________________
તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૯
દેવદેવીઓના પૂર્વભવોની કથા મળે છે.
અન્ય આગમોમાં ‘ઉત્તરાધ્યયનસૂત્ર' જે મૂળસૂત્ર ગણાયું છે તેમાં નમિ નામે પ્રત્યેકબુદ્ધની પ્રવ્રજ્યાકથા, કપિલમુનિનું ચરિત્ર, હરિકેશબલ સાધુનું ચરિત્ર, ઇક્ષુકાર રામ, મૃગાપુત્ર, અનાથ મુનિ, સમુદ્રપાલ, રથનેમિની કથાઓ તેમજ પાર્શ્વનાથશિષ્ય કેશીકુમાર અને મહાવીરશિષ્ય ગૌતમ વચ્ચેની સંવાદકથા પ્રાપ્ત થાય છે.
પ્રબુદ્ધ જીવન સમાવેશ થાય છે.
વિવરણગ્રંથો અને ધર્મગ્રંથો અંતર્ગત : સમયાંતરે વિવિધ ગીતાર્થો દ્વારા આ આગમગ્રંથો ઉપર નિર્યુક્તિઓ, ભાષ્યો, ચૂર્ણિઓ, ટીકા અને વૃત્તિઓની રચના થઈ. આગમગ્રંથોમાં ઉલ્લેખાયેલી કથાઓનો આધાર લઈને જુદાજુદા વૃત્તિકારોએ એ કથાઓને વિસ્તૃતરૂપે આલેખેલી છે તેમજ અન્ય પૂરક કથાનકો પણ આ ટીકાગ્રંથોમાં
૧૭
કથાકોશો : સંસ્કૃત-પ્રાકૃતમાં કેટલાક કથાગ્રંથો એવા મળે છે જે કથાકોશની ગરજ સારે છે. હરિષણનો ‘બૃહત્કથાકોશ’ પ્રાચીન કથા કોશ છે; જેમાં ૧૫૭ કથાઓ છે. એમાં ભદ્રબાહુની કથા નોંધપાત્ર બની છે. વિમલસૂરિનું ‘પઉમચરિય’, જિનસેનનું ‘હરિવંશપુરાણ’, શીલાંકનું ‘ચઉપન્નમહાપુરિસચરિયું', ભદ્રેશ્વર કૃત ‘કથાવલિ', હેમચંદ્ર'નું ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર', શુભશીલગણિની ‘ભરતેશ્વર-બાહુબલિ વૃત્તિ', સોમપ્રભાચાર્યકૃત ‘કુમારપાલ–પ્રતિબોધ', વિજયલક્ષ્મી કૃત ‘ઉપદેશપ્રાસાદ’ તેમજ ઉપ૨ જેનો ઉલ્લેખ કર્યો તે ‘ઉપદેશમાલા’, ‘ઉપદેશપદ’, ‘શીલોપદેશમાલા’ વગેરે કથાકોશ પ્રકારના કથાગ્રંથો છે.
‘ત્રિષષ્ટિ’માં ૬૩ શલાકાપુરુષોનાં ચરિત્રો છે, જેમાં ૨૪ તીર્થંકરો, ૧૨ ચક્રવર્તીઓ, ૯ વાસુદેવ, ૯ બળદેવ અને ૯ પ્રતિવાસુદેવના ચરિત્રોનો સમાવેશ છે. આ ગ્રંથના ૧૩મા પર્વમાં મહાવીરચરિત્રની સાથે સાથે શ્રેણિક, કોણિક, ચેલ્લણા, મૃગાવતી, ધન્ના-શાલિભદ્ર, દર્દશંક દેવ અને જાસા સાસાની કથાઓ પણ સંકળાયેલી છે.
સ્થાન પામ્યાં છે. જેમકે ‘ઉત્તરાધ્યયન’ પરના ટીકાગ્રંથોમાં ૨૨ પરીષહોની કથાઓ વિસ્તારથી મળે છે. ‘નંદીસૂત્ર' પરની મલયગિરિની ‘નંદી–અધ્યયનવૃત્તિ’માં બુદ્ધિના ચાર પ્રકારો પરની બુદ્ધિચાતુર્યની રસિક લૌકિક કથાઓ ઉપલબ્ધ છે.
જેમ આગમિક વિવરણગ્રંથોમાં તેમ આગમેતર ધર્મગ્રંથો અને તે-તે ધર્મગ્રંથો પરના ટીકાગ્રંથોમાં પણ થોકબંધ કથાઓ સમાવેશ પામી છે. જેમકે ધર્મદાસગણિનો ‘ઉપદેશમાલા’, હરિભદ્રસૂરિનો ‘ઉપદેશપદ', જયકીર્તિનો ‘શીલોપદેશમાલા', મલધારી
વિજયલક્ષ્મીના ‘ઉપદેશપ્રાસાદ'માં ૩૫૭ કથાનકો છે. જેમાં ૩૪૮ દૃષ્ટાંતકથાઓ અને ૯ પર્વકથાઓ છે. શુભશીલગણિની
હેમચંદ્રસૂરિનું ‘પુષ્પમાલા પ્રકરણ’, શાંતિસૂરિનું ‘ધર્મરત્નપ્રકરણ’‘ભરતેશ્વર-બાહુબલિ વૃત્તિ' એ મૂળમાં તો ૧૩ ગાથાની
વગેરે ગ્રંથોમાં અનેક કથાઓ નિર્દિષ્ટ છે. આ ધર્મગ્રંથો પર રચાયેલા ટીકાગ્રંથોમાં એ કથાઓનો વ્યાપ વિસ્તરે છે. ધર્મદાસગણિના ‘ઉપદેશમાલા’ ઉપર ૧૦મીથી ૧૮મી સદી સુધીમાં વીસેક જેટલી સંસ્કૃત ટીકાઓ લખાઈ છે. એમાં સિદ્ધર્ષિગણિ કૃત ‘હેયોપાદેય’ ટીકામાં સંક્ષેપમાં જૈન પરંપરાના ચરિત્ર-કથાનકો મળે છે. પાછળથી વર્ધમાનસૂરિએ પ્રાકૃતમાં બીજા કથાનકો એમાં ઉમેર્યાં છે.
