Book Title: Prabuddha Jivan 2009 01
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 18
________________ ૧૮ પ્રબુદ્ધ જીવન જયભિખ્ખુ જીવનધારા : ૨ ૩ડૉ. કુમારપાળ દેસાઈ [જીવનને જિંદાદિલીથી જીવનાર અને મૂલ્યનિષ્ઠ સાહિત્ય રચનાર સાક્ષર ‘જયભિખ્ખુ’એ કલમને ખોળે જીવન વ્યતીત કરવાનો સંકલ્પ કર્યો હતો. રાષ્ટ્રપ્રેમ, નારીગૌરવ અને માનવમૂલ્યોને આલેખતા ૩૦ જેટલાં નાના-મોટા પુસ્તકોની એમણે રચના કરી હતી. એમની જન્મશતાબ્દી નિર્જિત્તે એમની જીવનકથાનું આ બીજું પ્રકર આપણા કરમના આપણે ધણી ફરી વાર માસીબાને ચક્કર આવતાં ભીખાલાલના માસા તેમના એણે ભગવા રંગનાં કપડાં પહેર્યાં હતાં. નીચે મદ્રાસીની માફક ધોતિયું માટે દવાખાનેથી દવા લઈ આવ્યા. વીંટાળ્યું હતું. શરીર પર પહોળું ફાળિયું વીંટાળ્યું હતું. ધોળી લાંબી દાઢી અને ડરામણી લાલઘૂમ આંખો. જેવો એનો દેખાવ ડરામણો, એવો જ એનો અવાજ ઘોઘરો અને ભયપ્રદ. એના મોટા ઘોઘરા અવાજથી નાનાં બાળકો છળી પડતાં. એના હાથમાં રહેલી ઝોળીમાં જાણે તિલસ્મી સંસારનો ખજાનો ભર્યો હોય તેવું લાગતું હતું. એમ કહેવાતું હતું કે એની આ ઝોળીમાં કંઈ કેટલીય ચમત્કારિક વિદ્યાઓ વસે છે. એમાં અલ્લાદીનની જાદુઈ વીંટી છે. અલીબાબાનો એકાએક દરવાજો ખોલી દેતો તિલસ્મી મંત્ર છે. સહુને નિદ્રાધીન કરવાની ખાપરા-બોડિયાની વિદ્યા પણ એમાં પડેલી છે. કંઈ કેટલીય સિદ્ધિઓથી એની ઝોળી ભરપૂર હોવાનું મનાતું. ડરામણા ગારુડીને બીમાર માસી પાસે લાવવામાં આવ્યો. એનો દેહ ડોલતો હતો. માસીને જોઈને એનો ચહેરો વધુ તંગ અને બિહામો બન્યો. લાલધૂમ આંખોથી એ એકીટશે માસીને જોઈ રહ્યો. માસા એના ભેદને સાંભળવા મૌન ધારણ કરીને ઊભા હતા. બાળક ભીખાલાલને આ સઘળો તાલ સમજાતો નહોતો. મંત્રધારકના દેખાવથી હૃદયમાં થોડો ભય જાગ્યો, પરંતુ માસીની બીમારીની એનાથી વધુ મોટી ચિંતા આગળ એ બાજુએ રહી ગયો.. ગારુડી થોડીવાર લાલધૂમ આંખે માસીને ધારીધારીને જોઈ રહ્યો. થોડા અડદના દાણા આડા-અવળા નાંખીને કંઈક ઊંડો વિચાર કરતો હોય તેમ મૂંગો બની ગયો અને પછી એકાએક કોઈ ભેદ કળી આપતો હોય એ રીતે ગાડીનો ઘોઘરો અવાજ ગાજી ઊઠ્યોઃ ‘અરે ઉસ્તાદના ઇલમની બલિહારી છે. માઈ, તને કોઇએ ભારે મૂઠ મારી છે. ઓમ, કાલી, મહાકાલી, ખુદાઈ ખપ્પરવાલી, તેરા વચન ન જાય કબુ ખાલી, અરે માઈ, કર્યો તો સામી મૂઠ ફેંકું, લોહીના ઝાડા કરાવું. ઉસ્તાદના ઇલમની પરખ તો જુઓ.' ગારુડીના આ શબ્દો સાંભળીને સહુ કોઈ ઉશ્કેરાઈ ગયા. બાળક ભીખાલાલને થયું