Book Title: Katha Manjari Part 02
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 239
________________ ૨૧૨ કથામંજરી-૨ બાળપણાની ચેષ્ટા કરતાં કરતાં, આખી ઉજ્જયિની નગરી ચીતરી. તેવામાં ઉજ્જયિનીને રાજા અશ્વ ખેલાવતે ત્યાં આવી ચડ્યો. રાજા પિતાને ઘડે રેહકે રેતીમાં ચીતરેલી ઉજજયિની વચ્ચે થઈને ચલાવવા લાગ્યું. તે દેખીને રેહકે કહ્યું કે –“અરે રાજપુત્ર! આ રસ્તે થઈને ઘોડો ચલાવશે નહિ” રાજાએ પૂછયું કે કેમ? રેહકે કહ્યું કે-“તમે આ રાજમહેલ વગેરે દેખતા નથી?” પછી કુતૂહલથી રાજાએ ઘોડા ઉપરથી ઊતરીને તે ચિત્રામણ જોયું, તે આખી નગરી ચીતરેલી તેણે જોઈ. રાજાએ તે બાળકને પૂછ્યું કે –“તેં પહેલા કઈ વખત આ નગર જોયું હતું? ” રેહકે કહ્યું કે –“કઈ વખત નહિ, મારા ગામથી હું આજે જ અહીં આવેલ છું.” રાજાએ તે સાંભળીને વિચાર્યું કે-“આ બાળકનું બુદ્ધિકૌશલ્ય કેટલું છે?” રાજાએ પછી રેહકને પૂછયું કે-“હે વત્સ! તારું નામ શું છે, અને તે ક્યા ગામનો રહેવાસી છું?” રેહકે કહ્યું કે “મારું નામ રેહક છે, અને હું પાસેના ગામમાં રહું છું.” આ વખતે રેહકને બાપ નગરમાંથી આવ્યું. પછી બંને જણા પોતાના ગામ તરફ ચાલવા લાગ્યા. રાજા રાજમહેલમાં ગયે ને વિચારવા લાગે કે – “ પાંચ મંત્રીઓમાં એક મંત્રી એ છે છે, જે આ રોહકને સર્વ મંત્રીઓમાં શ્રેષ્ઠ મંત્રી તરીકે સ્થાપું, તે મારું રાજ્ય બહુ સારી રીતે ચાલે. રાજા જે બુદ્ધિવાન હોય અને ઓછા બળવાળ હોય, તે પણ તે બહુ બળવાળા અને અલ્પ બુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268