લઈને તેવા કાયદાને કેન્સલ તેમજ બિન-બંધનકર્તા બનાવી શકાય છે.
આ ઉપરાંત અલ્પ સંખ્યકોના કલ્યાણ માટે નક્કી કરેલ વડાપ્રધાનના ૧૫ મુદ્દાના કાર્યક્રમો અંતર્ગત શિક્ષણ માટે એક ખૂબ જ મહત્ત્વની ઉપયોગી સોફ્ટ લોન (હળવા વ્યાજની લોન)ની યોજના છે. જે આજે વધતી જતી મોંઘવારી તથા ઉચ્ચ શિક્ષણના આસમાનને અડતા ફીના ધોરણોમાં અત્યંત ઉપયોગી બની શકે તેમ છે. આ યોજના અંતર્ગત, ૧૬ થી ૩૨ વર્ષના અલ્પસંખ્યક સમાજના યુવક-યુવતીને અભ્યાસ પૂર્ણ કરવા, અભ્યાસક્રમના પૂર્ણ કાળ માટે વર્ષે ૩ ટકાના વ્યાજના દરે, રૂપિયા અઢી લાખ જેટલી લોન ઉપલબ્ધ કરવામાં આવશે. આ લોન ગુણવત્તાના ધોરણે અપાશે. લોનની ચુકવણી અભ્યાસ પૂરો થાય તે પછી છ મહિના પછી અથવા નોકરીએ લાગે તે પૈકી જે પહેલા નક્કી થાય ત્યારથી ૩ (ત્રણ) વર્ષમાં લોન પરત કરવાની રહેશે.
લઘુમતીની તરફેણ કે વિરોધ કરનારા મોટા ભાગના જૈન આગેવાનો, સાધુ-ભગવંતો તથા લોકોમાં એક ખોટી ગેરસમજ પ્રવર્તે છે કે લઘુમતીમાં જવાથી સરકારી નોકરીઓ તથા શાળાકૉલેજોના એડમિશનમાં ક્વોટાનો લાભ મળે છે. આ લાભ ફક્ત બંધારણ મુજબ માન્યતા પામેલ પછાત વર્ગ, પછાત જનજાતિ, અનૂસુચિત જાતિ તથા અનૂસુચિત જન-જાતિ (B.C., OBC, ST and SC) ને જ મળે છે. કોઈપણ લઘુમતી આ લાભ મેળવવાને હકદાર નથી.
અગાઉ આપેલ વિગતો મુજબ-જૈનોની સંખ્યા સમસ્ત દેશમાં તેમજ કોઈપણ રાજ્યમાં ફક્ત એક ટકા જેટલી જ હોઈને જેનો લઘુમતી છે જેનો કોઈ ઈન્કાર કરી શકે નહીં. સૂર્ય સામે આંખો બંધ કરવાથી ધરતી પર અંધકાર છવાઈ જતો નથી, માટે જેનો લઘુમતી છે—તે સત્ય હકીકત છે, જેનો સ્વીકાર સહુએ કરવો જ રહ્યો. કોર્ટોના ચુકાદા, બંધારણ તથા કાયદા મુજબ લઘુમતી એ સંખ્યા આધારિત હોઈને જૈનો માટે લઘુમતીમાં જવું કે ન જવું તે પસંદ કરવાનો કોઈ પર્યાય (Choice) નથી. આ નિર્ણય કેન્દ્ર સરકારે કરવાનો હોઈ ને પણ આપણી પાસે કોઈ વિકલ્પ નથી.
જો જેનો લઘુમતી હતા અને છે, તો પછી માયનોરિટીની માન્યતા મેળવવાનો પ્રશ્ન કેમ ઉપસ્થિત થયો ?
અંગ્રેજોના સમયથી મૂળ છ ધર્મના અનુયાયીઓને લઘુમતી ગણાતા આવ્યા છે. જેમાં (૧) બૌદ્ધ, (૨) શીખ, (૩) જૈન, (૪) ઈસાઈ, (૫) પારસી તથા (૬) મુસ્લિમ. સ્વતંત્રતા પછી પણ ભારતીય બંધારણે આ છ ધર્મના અનુયાયીઓને લઘુમતી ગોલા તથા બંધારણમાં લઘુમતીને આપવામાં આવેલા દરેક રમો તેઓ ભોગવતા હતા. ૧૯૫૦ થી ૧૯૯૨ સુધી જૈન લઘુમતી અંગે કોઈ જ પ્રશ્ન ઉભો થયો ન હતો. પરંતુ ૧૯૯૨માં ભારત સરકારે
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯ રાજકીય દબાણ તથા કારણોસર “ધી નેશનલ કમિશન ફોર સ્વીકારેલ છે તે ન્યાયનો વિજય છે-આ બાબત સ્વીકારવા માટે માયનોરિટીઝ એક્ટ ૧૯૯૨’નો ધારો પસાર કર્યો. આ ધારા મુજબ સરકારનો આભાર. કેન્દ્ર અગર રાજ્ય સરકાર જે કોમનધર્મના અનુયાયીઓને કે ભાષા આ હકીકતનો કોઈપણ વ્યક્તિ, સંસ્થા કે સમુદાય સ્થાપિત બોલતી પ્રજાને લઘુમતી તરીકે નોટીફાય કરે તે લઘુમતી ગણાશે. હિતોથી દોરવાઈને વિરોધ કરે તો જ્ઞાનિ-ગિતાર્થ ગુરુ-ભગવંતો, એ વખતે કેન્દ્ર સરકારે કોઈ અગમ્ય કારણોસર અગાઉની છ ધાર્મિક સંઘો તથા સમજુ શ્રેષ્ઠિઓએ તેનો યોગ્ય પ્રત્યુત્તર આપીને પ્રતિકાર લઘુમતીઓમાંથી બૌદ્ધ, પારસી, શીખ, ઇસાઈ તથા મુસ્લિમ ધર્મના કરવો જોઈએ, તો જ જૈન શાસનની સાચી સેવા થઈ શકશે. અનુયાયીઓને નોટીફાઈ કર્યા, અને જેનોને બાકાત રાખ્યા. એ દિગંબર સમાજે તો ૧૦૦ વર્ષ પૂર્વે પણ માયનોરિટીમાં શામેલ એક્ટની કલમ ૨ (સી) (ક) પ્રમાણે દેશમાં માયનોરિટી તરીકે થવા માંગણી કરેલ છે. આજે પણ તેઓ સંપૂર્ણ તરફેણમાં છે. નોટીફાય કરવાનો અધિકાર કેન્દ્ર સરકારનો છે. ૧૯૭૮માં ભારતીય જાણ મુજબ સ્થાનકવાસી સમાજ પણ સંપૂર્ણ તરફેણમાં છે. શ્વેતાંબર સંસદમાં માયનોરિટી કમિશન સ્થાપવા અંગે બીલ રજૂ કરવામાં મૂર્તિપૂજક સમાજનું પ્રતિનિધિત્વ કરતી મુખ્ય સંસ્થાઓ જેમ કે આવેલ ત્યારે તેમાં પણ ઉપરોક્ત પાંચ ધર્મ સાથે છઠ્ઠો જૈન ધર્મ (૧) શેઠશ્રી આણંદજી કલ્યાણજીની પેઢી, (૨) શ્રી ઓલ ઇંડિયા શામેલ હતો.
જૈન શ્વેતાંબર કોન્ફરન્સ, (૩) તીર્થ રક્ષા સમિતિ વિ.એ તો આ ધારા મુજબ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાંચલ, જારખંડ, લધુ મતીની તરફેણમાં સંમતિ આપી દીધેલ છે. શ્રી જૈન છત્તીસગઢ, મહારાષ્ટ્ર, હરિયાણા તથા વેસ્ટ બેંગાલ સરકારોએ એસોસીએશન ઓફ ઇંડિયા પણ લઘુમતીની તરફેણમાં છે. ભારત પોતાના રાજ્યોમાં જૈન ધર્મના અનુયાયીઓને લઘુમતી તરીકે જૈન મહામંડળના અધ્યક્ષે પણ તરફેણમાં નિવેદન આપેલ છે. શ્રી નોટીફાય કર્યા છે જ.
જૈન શ્વેતાંબર તેરાપંથી સભા, મુંબઈના અધ્યક્ષે પણ તરફેણમાં લઘુમતીમાં નોટીફાય ન હોવાના કારણે જૈન તીર્થો તથા નિવેદન કરેલ છે. તુલસી મહાપ્રજ્ઞ પ્રજ્ઞા ભારતીય ટ્રસ્ટના અધ્યક્ષ અનુયાયીઓને અન્ય રાજ્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે તથા કચ્છી વિસા ઓશવાળ દેરાવાસી મહાજનના પ્રમુખે પણ જેમાં રાજસ્થાન, ગુજરાત તથા કર્નાટક મુખ્ય છે. જો કેન્દ્ર સરકાર તરફેણમાં નિવેદનો આપેલ છે. આથી સાબિત થાય છે કે સમસ્ત જૈન ધર્મના અનુયાયીઓને લઘુમતી તરીકે નોટીફાય કરે તો એ જૈન સમાજ લઘુમતી તરીકે માન્યતા પ્રાપ્ત કરવાની તરફેણમાં છે. રાજ્યોમાં ઉભા થયેલ પ્રશ્નોનું નિરાકરણ આવી જાય.
* * * ૧૯૯૭માં જયારે નેશનલ કમિશન ફોર માયનોરિટીઝે જૈનોને ૪૦૪, સુંદર ટાવર, ટી. જે. રોડ, શિવરી (વેસ્ટ), લઘુમતી તરીકે નોટીફાઈ કરવા ભલામણ કરેલ ત્યારે પણ કેટલાક મુંબઈ-૪૦૦ ૦૧૫. ફોન : ૦૨૨-૨૪૧૩૧૪૯૩ સ્થાપિત હિતોએ તથા વિષ્ણ-સંતોષીઓએ વિરોધ કરતાં જૈનોને મો. : ૦૯૩૨૩૩૩૧૪૯૩ ન્યાય મળતો રહી ગયો હતો. એ વખતે લોકસભા ૧૧ માર્ચ, ૧૯૯૭ના રોજ સભ્યશ્રી વિજય ગોયલના પ્રશ્નના ઉત્તરમાં કલ્યાણ
જ્ઞાનસાર અને સમરાદિત્ય મહાકથાનું વિતા મૂલ્ય વિતરણ મંત્રી શ્રી બી. એસ. રામુવાલીયાએ જણાવેલ કે કમીશને ભલામણ
પ. પૂ. આચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજી દ્વારા લખાએલા અને કરેલ છે, કારણ કે જૈન ધર્મના સિદ્ધાંતો, ફિલસુફી તથા એથીક્સ;
શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન-મહેસાણા દ્વારા પૂર્વ પ્રકાશિત અને તેમના પૂજાના ઉદ્દેશો તથા પદ્ધતિ હિંદુઓ કરતાં તદ્દન અલગ છે.
આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, શ્રી મહાવીર જૈન ધાર્મિક ક્રિયાઓમાં જેનીઝમ હિંદુઓથી જુદુ છે તે હકીકત છે.
આરાધના કેન્દ્ર, કોબા દ્વારા પુનઃ પ્રકાશિત શ્રી મહેસાણા ઉપનગર, બંધારણના અનુચ્છેદ ૨૫ (૨) (બી) મુજબ જૈન ધર્મને બૌદ્ધ તથા
જે. મૂ. પૂ. જૈન સંઘ-મહેસાણાના સૌજન્યથી જ્ઞાનસાર તથા શીખ ધર્મની જેમ ગણવામાં આવેલ છે. જુદી જુદી હાઈ કોર્ટોએ
સમરાદિત્ય મહાકથા ભાગ ૧ થી ૩ સર્વ મળીને કુલ ચાર પુસ્તકો પણ જૈન ધર્મને હિંદુઈઝમ કરતાં જુદો ધર્મ ગણેલ છે. વસતીગણત્રી
શ્રુત ભક્તિ સ્વરૂપે વિતરિત થનાર છે. આપશ્રીને જે પુસ્તકોની મુજબ પણ ૧૯૭૧ તથા ૧૯૮૧માં જૈનોની વસતી બૌદ્ધ તથા
આવશ્યકતા હોય તે માટે નીચેના સરનામે પત્ર આપના સંપૂર્ણ પારસીની વસ્તી માફક જ હતી.
સરનામા સાથે લખી મંગાવવા વિનંતી. એક વર્ષ પહેલાં રાજ્યસભામાં એક સભ્ય પૂછેલા પ્રશ્નના
પુસ્તક મંગાવવાનું સરનામું : જવાબમાં લઘુમતી મંત્રાલયના માનનીય મંત્રી શ્રી એ. આર.
વ્યવસ્થાપકશ્રી અંતુલેજીએ પણ જણાવેલ કે ભારતમાં જૈનોની વસતી ફક્ત ૪૬
આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર લાખ જ હોઈને તેઓ લઘુમતી ગણાય. મોડે મોડે પણ કેન્દ્ર
શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, સરકારની કેબિનેટે જૈનોને લઘુમતી તરીકે માન્યતા આપવાનું
કોબા-ગાંધીનગર-382007, ગુજરાત
Page #15
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન
૧૫
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ફંડ રેઇઝીંગ અભિયાનમાં પ્રાપ્ત થયેલ અનુદાનની યાદી આ યાદીમાં આપતું પૂણ્યશાળી નામ હોવું જ જોઈએ. એક સંસ્થાને સદ્ધર કરી અન્ય માનવ સેવા સંસ્થાને જીવતદાન આપો
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૮૦માં વર્ષમાં પ્રવેશ કરે છે. આ સંસ્થાએ અત્યાર સુધી માનવ સેવા કરતી ગુજરાતના પછાત વિસ્તારની ૨૫ સંસ્થાઓને રૂા. ત્રણ કરોડ સુધીનું દાન પહોંચાડી એ સંસ્થાઓને પ્રગતિને પંથે ચઢાવી છે. પ્રત્યેક વર્ષે પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન આ દાન યજ્ઞ અવિરત યોજાય છે અને દાતાઓના સહકારથી યોજાતો રહેશે જ. એટલે આ સંસ્થાને સદ્ધર કરશો તો માનવ સેવા કરતી અન્ય સંસ્થા પણ સદ્ધર થશે જ.
૮૦મા વર્ષ દરમિયાન ૮૦ લાખનું સ્થાયી ભંડોળ એકત્રિત કરવાનો અમારો લક્ષ્યાંક છે. ‘ભક્તિ યાત્રા' કાર્યક્રમ અને ‘પ્રબુદ્ધ'ના પ્રકાશન દ્વારા નીચે મુજબ રકમનો દાનનો પ્રવાહ આ સંસ્થા તરફ વહ્યો છે. એ સર્વે પુણ્યશાળી દાતાને અમારા વંદન-અભિનંદન. આ સંસ્થાની અન્ય સેવા પ્રવૃત્તિથી આપ પરિચિત છો જ. ચેક શ્રી મુંબઈ જૈન યુવક સંઘના નામે મોકલવા વિનંતિ. આપના તરફથી અનુદાન મળતા ૮૦-G સર્ટિફિકેટ આપને મોકલી શકાશે.
1 ફંડ રેઈઝિંગ કમિટિ અને શ્રી મું. જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિના સભ્યો ૧૧,૦૦,૦૦૦ મે. જ્વલેક્સ ઈન્ડિયા પ્રા. લિ.
૧૧,૦૦૦ મે. જૂઓટરીક ઈન્ફરમેટીક લી. હસ્તે શ્રી પીયૂષભાઈ શાંતિલાલ કોઠારી
૧૧,૦૦૦ શ્રીમતી રમાબેન વી. મહેતા ૨,૫૦,૦૦૦ શ્રી લાલજી વેલજી ચેરિટેબલ ટ્રસ્ટ
૧૦,૦૦૧ શ્રીમતી મીનલ વી. પટેલ ૨,૦૦,૦૦૦ મે. એશિઅન સ્ટાર કુ. લી.
૧૦,૦૦૦ શ્રી ઘેલાણી ચેરિટેબલ ટ્રસ્ટ ૨,૦૦,૦૦૦ શ્રી પ્રવિણભાઈ શાંતિલાલ કોઠારી
૧૦,૦૦૦ શ્રી એક સગૃહસ્થ ૨,૦૦,૦૦૦ શ્રી રોઝી બ્લ ડાયમંડ
૧૦,૦૦૦ શ્રી યશોમતીબેન શાહ ૨,૦૦,૦૦૦ મે. એચ. દિપક એન્ડ કુ.
૧૦,૦૦૦ શ્રી ઠાકોરલાલ કેશવલાલ મહેતા ૨,૦૦,૦૦૦ મે. ફાઈન વેલરી લી.
