Book Title: Pati Patni No Divya Vyavahar Granth
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 203
________________ (૧૮) વાઈફ વાળે તોલ સાથે ! ૩૪૯ ૩૫૦ પતિ-પત્નીના દિવ્ય વ્યવહાર બહુ કડક છે. આવો કડક સ્વભાવ, તે મહાદેવજી જોઈ લો ને !” એટલી બધી છાપ પાડી દીધી ને હીરાબા જાણે, તે હજીયે તીખા ભમરા જેવા કહે એને અશાંતિ રહે છે તેથી આવી છે ને ! જંપીને દર્શન તો કરવા દો લોકોને. તે એટલે સુધી શિખવાડેલું કે દાદા પૈણશે આ છોડીઓ જોડે ! એવુંય શિખવાડ્યું હતું કે આ દાદાને લઈ જશે ! અરે, એવું હોતું હશે ? કેટલા વર્ષનો હું ડોસો થયેલો માણસ, તે કઈ જાતનું આવું શિખવાડેલું ! પણ એમનો શો દોષ બિચારાંનો ? હીરાબાને એમ પણ સમજાય કે આ મારી ભૂલ છે. આ છોકરીઓ સત્સંગમાં આવતી હતીને, પણ એમને પોતાને સો ટકા ખાતરી હતી કે આ તો મોરલ ને સિન્સિયર છે. પણ આ તો લોકોમાં ખોટું દેખાય, એટલા માટે ‘તમે છોડી દો આ’ કહેલું ત્યારે કંઈ છોડ્યું છૂટે એવું છે ? આ તો ‘વ્યવસ્થિત’ અને એ તો અણસમજણમાં બોલે. એ તો કંઈ દહાડો વળતો હશે ? અને આ રેલવેલાઈન ઊખેડી નખાય ? ત્યારે આપણે રસ્તો તો કરવો પડે. એટલે પછી પેલા બૂચથી ના ચાલે. એ તો આંટાવાળો બૂચ મારવો પડે. આંટાવાળો બૂચ મારીએ એટલે પછી ઊખડી ના જાયને ! પ્રશ્નકર્તા : પેલું જે નાટક કર્યું હતું એ કપટ નહીં ? દાદાશ્રી : ના, આમાં કપટ નહીં. એ તો દૂધ ઊભરાતું હોય ને લાકડાં કાઢી લઈએ એ કંઈ કપટ ના કહેવાય. દૂધપાક ઊભરાતો હોય તો લાકડાં કાઢી લઈએ, એ કપટ કહેવાય ? પ્રશ્નકર્તા : પણ આશય તો કંઈ સારું કરવાનો ખરો ? દાદાશ્રી : એમને ચોખ્ખા કરવાનો. તે ઘડીએ બધા બેઠા હતા. તે સજ્જડ થઈ ગયેલા ! બધા બેઠા હોય ત્યારે જ આબરૂ લઉં, નહીં તો એમ ને એમ આબરૂ લઉં નહીં. નહીં તો એ ગળી જાય. કહેશે, “ઓહોહો ! કોઈ હતું જ નહીંને !' તે ગળી જાય ને આપણી મહેનત નકામી જાય. હીરાબાને અનુભવ, તે અમને જાણે કે સિન્સિયર ને મોરલ છે જ. એ તો પેલા એકલા કેસમાં જ છે તે એમના મનમાં જરા પેસી ગયું. તે પેલું કાઢવું મુશ્કેલ પડ્યું અને તે સ્યાદ્વાદ રીતે ના નીકળ્યું. એટલે આ બીજી રીતે કાઢવું પડ્યું, પણ દવા એવી કરી કે ફરી હીરાબા કશું કરવા જાય ત્યારે કહે, ‘એ ના કરશો આપણે ભાઈનામાં પડવું જ નહીં. ભાઈનો સ્વભાવ એ તો ‘જ્ઞાની” થઈને બેસવું સહેલું નથી. કોઈને આવા ફણગા ફૂટે તો બધા મૂળમાંથી કાઢી નાખે. નહીં તો એ ફણગા તો મોટા ઝાડ થઈ જાય. જુઓને, પછી એ કશું બોલવું નહીં.’ તમારે કશું બોલવું નહીં, એમ હીરાબાને કહેતાં. મેં કહ્યું, ‘હું કશું કરવાનો નથી. દાદાને કોણ કશું કરવાનું છે ? આ તો છોડીઓ તો શું કરવાની હતી ?” પછી એ લોકો કહે છે, આપણે નકામો ઝઘડો વહોરી લીધો. હવે આપણે માથે આવશે.’ તો એમને મોઢે જ ઠાલવ્યું કે તમે જ બધાએ બગાડ્યું. માટલાને તિરાડ પડી, હવે શું કરવાનું ? આ આટલો વખત માટલાને લાખ કરીશું. બાકી ફરી વાર કે લાખેય કરવાના નથી. પછી મુકી આવીશું. તિરાડને લાખ કરી દીધી કે એક વખત સાંધો આપણે ! પ્રશ્નકર્તા: એમણે પેલું બારણું પછાડ્યું, સ્ટવ પછાડ્યો એટલે એ પણ આડાઈ કહેવાય ? - દાદાશ્રી : ત્યારે આડાઈ નહીં તો બીજું શું? પણ એ ત્રાગું કહેવાય. એ નાના પ્રકારનું ત્રાગું કરેલું, મેં મોટા પ્રકારનું ત્રાગું કર્યું ! પ્રશ્નકર્તા ઃ એટલે એ નાના પ્રકારના ત્રાગાંને કાઢી નાખવા માટે સામે એવો ફોર્સ મૂકવો પડે ? દાદાશ્રી : હા, મેં જાણી જોઈને ત્રાગું કરેલું. ને એમણે એમના કર્મના નિયમથી ત્રાગું કરેલું. આ તો જાણી બૂઝીને કરે ને હું તો મારા જ્ઞાનમાં રહીને બધું કરું ? બધા મહાત્માઓ પાંચ-સાત-દસ જણ બેઠેલા. તે એક કહે, ‘આવું કરાતું હશે ?” ત્યારે મેં કહ્યું, ‘શીખ તને શીખવાડું છું. ચૂપ બેસ. આ શીખવાડું તને. ઘેર બીબી હેરાન કરશે ત્યારે શી રીતે રીપેર કરીશ તું ?” પ્રશ્નકર્તા: આપે કહ્યું કે હું જ્ઞાનમાં રહીને કરું, કઈ રીતે જ્ઞાનમાં? એ તમે કહો.

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293