Book Title: Nandan Maniyar Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 3
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૨૪૯ વાસ=આત્માની સમીપે રહેવું તે ઉપવાસ. ઉપવાસને ખરે આંતભિત અર્થ આત્માની સમીપે રહેવું તે થાય છે અને પૌષધનો અર્થ આત્માને પિષણ તથા પુષ્ટિ આપનાર આત્માની વિશુદ્ધિ કરનાર થાય છે. અનાજને તથા પાણીને ત્યાગ કરી ભૂખ્યા રહેવું તેટલે સાંકડો ઉપવાસને અર્થ નથી. તે અર્થ તે ઉપવાસનું બાહ્ય રૂપક છે. વ્યવહારિક અર્થ એ થાય છે ખરે, પણ તેનાં આંતરજીવન સિવાય આ વ્યવહારિક અર્થ ઉપચગી થતો નથી. સમ્યગષ્ટિ જીવમાં તે ઉપવાસનું આંતરજીવન હોય છે. આ આંતરજીવનના અભાવે, બાહ્ય સ્વરૂપવાળે ઉપવાસને અર્થ ચેખા કાઢી લીધા પછી બાકી રહેલા ફેરા જેવો છે. આત્માની સમીપે રહેવું તે ચોખા જેવું છે, ત્યારે ખાવું નહીં તે ઉપવાસને અર્થ ઉપરના ફેરા જેવો છે. આ ફેતરાં ઉપગી છે, ચેખાનું રક્ષણ કરનાર છે, ઉપષ્ટભક છે, પણ ચેખા વિનાના એકલા ફેતરાં ઉપયેગી નથી, તેની કિંમત નથી. આત્માની સમીપે નિવાસ કરવારૂપ આંતરજીવન સિવાય આ એકલા ઉપવાસને લાંઘણ કહેવામાં આવે છે. આ શરીર એક રાફડા જેવું છે, ત્યારે કામ, ક્રોધ, રાગ, દ્વેષ, ઈર્ષા, અભિમાન ઈત્યાદિ સર્ષ સમાન છે. મારે છે સર્ષ અને તોડે છે રાફડાને, તેથી શું ફાયદો થાય? જેમ રાફડાને તાડના કરાય છે, તેમ અંદરને સર્ષ ઊંડે પિસતું જાય છે. ખરી રીતે કામ-ક્રોધાદિને હઠાવવાના છે. આત્મજ્ઞાનના પ્રકાશથી તે હઠી શકે છે. તેને ભૂલી જઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15