Book Title: Mrutyu Samaya Pahela Ane Pachi
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 24
________________ મૃત્યુ સમયે, પહેલાં ને પછી... ૩૮ મૃત્યુ સમયે, પહેલાં ને પછી.. દાદાશ્રી : ના, એવું કશું નથી. એક ફેર મનુષ્યજન્મમાં આવ્યો ને પછી આખી ચોર્યાસી ફરવી પડતી નથી. એને જે પાશવતાના વિચાર આવે તો વધુમાં વધુ આઠ ભવ એને પશુયોનિમાં જવું પડે, તેય પાછું સોબસો વર્ષ માટે. પછી પાછો અહીંને અહીં મનુષ્યમાં આવે છે. એક ફેરો મનુષ્ય થયા પછી ચોર્યાસી લાખ ફેરા ભટકવાનું હોતું નથી. પ્રશ્નકર્તા: એક જ આત્મા ચોર્યાસી લાખ ફેરા ફરે ને ? દાદાશ્રી : હા, એક જ આત્મા. પ્રશ્નકર્તા: પણ આત્મા તો પવિત્ર છેને ? દાદાશ્રી : આત્મા પવિત્ર તો અત્યારેય છે. ચોર્યાસી લાખ યોનિમાં ફરતાંયે પવિત્ર રહ્યો છેને ! પવિત્ર હતો ને પવિત્ર રહેશે !! તન્મયાકાર થવું એટલે યોનિમાં બીજ પડવું અને કૃષ્ણ ભગવાને કહ્યું છે કે યોનિમાં બીજ પડે છે ને તેનાથી આ સંસાર ઊભો રહ્યો છે. યોનિમાં બીજ પડતું બંધ થઈ ગયું કે એનો સંસાર ખલાસ થઈ ગયો. વિજ્ઞાત વક્રગતિવાળું ! પ્રશ્નકર્તા: ‘થિયરી ઓફ ઇવોલ્યુશન’ની વાતમાં (ઉત્ક્રાંતિવાદમાં) જીવ એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય એમ ‘ડેવલપ’ થતો થતો મનુષ્યમાં આવે છે અને મનુષ્યમાંથી ફરી પાછો પશુમાં જાય છે. તો આ “ઇવોલ્યુશન'ની ‘થિયરી'માં જરા વિરોધાભાસ લાગે છે એ જરા સ્પષ્ટ કરી આપો. દાદાશ્રી : ના. એમાં વિરોધાભાસ જેવું નથી. ‘ઇવોલ્યુશન'ની ‘થિયરી’ બધી બરોબર છે. ફક્ત મનુષ્ય સુધી જ ‘ઇવોલ્યુશન’ની થિયરી ‘કરેક્ટ’ (સાચી) છે, પછી એની આગળ એ લોકો જાણતા જ નથી. પ્રશ્નકર્તા : મનુષ્યમાંથી પશુમાં પાછો જાય છે ખરો ? એમ પ્રશ્ન છે. દાદાશ્રી : એવું છે, પહેલું ડાર્વિનની ‘થિયરી'થી આમ ઉત્ક્રાંતિવાદ પ્રમાણે “ડેવલપ’ થતો થતો મનુષ્ય સુધી આવે છે અને મનુષ્યમાં આવ્યો એટલે ‘ઇગોઇઝમ' (અહંકાર) સાથે હોવાથી કર્તા થાય છે, કર્મનો કર્તા થાય છે એટલે પછી કર્મ પ્રમાણે એને ભોગવવા જવું પડે છે. ડેબિટ’ (પાપ) કરે ત્યારે જાનવરમાં જવું પડે અને ‘ક્રેડિટ’(પુણ્ય) કરે ત્યારે દેવગતિમાં જવું પડે અગર તો મનુષ્યમાં રાજાપણું મળે. એટલે મનુષ્યમાં આવ્યા પછી ‘ક્રેડિટ’ અને ‘ડેબિટ” ઉપર આધાર રાખે છે. પછી તથી ચોર્યાસી યોનિ ! પ્રશ્નકર્તા : પણ એવું કહે છેને, માનવજન્મ જે ચોર્યાસી લાખ ફેરા ભટકીને આવ્યા પછી મળ્યો છે, તે ફરી પાછું એટલું ભટકવાનું થાય ને પછી માનવજન્મ મળને ? વાસતા પ્રમાણે ગતિ ! પ્રશ્નકર્તા : મરતાં પહેલાં જેવી વાસના હોય, એ રૂપે જન્મ થાય છેને? દાદાશ્રી : હા, એ વાસના, આપણા લોક જે કહે છેને કે મરતાં પહેલાં આવી વાસના હતી, પણ એ વાસના કંઈ લાવવી લવાતી નથી. એ તો સરવૈયું છે આખી જિંદગીનું. આખી જિંદગી જે તમે કયુને, એનું મરતી ઘડીએ છેલ્લો કલાક હોય છે ત્યારે સરવૈયું આવે છે અને સરવૈયા પ્રમાણે એની ગતિ થઈ જાય છે. શું મનુષ્યમાંથી મનુષ્ય જ? પ્રશ્નકર્તા : માણસમાંથી માણસમાં જ જવાના ને ? દાદાશ્રી : એ પોતાની સમજમાં ભૂલ છે. બાકી સ્ત્રીના પેટે માણસ જ જન્મે. ત્યાં કંઈ ગધેડું ના જન્મે. પણ એ એમ સમજી બેઠો કે આપણે

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29