૧૦,૦૦૦ શ્રી કલાવતી હસમુખલાલ વોરા ચેરિટેબલ ટ્રસ્ટ ૧,૨૧,૦૦૦ શ્રી ભણશાલી ટ્રસ્ટ
૧૦,૦૦૦ શ્રી નીતિનભાઈ કાંતિલાલ સોનાવાલા ૧,૦૦,૦૦૦ શ્રી ઓનવર્ડ ફાઉન્ડેશન હસ્તે હરેશ મહેતા
૧૦,૦૦૦ શ્રી રાજેન ચંદ્રકાંત શેઠ ૧,૦૦,૦૦૦ મે. જયશ્રી એન્જિનિયરિંગ કુ.
૯,૨૨૫ શ્રીમતી બિંદુ શ્રીકાંત શાહ ૧,૦૦,૦૦૦ શ્રી બિપીનભાઈ કાનજીભાઈ જૈન
૯,૨૨૫ શ્રી શ્રીકાંત પ્રમોદચંદ્ર શાહ ૧,૦૦,૦૦૦ શ્રી કાન્તિલાલ નારણદાસ શાહ (કે. એન. શાહ ચેરિ. ટ્રસ્ટ) ૫,૮૦૦ શ્રીમતી નૈનાબેન બાબુલાલ ચુનીલાલ ચોકસી પરિવાર ૫૧,૦૦૦ શ્રી રસિકલાલ લહેરચંદ શાહ
૫,૦૦૦ શ્રીમતી તારાબેન મોહનલાલ શાહ ચેરિ. ટ્રસ્ટ ૫૧,૦૦૦ શ્રી કમલાબેન ગંભીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ
૫,૦૦૦ શ્રી અનીશ શૈલેશ કોઠારી ૫૧,૧૧૧ શ્રીમતી સવિતાબાઈ નગીનદાસ ટ્રસ્ટ
૫,૦૦૦ શ્રીમતી ભારતીબેન દિલીપભાઈ શાહ ૫૦,૦૦૦ શ્રીમતી આશાબહેન હસમુખભાઈ
૫,૦૦૦ મે. એડવાન્સ ટેકનો ટાઈમ ઈન્ડસ્ટ્રીઝ ૫૦,૦૦૦ શ્રીમતી કંચનબેન શાહ
૫,૦૦૦ શ્રી સુશીલાબેન અને સેવંતીભાઈ કપાસી ૫૧,૦૦૦ શ્રી ગુણવંત ભાઈલાલ દોશી
૫,૦૦૦ શ્રી લીના વી. શાહ ૫૧,૦૦૦ શ્રીમતી ઉષાબેન પ્રવિણભાઈ શાહ
૫,૦૦૦ શ્રી શિવાનંદ મિશન ૨૫,૦૦૦ શ્રીમતી રમાબહેન જે. વોરા
૫,૦૦૦ શ્રી તરૂલતાબેન નાનજી શાહ ૨૫,૦૦૦ શ્રી અરૂણભાઈ ગાંધી
૫,૦૦૦ સ્વ. રમણીકલાલ પૂજાભાઈ પરીખ ૨૧,૦૦૦ મે. મિનલ વેલર્સ
હસ્તે અતુલ પરીખ અને નીતિન પરીખ ૨૧,૦૦૦ શ્રીમતી નિર્મળા ચંદ્રકાંત શાહ
૫,૦૦૦ મે. કુસુમ ઈલેક્ટ્રીકલ એન્ડ એન્જિનિયરીંગ કુ. ૨૧,૦૦૦ શ્રી જુગરાજ કાંતિલાલ એન્ડ કુ.
૫,૦૦૦ મે. હેમા રૂપા વેલ્સ ૨૧.૦૦૦ શ્રી મણીલાલ ચુનીલાલ સોનાવાલા ટ્રસ્ટ
૫,૦૦૦ મે. મફતલાલ ભીખાચંદ ફાઉન્ડેશન ૧૫,૭૫૦. શ્રી પ્રમોદચંદ્ર સોમચંદ્ર શાહ
૩,૦૦૦ સ્વ. ગુણવંતીબેન રસિકલાલ શાહ ૧૫,૦૦૦ શ્રીમતી નીરૂબહેન સુબોધભાઈ શાહ
૩,૦૦૦ શ્રી રમણિકભાઈ ગોસલીયા ૧૫,૦૦૦ શ્રીમતી કુસુમબેન ભાઉ
૩,૦૦૦ શ્રી હીરજી વસનજી ગોસર ૧૫,૦૦૦ શ્રી અમીચંદ આર. શાહ
૧,૫૦૦ શ્રી દેવચંદ જી. શાહ ૧૫,૦૦૦ શ્રી ચીમનલાલ ચકુભાઈ માનવરાહત ટ્રસ્ટ
૧,૧૦૦ શ્રીમતી ગીરાબેન શાહ ૧૫,૦૦૦ શ્રી વિનોદ વસા એન્ડ કુ.
૧,૦૦૧ શ્રી પ્રકાશ મોદી ૧૧,૧૧૧ મે. કોગ્રેસર પાર્ટસ કુ.
૬,૦૦,૦૦૦ પ્રબુદ્ધ સ્મરણિકા દ્વારા પ્રાપ્ત ૧૧,૦૦૦ મે. વી. ગુણવંત એન્ડ કું.
૪૨,૭૧,૮૨૪
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૬
પ્રબુદ્ધ જીવન
જૈન કથાસાહિત્ય-એક વિહંગદર્શન
ઘડૉ. કાન્તિભાઈ બી. શાહ
કથાસાહિત્ય વિશેના આ નિબંધનો આરંભ પણ નાનકડાં દૃષ્ટાંતોથી જ કરું.
એક ધર્માનુરાગી શ્રેષ્ઠીનો પુત્ર અત્યંત નાસ્તિક. નગરમાં જૈન આચાર્ય પધાર્યા. શેઠની વિનંતીને ધ્યાનમાં લઈ મહાત્માએ પેલા શ્રેષ્ઠીપુત્ર સમક્ષ શાસ્ત્રકથિત સિદ્ધાંતો ઠાલવવા માંડ્યા. પેલાએ એક કાનેથી સાંભળી બીજે કાનેથી કાઢી નાંખ્યા. મહાત્માને થયું કે ‘ઉજ્જડ ધરતી પર મેઘવર્ષા વ્યર્થ છે.’ થોડા સમય પછી બીજા એક મહાત્માએ એ બીડું ઝડપ્યું. એમણે પેલા શ્રેષ્ઠીપુત્રને પાસે બેસાડી એક રસિક કથાથી આરંભ કર્યો. નાસ્તિક પુત્રને રસ પડવા માંડ્યો. ચોત્રીસ દિવસ સુધી મહાત્માએ રોજ એકેકી કથા કહી અને શ્રેષ્ઠીપુત્ર નાસ્તિકમાંથી આસ્તિક-ધર્માનુરાગી બની ગયો. આ છે ‘વિનોદ ચોત્રીસી'નો કથાદો૨.
X X X
સંસ્કૃતની એક જાણીતી કથા ‘શુકસપ્તતિ'માં વિદેશ ગયેલા યુવાનની પત્ની જારકર્મ અર્થે રાત્રે બહાર જવા નીકળી. પાળેલા પોપટે સ્ત્રીનો ઈરાદો પારખી જઈને એને એક કથા સાંભળવા કહ્યું. સ્ત્રીને કથામાં રસ પડ્યો. રાત વીતી ગઈ. સ્ત્રીએ એની ભોગેચ્છા કાલ ઉપર મુલતવી. પેલા પોપટે પ્રત્યેક રાત્રીએ એકેકી કથા કહીને ૭૦ રાતો સુધી એને રોકી રાખી. પતિ પાછો આવ્યો. એની પત્ની શીલભ્રષ્ટ થતી બચી ગઈ.
X X X
શૈવધર્મી કુમારપાળ રાજાને હેમચંદ્રાચાર્યે જૈન ધર્મથી અવગત કરાવવા ૫૪ કથાઓ કહી. એ કથાશ્રવણ દ્વારા કુમારપાળ રાજા જૈન ધર્મથી પ્રભાવિત અને પ્રતિબોધિત થયા.
પહેલા દૃષ્ટાંતમાં જોઈ શકાશે કે સીધી સિદ્ધાંતચર્યા કે સીધા ધર્મોપદેશ જે ન કરી શક્યાં તે કથાએ કરી બતાવ્યું. બીજા દૃષ્ટાંતમાં કથાશ્રવણ આગળ પેલી સ્ત્રીનું જારકર્મનું પ્રયોજન ગૌણ બની ગયું. કથારસે એને શીલભ્રષ્ટતામાંથી ઉગારી લીધી. ત્રીજામાં કુમારપાળ રાજાને અહિંસા, દાન, દેવપૂજા, ચારિત્રવ્રતની કથાઓએ પલટાવી
દીધા.
તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯
કથાનું માધ્યમ : આ છે કથાના માધ્યમની પ્રબળતા અને સક્ષમતા. એ માનવીના હૃદયને સોંસરી સ્પર્શે છે. મર્મસ્થલને ચોટ આપી વીંધી નાંખે છે. હા, શરત એટલી કે આ કથામાધ્યમ શુભ ઈરાદાથી પ્રયોજાયું હોય તો એની સત્ત્વશીલતા અને અસરકારકતા નિરપવાદ છે. અને તેથી જ જૈન, બ્રાહ્મણ કે બૌદ્ધ પરંપરામાં ધર્મકથાનું માધ્યમ પ્રચુર માત્રામાં પ્રયોજાયેલું જોવા મળે છે.
જૈન કથાસાહિત્યનો આધારસ્રોત : જેમ જૈન દર્શન અને જૈન જીવનશૈલીનો આધારસ્રોત આપણાં આગમો છે તેમ જૈન કથા
સાહિત્યનો મુખ્ય આધારસ્રોત પણ આપણું આગમસાહિત્ય છે. આપણાં આગમસૂત્રો સમજવા માટે ચાર અનુયોગો પ્રસ્થાપિત થયા છે. ચરણકરણાનુયોગ, દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગ. આમ આપણા શ્રુતાભ્યાસમાં ધર્મકથાનું પાસું એક મહત્ત્વનું પરિબળ બની રહ્યું છે. આપણી દ્વાદશાંગીમાં છઠ્ઠું અંગ ‘જ્ઞાતાધર્મકથાંગ’ છે. જેમ આચારાંગસૂત્રમાં ચરણકરણાનુયોગની મુખ્યતા સ્વીકારાઈ છે તેમ આ છઠ્ઠા અંગમાં ધર્મકથાનુયોગની મુખ્યતા છે. પણ એનો અર્થ એ નથી કે અન્ય આગમગ્રંથોમાં ધર્મકથાનું આલેખન નથી થયું. તીર્થંકરો, ચક્રવર્તીઓ, સાધુમહાત્માઓ, સાધ્વીજીઓ, રાજાઓ, મંત્રીઓ, શ્રેષ્ઠીઓ, સતી સ્ત્રીઓ આદિ નિજી જૈન પરંપરાની તેમજ બ્રાહ્મણધારાની પુરાણકથાઓથી માંડીને લૌકિક સ્વરૂપની કથાઓ આપણાં એકાધિક આગમોમાં સમાવિષ્ટ થઈ છે.
પ્રથમ અંગ ‘આચારાંગસૂત્ર'ની ત્રીજી ચૂલિકામાં ચ્યવનથી માંડી નિર્વાણ સુધીની શ્રી મહાવીરની જીવનઘટના પ્રાપ્ત થાય છે. પાંચમા અંગ ‘વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ’માં જમાલિ અને ગોશાલકનાં ચરિત્રકથાનકો મળે છે. ‘જ્ઞાતાધર્મકથાંગ’ નામક છઠ્ઠા અંગમાં મહાવીરમુખે કહેવાતી કથાઓ છે. દૃષ્ટાંતકથાઓ, રૂપકકથાઓ, સાહસશૌર્યની કથાઓ, પુરાણકથાઓથી એ આગમ-અંગ સભર બન્યું છે. સાતમા અંગ ‘ઉપાસકદશા’માં મહાવીરપ્રભુના આનંદ, કામદેવ, ચુલણીપિયા, સુરાદેવ આદિ દશ શ્રાવકોની કથાઓ ઉપલબ્ધ છે, જેઓ વિવિધ પ્રલોભનો અને ભૂત-પિશાચો દ્વારા પેદા કરાયેલાં વિઘ્નોને પાર કરીને દેવત્વને પ્રાપ્ત કરે છે. આ શ્રાવકો પોતાના ભોગ અને વ્યવસાયની મર્યાદા સ્વીકારીને એમનું સાત્ત્વિક જીવન જીવ્યા છે. આઠમા અંગ ‘અંતકૃતદશા’માં જેમણે કર્મોનો અને એના ફલસ્વરૂપ સંસારનો નાશ કર્યો છે એવા ૧૦ અંતકૃત કેવલીના ચરિત્રોનું આલેખન થયું છે. એમાં ગજસુકુમાલ, અર્જુનમાલી, સુદર્શન વગેરેની રોચક કથાઓ છે. નવા અંગ ‘અનુત્તરોપયાતિકદશા'માં પોતાનાં તપ-સંયમ દ્વારા અનુત્તર વિમાનલોકમાં પહોંચેલા વારિષણ, અભયકુમાર, ધન્યકુમાર આદિ ૩૩ રાજકુમારોનાં કથાનકો નિરૂપાયાં છે. અગિયારમા ‘કર્મવિપાક’ અંગમાં કર્મવિપાકની કથાઓ છે. દુઃખવિપાકની કથાઓમાં પૂર્વભવમાં કરેલાં દુષ્કૃત્યોના માઠા પરિણામ દર્શાવાયા છે. એમાં આવતી મૃગાપુત્રની કથા તો રૂંવાડાં ઊભા કરી નાખે એવી છે. આ મૃગાપુત્ર અત્યંત દુર્ગંધ મારતા, દેહાકૃતિ વિનાના કેવળ માંસપિંડ રૂપે જન્મ્યાં છે.
આગમ-અંગોની જેમ એનાં ઉપાંગોમાં પણ અજાતશત્રુ, અરિષ્ટ નેમિ, પ્રદેશી રાજા અને કેશી ગણધરના કથાનકો તેમજ
Page #17
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯
દેવદેવીઓના પૂર્વભવોની કથા મળે છે.
અન્ય આગમોમાં ‘ઉત્તરાધ્યયનસૂત્ર' જે મૂળસૂત્ર ગણાયું છે તેમાં નમિ નામે પ્રત્યેકબુદ્ધની પ્રવ્રજ્યાકથા, કપિલમુનિનું ચરિત્ર, હરિકેશબલ સાધુનું ચરિત્ર, ઇક્ષુકાર રામ, મૃગાપુત્ર, અનાથ મુનિ, સમુદ્રપાલ, રથનેમિની કથાઓ તેમજ પાર્શ્વનાથશિષ્ય કેશીકુમાર અને મહાવીરશિષ્ય ગૌતમ વચ્ચેની સંવાદકથા પ્રાપ્ત થાય છે.
પ્રબુદ્ધ જીવન સમાવેશ થાય છે.
વિવરણગ્રંથો અને ધર્મગ્રંથો અંતર્ગત : સમયાંતરે વિવિધ ગીતાર્થો દ્વારા આ આગમગ્રંથો ઉપર નિર્યુક્તિઓ, ભાષ્યો, ચૂર્ણિઓ, ટીકા અને વૃત્તિઓની રચના થઈ. આગમગ્રંથોમાં ઉલ્લેખાયેલી કથાઓનો આધાર લઈને જુદાજુદા વૃત્તિકારોએ એ કથાઓને વિસ્તૃતરૂપે આલેખેલી છે તેમજ અન્ય પૂરક કથાનકો પણ આ ટીકાગ્રંથોમાં
૧૭
કથાકોશો : સંસ્કૃત-પ્રાકૃતમાં કેટલાક કથાગ્રંથો એવા મળે છે જે કથાકોશની ગરજ સારે છે. હરિષણનો ‘બૃહત્કથાકોશ’ પ્રાચીન કથા કોશ છે; જેમાં ૧૫૭ કથાઓ છે. એમાં ભદ્રબાહુની કથા નોંધપાત્ર બની છે. વિમલસૂરિનું ‘પઉમચરિય’, જિનસેનનું ‘હરિવંશપુરાણ’, શીલાંકનું ‘ચઉપન્નમહાપુરિસચરિયું', ભદ્રેશ્વર કૃત ‘કથાવલિ', હેમચંદ્ર'નું ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર', શુભશીલગણિની ‘ભરતેશ્વર-બાહુબલિ વૃત્તિ', સોમપ્રભાચાર્યકૃત ‘કુમારપાલ–પ્રતિબોધ', વિજયલક્ષ્મી કૃત ‘ઉપદેશપ્રાસાદ’ તેમજ ઉપ૨ જેનો ઉલ્લેખ કર્યો તે ‘ઉપદેશમાલા’, ‘ઉપદેશપદ’, ‘શીલોપદેશમાલા’ વગેરે કથાકોશ પ્રકારના કથાગ્રંથો છે.
