________________
૨૪૦
મહામંત્રી શાહ
નાશ કરો. પછી તે, મહાઅમાત્ય હૈય, મારા પિતા હોય કે ગમે તેવો શત્રુ હોય. મારી ફરજની આડે આવનારને તે હું શત્રુ જ માનું છું.”
મહારાજા આ સાંભળી સ્તબ્ધ બની ગયા. નગરશે પિતાના જમાઈના શબ્દો સાંભળી આશ્ચર્ય પામ્યા.
–પણ આજે મહા સેનાપતિએ સભામાં હાજરી આપી હતી, તેમનાથી ન રહેવાયું. તે ક્રોધાવેશમાં બોલ્યા :
“શ્રીયકજી ! તમે મહાન પાપ કર્યું છે. દૂષ્ટ કાર્ય કર્યું છે. આને જવાબ તમારે આપવા પડશે. જે મહારાજા આને જવાબ નહિ. માગે, તે હું આ શમશેરથી તમારી પાસે જવાબ માગીશ.”—કહી તે સ્થાનમાંથી સમશેર કાઢી શ્રીયકજી તરફ ધ.
મહારાજાએ પિતાની શમશેર વડે તેને આગળ જતે અટકાવી કહ્યું :
“ખબરદાર ! શ્રીયજીને એક વાળ પણ વાંકે થે ન જોઈએ.”
–આ સાંભળી આખી રાજસભા સ્તબ્ધ બની ગઈ.