Book Title: Padarth Prakash Part 04 Author(s): Hemchandravijay Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust View full book textPage 7
________________ શ્રીના અગાધજ્ઞાન સમુદ્રમાંથી એકાદ બિંદુ જેવા કર્મથના જ્ઞાનનો લાભ મને પૂજ્યશ્રીની પાસેથી મળે, પૂજ્યશ્રીના પટ્ટાલંકાર વર્ધમાન તનિધિ, સાર્ધશતાધિક મુનિગણનેતા, ન્યાયવિશારદ પ્રગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા પાસેથી શરુઆતમાં કર્મગ્રંથની પ્રાથમિક ભૂમિકાનું જ્ઞાન મલ્યું, ત્યાર પછી સ્વ. પૂજ્યપાદ પરમ ગુરુદેવ પાસેથી કર્મગ્રંથ, પંચસંગ્રહ, કર્મપ્રકૃતિ, કષાયમામૃત તથા ગૌમ્મસાર, ધવલાદિ વેતામ્બર દિગંબર ગ્રંથોનું જ્ઞાન મલ્યું. યત્કિંચિત્ મતિ વિકસિત થઈ, કસાહિત્યમાં થોડે ચંચુપાત થયે. - પૂજ્યપાદશ્રી પાસેથી પદાર્થના જ્ઞાનને મેળવીને ત્યાર પછી ગ્રંથની અવગાહના કરીને તેની સંક્ષિપ્ત નેધ તૈયાર કરી પદાર્થો કંઠસ્થ કર્યા અને તેને દીર્ઘ કાળ સુધી પાઠ કરી સુપરિચિત કર્યા, અને તે દ્વારા કર્મનિર્જરોને અપૂર્વ લાભ મળ્યો છે. અનેક જ કર્મ ગ્રંથના આ પદાથે સહેલાઈથી સમજી શકે, તેટલા માટે કરેલ પદાર્થની નેંધના આધારે, ગ્રંથના આલંબન લઈ પદાર્થોને સંગ્રહ તૈયાર કર્યો છે, પદાર્થ પ્રકાશ ભાગ ૩ જા માં પ્રથમ દ્વિતીય કર્મગ્રંથના પદાર્થોને સંગ્રહ પ્રકાશિત કર્યો છે હવે ૪ થા ભાગમાં તૃતીય-ચતુર્થ કર્મગ્રંથના પદાર્થોને પ્રકાશિત કરવામાં આવ્યા છે, તૈયાર કરેલ પદાર્થોના આ સંગ્રહને પૂજ્યપાદ પરહિતવત્સલ, સિદ્ધાંતદિવાકર, આચાર્યદેવ શ્રીમદ વિજય જયઘોષ સૂરીશ્વરજી મહારાજાએ સંમાર્જન કરી આપેલ છે. વર્તમાનમાં જન સંઘના પ્રબળ પૂણ્યોદયે અનેક મુમુક્ષુ આત્માએ શ્રમણપણાને તથા શ્રમણપણાને પામી રહ્યા છે, આ સઘળા મહાત્માઓને ભાવભરી વિનંતિ છે કે વ્યાકરણ ન્યાયના શક્તિ મુજબના અભ્યાસ સાથે કર્યસાહિત્યના અભ્યાસમાં પણ ઉંડા ઉતરે, જેથી જૈન શાસનની વિશાળતાનું, સૂક્ષમતાનું વધુ ને વધુ ભાન થશે, કર્મસાહિત્યના સૂમ, ઉંડા અને વિસ્તૃત પદાર્થોને અવિસંવાદીપણે પ્રગટ કરનારા દેવાધિદેવના સર્વરૂપણા પ્રત્યેની શ્રદ્ધા અત્યંત દઢ બનશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 136