Book Title: Jain_Satyaprakash 1954 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૨૪] શ્રી જૈન સત્ય પ્રકાશ વર્ષ : ૧૯ પરિચય સન ૧૯૨૬માં પ્રકાશિત નલવિલાસ નાટક (ગા. એ. સ. નં. ૨૯ )ની સંસ્કૃત પ્રસ્તાવનામાં મે' આપ્યા છે. એથી અહી' વિસ્તાર કરીશું નહિ. એ સબંધમાં એકાદ સાક્ષરે કરાવેલી ગેરસમજ અહીં દૂર કરવી ઉચિત છે. ડૉ. ભોગીલાલ જ. સાંડેસરાએ સન ૧૯૪૫માં પ્રકાશિત ઋતિહાસની કેડી ' પૃ. ૨૭માં • હેમચન્દ્રાચાર્યનું શિષ્યમ’ડળ' લેખમાં ' મહાકવિ રામચંદ્ર' સબંધમાં લખતાં જણાવ્યું છે કે તેમણે રચેલ નાવિલાસ નાટક (પ્રસિદ્ધ ગા. એ, સીરીઝ)ના સંપાદક ૫. લાલચંદ્ર ગાંધીના અનુમાન પ્રમાણે, રામચન્દ્રના જન્મ સ. ૧૧૪૫માં થયા હતા, તેમણે દીક્ષા સ. ૧૧૫૦માં લીધી હતી, સ. ૧૧૬૬માં સૂરિપદ મેળવ્યું હતું, સ. ૧૨૨૯માં હેમચન્દ્રાચાર્યના પટ્ટર થયા હતા અને સ. ૧૨૩૦માં તેમનું મરણ થયું હતું.'' Acharya Shri Kailassagarsuri Gyanmandir ' —એમાં ડૉ. સાંડેસરાની સમજફેર થઈ લાગે છે. કારણ કે મેં ત્યાં અનુમાન કર્યું" નથી અને ત્યાં જણાવેલ જન્માદિ સંવત મેં મહાકવિ રામચન્દ્ર સંબંધમાં નહિ, પણ તેમના ગુરુ આચાર્યં શ્રીહેમચંદ્રસૂરિ સબંધમાં જણાવ્યા છે કે જે પ્રભાવકત્ર વગેરેમાં મળી આવે છે. નવિલાસ નાટકની સ. પ્રસ્તાવનામાં (પૃ. ૩૫માં) મેં આવી રીતે સ્પષ્ટ ઉલ્લેખ કર્યાં છે:-- “ वि. सं. ११४५ वर्षे जन्मभाजः, वि. सं. ११५० वर्षे संयतस्य वि. सं. ११६६ वर्षे सूरिपश्प्रतिष्ठिलस्य, वि. सं. १२२९ वर्षे दिवंगतस्य सुप्रसिद्धस्य श्रीमतो हेमचन्द्राचार्यस्व पट्टधुरन्धरस्तत्समकालीन स्वायं महाकविरामचन्द्रो गूर्जरेश्वर सिद्धराज - कुमारपालयोः सत्तायां विद्यमान શાર્ક થયો: સત્તાસમયો વિ. સં ૧૧૪૬-૬૬-૧૨૨૦ વષષુ નિશ્વિતઃ | '' એ પ્રસ્તાવનામાં (પૃ. ૨૫-૩૭માં) મહાકવિ રામચંદ્રની સ્વાતંત્ર્યપ્રિયતા સૂચવતા કેટલાક શ્લોકા મે ત્યાં તેની પ્રસિદ્ધ અપ્રસિદ્ધ કૃતિમાંથી દર્શાવ્યા છે, તેમાં જિનસ્તોત્રના સ્મૃતમાંના એક શ્લાક આ પ્રમાણે જણાવેલ છે— “ સ્વતન્ત્રો ફેવ! મૂવર્સ સામેયોઽપિ વર્ભનિ मा स्म भूवं परायत्तस्त्रिलोकस्यापि नायकः || "" -ડૉ. સાંડેસરાએ · ઇતિહાસની કેડી' (પૃ. ૩૭)માં એ શ્લોક તો ટાંકો છે, પરંતુ ‘ મૂલ ' પદને બદલે ‘ મૂલ' એવી રીતે જણાવેલ છે, તથા ત્યાં પૃ. ૫૫માં તેને જે અર્થ પ્રકટ કર્યાં છે, વસ્તુતઃ કવિના આશયથી વિરુદ્ધ અર્થ જણાવેલ છે તે એ કે— “ તુ રસ્તાના કૂતરો ભલે થજે, પણ સ્વતંત્ર રહેજે; ત્રિલેાકના નાયક બનીને અણુ પરતંત્ર ન રહીશ” આવા વિલક્ષણ શબ્દોમાં જિનેશ્વરની સ્તુતિ કરનાર... કવિના વનમાં તેમજ કવનમાં સભર ભરેલા સ્વાતંત્ર્યપ્રેમ વિશે વધારે શું લખવું? For Private And Personal Use Only "3 " मा स्म भूषम् —એ શ્લાકમાં કવિએ અસ્મપુરુષનાં એકવચનવાળાં - મૂસ ક્રિયાપદના પ્રયોગ કરી પેાતાના સંબંધમાં એવી આશા-અભિલાષા પ્રકટ કરી છે, તેને બદલે અર્થ કરનાર સાક્ષરે યુધ્મપુરુષનાં એકવચનવાળાં ક્રિયાપદરૂપે સમજી તેને દેવ સબધમાં ઘટાવ્યાં જણાય છે! અને ત્યાં જણાવેલ સારમેય શબ્દના અર્થ પણ કવિના અષ્ટ આશયથી જાહ્ને જણાય છે. તેના અર્થ આ પ્રમાણે કરવા ઊંચત ગણાય— '

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28