‘ત્રિષષ્ટિ’માં ૬૩ શલાકાપુરુષોનાં ચરિત્રો છે, જેમાં ૨૪ તીર્થંકરો, ૧૨ ચક્રવર્તીઓ, ૯ વાસુદેવ, ૯ બળદેવ અને ૯ પ્રતિવાસુદેવના ચરિત્રોનો સમાવેશ છે. આ ગ્રંથના ૧૩મા પર્વમાં મહાવીરચરિત્રની સાથે સાથે શ્રેણિક, કોણિક, ચેલ્લણા, મૃગાવતી, ધન્ના-શાલિભદ્ર, દર્દશંક દેવ અને જાસા સાસાની કથાઓ પણ સંકળાયેલી છે.
સ્થાન પામ્યાં છે. જેમકે ‘ઉત્તરાધ્યયન’ પરના ટીકાગ્રંથોમાં ૨૨ પરીષહોની કથાઓ વિસ્તારથી મળે છે. ‘નંદીસૂત્ર' પરની મલયગિરિની ‘નંદી–અધ્યયનવૃત્તિ’માં બુદ્ધિના ચાર પ્રકારો પરની બુદ્ધિચાતુર્યની રસિક લૌકિક કથાઓ ઉપલબ્ધ છે.
જેમ આગમિક વિવરણગ્રંથોમાં તેમ આગમેતર ધર્મગ્રંથો અને તે-તે ધર્મગ્રંથો પરના ટીકાગ્રંથોમાં પણ થોકબંધ કથાઓ સમાવેશ પામી છે. જેમકે ધર્મદાસગણિનો ‘ઉપદેશમાલા’, હરિભદ્રસૂરિનો ‘ઉપદેશપદ', જયકીર્તિનો ‘શીલોપદેશમાલા', મલધારી
વિજયલક્ષ્મીના ‘ઉપદેશપ્રાસાદ'માં ૩૫૭ કથાનકો છે. જેમાં ૩૪૮ દૃષ્ટાંતકથાઓ અને ૯ પર્વકથાઓ છે. શુભશીલગણિની
હેમચંદ્રસૂરિનું ‘પુષ્પમાલા પ્રકરણ’, શાંતિસૂરિનું ‘ધર્મરત્નપ્રકરણ’‘ભરતેશ્વર-બાહુબલિ વૃત્તિ' એ મૂળમાં તો ૧૩ ગાથાની
વગેરે ગ્રંથોમાં અનેક કથાઓ નિર્દિષ્ટ છે. આ ધર્મગ્રંથો પર રચાયેલા ટીકાગ્રંથોમાં એ કથાઓનો વ્યાપ વિસ્તરે છે. ધર્મદાસગણિના ‘ઉપદેશમાલા’ ઉપર ૧૦મીથી ૧૮મી સદી સુધીમાં વીસેક જેટલી સંસ્કૃત ટીકાઓ લખાઈ છે. એમાં સિદ્ધર્ષિગણિ કૃત ‘હેયોપાદેય’ ટીકામાં સંક્ષેપમાં જૈન પરંપરાના ચરિત્ર-કથાનકો મળે છે. પાછળથી વર્ધમાનસૂરિએ પ્રાકૃતમાં બીજા કથાનકો એમાં ઉમેર્યાં છે.
‘ભરતેશ્વર-બાહુબલિ સજ્ઝાય'માં નિર્દેશાયેલા ધર્માત્માઓ અને સતી નારીઓના ચરિત્રાત્મક કથાનકોનો સંગ્રહ છે. જેમાં ભરતથી મેઘકુમાર સુધીના ૫૩ પુરુષો અને સુલસાથી માંડી રેણા સુધીની ૪૭ સતી સ્ત્રીઓની કથાઓ છે.
હરિભદ્રસૂરિની પ્રાકૃત રચના ‘ઉપદેશપદ’ પર વર્ધમાનસૂરિએ અને મુનિચંદ્રસૂરિએ ટીકાઓ લખી છે. આ ગ્રંથોમાં મનુષ્યભવની દુર્લભતાનાં દસ દૃષ્ટાંતો અપાયાં છે તેમજ ચાર પ્રકારની બુદ્ધિ – ઔત્પત્તિકી, વૈનયિકી, કાર્મિકી અને પારિણામિકી – ને લગતી ૮૩ જેટલી દૃષ્ટાંતકથાઓ મળે છે. એમાં નટપુત્ર ભરત રોહાની ઔત્પત્તિકી બુદ્ધિનાં અપાયેલા દૃષ્ટાંતો અત્યંત રસિક છે. ‘પુષ્પમાલા પ્રકરણ’ના ૨૦ અધિકા૨ોમાં અહિંસા, જ્ઞાન, દાન, શીલ, તપ, ભાવના, ચારિત્રશુદ્ધિ વગેરેની પુષ્ટિ અર્થે દૃષ્ટાંતકથાઓ આપવામાં આવી છે. જયકીર્તિરચિત ‘શીલોપદેશ-માલા'ની સોમતિલકસૂરિ રચિત ‘શીલતરંગિણી’ વૃત્તિમાં ૩૯ કથાઓ ઉપલબ્ધ છે. કલિકાલસર્વત્ર હેમચંદ્રાચાર્યે રચેલા ‘યોગશાસ્ત્ર’ અને એની સ્વોપજ્ઞ ટીકામાં ઋષભદેવ, મહાવીર સ્વામી વગેરે તીર્થંકરો, બ્રહ્મદત્ત, ભરત, સુભૂમ, સનમાર આદિ ચક્રવર્તીઓ, ચિલાતીપુત્ર, દઢપ્રહારી, સ્થૂલિભદ્ર આદિ સાધુ મહાત્માઓ, આનંદ, ચુલણીપિયા વગેરે શ્રાવકો, સુદર્શન શ્રેષ્ઠી વગેરેના કથાનકોનો
સ્વતંત્ર જૈન કથનાત્મક કૃતિઓ/રાસાઓ : અહીં સુધીમાં તો આપણે સમૂહમાં એકાધિક કથાઓ સંગ્રહાઈ હોય એવા આગમ અને આગમેતર સંસ્કૃત-પ્રાકૃત કથાગ્રંથો અને કથાકોશોની વાત કરી. પણ જૈન પરંપરાની આ બધી ચરિત્રકથાઓ નિરૂપતા સ્વતંત્ર ગ્રંથો પણ સંસ્કૃત-પ્રાકૃતમાં પ્રચુર માત્રામાં રચાયા છે. એક જ વિષય ઉપર અનેક ગ્રંથો રચાયા હોય એનું પ્રમાણ પણ સારું એવું છે. જૂજ અપવાદ સિવાય મોટા ભાગના તીર્થંકર ચરિત્રો મહદંશે પ્રાકૃતમાં રચાયા છે. એમાંયે ‘સંતિનાહ ચરિય’ કે ‘મહાવીરચરિય' તો અનેક કવિઓને હાથે રચાયા છે. જૂની ગુજરાતીમાં પ્રવેશ કરીએ તો એ સાહિત્યનો આરંભ જ શાલિભદ્ર કૃત ‘ભરતેશ્વર-બાહુબલિ રાસ' અને વજ્રસેનસૂરિકૃત ‘ભરત- બાહુબલિઘો૨'થી થયેલો છે. પ્રાચીન-મધ્યકાલીન આપણા જૈન સાધુકવિઓને માટે તો જૈન પરંપરાના ચરિત્રાત્મક કથાનકોએ એમની રાસાકૃતિઓ માટે મોટો ખજાનો ખોલી આપ્યો છે. જૂજ અપવાદ સિવાય લગભગ મધ્યકાળના બધા જ જૈન કવિઓએ કથનાત્મક રાસારચનાઓ આપી છે એની અહીં યાદી આપવી એ પણ સમુદ્ર ઉલેચવા જેવું કપરું કામ બની જાય. કેવળ રાસા-કૃતિઓમાં જ નહીં, ફાગુ, બારમાસી,
Page #18
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯
‘નલદમયંતી રાસ’ મળે છે.
એ જ રીતે નયસુંદરનો ‘પાંચ પાંડવચરિત્ર રાસ’, સમયસુંદરનો ‘સીતારામ ચોપાઈ રાસ’, અને ‘દ્રૌપદી ચોપાઈ’, શાલિસૂરિનું વિરાટપર્વ', ધર્મસમુદ્રનો ‘શકુંતલા રાસ’ રચાયાં છે. આમ પં.રામાયણ-મહાભારતની કથાઓની જૈન પરંપરા વ્યાપક સ્વરૂપે ઊભી થઈ છે.
પ્રબુદ્ધ જીવન
૧૮
સજ્ઝાય જેવા લઘુ પદ્યપ્રકારોમાં પણ આ કથાનકો સંક્ષિપ્ત સ્વરૂપે નિરૂપાયાં છે.
શાલિભદ્રસૂરિ, લાવણ્યસમય, સહજસુંદર, જયવંતસૂરિ, કુશલલાભ, નયસુંદર, સમયસુંદર, ઋષભદાસ શ્રાવક, જિનહર્ષ, ઉપા. યશોવિજયજી, જ્ઞાનવિમલ, ઉદયરત્ન, પદ્મવિજય, વીરવિજય, ઉત્તમવિજય વગેરે જૈન કવિઓએ ઘણા મોટા પ્રમાણમાં આવું કથનાત્મક સાહિત્ય આપ્યું છે. એમાં જૈન પરંપરાના તીર્થંકરો, ગૌતમસ્વામી, સુધર્માસ્વામી વગેરે ગણધરો, શ્રેણિક, અભયકુમાર, પ્રદેશી રાજા, પ્રસન્નચંદ્ર રાજર્ષિ વગેરે રાજપુરુષો, જંબૂસ્વામી, સ્થૂલિભદ્ર, નંદિષણ, ચંદ્રકેલિ, ઈલાચીકુમાર, વજ્રસ્વામી, મેતાર્યમુનિ વગેરે સાધુભગવંતો, સુદર્શન શેઠ, ધન્ના-શાલિભદ્ર આદિ શ્રેષ્ઠિઓ, ચંદનબાળા, અંજનાસતી, મૃગાવતી, ઋષિદત્તા વગેરે સતીનારીઓ જેવા ચરિત્રકથાનકો સમાવિષ્ટ છે.
કેટલાક મૂળભૂત સિદ્ધાંતો પરત્વે જૈન અને બૌદ્ધ મત સમાન વલણ ધરાવતા હોઈ, બૌદ્ધ ધર્મની જાતકતથાઓ અને અવદાન સાહિત્યની કથાઓ પણ જૈન કથાસાહિત્યમાં સમાવેશ પામી છે.
લૌકિક કથાધારા : ભારતીય કથાસાહિત્યની એક ધારા લૌકિક કથાઓની છે અને તે ખૂબ જ વ્યાપક બનેલી છે. આ કથાસાહિત્યનો પ્રાચીનતમ આકારગ્રંથ ગુણાત્મ્યની ‘બૃહત્કથા’ છે. પણ એ ગ્રંથ લુપ્ત થયો છે. એમાંનો મોટો ભાગ ‘બૃહત્કથા શ્લોકસંગ્રહ', ક્ષેમેન્દ્રકૃત ‘બૃહત્કથામંજરી' અને સોમદેવકૃત ‘કથાસરિ– સાગર'માં સંગ્રહીત છે. આ ગ્રંથો એ પાછળથી રચાયેલી લૌકિક કથાઓનો મોટો આધારસ્રોત ગણી શકાય.
જેનેતર બ્રાહ્મણધારાની પુરાણકથાઓ : અહીં સુધીમાં આપણે મુખ્યત્વે નિજી જૈન ધારાના જ કથાસાહિત્યની વાત કરી. પણ આપણા જૈન સાધુ કવિઓએ બ્રાહ્મણધારાની જૈનેતર પુરાણ-કથાઓ, જેવી કે રામ, કૃષ્ણ અને પાંડવકથાઓને પણ વ્યાપક રીતે રૂપાંતરિત કરી જૈનાવતાર આપ્યો છે. આ સિલસીલો છેક આગમકાળથી જોવા મળે છે. દા. ત. ‘જ્ઞાતાધર્મકથાંગ'માં દ્રૌપદી અને તેના પૂર્વભવની કથા મળે છે. પૂર્વજન્મની સુકુમાલિકાએ જુદા જુદા પાંચ પુરુષોને ભોગવતી ગણિકાને જોઈને પોતે પણ આવા સુખની મૃત્યુસમયે ઈચ્છા કરી, જે બીજે ભવે દ્રૌપદી રૂપે અવતરી પાંચ પતિને પામી. કૃષ્ણ અને નારદના ઉલ્લેખો પણ અહીં થયા છે. ‘અંતકૃતદશાઃ’‘નંદીસૂત્ર’ અને ‘નંદીઅધ્યયનવૃત્તિ'માં બુદ્ધિચાતુર્યની લૌકિક નામક આગમમાં પણ કૃષ્ણકથા આવે છે. કથાઓ મળે છે વર્ધમાનસૂરિષ્કૃત ‘મણો૨મા કહા', શુભશીલ
આગમગ્રંથોથી માંડી પછીના અનેક કથાગ્રંથોમાં આ લૌકિક વાર્તાઓ પ્રવેશ પામી છે. હા, પાત્રો, પાત્રનામો કે પરિવેશ બદલાયાં હોય પણ એનો કથાઘટક એક સરખો હોય.
‘જ્ઞાતાધર્મકથાંગ’માં સસરા પોતાની ચારેય પુત્રવધૂઓના બુદ્ધિચાતુર્યની કસોટી કરે છે. શેઠ અને ચોરની, કાચબાની કથા પણ અહીં જોવા મળે છે. ‘ઉપદેશપદ’ અને એની વૃત્તિમાં તેમજ
જેનેતર પૌરાણિક રચનાઓમાં વિમલસૂરિની ‘પઉમચરિયું’ગણિની ‘વિક્રમાદિત્ય ચરિત્ર’, વિજયભદ્રની ‘હંસરાજ વચ્છરાજ પ્રાકૃતમાં રચાયેલી સૌથી પ્રાચીન કૃતિ છે. એમાં રામનું નામ પદ્મ ચોપાઈ’, હીરાણંદની ‘વિદ્યાવિલાસ પવાડુ’, મલયચંદ્રની ‘સિંહાસન છે. અહીં રામકથાનો જેનાવતાર થયો છે. આ કૃતિમાં રાવણ, બત્રીસી ચઉપઈ’, સિંહકુશલની ‘નંદબત્રીસી ચઉપઈ', જિનહર્ષ, કુંભકર્ણ, સુગ્રીવ, હનુમાન આદિ પાત્રોને રાક્ષસ કે પશુ રૂપે નહીં રાજસિંહ આદિ પાંચ કવિઓએ રચેલી ‘આરામશોભા’, મતિસારની પણ મનુષ્ય રૂપે નિરૂપવામાં આવ્યા છે. આ જ પ્રાકૃત કૃતિની છાયા ‘કર્પૂરમંજરી’, કુશળલાભની ‘માધવાનલ-કામકંદલા રાસ' તથા જેવી રવિષેણની સંસ્કૃતમાં ‘પદ્મચરિત/પદ્મપુરાણ’ રચના મળે છે. ‘મારુ-ઢોલા ચુપઈ’, હેમાણંદની ‘વેતાલપંચવિંશતિ રાસ', જિનસેનના ‘હરિવંશપુરાણ'ને જૈન મહાભારત કહી શકાય એવી રત્નસુંદરની ‘શુકલહોતેરી’, કીર્તિવર્ધનની ‘સદયવત્સ સાવલિંગા રચના છે. એમાં નેમિનાથનું ચરિત્ર મળે છે. પણ આ ધારાની અત્યંત રાસ' – આ બધી લૌકિક ધારાની વાર્તાઓ છે; જે જૈન સાધુ લોકપ્રિય બનેલી કથાકૃતિ છે સંઘદાસગણિની ‘વસુદેવ-હિંડી’. એમાં કવિઓની કલમે મધ્યકાળના વિવિધ તબક્કે રચાયેલી છે. જૈન કૃષ્ણપિતા વસુદેવની દેશદેશાંતરની ભ્રમણયાત્રાનું વર્ણન છે. પણ સાધુકવિ હરજી મુનિએ ‘ભરડક બત્રીસી’ અને ‘વિનોદ-ચોત્રીસી' આ કથા સાથે જૈન ધારાની તેમજ લૌકિક કથાઓ પણ મોટી એ બે હાસ્ય-વિનોદે રસાયેલી લૌકિક કથાઓને આવરી લેતી સંખ્યામાં સમાવેશ પામી છે. આ કૃતિનો બીજો ખંડ ધર્મદાસગણિએ પદ્યવાર્તાઓ આપી છે. રચ્યો છે.
