SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ પ્રબુદ્ધ જીવન જે. કૃષ્ણમૂર્તિ અને પ્રેમ – ડૉ. રણજિત પટેલ (અનામી) બૌદ્ધિક–વિશ્વમાં જે. કૃષ્ણમૂર્તિને નહીં ઓળખનારા વિરલ જ હરો, થિયોસોફીનું નામ પડે એટલે એની બિસન્ટ, ઘેડ બિટર સાથે જ જે. કૃષ્ણમૂર્તિનું સ્મરણ થાય જ. માનવજાતની મૂળભૂત અનેક સમસ્યાઓની છણાવટ તેમણે અનેક ગ્રંથો અને પ્રવચન દ્વારા મૌલિક રીતે કરી છે. આલ્ડસ હસ્કલીની પ્રસ્તાવના સમેત એક બ્રિટીશ પ્રકાશકે First & Last Freedom નામે પુસ્તક પ્રગટ કર્યું છે જેમાં છે. ‘લવ એન્ડ લસ્ટ’ ‘પ્રેમ અને મોહ'ની ભેદરેખા લેખકે સ્પષ્ટ કરી છે. 'જાતીયવૃત્તિ'ની ચર્ચા કરતાં તેઓ કહે છેઃ 'આપણે ઈશ્વરને પ્રશ્નરૂપ બનાવ્યો છે...આપણે પ્રેમને પ્રશ્નરૂપ બનાવ્યો છે. જાતીયવૃત્તિ એ ખરેખર પ્રાસંગિક પ્રશ્ન છે. (પૃ. ૨૦૪)...એ પવિત્ર નથી કે અપવિત્ર પણ નથી. દુનિયાના અત્યારના ગાંડપણનું, દુનિયાની અત્યારની ધેલછાનું પરિવર્તન પ્રેમ જ કરી શકે. (પૃ. ૨૧૧) મન જે. કૃષ્ણમૂર્તિના લખાણ અને ધ્વનિ મુદ્રિત વાર્તાલાપના સંગ્રહ-પ્રેમનો અનાદર કરે છે અને પ્રેમ વિના પવિત્રતા આવતી નથી. માંથી ચયન કરેલા વાર્તાલાપોને મુદ્રિત કરવામાં આવ્યા છે જે ગ્રંથનો ગુજરાતી અનુવાદ શ્રી હીરાલાલ બક્ષીએ 'મુક્તજીવન' નામે પ્રગટ કર્યો છે, જેમાં જે. કૃષ્ણમૂર્તિના પ્રેમ-વિષયક વિચારોની પર્યેષણા કરવામાં આવી છે. પ્રેમ નથી માટે જ જાતીયવૃત્તિને પ્રશ્નરૂપ બનાવ્યો છે. (પૃ. ૨૦૮) જાતીયતાના આ વિરોધભાવને સ્પષ્ટ કરતાં લખે છેઃ ' સિનેમામાં જવું અને પડદા પર સ્ત્રીઓને નીરખવી, વિષયી વિચારને ઉત્તેજિત કરે એવાં પુસ્તકો કે અર્ધનગ્ન ચિત્રોવાળાં માસિકો વાંચવાં, સ્ત્રીઓ તરફ દૃષ્ટિ કરવાની તમારી રીત,અરસપરસનાં કપટી નયનો...આ સઘળું અહમને પ્રબળ બનાવવામાં મનને ખોટી રીતે ઉત્તેજન આપી રહ્યું છે અને સાથે સાથે તમે માષાળુ, પ્રેમાળ અને નમ્ર બનવાનો પ્રયાસ કરી રહ્યા છો. આ બે સાથે બની શકે નહિ...જાતીય ભોગની ક્રિયા પ્રશ્નરૂપ નથી પણ મન પ્રશ્નરૂપ છે. (પૃ. ૨૦૭). કવિવર રવીન્દ્રનાથ ઠાકુરે સ્વના વિકાસ માટે ને વ્યક્તિત્વને વિકસાવવા માટે માનવસંબંધોની હિમાયત કરી છે. જીવનનો અર્થ સમજાવતાં, એ શીર્ષકવાળા લેખમાં જે. કૃષ્ણમૂર્તિ લખે છેઃ ' જીવન એટલે સંબંધ. સંબંધમાં થતું કાર્ય એ જીવન. પ્રેમને શોધવાથી તમો પ્રેમ મેળવી શકશો ? પ્રેમ કેળવી શકાય નહીં, પ્રેમને તમે સંબંધની બહાર નહીં પણ સંબંધમાં જ પિછાની શકો. અને આપણામાં પ્રેમ નથી માટે જ આપણે જીવનનો હેતુ જાણવા માગીએ છીએ. પ્રેમને પોતાની અનંતતા છે અને જ્યાં પ્રેમ છે ત્યાં ઈશ્વરની શોધ રહેતી નથી કારણ કે પ્રેમ એ જ પ્રભુ છે. (સરખાવી ન્હાનાલાલ; ‘પરમ પ્રેમ પરબ્રહ્મ’). જે માણસ ચાહતો નથી એ જ જીવનના હેતુનો જે પ્રશ્ન પૂછે છે. પ્રેમ કાર્યમાં એટલે સંબંધમાં જ પ્રાપ્ત થાય છે. (પૃ. ૨૬૦) આ જ ભાવ-વિચારને વધુ સ્પષ્ટ કરતાં, ‘ઈશ્વર’ નામના લેખમાં કહે છેઃ ‘પ્રેમ દર્શાવવા માટે કોઈ સાથી મેળવવો ઘણું જ વસમું છે. (પૃ. ૨૪૨), એની ચર્ચા કરતાં લખે છેઃ આપણી બધી ચર્ચાઓમાં આપણે ખરેખર એકબીજાને ચાહીએ તો તત્ક્ષણ સંબંધ થાય...અને જો પ્રેમ હશે તો અજ્ઞાતને તમે સમજશો, ઈશ્વર શું છે એ તમે જાકારો. મ પોતે જ અનંતતા છે. આપણામાં પ્રેમ નથી અને આપણે સુખી નથી જ માટે વસ્તુઓમાં આપણે સુખ મેળવવાની આશા રાખીએ છીએ. ઈશ્વર પણ આવી એક સુખ મેળવવાની વસ્તુ છે. (પૃ. ૨૪૩). ‘સત્ય અને અસત્ય' નામના લેખમાં પ્રેમનું પૃથક્કરણ કરતાં લખે છેઃ 'જ્યારે હું એમ કહ્યું કે, હું તોને ચા છું ત્યારે એમાં ઈર્ષા, અદેખાઈ, ચિંતા, ભય સમાયેલાં છે...અને ઈતના હી સમજ લીજો ઈક આગકા દરિયા હૈ, ઔર ડૂબકે જાના હૈ.' ઇશ્કે મિજાજી ને ઇશ્કે હકીકી-બેઉ રીતિએ પ્રેમનું નિરૂપણ થયું એ જ અસંગતિ છે.’ (પૃ. ૨૪૦) ‘નૂતન અને પુરાતન’ નામના અઢી અક્ષરનો આ શબ્દ (પ્રેમ) શસ્ત્ર અને શાસ્ત્ર બેઉ છે. અત્યાર સુધીમાં વધુમાં વધુ રિમા પ્રાપ્ત કરનાર ને વધુમાં વધુ બદનામ થનાર કોઈ શબ્દ હોય તો તે પ્રેમ છે. કબીર અને કમાલે, પિતા-પુત્રે આ શબ્દનો સાર્યકપણે કાવ્યાત્મક પ્રયોગ કર્યો છે. કબીર કહે છે. પોથી પડી પડી જળ મુ. ભયા ન પંડિત કોઈ, ઢાઈ અચ્છર, પ્રેમ કા પઢે સો પંડિત હોઈ કબીર કહે છેઃ જગતનાં બધાં જ થોથાંપોથાં ફેંદી નાખ્યાં પણ કોઈ સાચા અર્થમાં પંડિત થઈ શક્યા નહીં. પણ જેમણે અઢી અક્ષરના આ શબ્દના સાચા અર્થને અને ધર્મને જાણ્યો તેઓ પોથી પંડિનો' કરતાં આગળ નીકળી ગયા ને 'સાચા પ્રેમપંડિત” બની ગયા. એક ભજનમાં કબીર કર્યો છે પ્રેમનગરમેં હનિ મારી, ભલી બની આઈ સબૂરીમેં. તો સંત ભક્ત કવિ કબીરનો પુત્ર કમાલ કહે છે: ‘કહત કમાલ પ્રેમ કે મારગ તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯ સીન્ન દિયા ફિર ચેના ક્યા?" કવિ પ્રીતમે પ્રેમના ને કરિના માર્ગને ‘શૂરાનો મારગ' કહ્યો. છે. પ્રેમ-પંથ એ તો પાવકની જ્વાલા છે. એમાં ‘પરથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને' એવો ઘાટ છે. કવિવર ન્હાનાલાલ એમના એક કાવ્યમાં પરમ પ્રેમને પરબ્રહ્મ કર્યા છે, જ્યારે જિગર મુરાદાબાદીએ કહ્યું છે. યહ ઈશ્ક નહીં આસાં
SR No.526007
Book TitlePrabuddha Jivan 2009 02
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size572 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy