Book Title: Pati Patni No Divya Vyavahar Granth
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation
View full book text
________________
(૨૦) પરિણામો, છૂટાછેડાનાં
૪૧૫
૪૧૬
પતિ-પત્નીના દિવ્ય વ્યવહાર
દાદાશ્રી : તે જ કહું છુંને ? એ બધું સારું નહીં. બહાર શોભે નહીં. આનો કંઈ અર્થ નહીં. હજુ સુધારી શકાય છે. આપણે મનુષ્યમાં છીએને તે સુધારી શકાય. આ શા માટે આવું હોવું જોઈએ ? મુઆ, ફજેતો કર્યા કરે છે તે ? થોડું સમજવું તો પડે ને ? તમે સમજ્યા ? આ બધામાં સુપરફલુઅસ (ઉપલક) રહેવાનું છે, ત્યારે આ વહુના ધણી થઈ બેઠા, કેટલાક માણસો તો. અલ્યા મૂઆ, ધણીપણું શું કરવા બજાવે છે ? આ તો અહીં જીવ્યો ત્યાં સુધી ધણી અને એ કાલે ડાઈવર્સ ના લે ત્યાં સુધી ધણી. કાલે ડાઈવોર્સ લે તું શાનો ધણી ?
મનુષ્ય સિવાય બીજા કોઈ ધણીપણું નથી બજાવતા. અરે, આજકાલ તો “ડાયવોર્સ’ લે છે ને ? વકીલને કહે કે, ‘તને હજાર-બે હજાર રૂપિયા આપીશ. મને ‘ડાયવોર્સ’ અપાવી દે, તે વકીલેય કહેશે કે ‘હા, અપાવી દઈશ.” અલ્યા, તું લઈ લેને ‘ડાયવોર્સ’, બીજાને શું અપાવવા નીકળ્યા છો ?
પ્રશ્નકર્તા : દાદા, એક હસબન્ડ અને વાઈફ બન્ને જણાને ચકમક થઈ જાય છે તો એમાં જે છુટા પડી જવાય (ડાયવોર્સ) તો દોષ કોને લાગે? એમાં કર્મનો ઉદય ગણાય, શું ગણાય ? ખરેખર કોનો દોષ કહેવાય ?
દાદાશ્રી : તે બધું કર્મના ઉદય. કંઈ પણ હકીક્ત, વાસ્તવિક્તા બને એ કર્મનો ઉદય. પછી ઉદય ગમે તે હોય, ખોટા ઉદય કે ખરાબ ઉદય. પણ કર્મનો ઉદય જ કરાવે છે એટલે એમાં બીજા કોઈનું ચાલે નહીં. બીજા નિમિત્ત બને વખતે કે આણે ફાચર મારી પણ છેવટ એ કર્મનો ઉદય. ફાચર મારી એવો નિમિત્ત મળી આવે કે આમને ફાચર મારી તેથી આ બે છૂટા પડી ગયા.
પ્રશ્નકર્તા દાદા, દોષ કોને લાગે ? એ છૂટા પડી જાય એમાં દોષ કોને લાગે ? દાદાશ્રી : જેણે ફાચર મારી હોય તેને.
“જેવું મળે તેવું' લેવું તભાવી,
“બીજું કરે' તેની ખાત્રી કેવી ? પ્રશ્નકર્તા : આજકાલ બધા ડાયવોર્સ લે છે, છૂટાછેડા લે છે. તે નાનાં
નાનાં છોકરાઓ મૂકીને છૂટાછેડા લે છે, તો એનો નિસાસો ના લાગે ?
દાદાશ્રી : લાગે ને બધુંય, પણ શું કરે છે ? ખરી રીતે ના લેવા જોઈએ. ખરી રીતે તો આખું નભાવી લેવું જોઈએ. છોકરાં થતાં પહેલાં લીધા હોત તો વાંધો નહોતો, પણ આ છોકરાઓ થયા પછી લે, તો છોકરાંનો નિસાસો લાગેને !
પ્રશ્નકર્તા : એવું બને કે મા-બાપ સુખી ના હોય, દુઃખી હોય, તો છોકરાઓ પણ દુઃખી થાય ?
દાદાશ્રી : પણ આ છૂટાછેડા. છોકરું હોય તો ના લેવાય તો સારું. કારણ કે છોકરાને બિચારાને રખડી મરવાનુંને કે બાપ પાસે રહેવું કે મા પાસે રહેવું ?
પ્રશ્નકર્તા : છોકરાના બાપનું જરાય મગજ ચાલતું ના હોય, કશું કામકાજ કરતા ના હોય, મોટલ ચલાવતા ના આવડતી હોય અને ચાર દિવાલની વચ્ચે ઘરમાં બેસી રહેતો હોય, તો શું કરવાનું ?
દાદાશ્રી : શું કરવું પણ તે ? બીજો પાંસરો મળશે કે નહીં એની ખાતરી શું ?
પ્રશ્નકર્તા: એ તો નહીં જ વળી...
દાદાશ્રી : બીજો વળી એથી એના મોઢામાં થૂકે એવો મળે ત્યારે શું કરવું ? ઘણાં લોકોને મળેલું એવું, પહેલો હતો, તે સારો હતો. મેચક્કર પાછું ત્યાં પડી રહેવું હતું ને ! મહીંથી એ સમજવું પડે કે ના સમજવું પડે ?
પ્રશ્નકર્તા : દાદાને સોંપી દઈએ તો પછી બીજો પાંસરો મળે ને ?
દાદાશ્રી : સારો મળ્યો અને ત્રણ વર્ષ પછી એને એટેક આવ્યો, તો શું કરશો ? આ નર્યું ભયવાળા જગતમાં શા હારુ આ... ? ‘જે બન્યું એ કરેક્ટ' કહીને ચલાવી લો તો સારું. ત્રણ વર્ષ પછી એટેક આવે. એટલે આપણને પેલો જૂનો હતો તે સાંભરે. મૂઆ, પેલો હતો તે છોડીને આ પાછા એટેકવાળાને ત્યાં આવ્યા ! એટલે આ બધું ફજેતો છે બધો, બેન !

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293