ધર્મોપદેશના પ્રયોજનવાળી જૈન પરિવેશયુક્ત વાર્તાઓ : જૈન કવિઓને હાથે, જૈન પરિવેશ પામેલી અને ધર્મોપદેશના પ્રયોજને રચાયેલી વાર્તારચનાઓમાં પાદલિપ્તે રચેલી ‘તરંગવતી' અને એના સંક્ષિપ્ત રૂપ સમી પ્રાકૃત કથા ‘તરંગલોલા’, હરિભદ્રસૂરિએ પ્રાકૃત ગદ્યમાં રચેલી ‘સમરાઈચ્ચ કહા’ તેમજ પદ્યમાં રચેલી ‘ધૂર્તાખ્યાન'
માણિક્યદેવે ‘નલાયન’ કથાગ્રંથમાં નળ-દમયંતીનું ચરિત્ર જૈન પરંપરાગત રીતે પ્રસ્તુત કર્યું છે. સંસ્કૃત-પ્રાકૃતમાં જ નળદમયંતી વિષયક ૧૩ જેટલી રચનાઓ થઈ છે. આ ઉપરાંત જૂની ગુજરાતીમાં ઋષિવર્ધન, નયસુંદર અને મેઘરાજ જેવા કવિઓ પાસેથી
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૯.
તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન કથાઓ મળે છે. ‘તરંગવતી’ મૂળ રૂપે ઉપલબ્ધ નથી, પણ જૈન-જૈનેતર લૌકિક પરંપરાની કથાઓને સંગ્રહીત કરતા કથા‘તરંગલીલા'માં એક શૃંગારકથા રૂપે એ મળે છે. સુવ્રતા સાધ્વી સંગ્રહો – કથાકોશો રચાયા છે તેમ સંસ્કૃત-પ્રાકૃત ધર્મગ્રંથો એક શ્રાવિકાને પોતાની જીવનકથા કહે છે એ પ્રકારની એની ઉપરના જૂની ગુજરાતીમાં રચાયેલા બાલાવબોધોએ પણ કથાકોશ કથનરીતિ છે. સંસારી અવસ્થાની આ વણિકપુત્રીએ જાતિસ્મરણથી બનવાનું કામ કર્યું છે. જાણ્યું કે પૂર્વભવમાં તે હંસયુગલ હતી ને એક શિકારીએ હંસને ધર્મદાસગણિના પ્રાકૃત ગ્રંથ ‘ઉપદેશમાલા' ઉપર સોમસુંદરમારી નાખતાં પોતે બળી મારી હતી. પૂર્વ ભવના એના પતિને આ સૂરિએ સં. ૧૪૮૫માં રચેલા બાલાવબોધમાં નાની-મોટી થઈને ભવમાં ખોળીને એની સાથે લગ્ન કરે છે. અંતમાં બન્ને સંસાર ત્યજી ૮૩ કથાઓ મળે છે. ‘ઉપદેશમાલા’ની ગાથામાં જેનો માત્ર ટૂંકો દીક્ષા ગ્રહણ કરે છે.
ઉલ્લેખ જ હોય ત્યાં બાલાવબોધકારે તે તે ગાથાના બાલાવબોધની “સમરાઈથ્ય કહા'માં સમરાદિત્ય અને ગિરિસેનના નવ નીચે વિસ્તારીને કથા કહી છે. એમાં મુનિમહાત્માઓની ચરિત્રમાનવભવોની કથા કહેવાઈ છે; જેમાં અનેક અવાંતરકથાઓ પણ કથાઓનું પ્રમાણ સવિશેષ છે. તે ઉપરાંત રાજાઓ, મહાસતીઓ, આવે છે. એમાંથી ચોથા ભવની અવાંતરકથા ‘યશોધરચરિત' ઉપર શ્રેષ્ઠીઓ, દેવો, ભીલ, માતંગ, રથકાર, ધૂર્ત, બ્રાહ્મણ, તેમજ તો ૨૪ થી વધુ કૃતિઓ સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશમાં રચાઈ છે. પશુપંખીની કથા, રૂપકકથા, અન્યોક્તિ કથા, સમસ્યા અને એના એમાં હિંસાનો નિષેધ અને વ્યભિચારનું દુષ્પરિણામ દર્શાવાયા છે. ઉકેલ સમી કથા મળે છે. નિકટનાં સગાં જ સગાંનો અનર્થ કરે એ ‘ધૂર્તધ્યાનમાં' ધૂર્તવિદ્યામાં પારંગત એવા પાંચ ધૂર્તોની કથા છે પ્રયોજનવાળી કથાઓનું તો આખું ગુચ્છ છે; જેમાં માતા પુત્રને, જેમાં એક સ્ત્રી-ધૂર્ત પણ છે. એ સ્ત્રી ચતુરાઈથી બાકીના ધૂર્તોને પિતા પુત્રને, પુત્ર પિતાને, ભાઈ ભાઈને, પત્ની પતિને, મિત્ર ભોજન કરાવે છે. બધા એની પ્રત્યુત્પન્નમતિની પ્રશંસા કરે છે. મિત્રને, સગો સગાને અનર્થ કરે છે.
સિદ્ધર્ષિગણિની ‘ઉપમિતિભવપ્રપંચાકથા' જૈન પરંપરામાં આ જ રીતે “પુષ્પમાલા પ્રકરણ’, ‘ષડાવશ્યક સૂત્ર’, ‘ભવઅત્યંત સુપ્રસિદ્ધ બનેલી કથા છે. તે સંસ્કૃત ગદ્યકથા છે. નારકી, ભાવના', “શીલોપદેશમાલા' જેવા ગ્રંથોના બાલાવબોધોમાં આવી તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ – એ ચાર ભવોની વિસ્તારકથા અહીં કથાઓ મળે છે. રૂપકકથાની શૈલીએ કહેવાઈ છે. ડૉ. યાકોબીએ આ કથાની અંગ્રેજી જેન કથાસાહિત્યનું પ્રયોજન : આ કથા સાહિત્યનું મુખ્ય પ્રયોજન પ્રસ્તાવનામાં કહ્યું છે કે, 'It is the first allegorical work in Indian ધર્મોપદેશનું રહ્યું છે. આ કથાસાહિત્ય ભાવકના કથારસને પણ Literature.' આ કથાના અનેક સંક્ષેપો થયા છે. જૂની ગુજરાતીમાં પોષે છે, સાથે ધર્મોપદેશને મિષ્ટતાપૂર્વક હૃદયસ્થ કરવામાં સહાયક આવી એક રૂપકકથા જયશેખરસૂરિની ‘ત્રિભુવન દીપક પ્રબંધ' નામે બને છે. પૂર્વભવોનાં કર્મોનો વિપાક અને એના સારા-માઠાં ફળ મળે છે. આ કવિએ જ સંસ્કૃતમાં રચેલ ‘પ્રબોધ ચિંતામણિ' ગ્રંથનું દર્શાવવાના પ્રયોજનવાળી ભવભવાંતરની કથાઓની વિપુલતા જૈન એ ગુજરાતી રૂપાંતર છે.
કથાસાહિત્યમાં વિશેષ ધ્યાનાર્ય બની રહે છે. ઉદ્યોતનસૂરિની “કુવલયમાલા” એ પ્રાકૃતમાં રચાયેલ ગદ્યપદ્ય મનુષ્યભવની દુર્લભતા, શીલ-ચારિત્ર-તપ-સંયમમિશ્રિત કથા છે. ભવભ્રમણના કારણરૂપ ક્રોધ, માન, માયા, લોભ, વૈરાગ્યનો મહિમા, કામક્રોધાદિ કષાયોના માઠાં ફળ, પરીષહ, મોહ આદિ કષાયોને સાંકળતી આ પણ એક રૂપકકથા છે. હળુકર્મી અને ભારેકર્મી જીવો વચ્ચેનો ભેદ, નિષ્કામતા, ગુરુ પ્રત્યેનો પૂર્વભવનો માનભટ્ટનો જીવ આ ભવે કુવલયચંદ્ર અને પૂર્વભવનો વિવેક-વિનય, સુપાત્ર દાનનો મહિમા, અભયદાન, જીવદયા, માયાદત્તનો જીવ આ ભવે રાજકુંવરી કુવલયમાલા તરીકે જન્મે છે. જયણા, દેવપૂજા, વૈયાવૃત્યાદિ તપ, નવપદની આરાધના-જેવાં બન્ને લગ્ન કરી, સમય જતાં પુત્ર પૃથ્વીસારને રાજ્ય સોંપી દીક્ષા પ્રયોજનવાળી ધર્મ અને વૈરાગ્યપ્રેરક જીવનબોધક નાનીમોટી ગ્રહણ કરે છે. જૂની ગુજરાતીમાં ઋષિદત્તા, નર્મદાસુંદરી, સુરસુંદરી, કથાઓથી જૈન કથાસાહિત્ય અત્યંત સમૃદ્ધ છે. મનોરમા, મલયસુંદરી વગેરે નારીપાત્રોવાળી જૈન ધર્મોપદેશને આવા સાહિત્યનું વધુ ને વધુ શ્રવણ-વાચન થાય, એ પ્રત્યેના બંધબેસતી કથાકૃતિઓ રચાઈ છે. જયવંતસૂરિએ “શૃંગારમંજરી’ રસરુચિ કેળવાય, અને એમાંથી ફલિત થતા મર્મ–બોધને આપણે નામક કૃતિમાં શીલવતીની કથા આલેખી છે. માણિક્યસુંદરે હૃદયમાં ગ્રહણ કરીએ. એના ફલસ્વરૂપ આપણું જીવન શ્રેયઃ પૃથ્વીચંદ્રચરિત્ર' નામે ગદ્યકથા આપી છે જેમાં પઈઠાણ નરેશ પથગામી બની રહો. પૃથ્વીચંદ્ર અને અયોધ્યાની રાજકુંવરીના થતાં લગ્ન વચ્ચે અનેક (પૂના-‘વીરાલયમ્” ખાતે યોજાએલા ૧૯ મા જૈન સાહિત્ય વિપ્નો નડે છે અને એનું ચમત્કારયુક્ત રીતે નિવારણ પણ થાય છે. સમારોહમાં તા. ૧૪-૨-૦૮ના રોજ “જૈન કથા સાહિત્ય'ની પુણ્યનો પ્રભાવ દર્શાવતી અને જૂની ગુજરાતી ભાષાની ‘કાદંબરી” બેઠકોના પ્રમુખસ્થાનેથી રજૂ થયેલો નિબંધ.). કથા સમી આ કથા નોધપાત્ર બની છે.
‘નિશિગન્ધા', ૭, કૃષ્ણ પાર્ક, ખાનપુર, અમદાવાદ-૩૮૦ ૦૦૧. બાલાવબોધો-અંતર્ગત કથાઓ : જેમ સંસ્કૃત-પ્રાકૃતમાં અનેક ફોન નં. : (૦૭૯) ૨૫૫૦૨૩૪૮
Page #20
--------------------------------------------------------------------------
________________
૨૦
પ્રબુદ્ધ જીવન
જયભિખ્ખુ જીવનધારા : ૩
I ડૉ. કુમારપાળ દેસાઈ
સર્જકના બાજજીવનમાં અને આંતરજીવનમાં કેટલાય પલટા આવતા રહે છે. પ્રસિદ્ધ સાક્ષર શ્રી જયભિખ્ખુની જન્મશતાબ્દીએ એમના ભાજપાના પ્રસંગોને આલેખતું એમની વનયાનું આ ત્રીજું પ્રશ્ન૨]
સ્વપ્નાં પણ જાણે સોનાનાં!
તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯
અંધારી રાત્રે ચાર વર્ષનો બાળક ભીખો (‘જયભિખ્ખુ'નું હુલામણું છોડવાનો વારો આવ્યો. માસીના અવસાને સમસ્યા ઊભી કરી : નામ) આકાશમાં ચમકતા તારાઓ તરફ મીટ માંડીને બેસી રહેતો.હવે જવું ક્યાં ? કયા ગામમાં રહીને નિશાળનો અભ્યાસ ચલાવવો ? દિવસ આખો તો નિશાળમાં, ગોઠિયાઓ સાથે પસાર થતો, પણ કોની સાથે હવે રહેવા મળશે ? માસીનું અવસાન થતાં એ મામાને દિવસ કરતાં રાતની એને વધુ ઇંતેજારી રહેતી. એ વિચારતો કે ત્યાં આવ્યા. પહેલી વાર જિંદગીમાં એવી કોઈ વ્યક્તિ જોઈ કે જેનો આજે રાત્રે તો જરૂર તારાઓમાં વસતી મારી બાનો ચહેરો જોવા દોરદમામ અનોખો હોય. મામા પાસે એ જમાનામાં સારી ગણાય મળશે! પ્રત્યેક રાત ભીખાને માટે આશાભર્યું પ્રભાત બની રહેતી એટલી સંપત્તિ હતી; સમાજમાં એમનું મોભાદાર સ્થાન પણ હતું. હતી. આકાશમાં તાી-તાકીને બાળકની આંખો થાકી જતી ત્યારે બાળક ભીખાને મામામાં કાર્યદળ પુરુષના દર્શન થયા.
તે વિચારતો કે આ વિરાટ આકાશમાં ક્યાં હશે મારી બાનો ચહેરો ?
ક્યારેક દૂર દૂર સુધી જુએ તો ક્યારેક માથા પરના આકાશને જુએ. આવી કેટલીય રાત્રિઓ તેની ઉજાગરા સાથે પસાર થતી. ઝીણીમોટો ડેલો હતો. આ ડેલો બંધ કરો એટલે આખું ઘર બંધ થઈ
મામાનું ઘર ઘણું મોટું હતું. એની બાંધણી સૌરાષ્ટ્રના ઘર જેવી હતી : મામાના ઘરની આગળ મોટું ફળિયું હતું અને એની આગળ
નજરે કેટલાય તારાઓને તાકીતાકીને તેણે નીરખ્યા હતા. અનેક વાર આખું આકાશ એણે ફેંદી નાખ્યું હતું, પણ ક્યાંય બાનો ચહેરો જોવા નહીં મળ્યો! ચાર વર્ષની વયે માતા પાર્વતીનું અવસાન થયું હતું અને મનમાં સદાય વિસ્મય રહેતું કે એનો ચહેરો કેવો હશે ?! વળી–એવું પૂછવા માટે પણ તેનું મન તલપાપડ થયા કરતું હતું. “મને તું આમ આ દુનિયામાં રેઢી મૂકીને કેમ ચાલી ગઈ?”
માતાનું હેત આપનારી વહાલસોયી માસીનું અવસાન થયું. આથી બાળક ભીખો વિચાર કરતો કે આ બધા અહીંથી વિદાય લઈને આકાશમાં જઈને તારા કેમ થતા હશે ?! એમને શું પાસે રહીને જોવા કરતાં દૂર દૂર ઊંચે રહીને જોવાનું વધુ પસંદ પડતું હશે ?!
બાળકના મનમાં આવા તો કેટલાય તર્કવિતર્ક થતા. આકાશમાં ઘૂમતી ચકળવકળ આંખોની સાથે એનું મન પણ ચકરાવા લેતું હતું. એમાંય વહાલસોયા માસીની વિદાયે તો એના જીવનમાં મોટો ખાલીપો સર્જ્યો હતો.
આજથી એકસો વર્ષ પૂર્વેના સંયુક્ત કુટુંબના એ જમાનામાં માતાવિહોણા બાળકને શીળો છાયડો સદાય મળી રહેતો હતો. કુટુંબમાં પોતાના સંતાન અને પારકાના સંતાન એવી કોઈ ભેદરેખા નહોતી. બધાય એક કુટુંબના સંતાન તરીકે, એકસાથે, સરખી રીતે ઊછરતાં હતાં. મામી, માસી, ફઇબા જેવા સંબંધો સાથે માતાનું વહાલ જોડાયેલું હતું, આથી માતાવિહોણા બાળકને ક્યારેય માતાના વાત્સલ્યનો અભાવ ખૂંચતો નહીં. માનું સ્થાન ખાલી રહેતું નહીં, કોઈ ને કોઈ એ સ્થાને બેસી જતું.
માસીનું અપાર વાત્સલ્ય મેળવનારા ભીખાલાલને ફરી ધર
જાય. આ ડેલા પાસે વડીલોની બેઠક જામતી. ગામના ઘરડા, ડાહ્યા અને અનુભવીઓ મામાને મળવા; એમની સલાહ લેવા કે એમની સાથે વેપારના કામકાજ માટે આવતા. કેટલાકનો તો સવારસાંજ અહીં આવીને બેસવાનો નિત્યક્રમ હતો! આમાં ભાતભાતના અને જાતજાતના ગામગપાટા ચાલતા હોય અને સૌની વચ્ચે રહેલો સોનાની નાળવાળો હોકી તે એક પછી એક વ્યક્તિ દ્વારા ગઢ ગડ અવાજ કાઢ્યા કરતો હોય!
