________________
મૃત્યુ સમયે, પહેલાં ને પછી...
૪૧
મૃત્યુ સમયે, પહેલાં ને પછી..
મનુષ્યદેહે જ જો જ્ઞાની પુરુષ મળે તો મોક્ષ ઉપાય થાય. દેવલોકો પણ મનુષ્યદેહ માટે તલસે છે. જ્ઞાની પુરુષનો ભેટો થયે, સાંધો મળે અનંત અવતાર સુધી શત્રુ સમાન થયેલો દેહ પરમ મિત્ર બની જાય છે ! માટે આ દેહ તમને જ્ઞાની પુરુષ મળ્યા છે તો પૂરેપૂરું કામ કાઢી લો. આખોય સાંધો મેળવી તડીપાર ઊતરી જાવ.
અજન્મા-અમરતે આવાગમત ક્યાંથી ? પ્રશ્નકર્તા : પણ આવાગમનનો ફેરો કોને છે ?
દાદાશ્રી : જે અહંકાર છેને, તેને આવાગમન છે. આત્મા તો તેની તે જ દશામાં છે. અહંકાર પછી બંધ થઈ જાય છે. એટલે એનો ફેરો બંધ થઈ જાય !
પછી મરણતો ય ભય નહીં !
આમ થઈ જશે ને તેમ થઈ જશે, હિન્દુસ્તાનની વસ્તી વધી જશે ને આપણે શું ખાઈશું? એ કેક્યુલેશન માંડે છે, તે નથી માંડતા ? એ શેના જેવું છે ? સિમિલી કહું ?
એક ચૌદ વર્ષનો છોકરો હોય, તે ચાર ફૂટ ને ચાર ઈચ ઊંચો હોય અને અઢાર વર્ષમાં પાંચ ફૂટ થાય. ત્યારે કહે છે, ચાર વર્ષમાં આઠ ઈંચ વધ્યો. આ તો સિત્તેર વર્ષે કેટલો થશે ? એવું કેક્યુલેશન માંડીએ એના જેવું આ વસ્તીનું કેક્યુલેશન માંડે છે !
બાળકોને ભોગવટો કેમ ? પ્રશ્નકર્તા : નિર્દોષ બાળકને શારીરિક વેદના ભોગવવી પડે તેનું શું કારણ ?
દાદાશ્રી : બાળકના કર્મના ઉદય બાળકને ભોગવવાના અને મધરે” (માતા)એ જોઈને ભોગવવાના. મૂળ કર્મ બાળકનું, એમાં મધર'ની અનુમોદના હતી, એટલે “મધરને જોઈને ભોગવવાનું. કરવું, કરાવવું ને અનુમોદવું – આ ત્રણ કર્મબંધના કારણો છે.
મનુષ્યભવતું મહાતમ ! મનુષ્યદેહમાં આવ્યા પછી બીજી ગતિઓમાં જેવી કે દેવ, તિર્યંચ કે નર્કમાં જઈને આવી પાછો મનુષ્યદેહ મળે. અને ભટકામણનો અંત પણ મનુષ્યદેહમાંથી જ મળે છે. આ મનુષ્યદેહ જો સાર્થક કરતાં આવડે તો મોક્ષની પ્રાપ્તિ થઈ શકે તેમ છે અને ન આવડે તો ભટકવાનું સાધન વધારી આપે તેમ પણ છે ! બીજી ગતિમાં કેવળ છૂટે છે. આમાં બન્નેય છે, છૂટે છે ને સાથે સાથે બંધાય પણ છે. માટે દુર્લભ મનુષ્યદેહ પ્રાપ્ત થયો તો તેનાથી કામ કાઢી લો. અનંત અવતાર આત્માએ દેહ માટે ગાળ્યા. એક અવતાર જો દેહને આત્મા માટે ગાળે તો કામ જ થઈ જાય !
પ્રશ્નકર્તા : એકલી આ સનાતન શાંતિ ઊભી કરે તો એ આ જનમ પૂરતી જ થાય કે જનમ જનમની થાય ?
દાદાશ્રી : ના. એ તો પરમેનન્ટ થઈ ગઈ એ તો. પછી કર્તા જ ના રહ્યો એટલે કર્મ બંધાય નહીં. એકાદ અવતારમાં કે બે અવતારમાં મોક્ષ જ થવો પડે. છૂટકો જ નહીં, ચાલે જ નહીં. જેને મોક્ષે ના જવું હોય, તેને આ ધંધો જ કરવો નહીં. આ લાઈનમાં પડવું જ નહીં, જેને મોક્ષ ના ગમતો હોય તો આ લાઈનમાં પડવું નહીં.
પ્રશ્નકર્તા : આ બધું “જ્ઞાન” છે એ બીજા જનમમાં જાય તો યાદ હોય ખરું ?
દાદાશ્રી : બધું તે જ રૂપ હોય. ફેરફાર જ ના થાય. કારણ કે કર્મ બંધાય નહીંને એટલે ફરી ગૂંચવાડો જ ઊભો ના થાયને !
પ્રશ્નકર્તા તો એનો અર્થ એવો થાય કે આપણા ગયા જનમમાં