કે સામી સૂંઠ ફેંકવામાં હવે વાર શી? માસી જેવા ભગવાનના માણસ ૫૨ મૂઠ ફેંકનારા મહાપાપીનો તો તત્કાળ નાશ થવો ઘટે. આ પૃથ્વી પરથી આવા અધર્મીનો ભાર તો હળવો કરવો જોઈએ. ભીખાલાલને થયું કે અબઘડી એ મૂઠ મારનારને સામી મૂઠ ફેંકીને મારી નાખવો જોઈએ. અને લોહીના ઝાડા કરાવવા જોઈએ. પાપીનો તો આવો જ અંત હોય ને ! આમ સહુ એક અવાજે ગારુડીને સંમતિ આપવા તૈયાર થઈ ગયા હતા. ત્યાં માસીએ ઉશ્કેરાઈને કોઈ બાળક ભીખાલાલને કાજે માતા, પિતા કે પરિવાર, બધું જ વહાલસોયાં માસીબા હતાં. આકાશના તારાઓમાં ભીખાલાલે સ્વર્ગસ્થ માતાને ઘણી શોધી, પણ ક્યાંય કોઈ અણસાર મળ્યો નહીં. આથી હૃદયમાં માતાને સ્થાને માસીની મૂર્તિને બિરાજમાન થયેલી અનુભવી હતી. આવાં માસીની કથળેલી તબિયતે ભીખાલાલને મૂંઝવી નાંખ્યા. એમની બાળપણની આનંદો-લ્લાસભરી સૃષ્ટિમાં એકાએક ઝંઝાવાતી તોફાન આવ્યું અને જાણે સઘળું આમતેમ ફંગોળાઈ ગયું. દવાખાનેથી માસા દવા લાવ્યા. પણ એ કારગત નીવડી નહીં અને રોગ તો વધતો ચાલ્યો. ગામડાગામમાં ફરતા એક જોશી આવી ચડ્યા. એમણે માસાને કહ્યું કે તમારા પર શનિની વક્ર દૃષ્ટિ પડી છે. પનોતી તમારી છાતી પર લોઢાના પાયે ચડીને બરાબર બેસી ગઈ છે. એને કોઈ પણ હિસાબે બતાવવી જોઈએ. બાળક ભીખાલાલને પનોતીના પરાક્રમની કે શનિની વક્ર દૃષ્ટિની કશી ખબર નહોતી, પણ એટલું લાગ્યું કે માસીને કોઈ હેરાન-પરેશાન કરે છે. માસાએ જોશી મહારાજને હાથ જોડીને વિનંતી કરતાં કહ્યું કે કંઈક એવો ઉપાય બતાવો કે જેથી આ પનોતી ટળી જાય. જોશી મહારાજે કહ્યું કે ‘શનિવારે ઉપવાસ રાખો અને બાર બ્રાહ્મણને જમાડો. તો જ શનિની વક્ર દ્રષ્ટિથી સર્જાતા અનિષ્ટમાંથી ઊગરી શકશો. આમ નહીં થાય તો ચોપાસ આપત્તિથી ઘેરાઈ જશો અને દુઃખના દરિયામાં ડૂબી જશો.' તા. ૧૬ જાન્યુઆરી, ૨૦૦૯ બાળક ભીખાલાલ જિજ્ઞાસાભરી આંખે અને આતુરતાભર્યા કાર્ને આ સઘળી વાત સાંભળી લાચાર બનતા જતા હતા. માસીની માંદગીમાં આખું ઘર નિરાધાર અવસ્થામાં આવી ગયું. ભીખાલાલના ચહેરા પરનું નૂર ઊડી ગયું હતું. ધીંગામસ્તીને તિલાંજલિ આપીને એ બીમાર માસી પાસે સૂનમૂન બનીને બેસી રહેતા હતા. આજથી એકસો વર્ષ પહેલાંના જમાનામાં અને તેય નાના ગામડામાં વહેમો અને માન્યતાઓનું મહારાજ્ય હતું. જીવનની પ્રત્યેક દુઃખદ ઘટનાના કારણ રૂપે કોઈ વહેમ કે માન્યતાને સાંકળી દેવામાં આવતી હતી. આથી ગરુડી જેવા લાગતા એક સ્નેહી મંત્રધારકને બોલાવી લાવ્યા.

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28