Book Title: Parvatithicharcha Patro
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad
View full book text
________________
(
).
સ્પર્શે, એટલે વચલી તિથિ-પહેલાના કે પાછળના- એમ બેમાંથી એકેય સૂર્યોદયને ન સ્પર્શે, તેથી તેની ક્ષયસંજ્ઞા - ટિપ્પણામાં દર્શાવવી.” અને એ જ પ્રમાણે - એક તિથિને ત્રણ વાર સ્પર્શે, જેથી એકતિથિને સૂર્યોદય કાળે તો બે જ વાર સ્પર્શે, માટે એ લાંબી તિથિને -બે તિથિ તરીકે ટિપ્પણામાં દર્શાવવી. ક્ષયનો દાખલો
વૃદ્ધિનો દાખલો સોમ ૬ (છઠ્ઠ)
સોમ ૬) છ8 મંગળ ૮ (આઠમ) મંગળ ૬, બે વાર લખવી પડી છે. આમાં ટિપ્પણામાં સાતમ | બે વારમાં બતાવવાની હોવાથી બે લખાણી જ નથી || વાર તિથિ બતાવવી જ પડે છે. બીજો ઉપાય નથી. આમટિપ્પણામાં અભાવ રહેવાથી તેની ક્ષયસંજ્ઞા પાડવી પડી છે, અને ટિપ્પણામાં એક તિથિ બે વાર લખવી પડતી હોવાથી તેની વૃદ્ધિ સંજ્ઞા પાડવી પડી છે. એટલે હવે, વાસ્તવિક અર્થમાં ટૂંકી અને લાંબી તિથિ છે. છતાં સંજ્ઞાના બળથી તેને ક્ષીણા તિથિ અને વૃદ્ધિ તિથિ એટલે “બેવડાયેલી તિથિ” એવી સંજ્ઞાનો વ્યવહાર કરવો પડે છે. કેમકે ખાસ પ્રયોજન હોય તો જ, તે તે શાસ્ત્રના રચનારા પોતાની રચનામાં સુગમતા લાવવા માટે, જરૂરીયાત પૂરતી જુદી જુદી સંજ્ઞાઓ નક્કી કરે છે. તેથી સંજ્ઞાને મુખ્ય સ્થાન આપવું પડતું હોય છે. હવે જ્યારે, સંજ્ઞાને બળવાન ગણવી પડે છે, તો, (૧) ટૂંકી પણ તિથિ સાક્ષાત્ વિદ્યમાન છે. છતાં સંજ્ઞાબળથી તેનો અભાવ ગણવાનું ઠરે છે અને (૨) લાંબી પણ એક જ તિથિ છતાં, સંજ્ઞાના બળથી, તેને બેગણવાનું ઠરે છે. જેથી ટિપ્પણમાં તિથિનો અભાવ, તથા એક તિથિ બે દિવસ લખાય છે. આ ઉપરથી એ પણ સમજવું યોગ્ય થઈ પડશે કે :(૧) એક વાર ને બે તિથિ સ્પર્શે, તો એકેયનો ક્ષય ગણાતો નથી. કેમ કે બંનેય સૂર્યોદયને સ્પર્શતી હોય છે. એ જ પ્રમાણે, (૨) એક જ તિથિને માત્ર બે જવાર સ્પર્શતા હોય તો પણ, વૃદ્ધિ ગણાતી નથી. કેમ કે સૂર્યોદય વખતે તો એક એક જ વાર સ્પર્શતો હોય છે.
४४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58