Book Title: Pathik 1991 Vol 31 Ank 08
Author(s): K K Shastri and Other
Publisher: Mansingji Barad Smarak Trust

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir t : કોઈ કારણસર, ખાસ કરીને દક્ષિણ કિનારે નીચે હોવાથી, પૂરના પાણી ગામમાં વારે વારે આવી જતાં તેથી થોડાં વર્ષો પૂર્વે ગામનું સ્થળાંતર ઉત્તર કિનારે થયું છે. ૨. સેલંકીએ : ગામમાં વાણિયા બ્રાહ્મણ પટેલ તથા બીજી ઘણુ કમની વસ્તીમાં ગોધરા શાખાના સોલંકી રાવજીઓ(રાઉલજીઓ)ની વસ્તીનું પ્રમાણ વધારે છે. રાવજીએ અહીં સં. ૧૬૮૫ (ઈ. સ. ૧૬૯)માં વસ્થા હતા. અહીં આવનાર મૂળ પુરુષ રામસંગજી મહેલોલ(તા. ગોધરા, જિ ગંચમહાલ)ના ઠાકોર વાઘજીના પાંચ દીકરાઓમાંના સૌથી નાના દીકરા હતા. એમના સાત દીકરાઓમાંથી એક દીકરાનું નામ હઠીસંગજી હતું. હઠીસંગજીના બે દીકરાઓમાંથી એક દીકરાનું નામ હાથીજી હતું. હાથીજીને પાંચ દીકરા તેઓમાં એકનું નામ કેસરજી (કરારસંગ0). કેસરજીને ત્રણ દીકરા તેઓમાં નાના દીકરાનું નામ રોજી હતું. જેરેજીનાં લગ્ન ઈટવાડ (તા. સાવલી, જિ. વડોદરા)ના રાઠોડ લખાજીનાં દીકરી અમૃતબા સાથે થયાં હતાં. એમનાથી એક પુત્ર થયા તેમનું નામ બાજીરુ હતું, જેઓનું લગ્ન ઉમરેઠના ગોહીલ ઉમેદજીનાં દીકરી પ્રતાપબા સાથે થયું હતું. . ૩. બાપાવાળો પાળિયો : આ પાળિયે ચોક્કસ કઈ જગ્યાએ આવ્યું છે એ શોધવું આજે મુશ્કેલ થઈ ગયું છે. જ્યાં બાપાવાળાં ખેતરે છે ત્યાં આજુબાજુ તપાસ કરતાં એક પાળિયો મળી આવ્યું છે તેમજ એક મોટો કુદરતી પથ્થર છે તેને લેકે બાપાવાળો પથરો' નામથી ઓળખે છે. પાળિ આ પથરાથી દુર અને જૂના ગામના અવશેષોથી પશ્ચિમમાં, હાલમાં ગામમાં જવાને પાકે રહે છે તેના પછી એક ખેતરમાં છે. આ પાળિયાથી પુરાણું મહાદેવના અવશેષો ઉત્તર તરફ કુણ નદીના દક્ષિણ કિનારે થોડે દૂર છે. - આ જગ્યા ઉપરથી જોતાં બાલાસિનોર ઉત્તર પશ્ચિમ દિશાએ આવેલું છે તેથી કદાચ ધાડ એ દિશામાં એટલે કે ગામની પશ્ચિમ દિશામાં આવી હોવી જોઈએ તેમજ આ ખેતરમાં બીજે કઈ પણ જગાએ પાળિયો મળી આવ્યા નથી તેથી આ પાળિયે જ, સંભવ છે કે, બાપાવાળો પાળિયો? હશે. આમ તે કાંટડીની સીમમાં બીજે બે ત્રણ પાળિયા આવેલા છે તેઓમાંથી એકાદનું લાંતર થયેલું હોય એમ લાગે છે. એમ છતાં દરેક પાળિયો પિતાને ઈતિહાસ બાવીને મૌન ઊભો છે એનાથી વિશેષ જાણકારી મળતી નથી, છે. ૧૭, દયાલ બાગ, માંઝલપુર, વડોદરા ૩૯૦૦૦૧ સંદર્ભ લઇ રાજગા બારોટ સ્વ. શ્રી ચંદ્રસિંહ પ્રતાપસિંહને પડે, C/o. શ્રી. રમેશભાઈ ખેડસિંહ બારેટ, વાડી, ભાટવાડા વડેદરા-૧૭ (૨) શ્રી. અમરસિંહ રાઉલજી (મૂળવતન મોટી કાંટડી) મુ. રતનપુર, તા. ગોધરા જિ. પંચમહાલ) (૩) શ્રી. ગણપતસિંહજી રાઉલજી, મોટી કાંટડી (૪) શ્રી. ગજાનનભાઈ ઉપાધ્યાય (ભૂતપૂર્વ શિક્ષક, મોટી કાંટડી) (૫) શ્રી, વિજયસિંહજી દેવીસિંહજી રાઉલજી, મોટી કાંટડી (૬) શ્રી. નટવરસિંઢજી કાળુસિંહજી રાઉલજી, મોટી કાંટડી (૭) કાંટડીના અનેક વડીલે અને મિત્રો, મોટી કાંટડી એ/૧૯૯૩ પથિક] For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24