Book Title: Katha Manjari Part 02
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 242
________________ , હિકની કથા ૨૧૫ આગેવાન પુરુષોએ રેહકને કહ્યું કે –“હે વત્સ! પ્રથમ પણ રાજાના હુકમરૂપી દુર્તધ્ય સમુદ્રને તારી બુદ્ધિરૂપી સેતુ વડે તેં અમને બધાને તાર્યા હતા, અત્યારે પણ તારી બુદ્ધિથી ફરી સેતુ બાંધે, કે જેનાથી રાજાના આ નવા હુકમરૂપી સમુદ્રને પણ તરી જઈએ.” તે સાંભળીને રેહકે કહ્યું કે –“એક વરૂને તેની પાસે રાખે અને ઘાસ વગેરે સારી રીતે ખવરાવીને, આને પુષ્ટ કરે. ઘાસ વગેરે ખાવાથી તે દુર્બળ થશે નહિ, અને વરૂને દેખીને તે પુષ્ટ બનશે નહિ.” તેઓએ તે પ્રમાણે કર્યું. પંદર દિવસ થયા એટલે, તે ઘેટે રાજા પાસે મોકલી દીધો. તેને તેલ કરતાં તે તોલમાં પહેલાં જેટલો જ થયે. કેટલાક દિવસ વીતી ગયા પછી રાજાએ એક કુકડો મોકલ્ય, અને કહેવરાવ્યું કે –“ આ કુકડાને બીજા કુકડા વિના યુદ્ધ કરાવજે.” રાજાને નવ હુકમ ફરીને આ પ્રમાણે આવવાથી સર્વે એકઠા થયા. તેઓએ રેહકને બેલા. રાજાનો હુકમ તેને કહી સંભળાવ્યો. તરત જ રેહકે એક મેટ આરીસે મંગાવ્યો, અને તેને બરાબર સાફ કરાવ્યું. પછી તે આરીસામાં દેખીને “આ મારે પ્રતિપક્ષી બીજે કુકડો આવ્યો છે તેમ માનીને અહંકારપૂર્વક તેની સાથે યુદ્ધ કરવા લાગ્યું. બીજા કુકડા વગર પણ રાજા તરફથી મેકલાવેલ કુકડાને યુદ્ધ કરતો જોઈને બધા લેકે આશ્ચર્યચકિત થઈ ગયા. તે હકીકત રાજાની આગળ પહોંચાડવામાં આવી. વળી કેટલાક દિવસ પછી રાજાએ હુકમ મોકલ્યો કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org www.jain

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268