‘ભરતેશ્વર-બાહુબલિ સજ્ઝાય'માં નિર્દેશાયેલા ધર્માત્માઓ અને સતી નારીઓના ચરિત્રાત્મક કથાનકોનો સંગ્રહ છે. જેમાં ભરતથી મેઘકુમાર સુધીના ૫૩ પુરુષો અને સુલસાથી માંડી રેણા સુધીની ૪૭ સતી સ્ત્રીઓની કથાઓ છે.
હરિભદ્રસૂરિની પ્રાકૃત રચના ‘ઉપદેશપદ’ પર વર્ધમાનસૂરિએ અને મુનિચંદ્રસૂરિએ ટીકાઓ લખી છે. આ ગ્રંથોમાં મનુષ્યભવની દુર્લભતાનાં દસ દૃષ્ટાંતો અપાયાં છે તેમજ ચાર પ્રકારની બુદ્ધિ – ઔત્પત્તિકી, વૈનયિકી, કાર્મિકી અને પારિણામિકી – ને લગતી ૮૩ જેટલી દૃષ્ટાંતકથાઓ મળે છે. એમાં નટપુત્ર ભરત રોહાની ઔત્પત્તિકી બુદ્ધિનાં અપાયેલા દૃષ્ટાંતો અત્યંત રસિક છે. ‘પુષ્પમાલા પ્રકરણ’ના ૨૦ અધિકા૨ોમાં અહિંસા, જ્ઞાન, દાન, શીલ, તપ, ભાવના, ચારિત્રશુદ્ધિ વગેરેની પુષ્ટિ અર્થે દૃષ્ટાંતકથાઓ આપવામાં આવી છે. જયકીર્તિરચિત ‘શીલોપદેશ-માલા'ની સોમતિલકસૂરિ રચિત ‘શીલતરંગિણી’ વૃત્તિમાં ૩૯ કથાઓ ઉપલબ્ધ છે. કલિકાલસર્વત્ર હેમચંદ્રાચાર્યે રચેલા ‘યોગશાસ્ત્ર’ અને એની સ્વોપજ્ઞ ટીકામાં ઋષભદેવ, મહાવીર સ્વામી વગેરે તીર્થંકરો, બ્રહ્મદત્ત, ભરત, સુભૂમ, સનમાર આદિ ચક્રવર્તીઓ, ચિલાતીપુત્ર, દઢપ્રહારી, સ્થૂલિભદ્ર આદિ સાધુ મહાત્માઓ, આનંદ, ચુલણીપિયા વગેરે શ્રાવકો, સુદર્શન શ્રેષ્ઠી વગેરેના કથાનકોનો
સ્વતંત્ર જૈન કથનાત્મક કૃતિઓ/રાસાઓ : અહીં સુધીમાં તો આપણે સમૂહમાં એકાધિક કથાઓ સંગ્રહાઈ હોય એવા આગમ અને આગમેતર સંસ્કૃત-પ્રાકૃત કથાગ્રંથો અને કથાકોશોની વાત કરી. પણ જૈન પરંપરાની આ બધી ચરિત્રકથાઓ નિરૂપતા સ્વતંત્ર ગ્રંથો પણ સંસ્કૃત-પ્રાકૃતમાં પ્રચુર માત્રામાં રચાયા છે. એક જ વિષય ઉપર અનેક ગ્રંથો રચાયા હોય એનું પ્રમાણ પણ સારું એવું છે. જૂજ અપવાદ સિવાય મોટા ભાગના તીર્થંકર ચરિત્રો મહદંશે પ્રાકૃતમાં રચાયા છે. એમાંયે ‘સંતિનાહ ચરિય’ કે ‘મહાવીરચરિય' તો અનેક કવિઓને હાથે રચાયા છે. જૂની ગુજરાતીમાં પ્રવેશ કરીએ તો એ સાહિત્યનો આરંભ જ શાલિભદ્ર કૃત ‘ભરતેશ્વર-બાહુબલિ રાસ' અને વજ્રસેનસૂરિકૃત ‘ભરત- બાહુબલિઘો૨'થી થયેલો છે. પ્રાચીન-મધ્યકાલીન આપણા જૈન સાધુકવિઓને માટે તો જૈન પરંપરાના ચરિત્રાત્મક કથાનકોએ એમની રાસાકૃતિઓ માટે મોટો ખજાનો ખોલી આપ્યો છે. જૂજ અપવાદ સિવાય લગભગ મધ્યકાળના બધા જ જૈન કવિઓએ કથનાત્મક રાસારચનાઓ આપી છે એની અહીં યાદી આપવી એ પણ સમુદ્ર ઉલેચવા જેવું કપરું કામ બની જાય. કેવળ રાસા-કૃતિઓમાં જ નહીં, ફાગુ, બારમાસી,