Book Title: Janma Jivan Mrutyu ane Mukti
Author(s): T U Mehta
Publisher: Sastu Sahityavardhak Karyalay Mumbai

View full book text
Previous | Next

Page 30
________________ વીતરાગી મનુષ્ય મુક્તિને પ્રાપ્ત કરે છે. -ઉ. અધ્યયન ૩૨ ગા. ૮૮, ૮૯, ૧૦૧ ૪૩. મોક્ષમાર્ગના ચાર લક્ષણો આ પ્રમાણે છે : (૧) જ્ઞાન (૨) દર્શન, (૩) ચારિત્ર અને (૪) તપ. આ ચાર લક્ષણોથી સાધના કરનાર મુક્તિને પામે છે. જ્ઞાન એટલે પદાર્થની યથાર્થ સમજ, દર્શન એટલે યથાર્થ શ્રદ્ધા, ચારિત્ર એટલે સદાચાર અને તપ એટલે ભૌતિક વાસનાઓનું નિયંત્રણ. -ઉ. અધ્યયન ૨૮ ગા. ૧ થી ૩ ૪૪. સમ્યગ્ દર્શન વિના જ્ઞાન સંભવે નહિ, સમ્યગ્ જ્ઞાન વિના શુદ્ધ ચારિત્ર સંભવે નહિ અને શુદ્ધ ચારિત્ર વિના કર્મ-ક્ષય થાય નહિ, અને કર્મ-ક્ષય વિના મોક્ષ સંભવે નહિ. – ઉ. અધ્યયન ૨૮ ગા. ૩૦ ૨૦

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34