Book Title: Katha Manjari Part 02
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 258
________________ અંગાળદેવની કથા ૨૩૧ લેાકેા એકઠા થઈ ગયા અને આમ કરવાનું કારણ પૂછ્યું. તેણે લાકડીની વાત કરી. એટલે “ ગુરુને સીધા કરવા જતાં ગુરુનું મૃત્યુ થયું ! તે સાંભળી સર્વે હુસવા લાગ્યા. આ પ્રમાણે તે મૂર્ખ શિષ્ય પાપ તથા અપકીર્ત્તિનું ભાજન થયો. ” વળી હે વત્સ ! કાયર માણસે વિષમ કાર્યો શરુ કરવાં નહિ. કારણ કે તેના ભીરૂ સ્વભાવથી અને બુદ્ધિની વિડ્વલતાથી ચીભડાવાળા પુરુષની માફક કાર્યના નાશ થાય છે. તેની કથા આ પ્રમાણેઃ ૪ ચીભડાવાળા પુરુષની કથા " એક નગરમાં એક ગૃહસ્થ રાત્રે ખાટલા ઊપર સૂતે હતો. રાત્રે તેના ઘેર એક ચાર આળ્યેા. ૮ તે ગૃહસ્થ જાગે છે કે 'ધે છે. ' તે માઅતનો નિર્ણય કરવા માટે તે ચારે પેાતાની પાસે રાખેલ એક ચીભડું તેના ઊપર નાંખ્યું, ચીભડુ ભાગી ગયું. તે ચીભડામાંથી પાણી તથા તેનાં ખી તે ગૃહસ્થ ઊપર પડયા. તે જાગી ગયા. અને ભયભ્રાંત થઈને પોતાની પત્નીને તેણે કહ્યું કે “ અરે ! જાગ, જાગ, ચારે મને તલવારવડે માર્યા છે, તેથી માત્ર લેાહી નીકન્યુ' છે એટલું જ નહિ પણ સાથે કીડાએ પણ નીકળ્યા છે.” તે રસને લેાહી અને બી ને કીડાઓ માનતા હતા. ચારે વિચાર્યું કે “ અરે ! આવા કાયરનું ધન લેવાથી શું ફાયદો ? ” તેમ વિચારી ચાર ચાલ્યા ગયા. વળી શેઠે કહ્યું કે- હું કુળદીપક પુત્ર ! જે તરત જ જવાબ આપી શકે છે તે દેવાને પણ વશ કરે છે. તે પછી મનુષ્યાને વશ કરે તેમાં શું નવાઈ ? જેવી રીતે એક વૈષ્ણવી સ્ત્રીએ કર્યુ હતું.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268