Book Title: Katha Manjari Part 02
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 266
________________ બંગાળદેવની કથા ૨૩૯ તેવામાં એક જટાધારી તાપસ તેને મળે. તેની સાથે વાતો કરતો કરતે તે કેટલેક દૂર નીકળી ગયો. ત્યાં પાછું એક સુંદર જળાશય આવ્યું, ત્યાં બધે કરંબક તેણે તે જટાધારીને આપી દીધું. જટાધારીએ જે તે કરંબક ખાધે કે તરત જ તે બેકડો થઈ ગયે, અને તે બેકડો પાછો વિદુલ્લતાના પિયેર તરફ ચાલ્યો. બંગાળદેવ પણ કુતૂહલ, ભય, શેક વગેરેથી વ્યાકુળ થઈને તે બોકડાની પછવાડે ચાલ્યો. વિદ્યુતાના પિતા તે સમયે ઘર બહાર ગએલો હતો. પેલો બેકડો ઘરમાં પેઠે, એટલે વિદ્યુલ્લતાએ એક લાકડી વતી તે બેકડાને મારવા માંડ્યો. બેકડાએ બૂમે મારવા માંડી. વિદ્વતા ધીમે ધીમે બાલતી હતી કે “અરે! જા જા, તેને ઘેર જઈ આવ.” લેકે એકઠા થઈ ગયા. તેઓએ પૂછયું કે-“તું આ શું કરે છે? ” તેણીએ ખુલાસો કર્યો કે-“મારે પતિ તેની પહેલાંની પત્નીઓને યાદ કરીને તેની પાસે જતો હતો, તેથી કરંબકમાં ઔષધિ ભેળવીને મેં તેને બેકડ બનાવ્યો છે, અને મારું છું.” લોકોને દયા આવવાથી કહ્યું કે-“હવે તેનું મૂળ રૂપ કર.” તેણુએ તરત જ બીજે ઔષધેપચાર કર્યો, એટલે તે એક તરત જ જટાધારી થઈ ગયે. લોકેએ પૂછયું કે “બાવાજી ! આ શું?” બાવાજીએ પિતાની પ્રથમ અવસ્થા યાદ કરીને કહ્યું કે “અરે ભાઈઓ ! વિશ્વાસ રાખીને જે કરંબક ખાય છે તે આવી વિડંબના સહન કરે છે, તેમાં કેઈને દેષ નથી.” પછી તેણે બધી હકીકત જે બની હતી તે કહી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org WWW

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268