Book Title: Jain_Satyaprakash 1957 01
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કાવ્યશાસ્ત્રી ચાવિયણ લેખક : પ્રા. હીરાલાલ ૨. કાપડિયા એમ. એ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાષાના ઉદ્દભવ પછી ભાષાના સ્વરૂપા બાધ કરાવવા માટે તેમજ એ વિકૃત થતી અટકે તે માટે જેમ વ્યાકરણની રચના કરાય છે એમ સામાન્ય રીતે જેમ મનાય છે, તેમ કાવ્યેા રચાયા બાદ એની શાસ્ત્રીય ચર્ચા માટે કાવ્યશાસ્ત્રની ચેાજના સભવે એમ મનાતું હાય તા ના નિહ. એ ગમે તે હે। પણ એક જ વ્યક્તિ કાવ્યો પણ રચે—કવિ તરીકે નામના મેળવે અને સાથે સાથે વિદ્ભાગ્ય કાવ્યશાસ્ત્ર પણ રચે એવી ધટના અલ્પ પ્રમાણુમાં બને. જૈન સાહિત્યના વિચાર કરીશું તો જણાશે કે આ સાહિત્ય પણ આ પરિસ્થિતિથી પર નથી. કવિ અને સાથે સાથે કાવ્યશાસ્ત્રી પણ હોય એવી જૈન વ્યક્તિ તરીકે અપ્પભટ્ટિસૂરિ, કાલિકાલસર્વીન ' હેમચન્દ્રસૂરિ, વાયડ ગચ્છના અમચન્દ્રસૂરિ અને ન્યાયવિશારદ ન્યાયાચાય યશાવિજયગણિના હું ઉલ્લેખ કરું છું. આ યશવિજયગણિ પ્રબળ તાર્કિક તરીકે તેમજ ચચ્ચાર ભાષાના ગણનાપાત્ર કવિ તરીકે જેટલા સુપ્રસિદ્ધ છે એટલા કાવ્યશાસ્ત્રી તરીકે જાણીતા નથી એથી એમને આ રીતને પરિચય આપવા હું પ્રેરાયા છું અને એનુ ફળ તે આ પ્રસ્તુત લેખ છે: " 1 યશોવિજયગણિતની જે કૃતિઓ ઉપલબ્ધ તેમજ અનુપલબ્ધ જાણવામાં છે તેમાં તા ગણિએ કાવ્યશાસ્ત્રને અંગે કાઈ સ્વતંત્ર કૃતિ રચ્યાનું જણાતું નથી. એમણે નિમ્નલિખિત કૃતિ ઉપર સંસ્કૃતમાં વૃત્તિ રચી છેઃ— (૧) મમ્મટ કૃત કાવ્યપ્રકાશ ( ૨ ) ‘ કલિ. ’ હેમચન્દ્રસૂરિષ્કૃત કાવ્યાનુશાસનની સ્વપન્ન વૃત્તિ નામે અલ કારચુડામિણ. આ ઉપરાંત ‘વાયડ’ ગચ્છના અમર્ચન્દ્રસૂરિષ્કૃત કાવ્યકલ્પલતા ઉપર પણ એમણે વૃત્તિ રચી એમ કેટલાકનું કહેવું છે. યશાવિજયગણિએ પાતાની કાઈ કૃતિમાં કાવ્યપ્રકાશ ઉપર પોતે વૃત્તિ રચ્યાના ઉલ્લેખ કર્યાં છે ખરા ? ખાકી પ્રતિમાશતકના ત્રીજા પદ્મતી તેમજ નવમા પદ્યની સ્વાપન નૃત્તિમાં r કાવ્યપ્રકાશકાર એવા ઉલ્લેખ કરી એમને–મમ્મટતા મત દર્શાવ્યા છે. સદ્ભાગ્યે કાવ્યપ્રકાશની વૃત્તિની એક અપૂર્ણ હાથપોથી મળે છે. એ ખીજા અને ત્રીજા ઉલ્લાસને અંંગે છે. એમાં વિવિધ મતા દર્શાવી યશોવિજયણએ પોતાના અભિપ્રાય દર્શાવ્યેા છે. જિનરત્નકાશ ( વિભાગ ૧, પૃ. ૯૦ )માં A Descriptive Catalogue of manu scripts in the Jain Bhandars at Patan ( Vol. I, P. 107)ની નોંધ છે અને એ દ્વારા પાટણના ભંડારમાં કાવ્યપ્રકાશની ઉપર્યુક્ત વૃત્તિ હૈવાનો ઉલ્લેખ કર્યો છે, પણ આ સૂચીપત્રના આ પાના ઉપર તા આ વૃત્તિના ઉલ્લેખ જણાતા નથી તેનું કેમ ? 1. મુખપૃષ્ઠ ઉપર આનું નામ પત્તનણ્ય પ્રાચ્યનૈનમાારીચકાનૂની છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28