Book Title: Pati Patni No Divya Vyavahar Granth
Author(s): Dada Bhagwan
Publisher: Mahavideh Foundation

View full book text
Previous | Next

Page 237
________________ (૨૦) પરિણામો, છૂટાછેડાનાં ૪૧૭ ૪૧૮ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર આ તો તમારે જો આવું થયેલું હોય ભાંગફોડ તો, હું તમને સમજણ પાડી દઉં કે આવી રીતે તમે ચલાવી લેજો, એ રીતે દેખાડી દઉંને એટલે બોજારૂપ તમને ના લાગે ને એનેય ના લાગે. બેઉનું રાગે પાડી આપું. બાકી, છોકરાનો તો નિસાસો બહુ લાગે. ના બાપનો રહ્યો કે ના માનો રહ્યો બિચારો ! હવે જો ધણી બીજો કરો, તો એથીય બુરો નીકળે તો શું કહેવાય ? ઉપરથી આમ કોટ-પાટલૂનવાળો આમ રૂપાળો બમ જેવો દેખાતો હોય અને મહીં છે તે ખાટી કેરી નીકળે તો શું ખબર પડે ? ઉપરથી કેરી ફર્સ્ટ ક્લાસ દેખાતી હતી, પણ મહીં કાપીએ ને ખાટી નીકળે ! નીકળે ખરી મહીં ખાટી ? પ્રશ્નકર્તા : નીકળે. દાદાશ્રી : એમ ! ખાત્રી નહીં, નહીં ? એટલે એનું કશું ઠેકાણું નહીં. માટે જે ચાખ્યો છે ને એ સારો છે, કહેવું. બહુ લાંબી આશા રાખવા જેવું નથી આ જગત. એટલે બેન, હું તમને સમજણ પાડી દઉં કે આ રીતે તમે ચલાવી લેજો. બહુ આનંદ આવશે પછી. આ તો કશું જ ઠેકાણું નથી. એક વાર તો પૈણવા જેવું જગત જ નથી. પણ પૈણ્યા વગર ચાલે એવુંય નથી પાછું. કેવી ફસામણ છે ? પૈણવા જેવું જગત નથી ને પૈણ્યા વગર ચાલે એવું નથી. આ મુશ્કેલીઓમાંથી રસ્તો કાઢવાનો છે. પ્રશ્નકર્તા : શું રસ્તો કરવો ? દાદાશ્રી : એ તો મને એ ખાનગીમાં બધો રસ્તો પૂછોને તો હું તમને બધું બતાડી દઉં. હાઉ ટુ ડીલ વીથ હસબન્ડ, એ બધું બતાડી દઉં. પછી બાકી નવો કરવામાં મજા નથી. નવો કરીએ ને ત્રણ વર્ષ પછી હાર્ટહેલ થઈ જાય ત્યારે શું કરીએ ? નહીં તો દારૂડિયો થઈ ગયેલો હોય ત્યારે શું કરવાનું ? પહેલો ધણી સારો નીકળે હંમેશાં, પણ બીજો તો મૂઆ રખડેલ જ હોય. કારણ કે એય આવું ખોળતો હોય, રખડતો ખોળતો હોય અને એય રખડેલ હોય, ત્યારે બે ભેગું થાય ને ! રખડેલ ઢોરો બે ભેગાં થઈ જાય. એના કરતાં પહેલો હોય તે સારો એક, સડી ગયેલો હોય, એ થઈ ગયેલો, પણ આપણો જાણેલો તો ખરોને ! મૂઓ, આવો તો નથી જ ! એ રાતે ગળું તો નહીં દબાવી દે, એવી તમને ખાતરી હોય ને ? અને પેલો તો ગળું હઉ દબાવી દે ! પ્રશ્નકર્તા : એટલે કે આપણે આપણી જાતે અંદર એવી સમજ જ ઊભી કરી દેવાની કે આ જગતમાં કોઈ પરફેક્ટ છે નહીં. દાદાશ્રી : ના, એ તો હું સમજણ પાડું. એવું તમે જાતે કરો તો એ તો ટકે નહીં. અને હું તો સાચી સમજ આપું. ટકે એવી, કાયમ ટકે એવી ! તમારી સમજણે કરેલી ગોઠવણી, એ તો કાલે સવારે ઊડી જાય પછી. ગોઠવેલી ના ચાલે, એ તો હું તમને સાચી સમજ આપું. એના પ્લસમાઇનસ કરી આપું ! બચ્ચાંઓની ખાતરેય પોતાને સમજવું જોઈએ. એક કે બે હોય, પણ એ બિચારા નોંધારા જ થઈ જાયને ! નોંધારા ના ગણાય ? પ્રશ્નકર્તા: નોંધારા જ ગણાય. દાદાશ્રી : મા ક્યાં ગઈ ? પપ્પા ક્યાં ગયા ? એક વાર પોતાને એક આ પગ કપાઈ ગયો હોય, તો એક અવતાર નભાવી નહીં લેતા કે આપઘાત કરવો ? પ્રશ્નકર્તા : નભાવી લેવાનું. દાદાશ્રી : આપઘાત કરવો કે પગ નભાવી લેવાનો ? હં... એવી રીતે આય પગ કપાઈ ગયેલા જેવું જ. અમે તો તમને સમજણ પાડીએ, બાકી આ જે તમે જાતે ઊતરશો તો વધુ ફસાશો. અમે તમને ઓછી ફસામણમાં આવે એવું કરી આપીએ રસ્તો. કારણ કે અમારે લેવાદેવા નથી અને તમારા હિતમાં હોઈએ અમે કે તમને દુઃખ ન થાય, ઓછું દુઃખ થાય. પગ ભાંગી જાય તોય નહીં આપઘાત કરું, કહેશે. આમ ને આમ જીવું છું ને નિરાંતે ! તો આ બધું નભાવે છે, તો આ એમાં ધણીમાં શું મહીં કાઢવાનો છે તે !

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293