મામાને ઘેર ઘણી ગામ્ય હતી, રોજ વર્ણોણાં થતાં, આથી રોજ સવારે ભીખાને શિરામણ (સવારનો નાસ્તો)માં બાજરાના રોટલા ૫૨ લગાડવા માટે ઘણું માખણ મળતું. રોટલા પર માખણનું થર
બરાબર જમાવે અને પછી મોજથી આરોગે ! વળી પોતાના ઢોરને સારામાં સારું ખાવા મળે એની મામાને ભારે ચીવટ, ક્યારેક એમ લાગે કે માણસને ન મળે તેથીય સારું ખાણું ઢોરને મળે છે! ઢોરને ખાવા માટે શેરડીના ભારા આવે, ટોપરાંનાં કાચલાં આવે અને એથીય વધુ બાજરાની ધૂધરી (કંસાર) રંધાઈને આવે. ઢોરના આ ભોજનમાંથીય ભીખો અને બીજા બાળકો ભાગ પડાવતાં આ તે કેવું ? સામાન્ય રીતે માસનો ખોચક વો હોય તે ઢોરને મળે, અહીં ઢોરનો ખોરાક માણસ ખાતા હતાં ! અરે ! મહિનામાં એક-બે વખત તો બળદોને ઘી પીવડાવવામાં આવતું હતું. વળી ઘોડીના જોગારા માટે આવેલા ચણાના કોથળા ડેલામાં પન્ના જ હોય. ગાજરની ઋતુમાં રાડિયા (ગાજર) અને ઉનાળે મીઠીમધ ચાડિયો (છાસઠ દિવસ પાણી પાઈને ઉગાડેલી જુવાર) આવે.
બાળપણના એ સુંદર મજાના દિવસો હતા. ભીખાનું જીવન
Page #21
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯
રમત અને તોફાનમાં આનંદભેર પસાર થતું હતું. એ સમય એવો હતો કે સ્વપ્ના પણ જાણે સોનાના આવે. એને સ્વપ્નમાં સુંદર વસ્ત્રો પરિધાન કરીને આકાશમાં અહીંતહીં ઊડતી પરીઓ દેખાતી હતી. સોનાના પર્વતો, રૂપેરી પંખીઓ અને દૂધની મોટી મોટી નદીઓ સ્વપ્નમાં આવતી હતી. મામાના ઘરનું સુખ ભીખો સ્વપ્નસૃષ્ટિમાં પણ અનુભવવા લાગ્યો.
મામાના ઘરમાં સાહ્યબી બધી હતી, માત્ર દુઃખ એ વાતનું હતું. કે કુળને ઉજાળે એવો દીપક નહોતો. આજથી શતાબ્દી પૂર્વેના સમયમાં સંતાન ન હોય એના જેવો બીજો મોટો શાપ નહોતો. નિઃસંતાન નારીને સતત મહેણાં-ટોણાં સાંભળવા પડતાં. એ હીન કે ઉપક્ષિત હોય એમ એના પ્રત્યે તિરસ્કારયુક્ત નજરે જોવાતું અને અપમાનજનક વર્તન કરાતું. એને વાંઝિયાપણા માટે કટુ વેણ
સાંભળવા પડતાં. સંતાનપ્રાપ્તિ માટે કેટલીય બાધા-માનતાઓ રાખવામાં આવતી. ભૂવાઓ આવીને ધુણાવતા હતા. એ સમયે એમ કહેવાતું કે વાંઝિયાના ઘરનું ચણ્ય ચલકાં પણ ન ચણે.
સંતાનપ્રાપ્તિ એ જ સ્ત્રીના જીવનનું મુખ્ય લક્ષ્ય. નિઃસંતાન સ્ત્રીને માટે જીવવું ઝેર સમું બની જતું. મામાને લગ્ન કર્યા ઘો સમય વીતી ગયો, પરંતુ મામીને કોઈ સંતાન થયું નહીં. મોટા મોટા વૈદ્યરાજો પાસે કેટલાંય ઔષધ લીધાં, દોરા-ધાગા કરાવ્યા. ક્યાંક કોઈ નાનકડી આશા બતાવે એટલે દોડી જાય; પરંતુ સંતાન ન થયું તે ન જ થયું.
પ્રબુદ્ધ જીવન
ભલાભોળા મામી પર એક સ્ત્રીને ભારે દાઝ હતી. એ દાઝ દ્વેષમાં પરિણમી અને દ્વેષ એટલો બધો વકરી ગયો કે એ સ્ત્રીએ ભોળી મામીને ભરમાવીને એનું કાસળ કાઢી નાખવાનો પ્રયત્ન કર્યો. સંતાનભૂખી મામીને એણે ઠાવકું મોં રાખીને સંતાનપ્રાપ્તિનો સિદ્ધ ઉપાય બતાવતાં કહ્યું, ‘વાંઝિયાપણું દૂર કરવા માટે એક રસાયણ બતાવું, મોરથૂથું છાશમાં ઘોળીને નરણા કોઠે પી જજો એટલે દલમાં દીવા થશે, રોગ-દોગ, સંતાપ જશે અને દીકરા રહેશે.'
મામીને સંતાનની તીવ્ર લાલસા હતી. સમાજ પણ તે વખતે એવો હતો કે નિઃસંતાનને માટે જીવન દોહ્યલું બની જતું. સંતાનપ્રાપ્તિનો ઉપાય બતાવનારી સ્ત્રીના મનોભાવને ભલાંોળાં મામી પારખી શક્યાં નહીં. એના હૃદયનો દ્વેષ જીભ પર હેત બનીને આવ્યો હતો. મામીએ એના હેતને જોયું અને એને પરિણામે એક દિવસ કોરી ભરીને પેલું 'રસાયણ' ગટગટાવી ગયાં, પછી તો પેટમાં વાઢ ારૂ થઈ, ભારે દોડાદોડી થઈ, એટલી બધી ઊલટીઓ થઈ કે મામીનો જીવ નીકળી ગયો. સંતાનપ્રાપ્તિની તીવ્ર ઝંખનાએ એમના પ્રાણ હરી લીધા. એ પછી મામાએ બીજા લગ્ન કર્યાં. દુર્ભાગ્યે, બીજીવારના પત્નીને પણ સંતાન થયું નહીં. આવા નિઃસંતાન મામાના ઘે૨ ભીખો આવતા ઘર ખીલી ઊઠ્યું. સંતાનની ખોટ ઓછી લાગવા માંડી અને ભીખો મોસાળમાં સહુનો માનીતો
૨૧
બની ગયો. ચાર વર્ષની વયે માતાએ વિદાય લીધી હોવા છતાં ભીખાલાલને વાત્સલ્યનો શીળો છાંયડો સદાય મળતો રહ્યો, પણ બનતું એવું કે આ બાળકનો જીવ કોઈ જગાએ થોડો ઠરીઠામ થાય, ત્યાં વળી બીજે જવાનું બનતું,
દોમદોમ સાહ્યબી ધરાવતા મામા એકાએક બીમાર પડ્યા અને થોડા દિવસોમાં તો અવસાન પામ્યા. એમનો વેપાર ઘણો બહોળો હતો. એ આખોય વેપાર એકાએક સમેટાઈ ગર્યો. ઉઘરાણીનો લાંબો-પહોળો પથારો એમ ને એમ રહ્યો. બાળક ભીખાના આનંદના સ્વપ્નો આથમી ગયા. મામા વિનાનું ઘર ખાવા ધાતું હોય એમ લાગ્યું. એક સમયે જે ઘરમાં લોકોની સતત અવરજવર રહેતી, ત્યાં હવે બધું સૂમસામ બની ગયું. પોતાનું શું? ભીખાને થયું કે આ ગામ છોડીને જવું પડશે. ફરી કોઈ બીજે ગામ વસવું
પડશે.
આ ભૂમિ ભીખાને અત્યંત પ્રિય બની ગઈ હતી. સ્વપ્નાની આ સોનેરી ભૂમિ છોડતાં જીવ ચાલતો નહોતો, એક બાજુ મામાં વિનાના ઘરમાં ગોઠતું પણ નહોતું, તો બીજી બાજુ આ પ્રિય ભૂમિને છોડવી નહોતી! પણ કરે શું ? પિતાનો સંદેશો આવ્યો હતો અને તેઓ એમની પાસે વરસોડા ખોલાવવા માગતા હતા. ભીખાને વિજાપુર તાલુકાના વરસોડા ગામે મોકલવા માટે મામી કોઈ સારો સથવારો શોધવા લાગ્યાં. એક દિવસ સારા સથવારા સાથે ભીખાએ પોતાની પ્રિય ભૂમિની વિદાય લીધી.
ગામનું એ પાદર, નિશાળના એ ગોઠિયાઓ અને મામાના ઘરના એ ઢોરઢાંખર – બધાની યાદ ભીખાના મનમાં સતત ઘૂમતી હતી; પણ પછી બન્યું એવું કે ફરી બાળપણની એ પ્રિય ભૂમિમાં જઈ શકાયું.
ભીખાલાલ વરસોડા આવ્યા. પિતા વીરચંદભાઈની છત્રછાયામાં રહેવા લાગ્યા, પણ કોણ કેમ વીંછિયા અને બોટાદ ભુલાતા નહોતાં. વરસોડામાં બધી વાતે સુખ હતું, છતાં મન સતત ઉદાસ રહેતું હતું. એમને વીંછિયા અને બોટાદના સ્વપ્નાં આવતા હતા. એમ લાગ્યા કરતું કે આ ગામ એ મારું ગામ નથી, આ ઘર એ મારું ઘર નથી, આ સગાં મારા સગાં નથી, હું તો બહારથી આવેલો કોઈ પરદેશી છું. વીંદિયાના તોફાનો અને બોટાદનો રઝળપાટ યાદ આવતા હતા અને જાણે પોતે કોઈ અાગમની ભૂમિ પર આવી ગયા હોય એવો ભાવ અનુભવતા હતા.
મનમાં ભારે બોજ હતો, ગામમાં ક્યાંય ગોઠતું નહોતું. સમય પસાર થતો ગયો તેમ તેમ ધીરે ધીરે મન વળવા લાગ્યું. નિશાળમાં નવા નવા ગોઠિયાઓ મળ્યા; એમની સાથે ભીખાલાલ અનેક પ્રકારની રમત ખેલવા લાગ્યા. પિતા વીરચંદભાઈ પુત્ર ઉપર સ્નેહ વરસાવે. ધીરે ધીરે ભીખાલાલને એ સત્ય સમજાયું કે આખી પૃથ્વીમાં મારું કાયદેસરનું સરનામું તો આ જ છે. આ જ મારું પોતાનું ઘર
Page #22
--------------------------------------------------------------------------
________________
૨૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯
કહેવાય; બીજે રહેવાનો કોઈ અર્થ નથી.
ભીખાને માથે જાણે ધોળે દિવસે વીજળી પડી. એના ગળામાં બાળક ભીખાનું મન એકાએક બદલાઈ ગયું. પહેલાં જે પરાયું ડૂમો બાઝી ગયો; એ કંઈ બોલી શક્યો નહીં. એણે વિચાર્યું, આ લાગતું હતું, તે હવે પોતીકું લાગવા માંડ્યું. વરસોડાની અણગમતી ફઈબા ક્યાં જતા હશે ? બા, માસી અને મામી ગયાં ત્યાં ? ભૂમિ વહાલ વરસાવતી લાગવા માંડી. પાદરનાં વૃક્ષો એની સાથે
(ક્રમશ:) વાતો કરવા લાગ્યાં. અહીંની હવા હૂંફ આપનારી લાગી, નદીના ૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખું માર્ગ, કોતરો ગમવા લાગ્યાં અને એમાં ભમવા લાગ્યા, રસ્તાની વેકુર પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ (ઝીણી કાંકરીઓવાળી મોટી રેતી) જાણે વહાલભેર પંપાળતી હોય ફોન : ૦૭૯-૨૬૬૦૨૬૭૫; મો. : ૦૯૮૨૪૦૧૯૯૨૫: તેવું લાગ્યું. આ સાવ નવી દુનિયા પોતાની દુનિયા બની ગઈ.
| પંથ પંથે પાથેય અભાવને સ્થાને ભાવનો અને ઉપેક્ષાને બદલે આનંદનો અનુભવ
(અનુસંધાન પૃષ્ટ છેલ્લાનું ચાલુ) થયો. થોડા સમયમાં તો આ બાળક અહીંનો રહેવાસી બની ગયો. હૃદયમાં પડેલી માસીની છબી આજ સુધી તરવરતી હતી. હવે એને
ઉપર ભાર સાથે દોડતો હશે? સાથે એ પણ યાદ રાખવાનું કે રિક્ષાને બ્રેક
નથી હોતી. તેના પગ તેની બ્રેક છે. સ્થાને ફઈબા આવીને બેઠાં.
કાળી મજૂરી અને હાડમારીમાં જીવતો રિક્ષાવાળો પ્રમાણિક છે. તે બાળકો માનું હેત ગુમાવનારા ભીખાને માસી અને મામીનું હેત મળ્યું
અને વૃદ્ધોનો સહારો છે. છતાં કોલકતાના રસ્તા ઉપર સૌથી વધુ હડધૂત હતું, હવે ફઈબાનું હેત અનુભવવા લાગ્યો. આ બાળકને કોઈ ને
થતો માણસ પણ રિક્ષાવાળો છે. ધીમી ગતિને કારણે તે મોટરગાડીને આડો કોઈની વાત્સલ્યની છાયાની ભૂખ રહેતી હતી અને એ ભૂખ કોઈ ને
આવે છે. ટ્રાફિક પોલિસ માટે તેનો કંટાળો અને ક્રોધ ઉતારવાનું નિમિત્ત કોઈ રૂપે તૃપ્ત થતી હતી. એનું મન આવા વાત્સલ્યને પામવા માટે
પણ રિક્ષાવાળો છે. નાના એવા ટ્રાફિકના નિયમના ઉલ્લઘન માટે તેના સદેવ વ્યાકુળ રહેતું હતું.
ઉઘાડા વાંસા ઉપર સોટી વિંઝતા કે તેની રિક્ષા જપ્ત કરતાં પોલિસ અચકાતો નાનપણમાં વિધવા થયેલા ફઈબા પોતાના ભાઈ વીરચંદભાઈને
નથી. ગરીબોથી ચૂંટાયેલી અને ગરીબો માટે બનેલી માર્ક્સવાદી સરકારના ત્યાં રહેતા હતા. સ્વમાનના એ પૂજારી હતા, કોઈનું એક વેણ પણ રાજમાં આ બની રહ્યું છે. સાંખી લેતા નહીં. બાળક ભીખાને એમનું પડખું ઘણું હૂંફાળું લાગ્યું. સરકારને હાથરિક્ષા ઉપર પ્રતિબંધ મૂકવો છે, કારણ કે તે ઝડપી વાહન આ ફઈબા એક દિવસ ભીખાને માટે નાનકડી વીંટી લઈ આવ્યાં. આ વ્યવહારમાં બાધારૂપ છે, નહિ કે માનવતાની દૃષ્ટિએ. સરકાર પાસે બાળકને જાણે કોહિનૂર હીરો ન મળ્યો હોય! એમના આનંદનો હાથરિક્ષાવાળા માટે કોઈ વિકલ્પની યોજના નથી. સરકાર ધારે તો ઓટોરિક્ષા પાર ન રહ્યો. એ વીંટીમાં માણેક હતો. એનો ચળકાટ આ બાળક આપીને તેમની સ્થિતિ સુધારી શકે છે. કોલકતામાં હજારો ઓટોરિક્ષા છે, ચમકતી આંખે જોઈ રહ્યો. ભીખો તો ફઈબા પર ખુશ થઈ ગયો. પણ કોઈ હાથ-રિક્ષાવાળાને ઓટોરિક્ષા અપાવ્યાનું જાણમાં નથી. બિહારથી જમવાનું પણ એમની સાથે અને સૂવાનું પણ એમની પાસે. આ આવેલા હોવાને કારણે તેમનું વોટ બેંકમાં કોઈ સ્થાન નથી. બાળકને ઘુવડ અને ચીબરીની બહુ બીક લાગે. એ બોલે ત્યારે ભયથી આ ઉપેક્ષિત અને સમાજના કચડાયેલા વર્ગ ઉપર પણ ક્યારેક કોઈની ડરી જાય. આવે સમયે ફઈબા પાસે પહોંચી જઈને તેમના પડખામાં અનુકંપાભરી નજર પડે છે. મારા મિત્ર બુલબુલભાઈ શાહ હંમેશા તેની લાઈ જાય રોજ રાત્રે કઈબા અવનવી વાતો છે. કણલાલ ગાડીમાં થોડી ચંપલની જોડી રાખે છે. જ્યારે પણ કોઈ ઉઘાડા પગવાળા કાગડાની, ફૂલણશી દેડકાની અને ગંગારામ પોપટની ! ક્યારેક
રિક્ષાવાળાને જુએ કે તરત જ તેને એક જોડ ચંપલ આપે છે. કોલકતાના સોનબાઈની કથા અને રૂપબાઈની વાર્તા પણ કહે. આપકર્મી અને
રિક્ષાવાળાની સમસ્યા જોતાં અનેક બુલબુલભાઈની જરૂર છે.
બિમલ રોયની ‘દો બિઘા જમીન' ફિલ્મમાં બલરાજ સહાનીએ રિક્ષાવાળાનું બાપકર્મીની વાત સંભળાવે. ફઈબા હોંશે હોંશે ગાઈ ઊઠતાં: ‘ઠાગાઠેયા કરીએ છીએ,
પાત્ર ભજવ્યું હતું. દોડતી મોટર સાથે તેના રિક્ષાને હોડમાં ઉતારીને બિમલ
રોયે શહેરી જીવનની વિસંવાદિતાને આબેહૂબ રજૂ કરી હતી. ડેમિનિક લેપિઅરે ચાંચુડી ઘડાવીએ છીએ;
પણ તેની નવલકથા અને પછીથી ફિલ્મ ‘સિટી ઓફ જોય'માં રિક્ષાવાળાની જાવ રે કાબરબાઈ,
દર્દભરી દાસ્તાન રજૂ કરી હતી. એવી કોઈ વાર્તા, કોઈ ફિલ્મ, થોડી ક્ષણની અમે અમારે આવીએ છીએ.”
