________________
મૃત્યુ સમયે, પહેલાં ને પછી...
મૃત્યુ સમયે, પહેલાં ને પછી...
પ્રશ્નકર્તા: પણ પૂર્વજન્મ અને આ જન્મ સાથે શું લેવાદેવા છે?
દાદાશ્રી : અરે, આવતા અવતાર માટે આ પૂર્વજન્મ થયો. ગયો અવતાર એ પૂર્વજન્મ, તો આ જન્મ છે, એ બીજા આવતા અવતારનો પૂર્વજન્મ કહેવાય.
પ્રશ્નકર્તા : હા, એ વાત સાચી છે. પણ પૂર્વજન્મની અંદર એવું કંઈક થતું હોય, જેને આ જન્મ સાથે કંઈ સંબંધ ખરો ?
દાદાશ્રી : બહુ જ સંબંધ, નર્યો ! પૂર્વજન્મમાં બીજ પડે છે ને બીજા જન્મમાં ડું આવે છે. એટલે એમાં બીજમાં ને ડુંડામાં ફેર નહીં ? સંબંધ ખરો કે નહીં ?! આપણે બાજરીનો દાણો નાખીએ એ પૂર્વજન્મ અને ડું આવે એ આ જન્મ, પાછું આ ડુંડામાંથી બીજરૂપે દાણો પડ્યો તે પૂર્વજન્મ અને એમાંથી ડું આવે એ નવો જન્મ. સમજાયું કે ના સમજાયું ?
પ્રશ્નકર્તા : એક માણસ રસ્તા ઉપર આમ ચાલ્યો જાય છે અને બીજા ઘણાય રસ્તા ઉપર ચાલ્યા જાય છે, પણ કોઈ સાપ અમુક માણસને જ નડે છે એનું કારણ પુનર્જન્મ જ ?
દાદાશ્રી : હા, અમે એ જ કહેવા માંગીએ છીએ ને કે પુનર્જન્મ છે. તેથી એ સાપ તમને કરડે છે, પુનર્જન્મ ના હોય તો તમને સાપ ના કરડત. પુનર્જન્મ છે, એ તમારો હિસાબ તમને ચૂકવે છે. આ બધા હિસાબો ચૂકવાય છે. જેમ ચોપડાના હિસાબો ચૂકવાય છેને, એવી રીતે બધા હિસાબો ચૂકવાય છે. અને ડેવલપમેન્ટને લીધે તે આ હિસાબ બધાં આપણને સમજાય છેય ખરા. તેથી આપણે ત્યાં કેટલાક લોકોને ‘પુનર્જન્મ છે” એવી માન્યતા ય થઈ ગયેલી છેને ! પણ તે પુનર્જન્મ છે જ એવું ના બોલી શકે.
છે જ' એવો કોઈ પુરાવો આપી શકે નહીં. પણ એની પોતાની શ્રદ્ધામાં બેસી ગયેલું છે, આવા બધા દાખલાઓથી કે પુનર્જન્મ છે ખરો !
આ બેન કહેશે, આમને સાસુ કેમ સારા મળ્યા અને મને આવાં સાસુ કેમ મળ્યા ? એટલે સંજોગો બધા જાતજાતના મળવાના.
બીજું શું જોડે જાય ? પ્રશ્નકર્તા : એક જીવ બીજા ખોળિયામાં જાય છે. ત્યાં સાથે પંચેન્દ્રિયો અને મન એ બધું દરેક જીવ લઈને જાય છે ?
દાદાશ્રી : ના, ના, કશું જ નહીં. ઇન્દ્રિયો તો બધી એક્ઝોસ્ટ (ખાલી) થઈને ખલાસ થઈ ગઈ, ઇન્દ્રિયો તો મરી ગઈ. એટલે એની જોડે ઇન્દ્રિયો એવું કંઈ જ જવાનું નહીં. ફક્ત આ ક્રોધ-માન-માયા-લોભ જવાના. એ કારણ શરીરમાં ક્રોધ-માન-માયા-લોભ બધુંય આવી ગયું. અને સૂક્ષ્મ શરીર એ કેવું હોય ? જ્યાં સુધી મોક્ષે ન જાય ત્યાં સુધી સાથે જ હોય. ગમે ત્યાં અવતાર થાય પણ આ સૂક્ષ્મ શરીર તો જોડે જ હોય.
ઈલેક્ટ્રિક્લ બૉડી ! એટલે આત્મા દેહ છોડીને એકલો જતો નથી. આત્મા જોડે પછી બધાં કર્મો, કારણ દેહ કહેવાય એને, પછી ત્રીજું “ઇલેક્ટ્રિકલ બૉડી' (તેજસ શરીર) આ ત્રણે સાથે નીકળે છે. જ્યાં સુધી આ સંસાર છે ત્યાં સુધી દરેક જીવમાં આ ઇલેક્ટ્રિકલ બૉડી હોય જ ! કારણ શરીર બંધાયું કે ઇલેક્ટ્રિકલ બૉડી જોડે જ હોય. ઇલેક્ટ્રિકલ બૉડી દરેક જીવમાં સામાન્ય ભાવે હોય જ અને તેના આધારે આપણું ચાલે છે. ખોરાક ખાઈએ છીએ તે પચાવવાનું કામ એ ઇલેક્ટ્રિકલ બૉડી કરે છે. એ લોહી બધું થાય છે, લોહી શરીરમાં ઉપર ચઢાવે, નીચે ઉતારે, એ બધું અંદર કામ કર્યા કરે. આંખે દેખાય છે તે લાઈટ બધું આ ઇલેક્ટ્રિકલ બૉડીના લીધે હોય છે અને આ ક્રોધ-માન-માયા-લોભ એ ય આ “ઇલેક્ટ્રિકલ બૉડી'ને લીધે થાય છે. આત્મામાં ક્રોધ-માન-માયા-લોભ છે જ નહીં. આ ગુસ્સોય એ બધું ‘ઇલેક્ટ્રિકલ બૉડી’ના શૉક (આઘાત) છે.
પ્રશ્નકર્તા : એટલે ‘ચાર્જ થવામાં ‘ઇલેક્ટ્રિક્લ બૉડી’ કામ કરતું હશેને ?
દાદાશ્રી : ઇલેક્ટ્રિકલ બૉડી હોય તો જ ચાર્જ થાય. નહીં તો આ ઇલેક્ટ્રિકલ બૉડી ના હોય તો આ કશું ચાલે જ નહીં. ‘ઇલેક્ટ્રિકલ બૉડી'