________________
જે વાવડીમાં ક્રીડા કરતો હોય ત્યાં પોતે પહોંચી જાય એટલે લીધેલી સામાયિકની પ્રતિજ્ઞાનો ભંગ થઇ જાય. માટે દેવલોકમાં સામાયિક થઇ શકે નહીં. પાપના બંધ વિનાની ક્ષણ પણ ન મળે. અહીં મનુષ્યભવમાં જ તમે ધારો તો પાપ મુકત રહી શકો.
પ્રવચનઃ ૮
નવકાર મહામંત્રનાં અક્ષર અડસઠ (૮) છે. એ અડસઠનાં ઉલ્ટાં કરો એટલે છયાશી (૮૬) થાય એ અડસઠ અક્ષરનાં જાપની સફળતા છયાશી અક્ષરમાં છે. એ છયાશી અક્ષ૨નું સૂત્ર કયું છે ?
સભા : કરેમિભંતે સૂત્ર
અમારું કરેમિ ભંતે કે તમારું કરેમિભંતે ?
સભા : કેમ એ જુદું હોય ?
હા એ બન્ને જુદાં. તમારા સામાયિકમાં બે ઘડીએ-(૪૮ મિનિટે) ‘સામાઇય વયજુત્તો’ આવી જાય. અમારાં કરેમિ ભંતેમાં એ આવે જ નહીં. "જાવ જવાએ' પાઠ આવે. વળી અમારે નવકોટી શુધ્ધ પચ્ચક્ખાણ આવે. તમારે આઠ કોટી આવે. એટલે સાધુ જીવનનાં કરેમિ ભંતેમાં ૮૬ અક્ષર આવે. આ કરેમિભંતેનો ‘ક' બોલવામાં ખૂબ પુણ્ય જોઇએ. મોહનીય કર્મનો ક્ષયોપશમ થાય તોજ કરેમિભંતેનો ‘કુ' બોલી શકાય. કમળનો ‘કુ' ઘણી વાર બોલ્યાં. એમાં માત્ર જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ જોઇએ.
આપણે ત્યા પુણીયા શ્રાવકનું સામાયિક જાણીતું છે. પુણીયો શ્રાવક સામાયિકમાં બેસે ને જયારે સજઝાય મંદિસાદું અને સજઝાય કરૂં બોલે તે પછી તેનું ચિત્ત સિધ્ધ ભગવંતના ધ્યાનમાં લીન બની જાય. મોક્ષે વિત્તું મને તનુ શરીરથી સંસારમાં, મનથી મુક્તિમાં. પ્રભુ મહાવીરે શ્રીમુખે આ પુણીયા શ્રાવકની પ્રશંસા કરી. મગધ સમ્રાટ શ્રેણિકનાં નક નિવારવાના પ્રશ્નનાં ઉત્તરમાં પ્રભુજીએ આડકતરી રીતે કેવી મહત્ત્વની વાત કરી દીધી. અહિંસા, સુપાત્રદાન અને સામાયિક આ ત્રણ નરક નિવારવાના કારણો છે. સાધનો છે.
૯૩
ચારિત્ર ધર્મની વાનગી સ્વરૂપ આ બે ઘડીનાં સામાયિકમાં સ્વાધ્યાય કરવાનો છે. નવકારવાળી ગણવાની નથી. એ તો છેલ્લો ઉપાય છે. ‘છિન્નઇ અસુરૂં કર્માં, સામાઇઅ જત્તિઆ વારા' જેમ જેમ સામાયિક કરતાં જાવ તેમ તેમ અશુભ કર્મો છેદાતા જાય, એવું જે કહ્યું છે, તે સ્વાધ્યાય માટે છે. આ સ્વાધ્યાય વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા એમ પાંચ પ્રકારે છે. આ સ્વાધ્યાય પણ એક સાધન છે. સમભાવ એ સાધ્ય છે. સ્વાધ્યાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org