શહેરી સહાનુભૂતિથી અલિપ્ત અને અજાણ એ બે ટાંગવાળો ઘોડો એ જ ફરી ભીખાના હૃદયમાં ઝંઝાવાત જાગે છે. એક દિવસ ફઈબા
રફ્તારથી આજ પણ કોલકતાના નાગરિકોનો ભાર વહન કરી રહ્યો છે. એમનો સરસામાન બાંધવા લાગ્યાં. એમની પાસે રહેલો ભીખાનો
* * * સામાન જુદો તારવી તારવીને મૂકવા લાગ્યાં. સામાન લઈને ફઈબા જૈન એકાડમી કલકત્તા, ૩૨-B, ચિત્તરંજન એવન્યુ, કોલકાતા-૭૦૦૦૧૨. બહાર નીકળ્યાં. એમણે ભીખાને પડખામાં લીધો, ગાલ પર ચૂમી ટેલિ. : (૦૩૩) ૨૨૧૨૦૨૦૧. સાથે ખૂબ વહાલ કર્યું અને કહ્યું, “બેટા, રાજી રહેજે. હું જાઉં છું.” ઘરઃ ૨૪૭૫૩૯૭૧- ૨૪૮૬૩૮૯૦.
Page #23
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન
૨ ૩ શ્રી જૈન મહાવીર ગીતા-એક દર્શન:૪
. પૂ. આચાર્યશ્રી વાત્સલ્યદીપ ચતુર્થ અધ્યાય : ધર્મ ચોગ
કોયલ ટહુકે આંબા ડાળે,
અંગ ન તોડે, કંઠ ન વાળે, ‘શ્રી જૈન મહાવીર ગીતામાં ચતુર્થ અધ્યાય “ધર્મયોગ' છે. આ ગંગા વહતી સમથળ ઢાળે, પ્રકરણમાં ૫૧ શ્લોક છે.
ખેંચ નહિ, નહિ તાણ ધર્મ વિશે વિશ્વભરમાં વ્યાપક ચિંતન થયું છે. કિંતુ ધર્મની એ સાચા શબદનાં પરમાણ. ગહનતા પામવી સરળ નથી. ધર્મની મહાનતા એ છે કે તે સાધકને ફૂલ ખીલે નિત નવ જેમ ક્યારે સિદ્ધ બનાવે છે, ભક્તને ભગવાન બનાવે છે. સાધકમાં જેટલી શ્વાસ લિયે ને સૌરભ સારે, સરળતા, નિર્મળતા, ધાર્મિકતા ગહન તેટલું તેનું ઉત્થાન ઝડપી અંતરથી એમ ઊઠે ત્યારે, બને છે. ધર્મ માત્ર વૈચારિક ક્રાંતિ માટે નથી, આચરણની પારદર્શક વહે સ્વયંભૂ વાણ જીવનસાધના માટે છે. ધર્મી જીવ પ્રભુમય બની જાય પછી એને એ સાચા શબદનાં પરમાણ. સર્વત્ર મૈત્રીના મંગળગીત જ સંભળાય:
આ પંક્તિઓનું ભાષ્ય લખવાની જરૂર છે? પ્રભુ સમ દિલ થાવાથી, જીવોની માફીઓ મળશે;
ધર્મની અસામાન્ય શક્તિ છે. એની શરણાગતિ સ્વીકાર્યા પછી જીવોને આપતાં માફી, પ્રભુ દિલમાં પ્રગટ થાતા.
બીજું કશું કરવાનું રહેતું નથી. આમ છતાં, પ્રશ્ન એ ઉઠે છે કે ધર્મની ધર્મની શક્તિ એ છે કે તે આત્માને પરમાત્મા બનાવી દે છે પણ આવી મહાનતા હોવા છતાં આજે વિશ્વમાં ધર્મના નામે જ કલહ, તે માટે નિતાંત સમર્પણ જોઇએ. ધર્મનું શરણું સ્વીકાર્યા પછી વિતંડાવાદ, આતંકવાદ કેમ છે? એમ કહેવાય છે કે આ વિશ્વમાં સંસારનું સ્મરણ રહેતું નથી, એ તો અંતરને આરપાર સ્ફટિકથી ય આજ સુધીમાં થયેલાં યુદ્ધ અને કલ ધર્મના નામે થયા છે ! કેવી વધુ નિર્મળ આત્મ નિર્માણ કરે છે. ધર્મની સાધના એ તો અણમોલ કરુણ વાત છે એ! ઘટના છે. કબીર એ અનુભવ આમ વર્ણવે છેઃ
જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી જ્ઞાની છે, યોગી છે, રામ ભગતિ અનિયોલે તીર
કવિ છે તેવી જ રીતે જીવનના રોમરોમમાં ધર્મપાલન કરનારા જેહિ લાગે તો જાને પીર!
સાધુજન છે. ધર્મ વિશે તેમની પાસે શાસ્ત્રીય અને વૈચારિક સ્પષ્ટતા રામની ભક્તિ અણિયાળા તીર સમાન છેઃ એની કથા તો જેને ઉદાહરણીય છે. ધર્મથી આત્મકલ્યાણ પ્રાપ્ત થાય છે અને તે માટે લાગે તે જાણે! ધર્મના આસ્વાદની આ વાત છે. “ઘાયલ કી ગત ધર્મના પંથે અપ્રમત્ત, નિર્દભ પ્રયાણ કરવું જોઈએ તેવું એમણે ઘાયલ જાને' વાળી વાત છે. આ ધર્મનો શબ્દ જેની ભીતર પ્રવેશી નિરંતર કહ્યું છે. અને, જે લોકો ધર્મના નામે દંભ, પ્રપંચ, માયાચરણ જાય તેનું જીવન અશબ્દ સાધનાના શરણમાં પહોંચી જાય. કરે છે તેમના પ્રત્યે તેમણે પ્રહાર પણ કર્યો છે. શ્રીમદ્ અનહદ શબ્દ હોત ઝંકાર
બુદ્ધિસાગરસૂરીશ્વરજીની “ધર્મ વિશેની ભ્રાન્તિ’ સક્ઝાયમાં કહ્યું છેઃ તિહાં બેઠે પ્રભુ સમરથ સાર!
સબ જન ધરમ ધરમ મુખ બોલે ધર્મ આપણી સન્મુખ આપણને જ ધરી દે છે. ધર્મ આપણને જ અત્તર પડદો ન ખોલે! અંતરથી શ્રેષ્ઠ, ઉત્તમ બનાવે છે. ધર્મ આપણી ઓળખાણ આપણને આ સક્ઝાયમાં દંભ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. સર્વે આપે છે. ધર્મનો એકાદ શબ્દ અંતરમાં પ્રવેશે, ભીતર હજાર સૂરજ લોકો ધરમ ધરમ ગુંજ્યા કરે છે પણ અંતરપટ ખોલતા નથી. ધર્મ ઝળહળી ઉઠે. કવિ “સરોદ'ની આ રચના મમળાવી જોવા જેવી છે. ક્યાં છે? ધર્મ શેમાં છે? ધર્મ શેમાંથી આવે છે? અધ્યાત્મ એટલે આપ કરી લે ઓળખાણ
શું? યુગોથી આ સવાલ પૂછાય છે અને ઉત્તર પણ મળે છે, પરંતુ એ સાચ શબદનાં પરમાણ
ક્યારેક ક્યારેક ધાર્મિકતાના નવા નવા પરિવેશ નિહાળવા મળે છે સાકર કહે નહિં, હું છું મીઠી?
ત્યારે સત્યના સુવર્ણપાત્ર પર ચઢેલી વ્યક્તિના અહંકારમાંથી પ્રકટેલા વીજ ન પૂછે, મુજને દીઠી?
સંપ્રદાયની ધૂળને ખંખેરવાનો સમય આવી જાય છે. ધર્મ એક શાશ્વત મોત બતાવે ન યમની ચિઠ્ઠી,
સત્ય છે અને તે તેના સત્ત્વ તત્ત્વના આંતરિક જોર પર ટકે છે. લાઈટની પંખ્યામાં જ પિછાણ.
સ્વીચ ઓફ કરી દેવાથી બલ્બનો પ્રકાશ ઓલવાઈ જરૂર જાય છે. એ સાચા શબદનાં પરમાણ.
પણ ખતમ થતો નથીઃ સ્વીચ ઓન થાય એટલે પ્રકાશ ઝળાંહળાં
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૪
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯
થાય જ છેઃ સત્યનું આવું છે. સંપ્રદાયની ધૂળ તળે એ ઢંકાઈ જાય “મારો ધર્મ અનાદિકાળથી પ્રવૃત્ત થયેલો છે અને વિશ્વને પવિત્ર કરનાર તેમ બને, પણ છેવટે તો સત્યનું-ધર્મનું સૌંદર્ય ચમકે જ. છે, સૂર્ય, ચંદ્ર વગેરેની સ્થિતિ જૈનધર્મના કારણે છે. જૈનધર્મ સ્વભાવથી (૨).
જ પરબ્રહ્મ સ્વરૂપ છે, અને જૈનધર્મના પ્રભાવથી વિશ્વશાંતિ ની વ્યવસ્થા ‘શ્રી જૈન મહાવીર ગીતા'માં “ધર્મયોગ' નામના ચતુર્થ અધ્યાયનો છે. સર્વજીવોનો પાલક, સર્વગણનો શાસક, અને અનાદિકાળથી પ્રવૃત્ત પ્રારંભ આમ થાય છેઃ
થયેલો એવો આ જૈનધર્મ સનાતન છે. સર્વ સત્યના વિવેકના કારણે कर्मयोग फलं श्रुत्वा, प्रसन्ना गौतमादयः ।
જૈન ધર્મ મહાન સમુદ્ર છે, અને વિશ્વના બીજા ધર્મો તેના તરંગો જેવા धर्मयोगं मनुष्याणां, प्रपच्छुः प्रयुमादरात् ।।
જાણવા જોઇએ.'
(ધર્મયોગ, શ્લોક ૧) શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી જૈન ધર્મની વિશાળતા પ્રત્યે અંગૂલિ ‘કર્મયોગનું ફળ સાંભળીને ખૂબ પ્રસન્ન થયેલા ગૌતમ ગણધર વગેરેએ નિર્દેશ કરીને તેની પ્રભાવકતા સમજાવે છે. શ્રી અરિહંત પરમાત્મા પ્રભુને મનુષ્યો માટે ધર્મયોગ માટે આદરપૂર્વક પૂછયું:
અનંત દર્શન, જ્ઞાન, ચારિત્ર્ય શક્તિત્વરૂપ છે તેવું જૈન ધર્મ માને दुःखादिषु पतज्जीवान, यो धारयति शक्तिभिः ।
છે. શ્રી અરિહંત પરમાત્મા અનંતગુણ નિધાન છે. “ધર્મયોગ'ના૧૨, द्रव्यतो भावतश्चैव, जैनधर्मः स उच्यते ।।
૧૩, ૧૪, ૧૫, ૧૬માં શ્લોકમાં કહ્યું છેઃ
(ધર્મયોગ, શ્લોક ૪) “બધા ધર્મો મારા ધર્મમાં અભિન્નતા પામે છે અને બધા ધર્મો મારામાં “જે પોતાની શક્તિ વડે દુઃખોમાં પટકાતા જીવોને ધારણ કરે છે તે વ્યાપ્ત છે. હું બધા ભેદવાળો હોવા છતાં હું ભેદવાળો નથી. આથી પદાર્થની રીતે અને ભાવનાત્મક રીતે જૈન ધર્મ કહેવાય છે.” મારામાં રહેલા બધા ધર્મોને સેવવા જોઇએ. તેથી મારા ધર્મનું સેવન
શ્રી ગૌતમ ગણધર વગેરેની વિનંતીથી શ્રી મહાવીર પ્રભુએ કહ્યું કરવામાં આવે તે બધા ધર્મોના સેવન બરાબર છે. બધા ધર્મો મારાથી તેમ પ્રારંભ કરીને શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી જૈન ધર્મની સચોટતા અભિન્ન છે. તે બધા મારા ધર્મરૂપી સમુદ્રના બિંદુઓ છે. સત્યના આચાર મુખરિત કરે છે. ધર્મયોગના ૩જા શ્લોકમાં કહ્યું છે: ધર્મ, અર્થ, અને વિચારથી ભરપૂર એવો મારો ધર્મ પૂર્ણ સાગર છે. ભૂતકાળના, કામ અને મોક્ષને પ્રાપ્ત કરાવનાર ધર્મ કહેવાય છે, સર્વ શક્તિને ધારણ ભવિષ્યકાળના, વર્તમાનકાળના જે જે ધર્મો છે તે બધા સર્વ અપેક્ષાયુક્ત કરનાર હોવાથી તાત્ત્વિક રીતે પણ તેને ધર્મ કહેવાય છે.' ૬ઠ્ઠા શ્લોકમાં નીતિ દ્વારા મારા ધર્મમાં સમાવેશ પામેલા છે. જેમાં સમુદ્રમાં અનેક જુદા આવું વિધાન છેઃ “જ્ઞાનના આવરણનો, કર્મનો નાશ કરનાર અને જુદા નામવાળી નદીઓ મળી જાય છે તેમ સત્યના અંશવાળા બધા ધર્મો આત્મશુદ્ધિ કરનાર એવો સનાતન જૈનધર્મ છે.'
મારા ધર્મમાં ભળી જાય છે.' ધર્મ વિશેની સ્પષ્ટ અને ક્રાંતિકારી વ્યાખ્યા “ધર્મયોગ'માં પ્રત્યેક સંઘબળ એ ધર્મની શક્તિ છે. શ્રી ભગવદ્ ગીતામાં આવું વિધાન શ્લોકમાં નિહાળવા મળે છે. ધર્મની સમર્થતા અનંત છે. જીવ એક મળે છેઃ સંઘે શક્તિ:નૌયુ. | કલિયુગમાં સંઘશક્તિનું વિશેષ મહત્ત્વ ક્ષણમાં કર્મ બાંધીને સાતમી નરકમાં પટકાઈ શકે તો જીવ એક ગણવું જોઇએ. જૈનધર્મ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા સ્વરૂપ ક્ષણમાં ધર્મ સાધીને મોક્ષમાં પણ અવશ્ય પહોંચી શકે. આ ધર્મનું ચતુર્વિધ સંઘને તો ૨૫માં તીર્થકર સમાન ગણે છે. સ્વયં તીર્થકર સામર્થ્ય છે. જૈન ધર્મ અનાદિકાળથી છે. જૈન ધર્મનું ગણિત, ભૂગોળ, પરમાત્મા શ્રી સંઘને ‘નમો તિર્થીમ્સ' કહીને આદર કરે છે. ચતુર્વિધ કર્મવિજ્ઞાન પોતાની શ્રેષ્ઠતા પૂરવાર કરી ચૂક્યું છે, જૈન ધર્મની સંઘનો મહિમા જે નધર્મે સમયે સમયે કર્યો છે અને તેનું આધ્યાત્મિક સિદ્ધિઓ અવર્યુ છે અને તે વિશે જેટલું પણ ચિંતન ધર્મશાસ્ત્રોમાં ખૂબ વર્ણન મળે છે; કેમ કે ચતુર્વિધ સંઘ જ ધર્મ થાય તેટલું ઓછું છે. જૈન ધર્મની તાત્ત્વિક ગહનતા અપાર છે. વાહક બળ છે. એ શક્તિ અખંડિત રહેવી જોઇએ અને તેનો સાથ શ્રી મહાવીર સ્વામી કહે છેઃ
સદાય કરવો જોઈએ એમ પૂર્વાચાર્યોએ હંમેશાં કહ્યું છે. “ધર્મયોગ'ના अनादित: प्रवृत्तो यो, मद्धर्मो विश्वपावकः।
૨૦માં શ્લોકમાં કહ્યું છે, જેનાથી ચાર પ્રકારના સંઘનો નાશ થાય, सूर्यचन्द्रादि सर्वेषां, स्थिति:श्री जैनधर्मतः।।
તથા સંઘશક્તિનો નાશ થાય તેને સજ્જનોએ અધર્મ ગણવો જોઈએ.” परब्रह्म स्वरुपोऽस्ति. जैनधर्म स्वभावतः।
આ વિશ્વમાં સૌને પોતાનો અધિકાર છે. વ્યક્તિ સ્વાતંત્ર્ય અને जैन धर्म प्रभावेण, विश्वशान्ति व्यवस्थितिः।।
વિચાર સ્વાતંત્ર્યની ઉપેક્ષા કદી કરી શકાય નહિ, આપણે સૌ આજે पालक: सर्वजीवानां, सर्ववर्णस्य शासकः।
સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઇએ છીએ. પ્રજા જ રાજા છે તે સિદ્ધાંત अनादित: प्रवृत्तो यो, जैनधर्म: सनातनः ।।
વ્યાપક છે. વ્યક્તિના સ્વાતંત્ર્ય પર પ્રહાર થાય ત્યારે અકથ્ય મુસીબત विश्व प्रवर्तिता धर्मा, जैनधर्म महोदधेः ।
બહાર આવતી હોય છે. શ્રી મહાવીર સ્વામી ‘ધર્મયોગ'ના ૨૧માં तरणा वेदितव्यास्ते, सर्वसत्यविवेकतः।।
શ્લોકમાં કહે છે, “મનુષ્ય પોતાના અધિકારનો વિવાદ કરે તે અધર્મ (ધર્મયોગ શ્લોક, ૭ ૮, ૯, ૧૦) છે, અને તેનાથી અંતે જગતમાં અશાંતિ ઉત્પન્ન થાય છે.'
