________________
તા. ૧૬ જાન્યુઆરી, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન
૧૯
કશું બોલે, તે પહેલાં ઉત્સાહ પર ઠંડું પાણી ઢોળતાં હોય તેમ બોલ્યા, વાળવાની તૈયારી રૂપે મુઠ્ઠીઓ પણ વાળી દીધી હતી. આવું ભારે દર્દ 'ભાઈ ઉત્સાદ, મારે કોઈને લોહીના ઝાડા-ઉલટી કરાવવાં નથી.આપનારને ઓળખીને સજા કરવી જોઈએ. ભીખાલાલને નામ
જાણવાની ચટપટી હતી, પણ ઉદાર મનનાં માસીએ ઘસીને ના પાડી. ઘણી સમજાવટ છતાં માસીની ‘ના' ‘હા' થઈ જ નહીં.
એ પછી ગાડી રોજ ઘેર આવતો હતો. પીરે ધીરે ઘરોબો થતાં છોકરાઓ સાથે હસીને વાર્તા કરતો અને સાથે એની ઝોળી ખોલીને ભીખાલાલ અને બીજાં બાળકોને બતાવતો. એ ઝોળીમાં એકાદ-બે સાપ હોય, એકાદ આંધળી ચાકણ હોય, બે પાટલા-ઘો હોય, કોંડા-શંખ અને મોરોનો તો પાર નહીં. બાળકો એની વાર્તા સાંભળે. ગારુડી કહેતો હોય કે દુનિયાના કોઈ પણ માણસનું જીવન અને મોત એની મુઠ્ઠીમાં છે. એ ધારે એને મારી શકે છે, એ ઈચ્છે એને બચાવી
શકે છે. મરણની અણીએ પહોંચેલાને ફરી જીવતા કરી શકે છે. ધીરે ધીરે ભીખાલાલનો ભય જતો રહ્યો. ગારુડીની માયાવી સૃષ્ટિમાં થોડા દિવસ વિહરતા રહ્યા. અદ્ભુત રસ ભરેલી એ દુનિયાનું કેટલોક સમય એમને આકર્ષણ રહ્યું,
કોઈ આપણું ભૂંડું શું કરે, એ તો આપણાં કરમ, વળી કરનારનાં કરમ કરનાર જાણો. આપણે આપણાં કરમનાં ધણી. કોઈ ભૂંડું થાય તો સામા આપણે ભૂંડા શા માટે થવું ? એમ ને એમ સારું થતું હોય તો કરો.'
માસીના ઉત્તરથી આખું વાતાવરણ પલટાઈ ગયું. એમનાં પરગજુ અને લાગણીશીલ સ્વભાવ ગંભીર બીમારીમાં કપરે સમયે પણ પ્રગટ થયો. ગારુડી ગમે તે કહે, પણ તેઓ કોઈના પર સામી મૂઠ મારવા તૈયાર નહોતાં. જો પોતાના પર કોઈએ મૂઠ મારી હશે તો અને એ દુષ્ટ કર્મનો બદલો ચૂકવવો પડશે. એનો ન્યાય કે સજા કરનાર પોતે
કોણ ? કર્મ જ માનવીના જીવનનો અધિપતિ છે.
જ
આજ સુધી મહારાજસાહેબો પાસેથી વ્યાખ્યાનોમાં કર્મની ન્યારી ગતિના ઉપદેશ સાંભળનાર માસી અંતિમ વેળાએ એ ધર્મસંસ્કાર ભૂલ્યાં નહીં. જીવલેણ બીમારીથી ડર્યા વગર અને કશાય ઇલાજથી લોભાયા વગર એમણે પોતાની ભાવના નિખાલસ ઢંઢતાથી પ્રગટ કરી. ગારુડીને લાગ્યું કે આ તો એની ધારક-મારક શક્તિનો સમૂળગો ઈન્કાર છે. એ ભયનું એક એવું વાતાવરણ રચતો કે ભલભલા હિંમતવાન પણ એની વાત સાંભળીને થરથરવા લાગતા હતા, પરંતુ માસીએ સ્વસ્થ ચિત્તે એને જવાબ વાળ્યો. માસા ચૂપ રહ્યા. ભીખાલાલને આવી નામરદાઈ પસંદ પડી નહીં.
માસીનો રોગ વધતો ચાલ્યો. આવી બીમારીમાં પણ એ સતત ભીખાલાલની ચિંતા કરતાં. કયારેક ખૂબ વહેલાં ઊઠીને રસોઈ કરી નાખતાં હતાં. પડોશીને ત્યાંથી પોતાને માટે નહીં, પણા ભીખાલાલને માટે વાટો દાળ કે કઢી માંગી લાવતાં, તો કોઈક વાર બાજુના ઘેર જઈ લોટ આપીને ભીખાલાલને માટે ચારેક રોટલી કરાવી આવતાં. ભીખાલાલને માટે બધું કરે, પોતાને માટે કશું નહીં. એને માટે પડોશીની
ગારુડીએ નવો દાવ અજમાવ્યો અને એણે ફરી વાર જરા વધુ મદદ લે, પરંતુ પોતાની બાબતમાં ભારે ટેકીલાં હતાં. આથી શરીર કરડાકીભર્યા અવાજે કહ્યું. સહેજ સ્વસ્થ લાગે ત્યારે થોડુંક રાંધી લે. જોકે એ રાંધેલું પણ ઘણી વાર એમ ને એમ પડ્યું રહેતું. એ ખવાય કે ન પણ ખવાય. રોગનો ક્યારેક એકાએક હુમલો થઈ આવે અને રાંધ્યાં થાન રખડી પડે. ઘણી વા૨ તો છાસ અને પાણી પર દિવસ પસાર કરતા. ભીખાલાલને સતત માસીની અને માસીને ભીખાલાલની ચિંતા રહેતી. આવે સમયે એક દિવસ માસીએ કહ્યું,
‘ભાઈ, આ તો મૂઠનું કામ. ફેંકવી સહેલી, પણ વાળવી આસાન નહીં. ‘ભલા ભલાઈ ના તજે” એ પણ ઉસ્તાદના બોલ છે. તમારી મરજી હશે તો તેમ કરી
‘મારું મોત હું દેખું છું, તે મારી પાંગતે આવી બેઠું છે.”
અને ચારેક દિવસમાં તો માસીની કુદરતી હાજતો બંધ થઈ ગઈ. મૃત્યુને સામે જોતાં હોય એ રીતે ઔષધ નહિ લેવાનો નિયમ લીધો. ભજન, સ્તવનો અને સાથો સાંભળવા માંડી. અંત સમયને ઓળખી ગયેલાં માસીએ સગાંવહાલાંઓને સંભારી સંભારીને બોલાવ્યાં અને મોટી જાત્રાએ જતાં હોય, તેમ સહુને ખમાવી(બમાપના કરી) લીધાં. ધીરે ધીરે પાણી પણા ગળાની નીચે ઊતરતું બંધ થયું. ચાર દિવસથી તો વાચા પણ બંધ થઈ ગઈ હતી.
ગારુડીએ માસા તરફ જોયું અને બોલ્યો, તમારે ફક્ત દસ રૂપિયા વધુ આપવા પડશે. મૂઠ હું ઝીલી લઈશ અને પછી એનું વમન કરીને બહાર કાઢી નાંખીશ. બાકી કહો તો ગુનેગારનું નામ-ઠેકાણું સુદ્ધાં આપું. આ કંઈ બડી બડી બાતાં નથી. જીવતી જાગતી બિદ્યા છે.’
ગારુડી ‘વિદ્યા’ શબ્દને બદલે ‘બિદ્યા' શબ્દ બોલ્યો, તેનું ઉચ્ચારણ બાળક ભીખાલાલને ખૂબ ગમી ગયું, ‘બિદ્યા” શબ્દ પર કેવો લહેકાદાર ભાર મૂકે છે! સહુને એમ થયું કે આવું અનિષ્ટ કરનારનું નામ તો જાણવું જોઈએ, તો જ ભેદ કળાય અને તો જ ગુનેગાર ઝબ્બે થાય. કાળું કૃત્ય કરનારનું નામ જાણવા સહુ ઉત્સુક હતા અને તે માટે માસા વધુ દસ રૂપિયા આપવાનું સ્વીકારે એ પહેલાં જ માસીએ કહ્યું, ‘ના રે ભાઈ, મારું નામઠામ કંઈ જાણવાં નથી. થનારું થઈ ગયું. હવે વળી નામ જાણીએ, એટલે મનમાં ઝેર-ઘેર વધે, મારે તો ઉસ્તાદજી, બહોત ગઈ ને થોડી રહી.'
સહુને લાગ્યું કે માસીનો અંતકાળ આવી ગયો છે. ઘડી-બે ઘડીનાં મહેમાન છે. સગાં-વહાલાંઓ આવી ગયાં હતાં. સહુ આસપાસ ટોળે વળીને બેઠાં હતાં; પણ પરગજુ માસીનો જીવ કંઈક કહેવા માંગતો
સહુના ઉત્સાહ પર ઠંડું પાણી ફરી વળ્યું. ભીખાલાલે તો વેર હોય એમ સહુને લાગ્યું. ભીખાલાલ સામે એકીટશે જોયા કરે અને