________________
મેં પરભવે કે આ ભવે પણ હિત કાંઈ કર્યું નહિ, તેથી કરી સંસારમાં સુખ અલ્પ પણ પાપે નહિ; જમો અમારા જિન ભવ પૂર્ણ કરવાને થયા, આવેલ બાજી હાથમાં અજ્ઞાનથી હારી ગયા. ૬
અમૃત ઝરે તુજ સુખરૂપી ચંદ્રથી તો પણ પ્રભુ, ભિંજાય નહિ મુજ મન અરેરે? શું કરું હું તો વિભુ, પત્થર થકી પણ કઠણ મારું મન ખરે કયાંથી દ્રવે, મરકટ સમા આ મન થકી હું તો પ્રભુ હા હવે.
૭
ભમતા મહા ભવસાગરે પાપે પસાથે આપના, ને જ્ઞાન-દર્શન–ચરણરૂપી રત્નત્રય દુષ્કર ઘણા; તે પણ ગયા પરમાદના વશથી પ્રભુ કહું છું ખરૂં, કેની કને કિરતાર આ પિકાર હું જઈને કરૂં. ૮ ઠગવા વિભુ આ વિશ્વને વૈરાગ્યના રંગો ધર્યા, ને ધર્મના ઉપદેશ રંજન લેકને કરવા કર્યા; વિદ્યા ભયે હું વાદ માટે કેટલી કથની કહું, સાધુ થઈને બહારથી દાંભિક અંદરથી રહું. ૯ મેં મુખને મેલું કર્યું છે પરાયા ગાઈને, ને નેત્રને નિદિત કર્યા પરનારીમાં લપટાઈને; વળી ચિત્તને દેષિત કર્યું ચિંતી નઠારૂં પરતણું, હે નાથ ! મારું શું થશે ચાલાક થઈ ચુક્યો ઘણું. ૧૦