Page #25
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન
૨ ૫
મહાત્મા ગાંધીજી દ્વારા “સત્યમેવ જયતે' સૂત્ર અધિકાધિક હોય છે. એ કદાગ્રહથી મુક્ત ધર્મની પ્રાપ્તિ થવી મુશ્કેલ બની જાય લોકપ્રિય થયું. અલબત્ત, આજની નેતાગીરી એનાથી અવળું વર્તન છે ત્યારે “શ્રી જૈન મહાવીર ગીતા'નો આ “ધર્મયોગ” આપણને કરીને ભ્રષ્ટતાને પ્રોત્સાહિત કરે છે તે સૌ જાણે છે. પણ અંતે જય મૂલધારા પ્રતિ દોરી જાય છે તે ઘણી ઉત્તમ વાત છે. કલેશ, વિવાદ, તો સત્યનો જ થાય. “ધર્મયોગ'ના ૨૨માં શ્લોકમાં કહે છે, “જ્યાં દુઃખ, સુખની ઝંખના વગેરે તમામ મનોમંથનનો જ્યાં વિરમી જાય ધર્મ હોય છે, સત્ય હોય છે, ત્યાં ચોક્કસ જય થાય છે, અને જ્યાં અધર્મ તે ધર્મ. એ ધર્મની પ્રાપ્તિ માટેનું દૃષ્ટિબિંદુ આ “ધર્મયોગમાંથી હોય છે ત્યાં દુઃખની પરંપરા હોય છે.
મળે છે પણ તેને પામવા, સમજવા માટે ઊંડું આધ્યાત્મિક ચિંતન થોડાંક શ્લોકાર્થ જોઇએઃ
અનિવાર્ય છે. પરંપરાગત વિચારધારાથી ભિન્ન આ શબ્દ સૃષ્ટિ છે અનાદિકાળથી આત્મા અને પ્રકૃતિનો સંયોગ રહેલા છે, ધર્મ દ્વારા પણ તેનું આરંભ અને અંતબિંદુ તો પ્રભુ મહાવીરમાં જ શ્રદ્ધાપૂર્વક આ વિયોગ થાય તેને મોક્ષ કહે છે.” (ગાથા, ૨૪)
સમાઈ જવાનું સ્થિર લક્ષ્ય સાથેનું છે. સર્વત્ર ધર્મ જ રક્ષણ કરે છે, ધર્મથી મહાન અન્ય કોઈ નથી. પૃથ્વી ધર્મ ક્યાં છે? ઉપર મનુષ્યો ધર્મથી જ અરિહંત વગેરે પદ મેળવે છે. (ગાથા, ૨૬) જ્યાં સુધી અંતરપટ ન ખૂલે ત્યાં સુધી કંઈ વળે નહિ. હૃદયમાં
વ્યક્તિ અને સમદષ્ટિરૂપથી બાહ્ય અને આંતરિક શક્તિઓ જેનાથી પડેલાં રાગ-દ્વેષના જાળાં ખતમ થવા જોઇએ. માયા-મમતાનું વ્યક્ત થાય છે તેને હું ધર્મ કહું છું.' (ગાથા, ૨૯)
મરણ થવું જોઇએ. ‘જેના દ્વારા રાષ્ટ્ર , સમાજ વગેરેની શક્તિ ઉત્પન્ન થાય અને લોકો આત્મ તત્ત્વનો પરિચય થાય ત્યારે ભવભ્રમણનો અંત થાય, સુખપૂર્વક જેને ધારણ કરી શકે તેને ધર્મ કહે છે.” (ગાથા, ૩૦) એ છે ધમે.
‘ત્રણે જગતમાં મૈત્રી, પ્રમોદ, માધ્યસ્થ અને કાયય ભાવથી મિશ્રિત નિર્મળ મન, પવિત્ર અંત:કરણ અને ચારિત્ર્યમય જીવનની પ્રાપ્તિ. એવો (જૈન) ધર્મ કર્મનો નાશ કરવા માટે સમર્થ છે. (ગાથા, ૩૨) એ છે ધર્મનું સૌદર્ય. મારા કહેલા જૈન ધર્મમાં બધા ધર્મો આવી જાય છે, જુદા જુદા
માનવતા, સદાચાર, પ્રભુભક્તિ, એ છે ધર્મનો પંથ. નામવાળા ધર્મો હોવા છતાં, મનુષ્યો મારા ધર્મને પામે છે. (ગાથા, સંપૂર્ણ કર્મક્ષય, પ્રભુનું પદ, અને મોક્ષની પ્રાપ્તિઃ એ છે ધર્મનું
ફળ.
‘પાપી લોકો પણ મારી સ્મૃતિ અને ધ્યાન યોગથી મુક્તિ પામે છે.
(ક્રમશ:) સારા ભાવથી બધા ધર્મોને છોડીને મને જ ભજો.' (ગાથા, ૩૮)
પૂજ્ય આચાર્યશ્રી વાત્સલ્યદીપ, જૈન ઉપાશ્રય, ‘સજ્જનો અસંખ્ય દૃષ્ટિથી મારું રૂ૫ વર્ણવે છે પરંતુ અસંખ્ય દષ્ટિથી
૭, રૂપ માધુરી સોસાયટી, સંઘવીના રેલ્વે ક્રોસીંગ પાસે, જોવા છતાં મારા રૂપનો એકાદ અંશ જ દેખાય છે. (ગાથા, ૪૦)
1 નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩. ‘દ્વૈત, અદ્વૈત વગેરે દૃષ્ટિઓ મારામાં સમન્વય પામે છે, આથી
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા પ્રકાશિત પૂર્ણભક્તિપૂર્વક સર્વદષ્ટિ સ્વરૂપ એવા મને ભજો.' (ગાથા, ૪૪)
ડૉ. રમણલાલ ચી. શાહ લિખિત મારૂં રૂ૫ સાકાર પણ છે અને નિરાકાર પણ છે. સ્વભાવથી જ હું
નવા ગ્રંથોનું પ્રકાશના ધર્મ અને આદર્શના ચરિત્રોનો સાગર રૂપ છું.'
૧. જિનતત્ત્વ ગ્રંથ-૧-આવૃત્તિ બીજી, જુલાઈ-૨૦૦૭, પૃષ્ટ મારા વચનોનું અવલંબન કરીને મારા ધર્મને ગણધરોએ પ્રથમ બાર
સંખ્યા-૫૦૩, મૂલ્ય રૂા. ૩૦૦/- ૧ થી ૫ ભાગમાં વિતરિત આ અંગવાળા નિગમો રચેલા છે. તે બધામાં ધર્મના અંગો પ્રદર્શિત કરેલા
ગ્રંથમાં જૈનધર્મ વિષયક ૪૭ લેખો છે. છે. જ્ઞાની અને યોગી લોકો મારા વેદના રહસ્યને જાણે છે. (ગાથા,
૨. જિનતત્ત્વ-ગ્રંથ-૨, ઑગસ્ટ-૨૦૦૭, પૃષ્ટ સંખ્યા-૩૬૪, મૂલ્ય ૪૮, ૪૯)
રૂા. ૨૪૦/- છ થી ભાગ ૯ સુધી વિસ્તરિત આ ગ્રંથમાં જૈન ધર્મ વિષયક ‘બધા વેદો સનાતન છે અને ભારતે તેને પ્રવર્તાવેલા છે. તે તત્ત્વરૂપે
બીજાં ૨૬ લેખો છે. નિત્ય છે અને શબ્દ રૂપે અનિત્ય છે.” (ગાથા, ૫૦)
૩. પ્રભાવક સ્થવિરો (ભાગ-૧ થી ૬) આવૃત્તિ-બીજી માર્ચ-૨૦૦૬, ‘પંડિતો પણ મારા આ આગમ અને વેદનો સાર પામી શકતા નથી.
પૃષ્ટ સંખ્યા-૬૧૨, મૂલ્ય-રૂ. ૩૫૦/-. તેમાં નિત્ય અને અનિત્ય ધર્મોની વ્યવસ્થા બતાવવામાં આવી છે. (ગાથા, છ ભાગમાં વિસ્તરિત આ ગ્રંથમાં ૨૫ જૈન પ્રસિદ્ધ અને સિદ્ધ સાધુ ૫ ૧)
ભગવંતોના ચરિત્રનું વિગતે આલેખન થયું છે. ધર્મનો પંથ સાધનાનો પંથ છે. જે ત્યાં ચાલે, તે પામે. ધર્મ, આ પુસ્તકો એક સાથે ખરીદનારને ૨૫% ડિસ્કાઉન્ટ. શાસ્ત્ર, મત, પંથની વચમાં હંમેશાં કોઈક કદાગ્રહ જીવિત રહ્યો
મેનેજર)
Page #26
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯ પુસ્તકનું નામ :
પુસ્તકનું નામ : રમણલાલ વ. દેસાઈ વ્યક્તિત્વ અને વાગમય
સર્જન સ્વાગત
સજીવ સંરક્ષણ એજ માનવ ધર્મ લેખક: ડૉ. હસમુખ દોશી
ડૉ. કલા શાહ
લેખક-સંપાદક : પ્રકાશક: નિરંજન દોશી
નિમિષ મહેન્દ્રભાઈ કાપડિયા (એડવોકેટ) સંદીપ’, સેતુબંધ સોસાયટી, કાલાવાડ રોડ, શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વર
પ્રકાશક અને પ્રાપ્તિસ્થાનઃ સજીવ સંરક્ષણ પરિવાર રાજકોટ-૩૬૩૦૦૧. પ્રકાશક: સન્માર્ગ પ્રકાશન, અમદાવાદ
વાસવી નિમિષભાઈ કાપડિયા (એડવોકેટ), કિંમત રૂ. ૨૮૦, પાના: ૩૮૦, આવૃત્તિ-બીજી
કિંમત રૂ. ૨૦૦, પાના : ૨૭૮, આવૃત્તિ-પ્રથમ “ઈન્દ્રાલય”, ૫, બાળગાયત્રી સોસાયટી, ઑગસ્ટ-૨૦૦૭. વિ. સં. ૨૦૦૮.
વિભાગ-૨, શ્યામલ ચાર રસ્તા પાસે, ૧૩૨ ફૂટ ડૉ. હસમુખ દોશીએ Ph.D.ની ડીગ્રી માટે પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રીંગ રોડ, અમદાવાદ-૩૮૦૦૫૧. થીસીસ લખવાના હેતસર ગજરાતના લોકપ્રિય રામસૂરીશ્વરજી મહારાજાની શ્રુતસિદ્ધિ અને
મૂલ્ય-રૂા. ૧૪૦, પાના: ૨૩૦, આવૃત્તિ-તૃતીય નવલકથાકાર અને લેખક રમણલાલ દેસાઈના શ્રતનિયોગની અનુમોદનાના બીજરૂપે પૂ. આ. શ્રી
આ પુસ્તકમાં જીવોની રક્ષાની હિમાયત જીવન અને સાહિત્ય વિશે મહાનિબંધ તૈયાર કર્યો. વિજય રામચંદ્રસૂરિ સ્મૃતિ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથમાળા કરવામાં આવી છે. સાથે સાથે એક નવીન આ મહાનિબંધની પ્રથમ આવૃત્તિનું બૃહત્
પ્રકાશિત કરવાના હેતુથકી સન્માર્ગ પ્રકાશન દ્વારા દૃષ્ટિકોણ પણ દર્શાવવામાં આવ્યો છે. સામાન્ય સંક્ષેપ સંસ્કરણ આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. એ શ્રેણીના ૨૨મા પુસ્તક “શ્રી ચતુઃશરણ
રીતે જીવોની રક્ષા કરવી જોઈએ એ ધર્મની અહીં લેખકે રમણલાલ દેસાઈના સાહિત્ય પર કાણાકનું પ્રકાશિત કરવામાં આવ્યું છે. માંગ છે. પરંતુ જીવોની રક્ષાથી આપણી જિંદગીને પ્રભાવ પાડનાર યુગબળોનો, જીવનનો અને એને
વીર પ્રભુના ૧૪૦૦૦ શિષ્યો પૈકી તેમના
પણ કેવી રીતે સહાય મળે અને આપણું જીવન ઘડનારા તત્ત્વોનો વિગતવાર અભ્યાસ કર્યો છે સ્વહસ્તે દીક્ષિત થયેલ શ્રી વીરભદ્રગણિ નામના
સ્વસ્થ અને સુખમય બને તેવા મંતવ્યો લેખકે અહીં તેની પ્રતીતિ વાચકને ગ્રંથના પાને પાને થાય છે. શિષ્ય રચેલ ચતુ:શરણ નામનો આ પયaો છે.
રજૂ કર્યા છે. જીવનમાં થોડી સાવધાની રાખીએ શ્રી હસમુખ દોશીએ આ ગ્રંથમાં રમણલાલના શ્રી આદિનાથના ૮૪૦૦૦ શિષ્યા શિષ્યો હોવાથી
તો ઘણાં જીવોનું રક્ષણ કરી શકીએ અને તે દ્વારા અધ્યયન વિસ્તાર, સામાજિક, રાજકીય મંતવ્ય વિશે
તેમના ૮૪૦૦૦ પન્ના તથા શ્રી વર્ધમાન પર્યાવરણનું રક્ષણ પણ થાય. સ્પષ્ટતા કરી છે. આ ગ્રંથ દ્વારા મનોવૈજ્ઞાનિક સ્વામીના ૧૪૦૦૦ શિષ્યો હોવાથી ૧૪૦૦૦
વિશ્વનો કોઈ પણ ધર્મ–હિંદુ, જૈન, મુસ્લિમ, દૃષ્ટિએ રમણલાલના માનસનું અન્વેષણ કરી વિનાની રચના થયેલ છે. પૂવાચાયાએ ૪૫ પારસી, ખ્રિસ્તી કે શીખ ધર્મ હિંસા કરવાની પ્રેરણા તેમના સમગ્ર વ્યક્તિત્વનું દર્શન કરાવવાનો આગમો સૂત્રોની ગણતરીમાં ૧૦પયન્નાને સ્થાન આ
આપતો નથી. માનવધર્મ અને આપણા સ્વાથ્યને લેખકનો પ્રયાસ અહીં નિહાળી શકાય છે. આપ્યું છે. જેમાં ચતુ:શરણ પયત્નો પ્રથમ સ્થાને
ધ્યાનમાં રાખીને ઘણી બાબતો આ પુસ્તકમાં રમણલાલની સાહિત્યયાત્રા યુગબળો સાથે કેવી
આવરી લેવામાં આવી છે. રીતે સંકળાયેલી છે તે પણ સારી રીતે સમજાવ્યું
જૈન શાસનમાં આરાધકોને પરમ પદ પામવા
ઓછામાં ઓછી હિંસા કુદરત સાથે તાદાભ્ય માટેની અનેક આરાધનાઓ પ્રસિદ્ધ છે. જેમાં
દર્શાવે છે. પૂર્વજો આ બધી બાબતોનું ધ્યાન રાખી શ્રી હસમુખ દોશીનો આ મહાનિબંધ અંતિમ આરાધના અતિશય મહત્ત્વની છે. અંતિમ
જીવન જીવતા હતા તેથી નિરોગી અને દીર્ધાયુ રમણલાલના વાગમયને જ નહિ પરંતુ આરાધનાનું અનેક પ્રકારનું વર્ણન આગમ તથા
હતા. આ બધી જયણાનું પાલન નાશ પામતાં વ્યક્તિત્વને પણ આવરી લે છે. તે સમયનું હિન્દ ઉપદેશ ગ્રંથોમાં મળે છે.
લોકોનું આયુષ્ય ઘટતું જાય છે. અને ગુજરાત, રમણલાલની કલાની સિદ્ધિઓ અને
વર્તમાન કાળે ૧. ચતુ:શરણ પયત્નો, ૨. શ્રી “જયણા' જૈન ધર્મનો ખૂબ મોટો અને મર્યાદાઓ વિશે પ્રતિષ્ઠિત વિવેચકોના અભિપ્રાયો
ચાતુર પ્રત્યાખ્યાન, ૩. શ્રી ભક્તપરિજ્ઞા અને ૪. મહત્ત્વનો શબ્દ છે. જયણા જીવરક્ષા. આખો જેન વગેરે હસમુખ દોશીના પરિશ્રમ, વ્યવસ્થા તથા
શ્રી સંસ્કારક પયગ્નો. આ ચાર સૂત્રોમાં અંતિમ ધર્મ આ શબ્દની આસપાસ વણાયો છે. જીવોની વિવેક બુદ્ધિની પ્રતીતિ કરાવે છે.
