Book Title: Katha Manjari Part 02
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 240
________________ રાહકની કથા ર૧૩ વાળાથી જીતી શકાતો નથી. પરંતુ બુદ્ધિબળવાળે એક જ ક્ષણમાં જીતી જાય છે.” આ પ્રમાણે વિચાર કરીને, રાજાએ રેહકની બુદ્ધિની પરીક્ષા માટે; તે ગામના મુખ્ય પુરુષોને બેલાવીને, હુકમ કર્યો કે:-તમારા ગામ બહાર એક મેટી શિલા છે, તેને ઉપાડીને રાજાના મંડપને યોગ્ય એવી તેની છત્રી બનાવરાવે.” રાજાને આ હુકમ આવવાથી, તે હુકમ પળાવ અશક્ય છે તેમ વિચારીને સર્વ આગેવાને મનમાં મુંઝાવા લાગ્યા. વળી બધા એક બીજાને પૂછવા લાગ્યા કે –“રાજાના આવા અશક્ય હુકમનો અમલ શી રીતે કરો ? જે તેના હુકમનો અનાદર કરીશું તે મોટું નુકશાન થવા સંભવ છે.” આ પ્રમાણે ચિંતાતુર થએલા તેઓને અપાર થઈ ગયા. રેહક પિતાના પિતાની સાથે જ જમતો હતો, અને તેને પિતા તે ગામના લોકો એકઠા થયા હતા ત્યાં ગયે હતે; તેથી ભજનનો વખત થયો તો પણ તે આવ્યું નહિ. રેહક પિતાના પિતાની પાસે ગયો અને તે પોતે કહેવા લાગે કે –“મને બહુ ભૂખ લાગી છે, તેથી એકદમ જમવામાટે ઘેર ચાલો.”તેના પિતા ભરતે કહ્યું કે –“હે વત્સ! તું બાળક હોવાથી સુખી છું. આપણું ગામ ઊપર આવેલી આપત્તિને તું જાણતો નથી.”રાહકે પૂછયું કે –“શી આપત્તિ આવી છે.” ભરતે તેને રાજાને આવેલો હુકમ કહી સંભળાવ્યો. બુદ્ધિની વિશિષ્ટતાથી તરત જ તેનું તાત્પર્ય જાણીને રાહક બેલ્યો કે-“તમે આ બાબતમાં શા માટે આટલા બધા ચિંતાતુર થાઓ છે? તે શિલાની નીચે રાજાને યોગ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268