Book Title: Janma Jivan Mrutyu ane Mukti
Author(s): T U Mehta
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 33
________________ કરી મરનારના આત્માને શાંતિ પહોંચે તેવા પ્રયત્નો કરવા જોઈએ. મરનારનો આત્મા મૃત્યુ બાદ તુરત જ બીજો જન્મ લઈ શકતો નથી. મરનારની અધુરી રહેવ વાસનાઓ, આદર્શો કે જીવનધ્યેયોની પૂર્તિ થાય તેવા સ્થળે તે ફરી જન્મ લે છે. પરંતુ તે ક્યારે અને કેવા સંજોગોમાં ફરી જન્મ લે છે તે કહી શકાતું નથી કારણ કે તે વાત અનેક પ્રકારના સંયોગો ઉપર આધારિત છે. મૃત્યુની ક્ષણે જો આપણે ઈશ્વર સ્મરણ કરી શકીએ તો ત્યારબાદના જન્મમાં તે આત્માની સારી ગતિ જરૂર થાય; પરંતુ દીર્ધકાળના અભ્યાસીઓ પણ મૃત્યુ સમયે ઈશ્વરપરાયણ કે આત્મનિષ્ઠ રહી શકતા નથી. શ્રી મોટાના આ વિચારો મૂલ્યવાન છે. -વ્યયંબક ઉ. મહેતા R

Loading...

Page Navigation
1 ... 31 32 33 34