________________
ગુરુદેવ કહે છે... પુણ્ય કાચું છે, મને માયકાંગલું છે, કે ભારે છે, કુસંસ્કારો ગાઢ છે અને છતાં હૈયે જો નિશ્ચિતતા અનુભવાય છે તો મોત પછી જવાનું ક્યાં ?
આપની નિશ્રામાં અંજનશલાકા ચાહે મલાડમાં થઈ કે માલેગામમાં થઈ, અહમદનગરમાં થઈ કે ખંભાતમાં થઈ, એક પણે અંજનશલાકા એવી નથી ગઈ કે જે અંજનશલાકા મહોત્સવના બધા જ દિવસોમાં આપે આયંબિલ ન કર્યા હોય. | ક્યારેક આપનું શરીર વ્યાધિગ્રસ્ત પણ હતું તો ક્યારેક આપનું શરીર શ્રમગ્રસ્ત પણ હતું છતાં એની પરવા કર્યા વિના આપે સમસ્ત અંજનશલાકા આયંબિલથી જ ઊજવી છે.
ખંભાતની અંજનશલાકા દરમ્યાન તો આપને વિનંતિ પણ કરી હતી કે 'ગુરુદેવ, હવે આયંબિલને બદલે એકાશન-બિયાસણ કરી લો ને ? બહુ કર્યા આયંબિલ !”
‘રત્નસુંદર, પ્રભુની પ્રતિમાને અંજન કરવાનું હોય આપણે અને આયંબિલ ચાલતા હોય તો એ અંજન થોડુંક વધુ પ્રાણવાન બને એવું મને લાગે છે. અંજન બાદ જે પ્રતિમા 'પ્રભુસ્વરૂપ' બની જવાની હોય એ પ્રતિમાને મહિમાવંતી બનાવવી આટલો નાનકડો ભોગ તો આપણે આપવો જ જોઈએ ને ?'
ગુરુદેવ, બોલિંગ ક્ષેત્રે, બૅટિંગ ક્ષેત્રે, ફિલ્ડિંગ ક્ષેત્રે, વિકેટકીપિંગ ક્ષેત્ર, કપ્તાન ક્ષેત્ર, ઉપકપ્તાન ક્ષેત્રે, અમ્પયાર ક્ષેત્રે બધે જ આપ નંબર ‘એક’ પર હતા. મને આપની ટીમમાં બારમાં ખેલાડી તરીકેનું સ્થાન તો આપી દો