Book Title: Janma Jivan Mrutyu ane Mukti
Author(s): T U Mehta
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 23
________________ રહીને કષાયોથી બળતા જગતને જોવાછતાં તેના સ્વરૂપને જાણતા નથી.–6. અધ્યયન ૧૪ ગા. ૪ર-૪૩ ૩૧. અહો ! આ સંસારમાં જન્મ દુઃખરૂપ છે, જરા દુઃખરૂપ છે, રોગ અને મરણ પણ દુઃખરૂપ છેઆ સમસ્ત સંસાર દુઃખરૂપ છે જેમાં જીવો ક્લેશ પામે છે. માટે મુક્તિના સુખને દેનાર ધર્મનો ધૂરા ધારણ કરો. -6. અધ્યયન ૧૯ ગા. ૧૫, ૯૮ ૩૨. એમ સમજો કે – મારો આત્મા જ વૈતરણી નદી સમાન છે, એજ શાલ્મલી વૃક્ષ અને કામદુધા ધેનુ છે, નંદનવન છે. આત્મા સુખ દુઃખનો કર્તા છે અને અકર્તાપણ છે. તે સદાચારથી વર્તે તો મિત્ર સમાન છે, પરંતુ દુરાચારથી વર્તે તો શત્રુ સમાન છે. - ઉ. અ. ૨૦ ગા. ૩૬,૩૭ ૨૨

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34