________________
મૃત્યુ સમયે, પહેલાં ને પછી..
૨૩
મૃત્યુ સમયે, પહેલાં ને પછી.
રહ્યા કરે. જેમ એક બોલ નાખીએને આપણે, ત્રણ ફૂટ ઊંચેથી નાખીએ એટલે બીજું એની મેળે અઢી ફૂટ આવીને પાછો પડે. પછી એક ફૂટ આવીને પડે પાછો, એવું બને કે ના બને ? ત્રણ ફુટ આખો ના આવે પણ પોતાના સ્વભાવથી અઢી ફૂટ આવીને પાછો પડે. ત્રીજી બે ફૂટ આવીને પાછો પડે, ચોથો દોઢ ફૂટ આવીને પાછો પડે. પછી એક ફૂટ આવીને પાછો પડે. એવો એનો ગતિ નિયમ હોય છે. એવાં કુદરતના નિયમ હોય છે. તે આ આપઘાત કરેને, એટલે આ આપઘાત સાત અવતાર સુધી કરવાં જ પડે. હવે એમાં વત્તા-ઓછા પરિણામથી આપઘાત આપણને આખોય દેખાય, પણ પરિણામ ઓછી જાતના હોય, તે ઓછાં થતાં થતાં પરિણામ ખલાસ થઈ જાય.
અંતિમ પળોમાં.. મરતી વખતે આખી જિંદગીમાં જે કર્યું હોય, તેનું સરવૈયું આવે. તે સરવૈયું પોણા કલાક સુધી વાંચ-વાંચ કરે પછી દેહ બંધાઈ જાય. તે બે પગમાંથી ચાર પગ થઈ જાય. અહીં રોટલી ખાતાં ખાતાં ત્યાં રાડા ખાવાનું. આ કળિયુગનું મહાતમ છે એવું. તે આ મનુષ્યપણું ફરી મળવું મુશ્કેલ છે એવો આ કળિયુગનો કાળ... !
પ્રશ્નકર્તા : અંતિમ સમયે કોને ખબર છે કે કાન બંધ થઈ જાય ?
દાદાશ્રી : અંતિમ સમયે તો આજે જે ચોપડામાં જમે છેને, તે આવે. મરણ સમયનો કલાક, જે ગુઠાણું આવે છેને તે સરવૈયું છે અને તે સરવૈયું તે આખી જિંદગીનું નહીં પાછું, આગળ જન્મ પડ્યો અને પછી તે વચલા ભાગનું સરવૈયું. તે મરતી ઘડીએ આપણા લોક ઘણાય કાન આગળ બોલાવે કે બોલો રામ, બોલો રામ', અલ્યા મૂઆ, રામ કેમના બોલાવે છે તે ? રામ તો ગયા ક્યારનાય !
પણ લોકોએ શીખવાડેલું આવું કે આવું કંઈ કરવું. પણ એ તો મહીં પુણ્ય જાગી હોયને તે એડજસ્ટ થાય અને પેલો તો છોડીને પૈણાવાની
ચિંતામાં જ પડ્યો હોય. આ ત્રણ છોડી પૈણાવી ને આ ચોથી રહી ગઈ. આ ત્રણ પૈણાવી ને નાની એકલી રહી ગઈ. રકમ કરી કે તે આગળ આવીને ઊભી રહેશે. અને તે નાનપણમાં સારું કરેલું નહીં આવે, પૈડપણમાં સારું કરેલું આવશે.
કુદરતનો કેવો સુંદર કાયદો ! એટલે અહીંથી જાય છે તેય કુદરતનો ન્યાય બરોબરને ! પણ વીતરાગો ચેતવે છે કે ભઈ પચાસ વર્ષ થયાં હવે ચેતને !
પોણો સો વર્ષનું આયુષ્ય હોય તો પચાસ વર્ષ પહેલો ફોટો પડે અને સાઇઠ વર્ષનું આયુષ્ય હોય તો ચાલીસ વર્ષે ફોટો પડે. એક્યાસી વર્ષનું આયુષ્ય હોય તો ચોપ્પન વર્ષે ફોટો પડી જાય. પણ ત્યાં સુધી એટલો ટાઈમ ફ્રી ઓફ કોસ્ટ (મફત) મળે છે, બે તૃતીયાંશ ભાગ ફ્રી ઓફમાં મળે છે અને એક તૃતીયાંશ ભાગ એના પછી ફોટા પડ્યા કરે છે. કાયદો સારો છે કે જોરજુલમવાળો છે ? જોરજુલમી નથીને ? ન્યાયનો છેને ? બે તૃતીયાંશ કૂદાકૂદ કરી હોય, તેનો અમને વાંધો નથી પણ હવે પાંસરો મર, કહે છે !
ક્ષણે ક્ષણે ભાવમરણ ! પ્રશ્નકર્તા : દેહનું મરણ તો કહેવાય ?
દાદાશ્રી : અજ્ઞાની માણસોનું તો બે જાતનું મરણ થાય છે. રોજ ભાવમરણ થયા કરે. ક્ષણે ક્ષણે ભાવમરણ અને પછી છેવટે દેહનું મરણ થયું. પણ રોજેય એમનાં મરણાં, કોણ રોજની. ક્ષણે ક્ષણે ભાવમરણ. તેથી કૃપાળુદેવે લખ્યું કે,
‘ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહ્યો !! આ બધા જીવી રહ્યા છે તે મરવા હારુ કે શેને હારુ જીવી રહ્યા છે?