આરાધનાને ખૂબ જ સ્પષ્ટતાથી અને રોચક રક્ષા એ સર્વના સ્વસ્થ અને સુખી જીવનની મહામૂલી સાહિત્ય રસિકો, પ્રાધ્યાપકો અને પીએચ.ડી.
પદ્ધતિથી જણાવવામાં આવી છે. જેમાંથી અહીં શ્રી ચાવી છે. કરનાર સર્વેને ગમે તેવો અને વાંચવા-વસાવવા ચતુ શરણ પયુનાનું પ્રકાશન કરવામાં આવ્યું છે.
વર્તમાનકાળમાં જીવાતા જીવનમાં દરેકને જેવો આ ગ્રંથ છે.
શ્રી ચતુદશરણ પન્ના સૂત્રમાં મુખ્ય ત્રણ ઉપયોગી થાય તેવું આ પસ્તક છે. XXX અધિકાર છે. (૧) ચતુઃ શરણ સ્વીકાર, (૨) દુષ્કૃત
‘ફાસ્ટ ફૂડની સ્વાદ લોલુપતામાં અટવાયેલા પુસ્તકનું નામ : શ્રી રતુ:શર પ્રકીર્ણમ્ ગહ, (૩) સુકૃત અનુમોદના.
જીવો અને મનોરંજનના ઓથા હેઠળ હિંસાત્મક મુલાગમ કર્તા:
ચતુ:શરણ પયગ્નો ઉત્કાલિક છે. તેનો
પ્રવૃત્તિઓમાં રમમાણ છે. જીવોને એક નવી દિશા, શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી વિહત દીક્ષિત સ્વાધ્યાય કોઈ પણ સમયે કરી શકાય છે.
નવા વિચાર અને સૂઝ પ્રાપ્ત થશે.” * * * પૂજ્યપાદ વીરભદ્રગણિ મહારાજા
આત્માના આરાધક મુમુક્ષોએ અધ્યયન કરવા
વસાવવા જેવો આ અમૂલ્ય ગ્રંથ છે. સંપાદક-સંશોધનકાર :
બી/૪૨, દયાનંદ સોસાયટી,એ/૧૦૪, ગોકુલ
ધામ, ગોરેગામ (ઈસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૬૩. પ્રવચન પ્રભાવક પૂજ્ય પાદાચાર્ય
XXX
ફોન નં. : ૨૨૯૨૩૭૫૪
कम्
Page #27
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન
જૈન પારિભાષિક શબ્દકોશ,
a ડૉ. જિતેન્દ્ર બી. શાહ
(જાન્યુઆરી-૨૦૦૯ત્ના અંકથી આગળ) ૫૨૪. પરલિંગ
: જૈનેતરપંથનું લિંગ. परलिंग
: નૈનેતર પંથ વા તિ! Parlinga
: One Possessing the linga charactristic of a non-Jaina. ૫૨ ૫. પરવિવાહકરણ : પોતાની સંતતિ ઉપરાંત કન્યાદાનના ફળની ઇચ્છાથી કે સ્નેહસંબંધથી બીજાની સંતતિના વિવાહ કરી
દેવા, તે પરવિવાહકરણ. परविवाहकरण : निजी संतति के उपरांत कन्यादान के फल की इच्छा से अथवा स्नेह संबन्ध से दूसरे की संतति का विवाह कर देना
परविवाहकरण है। Parvivahkarana : Not being content with arranging the marriage of one's own children to do the same in the
case of someone else's children either out of affection or with a view to reaping the
beneficial fruit of Kanyadana ૫૨૬. પરવ્યપદેશ (અતિચાર) : પોતાની દેય વસ્તુને “એ પારકાની છે” એમ કહી તેના દાનથી પોતાની જાતને માનપૂર્વક છૂટી કરી
લેવી, તે પરવ્યપદેશ. परव्यपदेश
: अपनी देय वस्तु को 'यह दूसरे की है' ऐसा कह कर उसके दान से अपने आपको मानपूर्वक बचा लेना परव्यपदेश
Parvyapdesh : To say about one's own possession that if belongs to someone else, so as to absolve (Atichar)
oneself honourably from the duty to donate it. ૫૨૭. પરાઘાત (નામકર્મ) : દર્શન કે વાણીથી બીજાને આંજી નાંખે એવી દશા પ્રાપ્ત કરાવનાર કર્મ તે ‘પરાઘાતનામ.”
पराघात (नामकर्म) : दर्शन या वाणी से दूसरे को निष्प्रभ कर दे ऐसी दशा प्राप्त करानेवाला कर्म पराघात । Paraghata : The Karma on account of which one beats down others through ones appearance or
(Namkarma) through one's speech that is called Paraghata-nama. ૫૨૮. પરિગ્રહ
: આ વસ્તુ મારી છે અને હું એનો માલિક છું એવો સંકલ્પ રાખવો, તે પરિગ્રહ. परिग्रह
: यह वस्तु मेरी है और मै इसका मालिक हूं ऐसा संकल्प करना परिग्रह है। Parigrah
: An emphatic assertion to the effect that this thing is mine while I am its owner is
accumulation of possession. ૫૨૯. પરિણામ
: પોતાની જાતિનો ત્યાગ કર્યા વિના થતો દ્રવ્યનો અપરિસ્પંદરૂપ પર્યાય જે પૂર્વાવસ્થાની નિવૃત્તિ અને
ઉત્તરાવસ્થાની ઉત્પત્તિરૂપ છે, એને પરિણામ સમજવો. परिणाम
: स्वजाति का त्याग किए बिना होनेवाला द्रव्य का अपरिस्पन्द रुप पर्याय, जो पूर्वावस्था की निवृत्ति और उत्तरावस्था की
उत्पत्तिरुप है, उसे परिणाम समझना चाहिए। Parinama
: One's being - that is, one's retaining, one's specific nature and yet undergoing origination
and destruction is Parinama. ૫૩૦. પરિણામી નિત્યતા : મૂળ વસ્તુ ત્રણેય કાળમાં સ્થિર રહ્યા છતાં દેશ, કાળ આદિ નિમિત્ત પ્રમાણે ફેરફાર પામ્યા કરે એ
પરિણામી નિત્યતા. परिणामी नित्यता : तीनों कालो में मूल वस्तु के कायम रहने पर भी देश, कालादि के निमित्त से यदि परिवर्तन होता रहता है - वह परिणामी
नित्यता है। Parinaminityata : When the basic entity persists there in all the three phases of time and yet there is
change pertaining to place, time etc. that is the state of Parinamanityata. ૨૦, સુદર્શન સોસાયટી, ૨, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩.
(વધુ આવતા અંકે)
Page #28
--------------------------------------------------------------------------
________________ Regd. With Registrar of Newspapers for India No. R. N. I. 6067/57 Posted at Patrika Channel sorting office Mumbai-400 001.On 16th of every month Regd. No. MH/MR/ SOUTH-146/2009-11 PAGE No. 28 PRABUDHHA JIVAN DATED 16 FEBRUARY, 2009 પંથે પંથે પાથેય... રિક્ષાવાળો કોલકતા અનેક વિવિધતા અને વિરોધાભાસથી અને અભાવમાં જીવી રહેલો એ રિક્ષાવાળો કઈ ભરેલું અજાયબ મહાનગર છે. આ શહેર રીતે પોતાને લોભ-લાલચથી દૂર રાખતો હશે? જમીનદારો અને નાના-મોટા રજવાડાઓની મોટા શહેરની ઝાકઝમાળથી તે કેમ અંજાતો આલિશાન રાજબાડીઓથી છવાયેલું છે. એટલે નથી? અંગ્રેજો તેને 'City of Palaces' - મહેલોની મેં અનુભવ્યું છે કે કોલકતાના રિક્ષાવાળા નગરી કહેતા હતા. પરંતુ આ રાજબાડીઓ અને 3 હર્ષદ દોશી ગરીબ હોવા છતાં વિશ્વાસુ છે. આજ પણ હજારો મહેલો ઝુંપડપટ્ટીઓથી ઘેરાયેલી છે. વૈભવશાળી નાના બાળકોને, ઘરના કોઈ પણ સભ્યના સાથ મોટરગાડીઓની સાથેસાથે માણસથી ખેંચાતી- ઉપર ઉતારી ટેક્સી શોધવામાં મુશ્કેલી પડતી હતી. વગર, સમયસર અને સલામત રીતે નિશાળે ચાલતી હાથરિક્ષાઓ પણ અહીં જ જોવા મળે છે. મારી મુંઝવણ જોઈને રિક્ષાવાળો મારી મદદે પહોંચાડવાનું અને પાછા ઘેર લાવવાનું કામ પૂરા ભારતમાં રિક્ષા સાઈકલથી ચાલે છે ત્યારે આવ્યો. તેણે કહ્યું, “સાહેબ, તમે ટેક્સી શોધો. રિક્ષાવાળા કરે છે. તડકો કે વરસાદ, દરેક ઋતુમાં એક માત્ર કોલકતામાં માણસથી ખેંચાતી હાથરિક્ષા હું તમારા સામાનનું ધ્યાન રાખીશ.' મા-બાપ તેમના બાળકોને નિશ્ચિત થઈને, પૂરા જોવા મળે છે. એક હાથરિક્ષામાં સામાન સાથે બે હું વાહનોની ભીડમાં ટેક્સી શોધવામાં ભરોસા સાથે રિક્ષાવાળાને સોંપે છે. માણસોને સવાર થયેલા જોઈને કોલકતામાં નવો - પરોવાય. સાથે સાથે ત્રાંસી આંખે સામાન ઉપર ચોમાસામાં કોલકતાની શેરીઓ વરસાદના આવનાર આઘાતથી સ્તબ્ધ થઈ જાય છે. તેને રિક્ષા પણ મારી નજર હતી. પરંતુ ટેક્સી પકડવી હોય પાણીમાં ડૂબેલી હોય છે ત્યારે બીજો બધો ચલાવનાર કમનસીબ પ્રત્યે હમદર્દી થયા વગર તો સામાનથી નજર હટાવવી પણ પડે. તેમાં વાહનવ્યવહાર ખોરવાઈ જાય છે. એક માત્ર રહેતી નથી. તેને સહેજ પ્રશ્ન થાય છે કે માણસથી સામાનની સલામતીનો ભય હતો. રિક્ષાવાળો મારી રિક્ષાવાળા જ બાળકો, વૃદ્ધો અને અશક્તોને ખેંચાતી હાથરિક્ષામાં બેસીને કોઈ કેવી રીતે મુસાફરી મુંઝવણ સમજી ગયો. “સાહેબ, સામાનની ચિંતા સહીસલામત ઘેર પહોચતો કરે છે. કરી શકે ? એ રિક્ષા ખેંચનારનું જીવન કેવું હશે ? ન કરો. માણસના ભવમાં હું ઘોડાનું કામ કરી આ રિક્ષાવાળાનો ખોરાક શું છે? આટલી - કોલકતાના મોટા ભાગના રિક્ષાવાળાઓ બિહારી રહ્યો છું. હવે તમારો સામાન ઉચાપત કરીને તનતોડ મહેનતને અંતે કયા પોષક તત્ત્વો તેના છે. બિહારના જમીનવિહોણા અને નિરક્ષર આવતા ભવે ક્યાં જઈશ ?" શરીરને ટકાવી રાખે છે? ગ્રામવાસીઓ કારમી ગરીબી અને વંશપરંપરાના રિક્ષાવાળાના શબ્દોએ મને આંચકો આપ્યો. બપોરના સમયે કોલકતાની ફૂટપાથ ઉપર દેણામાંથી છૂટવા માટે મોટી સંખ્યામાં કોલકતા તેની બાહ્ય ગરીબી અને ચિંથરેહાલ અવસ્થા જોઈને રિક્ષાવાળા ભોજન લેતા નજરે પડે છે. થોડું નિમક આવે છે. તેમાંનો સારો એવો ભાગ રિક્ષા ખેંચવાનું તેની આંતરિક અમીરી અને ખમીરને જોઈ ન અને પાણી મેળવેલો એક પવાલું સંતુનો લોટ કામ કરે છે. શકવા બદલ મને શરમ આવી. તેની ઉપર શંકા (શેકેલા ચણાનો લોટ), લીલા મરચાં અને ડુંગળી મેં પોતે રિક્ષામાં બેસવાનું હંમેશાં ટાળ્યું છે. કરીને હું અન્યાય કરી રહ્યો હતો તેવી લાગણી તેનું ભોજન છે. દાળ-ભાત, શાક, તેલ-ઘી કે છેલ્લા 25 વર્ષથી રિક્ષામાં બેસવાનું યાદ નથી. થઈ. અથાણાનો વૈભવ તેને પોસાતો નથી. મિઠાઈ અને તે પહેલા પણ જ્યારે અનિવાર્ય સંજોગોમાં રિક્ષામાં દરરોજ રિક્ષાવાળાને માણસનો ભાર ખેંચતા ફરસાણ તો તેને સ્વપ્નમાં જ જોવા મળતા હશે. બેસવું પડ્યું છે ત્યારે થયેલા થોડા અનુભવો કાયમ જોઈને આપણી સંવેદનાની ધાર બુઠ્ઠી થઈ ગઈ ઘોડો આખા ચણા ખાય છે. રિક્ષાવાળો નસીબદાર માટે હૃદયમાં કોતરાઈ ગયા છે. છે. આપણને માણસ અને પશુનો તફાવત દેખાતો છે કે તેને ચણા લોટરૂપે મળે છે. સાથે થોડું નિમક, વર્ષો પહેલા હું કોલકતાના બડાબજા૨ નથી. એ રિક્ષાવાળાએ જ્યારે કહ્યું કે માણસના મરચું અને ડુંગળી! મોટા ભાગના રિક્ષાવાળા વિસ્તારમાં રહેતો હતો ત્યારે મારે અવારનવાર ખોળિયામાં રહીને ઘોડાનું કામ કરી રહ્યો છું ત્યારે ચાલીસ વર્ષે ટી.બી.ના શિકાર બને છે. બહારગામ જવાનું થતું હતું. એ સમયે ટેક્સીની તેની આંતરવ્યથા કેવી હશે? ઉનાળાના ખરા બપોરે, ધોમ ધખતા તાપમાં તંગી હતી. ટેક્સી ડ્રાઈવરો ગીચ બડાબજારમાં જતા આજ જ્યારે ભણેલા-ગણેલા, સુખી શ્રીમંતોના રસ્તાને આજ જ્યારે ભણેલા-ગણેલા, સુખી શ્રીમંતોના રસ્તાનો ડામર પીગળવા લાગે છે ત્યારે રિક્ષાવાળાના નહીં. એટલે સ્ટેશને જવા માટે રિક્ષામાં પાસના કરોડોના કૌભાંડના સમાચાર સાંભળું છું ત્યારે ચંપલ ડામરમાં ચોંટી જાય છે. તે ચંપલ સાથે બ્રબર્ન રોડ પહોંચીને ટેક્સી પકડવી પડતી હતી. એ રિક્ષાવાળાનો ચહેરો આંખ સામે તરવરે છે. રિક્ષા ચલાવી નથી શકતો એટલે આગ ઝરતા એકવાર સ્ટેશન જવા માટે હું બ્રેબર્ન રોડ સમૃદ્ધિ છલકી રહી છે, વૈભવમાં આળોટી રહ્યા તાપમાં તે ઉઘાડા પગે રિક્ષા ચલાવે છે. જ્યારે પહોંચ્યો. રાતના 8 વાગ્યા હતા. ટેક્સીની તંગી, છે, છતાં ધનની લાલસા આગની જેમ ભભૂકી મોટા ભાગના માણસો ગરમીમાં ઘર બહાર પણ ભીડ અને ટ્રાફિકની ભરમારને કારણે ટેક્સી માટે રહી છે અને ખોટું કરતા અચકાતા નથી તેવા નીકળતા નથી ત્યારે એ ઉઘાડા પગે કઈ રીતે રસ્તા દોડાદોડી કરવી પડે તેમ હતું. સામાન ફૂટપાથ અમીરોને જોઈને આશ્ચર્ય થાય છે કે તદ્દન ગરીબી (વધુ માટે જુઓ પાનું 22) Printed & Published by Nirubahen S. Shah on behalf of Shri Mumbai Jain Yuvak Sangh and Printed at Fakhri Printing Works, 312/A. Byculla Service Industrial Estate, Dadaji Konddev Cross Rd, Byculla, Mumbai-400 027. And Published at 385, SVP Rd., Mumbai400004. Temparary Add.: 33, Mohamadi Minar, 14th Khetwadi. Mumbai-400004. Tel.: 23820296. Editor: Dhanwant T. Shah.